Gujarat Rain - 14 જેટલા જિલ્લાઓમાં હવામાન વિભાગે આપ્યું એલર્ટ, ભરૂચમાં વરસાદે મચાવી તબાહી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી


  • Published By :
  • Published Date : 2024-09-04 14:39:57

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.. અનેક જગ્યાઓ પર ભારે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે.. ગુજરાતમાં વરસાદના પહેલા રાઉન્ડે જે તબાહી મચાવી છે તે આપણે જોઈ છે.. વડોદરામાં સર્જાયેલી હાલતથી આપણે વાકેફ છીએ. વરસાદના બીજા રાઉન્ડ ભરૂચ સહિતના વિસ્તારોમાં જોરદાર બેટિંગ કરી રહ્યો છે. ભરૂચથી અનેક દ્રશ્યો સામે આવ્યા છે ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા છે.. આગામી દિવસોમાં ક્યાં વરસાદ વરસી શકે છે તેની આગાહી હવામાન વિભાગે કરી છે. આજ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


આ વિસ્તારોમાં વરસી શકે છે વરસાદ!

તે ઉપરાંત કચ્છ, મોરબી, મહેસાણા, સાબરકાંઠા. અરવલ્લી, મહીસાગર. દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય પાંચમી તારીખ એટલે કે આવતી કાલ માટેની આગાહીની વાત કરીએ તો કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, મોરબી, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. તે સિવાય કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે છઠ્ઠીથી તારીખ માટે.. તે સિવાય બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે..




આટલા તાલુકામાં નોંધાયો વરસાદ!

છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો તેની વાત કરીએ તો 198 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધારે ભરૂચના વાલિયામાં નોંધાયો છે. તે ઉપરાંત નેત્રંગ અને ઉમરપાડામાં 4.8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સાથે વલસાડમાં ચાર ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. જ્યારે નાંદોદ, સુરત, વાપી, દાંતીવાડા, પલસાણા, જોટાનામાં ત્રણ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. ત્યારે તમારે ત્યાં વરસાદી માહોલ છે કે નહીં અમને કમેન્ટમાં જણાવજો. 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.