Gujarat Rain : રાજ્યમાં આ જિલ્લામાં વરસાદને લઈ ઓરેન્જ તેમજ યલો એલર્ટ જાહેર કરાયું. જાણો તમારો વિસ્તાર તો નથીને?


  • Published By :
  • Published Date : 2024-07-05 15:26:21

રાજ્યમાં ચોમાસું જામ્યું છે.. મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.. અનેક જગ્યાઓથી તો એવી તસવીરો સામે આવી જેને જોતા લાગે કે વરસાદે મહેર નહીં પરંતુ કહેર વરસાવ્યો હોય.. હવામાન વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારો માટે એલર્ટ જાહેર કરવામાં આવતું હોય છે. ગઈકાલે અનેક વિસ્તારો માટે રેડ, ઓરેન્જ તેમજ યલો એલર્ટ જાહેર કર્યું હતું ત્યારે આજ માટે પણ હવામાન વિભાગે અનેક વિસ્તારો માટે ઓરેન્જ તેમજ યલો એલર્ટ જાહેર કર્યું છે.

આ વિસ્તારો માટે આપવામાં આવ્યું ઓરેન્જ અને યલો એલર્ટ

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો દરમિયાન હવામાન કેવું રહેશે તેની આગાહી આપવામાં આવે છે.. ક્યાં વરસાદ વરસવાની સંભાવના છે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે. ત્યારે આજ માટે હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી,વલસાડ, દાદરા નગર હવેલી તેમજ દમણ માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. 



ગુરૂવારે 113 તાલુકામાં વરસ્યો હતો વરસાદ 

તે સિવાય પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય છઠ્ઠી તારીખે પણ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.  ગુરૂવારે 113 તાલુકામાં મેઘમહેર જોવા મળી હતી અને સૌથી વધારે વરસાદ બનાસકાંઠાના દાંતામાં નોંધાયો હતો. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.