Gujarat Rain : ચોમાસાના આગમન બાદ નબળું પડ્યું ચોમાસું! આજે આ વિસ્તારમાં વરસી શકે છે વરસાદ, જાણો 23 તારીખ સુધી ક્યાં વરસી શકે છે વરસાદ?


  • Published By :
  • Published Date : 2024-06-20 16:08:04

ચોમાસાની પધરામણી થઈ ગઈ પરંતુ મેઘાજા મન મૂકીને નથી વરસી રહ્યા.. ગુજરાતમાં પ્રવેશતાની સાથે જ ચોમાસું નબળું પડી ગયું અને જે રીતે વરસાદ વરસવો જોઈએ તે પ્રમાણે વરસાદ નથી થઈ રહ્યો જેને કારણે ઉકળાટ અને બફારો વધારે લાગે છે. અનેક વિસ્તારોમાં વરસાદ આવી રહ્યો છે જેને કારણે થોડા સમય માટે વાતાવરણમાં ઠંડક પ્રસરે છે પરંતુ થોડા સમયની બાદ ગરમીનો અનુભવ થવા લાગે છે. છેલ્લા 24 કલાકમાં 35 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધારે વરસાદ વલસાડમાં નોંધાયો હતો.



છેલ્લા 24 કલાકમાં 35 તાલુકામાં નોંધાયો વરસાદ 

ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, ગરમીથી રાહત જલ્દી મળે તેવી આશા લોકોને હતી.. વરસાદ આવે અને ગરમીથી રાહત મળે તેની રાહ લોકો જોતા હતા, વરસાદ ચાર દિવસ કરતા પહેલા આવી ગયો, અમુક સ્થળો વરસાદ આવ્યો પણ ખરો પરંતુ સાર્વત્રિક વરસાદ નથી વરસ્યો જેને કારણે ગરમી સહન કરવી પડી રહી છે.. છેલ્લા 24 કલાકમાં 35 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો હતો. આજે પણ અનેક જગ્યાઓ પર છુટો છવાયો વરસાદ વરસવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. 

News18 Gujarati



આજે ક્યાં વરસાદ વરસી શકે છે? 

આજે ક્યાં વરસાદ થશે તેની વાત કરીએ તો નવસારી, સુરત, વલસાડ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર તેમજ ગીર સોમનાથમાં વરસાદ વરસી શકે છે. તે સિાય વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, મહીસાગરમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આવતી કાલ માટે કરાયેલી આગાહીની વાત કરીએ તો અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, આણંદમાં વરસાદની સંભાવના છે. તે સિવયા વડોદરા, સુરત, તાપી, નવસાલી, દમણ, વલસાડ, તાપીમાં પણ વરસાદ વરસી શકે છે.  રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો તેની વાત કરીએ તો વલસાડના ઉમરગામમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. 

News18 Gujarati


News18 Gujarati

23 તારીખ સુધી ક્યાં આવી શકે છે વરસાદ? 

તે સિવાય 22 તારીખની વાત કરીએ તો અનેક જિલ્લાઓમાં વરસાદ આવી શકે છે. દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, નવસારી, સુરત, ડાંગ, વલસાડ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં વરસાદ વરસી શકે છે. 23 તારીખે હળવાથી સામાન્ય વરસાદ સાબરકાંઠા, બનાસકાંઠા. અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગરમાં વરસી શકે છે જ્યારે ગાજવીજ સાથે વરસાદ વડોદરા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, નર્મદા, ભરૂચમાં વરસી શકે છે. 



અમદાવાદમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનના ભાગ રૂપે ચંડોળામાં આજે પણ ફેઝ 2ની કામગીરી ચાલુ જ છે . ચંડોળા તળાવમાં આવેલી તમામ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ સહીત પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આવો જાણીએ ચંડોળામાં ચાલી રહેલા ફેઝ ૨ના મેગા ડિમોલિશન વિશે.

પાછલા ઘણા સમયથી પાકિસ્તાનમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે . ભારતની વિરુદ્ધમાં જે આતંકીઓએ ભૂતકાળમાં આતંકવાદી હુમલાઓની સાજીશ કરી હતી તે આંતકીઓની હવે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા થઇ રહી છે. આ ક્રમમાં હવે લશ્કરના આતંકી સૈફુલ્લા ખાલિદનો નંબર આવ્યો છે . જેની હત્યા અજાણ્યા હુમલાવરો દ્વારા કરી દેવાઈ છે. તેની પર આરોપ હતો કે ૨૦૦૬માં RSSના નાગપુર સ્થિત મુખ્યાલય પરના અટેકનો તે માસ્ટરમાઈન્ડ હતો . પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા સૈફુલ્લા ખાલિદની હત્યા કર દેવાઈ છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ લઇને આજે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે , ભારતીય સેનાએ સ્પષ્ટ કરી દીધું છે કે , પાકિસ્તાન સાથે DGMO સ્તરની કોઈ પણ વાતચીત આજે નઈ થાય . સીઝફાયર ચાલુ જ રહેશે. બેઉ દેશોના DGMO એટલેકે , ડિરેક્ટોરેટ જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે આજે કોઈ જ સંવાદ નથી થવા જઈ રહ્યો .

રક્ષામંત્રી રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત ગુજરાત પ્રવાસે છે. આજે રક્ષામંત્રી રાજનાથસિંહ ભુજ એરબેઝની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં તેઓ એરફોર્સે , BSF અને આર્મીના અધિકારીઓ - જવાનોને મળીને ચર્ચા કરીને સરહદ પરની સુરક્ષા અંગે સમીક્ષા કરી છે. આ સાથેજ રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુજરાતમાં ભારત - પાકિસ્તાન સરહદના વિવિધ વિસ્તારોની મુલાકાત પણ કરી છે. તો આવો જાણીએ રક્ષામંત્રી રાજનાથ સિંહના પ્રવાસ વિશે.