Gujarat Rain - 14 જેટલા જિલ્લાઓમાં હવામાન વિભાગે આપ્યું એલર્ટ, ભરૂચમાં વરસાદે મચાવી તબાહી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી


  • Published By :
  • Published Date : 2024-09-04 14:39:57

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.. અનેક જગ્યાઓ પર ભારે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે.. ગુજરાતમાં વરસાદના પહેલા રાઉન્ડે જે તબાહી મચાવી છે તે આપણે જોઈ છે.. વડોદરામાં સર્જાયેલી હાલતથી આપણે વાકેફ છીએ. વરસાદના બીજા રાઉન્ડ ભરૂચ સહિતના વિસ્તારોમાં જોરદાર બેટિંગ કરી રહ્યો છે. ભરૂચથી અનેક દ્રશ્યો સામે આવ્યા છે ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા છે.. આગામી દિવસોમાં ક્યાં વરસાદ વરસી શકે છે તેની આગાહી હવામાન વિભાગે કરી છે. આજ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


આ વિસ્તારોમાં વરસી શકે છે વરસાદ!

તે ઉપરાંત કચ્છ, મોરબી, મહેસાણા, સાબરકાંઠા. અરવલ્લી, મહીસાગર. દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય પાંચમી તારીખ એટલે કે આવતી કાલ માટેની આગાહીની વાત કરીએ તો કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, મોરબી, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. તે સિવાય કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે છઠ્ઠીથી તારીખ માટે.. તે સિવાય બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે..




આટલા તાલુકામાં નોંધાયો વરસાદ!

છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો તેની વાત કરીએ તો 198 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધારે ભરૂચના વાલિયામાં નોંધાયો છે. તે ઉપરાંત નેત્રંગ અને ઉમરપાડામાં 4.8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સાથે વલસાડમાં ચાર ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. જ્યારે નાંદોદ, સુરત, વાપી, દાંતીવાડા, પલસાણા, જોટાનામાં ત્રણ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. ત્યારે તમારે ત્યાં વરસાદી માહોલ છે કે નહીં અમને કમેન્ટમાં જણાવજો. 



ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.