Gujarat Rain - 14 જેટલા જિલ્લાઓમાં હવામાન વિભાગે આપ્યું એલર્ટ, ભરૂચમાં વરસાદે મચાવી તબાહી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી


  • Published By :
  • Published Date : 2024-09-04 14:39:57

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.. અનેક જગ્યાઓ પર ભારે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે.. ગુજરાતમાં વરસાદના પહેલા રાઉન્ડે જે તબાહી મચાવી છે તે આપણે જોઈ છે.. વડોદરામાં સર્જાયેલી હાલતથી આપણે વાકેફ છીએ. વરસાદના બીજા રાઉન્ડ ભરૂચ સહિતના વિસ્તારોમાં જોરદાર બેટિંગ કરી રહ્યો છે. ભરૂચથી અનેક દ્રશ્યો સામે આવ્યા છે ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા છે.. આગામી દિવસોમાં ક્યાં વરસાદ વરસી શકે છે તેની આગાહી હવામાન વિભાગે કરી છે. આજ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


આ વિસ્તારોમાં વરસી શકે છે વરસાદ!

તે ઉપરાંત કચ્છ, મોરબી, મહેસાણા, સાબરકાંઠા. અરવલ્લી, મહીસાગર. દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય પાંચમી તારીખ એટલે કે આવતી કાલ માટેની આગાહીની વાત કરીએ તો કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, મોરબી, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. તે સિવાય કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે છઠ્ઠીથી તારીખ માટે.. તે સિવાય બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે..




આટલા તાલુકામાં નોંધાયો વરસાદ!

છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો તેની વાત કરીએ તો 198 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધારે ભરૂચના વાલિયામાં નોંધાયો છે. તે ઉપરાંત નેત્રંગ અને ઉમરપાડામાં 4.8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સાથે વલસાડમાં ચાર ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. જ્યારે નાંદોદ, સુરત, વાપી, દાંતીવાડા, પલસાણા, જોટાનામાં ત્રણ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. ત્યારે તમારે ત્યાં વરસાદી માહોલ છે કે નહીં અમને કમેન્ટમાં જણાવજો. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.