Gujarat Rain : ચોમાસાના આગમન બાદ નબળું પડ્યું ચોમાસું! આજે આ વિસ્તારમાં વરસી શકે છે વરસાદ, જાણો 23 તારીખ સુધી ક્યાં વરસી શકે છે વરસાદ?


  • Published By :
  • Published Date : 2024-06-20 16:08:04

ચોમાસાની પધરામણી થઈ ગઈ પરંતુ મેઘાજા મન મૂકીને નથી વરસી રહ્યા.. ગુજરાતમાં પ્રવેશતાની સાથે જ ચોમાસું નબળું પડી ગયું અને જે રીતે વરસાદ વરસવો જોઈએ તે પ્રમાણે વરસાદ નથી થઈ રહ્યો જેને કારણે ઉકળાટ અને બફારો વધારે લાગે છે. અનેક વિસ્તારોમાં વરસાદ આવી રહ્યો છે જેને કારણે થોડા સમય માટે વાતાવરણમાં ઠંડક પ્રસરે છે પરંતુ થોડા સમયની બાદ ગરમીનો અનુભવ થવા લાગે છે. છેલ્લા 24 કલાકમાં 35 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધારે વરસાદ વલસાડમાં નોંધાયો હતો.



છેલ્લા 24 કલાકમાં 35 તાલુકામાં નોંધાયો વરસાદ 

ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, ગરમીથી રાહત જલ્દી મળે તેવી આશા લોકોને હતી.. વરસાદ આવે અને ગરમીથી રાહત મળે તેની રાહ લોકો જોતા હતા, વરસાદ ચાર દિવસ કરતા પહેલા આવી ગયો, અમુક સ્થળો વરસાદ આવ્યો પણ ખરો પરંતુ સાર્વત્રિક વરસાદ નથી વરસ્યો જેને કારણે ગરમી સહન કરવી પડી રહી છે.. છેલ્લા 24 કલાકમાં 35 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો હતો. આજે પણ અનેક જગ્યાઓ પર છુટો છવાયો વરસાદ વરસવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. 

News18 Gujarati



આજે ક્યાં વરસાદ વરસી શકે છે? 

આજે ક્યાં વરસાદ થશે તેની વાત કરીએ તો નવસારી, સુરત, વલસાડ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર તેમજ ગીર સોમનાથમાં વરસાદ વરસી શકે છે. તે સિાય વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, મહીસાગરમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આવતી કાલ માટે કરાયેલી આગાહીની વાત કરીએ તો અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, આણંદમાં વરસાદની સંભાવના છે. તે સિવયા વડોદરા, સુરત, તાપી, નવસાલી, દમણ, વલસાડ, તાપીમાં પણ વરસાદ વરસી શકે છે.  રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો તેની વાત કરીએ તો વલસાડના ઉમરગામમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. 

News18 Gujarati


News18 Gujarati

23 તારીખ સુધી ક્યાં આવી શકે છે વરસાદ? 

તે સિવાય 22 તારીખની વાત કરીએ તો અનેક જિલ્લાઓમાં વરસાદ આવી શકે છે. દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, નવસારી, સુરત, ડાંગ, વલસાડ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં વરસાદ વરસી શકે છે. 23 તારીખે હળવાથી સામાન્ય વરસાદ સાબરકાંઠા, બનાસકાંઠા. અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગરમાં વરસી શકે છે જ્યારે ગાજવીજ સાથે વરસાદ વડોદરા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, નર્મદા, ભરૂચમાં વરસી શકે છે. 



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.