Gujarat Rain : રાજ્યમાં આ જિલ્લામાં વરસાદને લઈ ઓરેન્જ તેમજ યલો એલર્ટ જાહેર કરાયું. જાણો તમારો વિસ્તાર તો નથીને?


  • Published By :
  • Published Date : 2024-07-05 15:26:21

રાજ્યમાં ચોમાસું જામ્યું છે.. મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.. અનેક જગ્યાઓથી તો એવી તસવીરો સામે આવી જેને જોતા લાગે કે વરસાદે મહેર નહીં પરંતુ કહેર વરસાવ્યો હોય.. હવામાન વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારો માટે એલર્ટ જાહેર કરવામાં આવતું હોય છે. ગઈકાલે અનેક વિસ્તારો માટે રેડ, ઓરેન્જ તેમજ યલો એલર્ટ જાહેર કર્યું હતું ત્યારે આજ માટે પણ હવામાન વિભાગે અનેક વિસ્તારો માટે ઓરેન્જ તેમજ યલો એલર્ટ જાહેર કર્યું છે.

આ વિસ્તારો માટે આપવામાં આવ્યું ઓરેન્જ અને યલો એલર્ટ

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો દરમિયાન હવામાન કેવું રહેશે તેની આગાહી આપવામાં આવે છે.. ક્યાં વરસાદ વરસવાની સંભાવના છે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે. ત્યારે આજ માટે હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી,વલસાડ, દાદરા નગર હવેલી તેમજ દમણ માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. 



ગુરૂવારે 113 તાલુકામાં વરસ્યો હતો વરસાદ 

તે સિવાય પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય છઠ્ઠી તારીખે પણ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.  ગુરૂવારે 113 તાલુકામાં મેઘમહેર જોવા મળી હતી અને સૌથી વધારે વરસાદ બનાસકાંઠાના દાંતામાં નોંધાયો હતો. 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.