Gujarat Rain : ચોમાસાના આગમન બાદ નબળું પડ્યું ચોમાસું! આજે આ વિસ્તારમાં વરસી શકે છે વરસાદ, જાણો 23 તારીખ સુધી ક્યાં વરસી શકે છે વરસાદ?


  • Published By :
  • Published Date : 2024-06-20 16:08:04

ચોમાસાની પધરામણી થઈ ગઈ પરંતુ મેઘાજા મન મૂકીને નથી વરસી રહ્યા.. ગુજરાતમાં પ્રવેશતાની સાથે જ ચોમાસું નબળું પડી ગયું અને જે રીતે વરસાદ વરસવો જોઈએ તે પ્રમાણે વરસાદ નથી થઈ રહ્યો જેને કારણે ઉકળાટ અને બફારો વધારે લાગે છે. અનેક વિસ્તારોમાં વરસાદ આવી રહ્યો છે જેને કારણે થોડા સમય માટે વાતાવરણમાં ઠંડક પ્રસરે છે પરંતુ થોડા સમયની બાદ ગરમીનો અનુભવ થવા લાગે છે. છેલ્લા 24 કલાકમાં 35 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધારે વરસાદ વલસાડમાં નોંધાયો હતો.



છેલ્લા 24 કલાકમાં 35 તાલુકામાં નોંધાયો વરસાદ 

ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, ગરમીથી રાહત જલ્દી મળે તેવી આશા લોકોને હતી.. વરસાદ આવે અને ગરમીથી રાહત મળે તેની રાહ લોકો જોતા હતા, વરસાદ ચાર દિવસ કરતા પહેલા આવી ગયો, અમુક સ્થળો વરસાદ આવ્યો પણ ખરો પરંતુ સાર્વત્રિક વરસાદ નથી વરસ્યો જેને કારણે ગરમી સહન કરવી પડી રહી છે.. છેલ્લા 24 કલાકમાં 35 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો હતો. આજે પણ અનેક જગ્યાઓ પર છુટો છવાયો વરસાદ વરસવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. 

News18 Gujarati



આજે ક્યાં વરસાદ વરસી શકે છે? 

આજે ક્યાં વરસાદ થશે તેની વાત કરીએ તો નવસારી, સુરત, વલસાડ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર તેમજ ગીર સોમનાથમાં વરસાદ વરસી શકે છે. તે સિાય વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, મહીસાગરમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આવતી કાલ માટે કરાયેલી આગાહીની વાત કરીએ તો અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, આણંદમાં વરસાદની સંભાવના છે. તે સિવયા વડોદરા, સુરત, તાપી, નવસાલી, દમણ, વલસાડ, તાપીમાં પણ વરસાદ વરસી શકે છે.  રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો તેની વાત કરીએ તો વલસાડના ઉમરગામમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. 

News18 Gujarati


News18 Gujarati

23 તારીખ સુધી ક્યાં આવી શકે છે વરસાદ? 

તે સિવાય 22 તારીખની વાત કરીએ તો અનેક જિલ્લાઓમાં વરસાદ આવી શકે છે. દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, નવસારી, સુરત, ડાંગ, વલસાડ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં વરસાદ વરસી શકે છે. 23 તારીખે હળવાથી સામાન્ય વરસાદ સાબરકાંઠા, બનાસકાંઠા. અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગરમાં વરસી શકે છે જ્યારે ગાજવીજ સાથે વરસાદ વડોદરા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, નર્મદા, ભરૂચમાં વરસી શકે છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.