Gujarat Rain : જુઓ વરસાદની તસવીરો.. ક્યાંક બાળકો વરસાદની મજા માણતા દેખાયા તો ક્યાંક પાણી ભરાઈ જવાને કારણે લોકો પરેશાન..


  • Published By :
  • Published Date : 2024-06-24 19:06:17

છેલ્લા થોડા દિવસથી રાજ્યમાં મેઘ મહેર જોવા મળી રહી છે. વરસાદી માહોલ જામ્યો છે. વરસાદ થતા લોકોમાં ખુશી તો છે પરંતુ અનેક વિસ્તારોથી એવા દ્રશ્યો સામે આવ્યા જેમાં તંત્ર દ્વારા કરવામાં આવતી પ્રિમોનસુનની કામગીરી પર સવાલ ઉભા કરે તેવા છે. અલગ અલગ જગ્યાઓ પરથી દ્રશ્યો સામે આવ્યા છે જેમાં કોઈ જગ્યા પર અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે તો કોઈ જગ્યા પર પુલ તૂટ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. 

ક્યાં માટે કરાઈ છે વરસાદની આગાહી?  

ગરમીથી લોકો ત્રસ્ત બની ગયા હતા અને ક્યારે વરસાદ આવે તેની રાહ જોઈ રહ્યા હતા. ચોમાસાની પ્રતિક્ષા થઈ રહી હતી. ભારેથી અતિભારે વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે. વલસાડમાં 7થી 8 ઈંચ વરસાદ પડવાનું અનુમાન છે. સુરત, નવસારી, તાપીમાં 4થી 5 ઈંચ વરસાદ પડી શકે છે. આ સાથે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે મધ્ય ગુજરાતમાં પણ 3 દિવસ સારો વરસાદ રહેશે. મહારાષ્ટ્ર તરફથી વરસાદી સિસ્ટમ ગુજરાત આવશે. જેથી 25 જૂનથી ચોમાસાનો વરસાદ વધશે.


અનેક દ્રશ્યો સામે આવ્યા જેમાં.. 

ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ તો સારો વરસી રહ્યો છે પરંતુ ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે તંત્ર દ્વારા કરવામાં આવતી પ્રિ મોનસુનની કામગીરીની પોલ ખોલી દે તેવા છે. સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, ભાવનગરમાં વરસાદી પાણીએ કહેર મચાવ્યો છે. વરસાદને કારણે પાણીની આવક થઈ છે અને ડેમો ભરાઈ ગયા છે. સુરેન્દ્રનગરના ચુડાનો વાંસલ ડેમ 100 ટકા ભરાઈ ગયો હોવાથી નીચાણવાળા વિસ્તારોને સતર્ક કરવામાં આવ્યા છે. 



પહેલા જ વરસાદમાં રસ્તાઓ પર જોવા મળ્યું પાણી 

બોટાદમાં વરસાદના બીજા રાઉન્ડે ધમાકેદાર બેટિંગ કરી છે. શહેરનાં પાળીયાદ રોડ, જ્યોતિગ્રામ સર્કલ, અવેડાગેઈટ, ભાવનગર રોડ, ગઢડા રોડ, સહિતનાં રસ્તાઓ પર ગોઠણ સમા પાણી ભરાઈ ગયા. તે સિવાય મોરબીની વાત કરીએ તો પ્રથમ વરસાદમાં જ પાણી ભરાઈ ગયા છે. શહેરના મુખ્ય રોડ પર પાણી જોવા મળ્યું હતું. પાણી ભરાવાને કારણે વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો..


પુલ ધોવાઈ જવાને કારણે.... 

તે સિવાય ભાવનગરની વાત કરીએ તો વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. તે સિવાય જામનગરથી દ્રશ્યો સામે આવ્યા જેમાં પુલ ધોવાઈ જવાને કારણે ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ અટવાઈ ગયા હતા. તે સિવાય વરસાદી માહોલ અમરેલી, વડોદરામાં પણ જામ્યો હતો. ત્યારે તમારે ત્યાં કેવું વાતાવરણ છે તે અમને કમેન્ટમાં જણાવજો,, 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.