Gujarat Rain : જુઓ વરસાદની તસવીરો.. ક્યાંક બાળકો વરસાદની મજા માણતા દેખાયા તો ક્યાંક પાણી ભરાઈ જવાને કારણે લોકો પરેશાન..


  • Published By :
  • Published Date : 2024-06-24 19:06:17

છેલ્લા થોડા દિવસથી રાજ્યમાં મેઘ મહેર જોવા મળી રહી છે. વરસાદી માહોલ જામ્યો છે. વરસાદ થતા લોકોમાં ખુશી તો છે પરંતુ અનેક વિસ્તારોથી એવા દ્રશ્યો સામે આવ્યા જેમાં તંત્ર દ્વારા કરવામાં આવતી પ્રિમોનસુનની કામગીરી પર સવાલ ઉભા કરે તેવા છે. અલગ અલગ જગ્યાઓ પરથી દ્રશ્યો સામે આવ્યા છે જેમાં કોઈ જગ્યા પર અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે તો કોઈ જગ્યા પર પુલ તૂટ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. 

ક્યાં માટે કરાઈ છે વરસાદની આગાહી?  

ગરમીથી લોકો ત્રસ્ત બની ગયા હતા અને ક્યારે વરસાદ આવે તેની રાહ જોઈ રહ્યા હતા. ચોમાસાની પ્રતિક્ષા થઈ રહી હતી. ભારેથી અતિભારે વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે. વલસાડમાં 7થી 8 ઈંચ વરસાદ પડવાનું અનુમાન છે. સુરત, નવસારી, તાપીમાં 4થી 5 ઈંચ વરસાદ પડી શકે છે. આ સાથે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે મધ્ય ગુજરાતમાં પણ 3 દિવસ સારો વરસાદ રહેશે. મહારાષ્ટ્ર તરફથી વરસાદી સિસ્ટમ ગુજરાત આવશે. જેથી 25 જૂનથી ચોમાસાનો વરસાદ વધશે.


અનેક દ્રશ્યો સામે આવ્યા જેમાં.. 

ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ તો સારો વરસી રહ્યો છે પરંતુ ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે તંત્ર દ્વારા કરવામાં આવતી પ્રિ મોનસુનની કામગીરીની પોલ ખોલી દે તેવા છે. સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, ભાવનગરમાં વરસાદી પાણીએ કહેર મચાવ્યો છે. વરસાદને કારણે પાણીની આવક થઈ છે અને ડેમો ભરાઈ ગયા છે. સુરેન્દ્રનગરના ચુડાનો વાંસલ ડેમ 100 ટકા ભરાઈ ગયો હોવાથી નીચાણવાળા વિસ્તારોને સતર્ક કરવામાં આવ્યા છે. 



પહેલા જ વરસાદમાં રસ્તાઓ પર જોવા મળ્યું પાણી 

બોટાદમાં વરસાદના બીજા રાઉન્ડે ધમાકેદાર બેટિંગ કરી છે. શહેરનાં પાળીયાદ રોડ, જ્યોતિગ્રામ સર્કલ, અવેડાગેઈટ, ભાવનગર રોડ, ગઢડા રોડ, સહિતનાં રસ્તાઓ પર ગોઠણ સમા પાણી ભરાઈ ગયા. તે સિવાય મોરબીની વાત કરીએ તો પ્રથમ વરસાદમાં જ પાણી ભરાઈ ગયા છે. શહેરના મુખ્ય રોડ પર પાણી જોવા મળ્યું હતું. પાણી ભરાવાને કારણે વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો..


પુલ ધોવાઈ જવાને કારણે.... 

તે સિવાય ભાવનગરની વાત કરીએ તો વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. તે સિવાય જામનગરથી દ્રશ્યો સામે આવ્યા જેમાં પુલ ધોવાઈ જવાને કારણે ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ અટવાઈ ગયા હતા. તે સિવાય વરસાદી માહોલ અમરેલી, વડોદરામાં પણ જામ્યો હતો. ત્યારે તમારે ત્યાં કેવું વાતાવરણ છે તે અમને કમેન્ટમાં જણાવજો,, 



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.