Gujarat Rain : જુઓ વરસાદની તસવીરો.. ક્યાંક બાળકો વરસાદની મજા માણતા દેખાયા તો ક્યાંક પાણી ભરાઈ જવાને કારણે લોકો પરેશાન..


  • Published By :
  • Published Date : 2024-06-24 19:06:17

છેલ્લા થોડા દિવસથી રાજ્યમાં મેઘ મહેર જોવા મળી રહી છે. વરસાદી માહોલ જામ્યો છે. વરસાદ થતા લોકોમાં ખુશી તો છે પરંતુ અનેક વિસ્તારોથી એવા દ્રશ્યો સામે આવ્યા જેમાં તંત્ર દ્વારા કરવામાં આવતી પ્રિમોનસુનની કામગીરી પર સવાલ ઉભા કરે તેવા છે. અલગ અલગ જગ્યાઓ પરથી દ્રશ્યો સામે આવ્યા છે જેમાં કોઈ જગ્યા પર અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે તો કોઈ જગ્યા પર પુલ તૂટ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. 

ક્યાં માટે કરાઈ છે વરસાદની આગાહી?  

ગરમીથી લોકો ત્રસ્ત બની ગયા હતા અને ક્યારે વરસાદ આવે તેની રાહ જોઈ રહ્યા હતા. ચોમાસાની પ્રતિક્ષા થઈ રહી હતી. ભારેથી અતિભારે વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે. વલસાડમાં 7થી 8 ઈંચ વરસાદ પડવાનું અનુમાન છે. સુરત, નવસારી, તાપીમાં 4થી 5 ઈંચ વરસાદ પડી શકે છે. આ સાથે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે મધ્ય ગુજરાતમાં પણ 3 દિવસ સારો વરસાદ રહેશે. મહારાષ્ટ્ર તરફથી વરસાદી સિસ્ટમ ગુજરાત આવશે. જેથી 25 જૂનથી ચોમાસાનો વરસાદ વધશે.


અનેક દ્રશ્યો સામે આવ્યા જેમાં.. 

ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ તો સારો વરસી રહ્યો છે પરંતુ ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે તંત્ર દ્વારા કરવામાં આવતી પ્રિ મોનસુનની કામગીરીની પોલ ખોલી દે તેવા છે. સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, ભાવનગરમાં વરસાદી પાણીએ કહેર મચાવ્યો છે. વરસાદને કારણે પાણીની આવક થઈ છે અને ડેમો ભરાઈ ગયા છે. સુરેન્દ્રનગરના ચુડાનો વાંસલ ડેમ 100 ટકા ભરાઈ ગયો હોવાથી નીચાણવાળા વિસ્તારોને સતર્ક કરવામાં આવ્યા છે. 



પહેલા જ વરસાદમાં રસ્તાઓ પર જોવા મળ્યું પાણી 

બોટાદમાં વરસાદના બીજા રાઉન્ડે ધમાકેદાર બેટિંગ કરી છે. શહેરનાં પાળીયાદ રોડ, જ્યોતિગ્રામ સર્કલ, અવેડાગેઈટ, ભાવનગર રોડ, ગઢડા રોડ, સહિતનાં રસ્તાઓ પર ગોઠણ સમા પાણી ભરાઈ ગયા. તે સિવાય મોરબીની વાત કરીએ તો પ્રથમ વરસાદમાં જ પાણી ભરાઈ ગયા છે. શહેરના મુખ્ય રોડ પર પાણી જોવા મળ્યું હતું. પાણી ભરાવાને કારણે વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો..


પુલ ધોવાઈ જવાને કારણે.... 

તે સિવાય ભાવનગરની વાત કરીએ તો વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. તે સિવાય જામનગરથી દ્રશ્યો સામે આવ્યા જેમાં પુલ ધોવાઈ જવાને કારણે ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ અટવાઈ ગયા હતા. તે સિવાય વરસાદી માહોલ અમરેલી, વડોદરામાં પણ જામ્યો હતો. ત્યારે તમારે ત્યાં કેવું વાતાવરણ છે તે અમને કમેન્ટમાં જણાવજો,, 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.