રાજ્યના 89 તાલુકામાં વરસાદે કરી જમાવટ, 144 જળાશયો હાઈએલર્ટ પર, આજે આ જિલ્લાઓમાં થશે મેઘમહેર, અંબાલાલ પટેલે કરી ચક્રવાતની આગાહી


  • Published By :
  • Published Date : 2023-09-24 15:21:21

રાજ્યમાં પાછોતરા વરસાદથી ક્યાક હર્ષ તો ક્યાંક શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાતા ઉભા પાકને નુકસાન થઈ રહ્યું છે તો ક્યાંક વરસાદે ખેતીના પાકને નવજીવન આપ્યું છે. આ દરમિયાન છેલ્લા 24 કલાકમાં રાજ્યના 89 તાલુકામાં વરસાદ વરસ્યો છે. રેન્દ્રનગરના ચુડામાં સૌથી વધુ  5 ઈંચ  તે ઉપરાંત જ્યારે બોટાદમાં 3 ઈંચ, ગોંડલમાં પોણા 3 ઈંચ અને નવસારી તથા ડેડિયાપાડામાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે. રાજ્યના 5 તાલુકામાં 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે જેમાં ચીખલી, જલાલપોર, રાજુલા, બાયડ અને ડોલવણનો સમાવેશ થાય છે. જ્યારે 18 તાલુકામાં એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ગત મોડી રાત્રે  ભારે વરસાદથી વલસાડના રસ્તા પર પાણી ભરાયા હતા. વાપી, પારડી સહિતના તાલુકાઓમાં પણ વરસાદ ખાબક્યો હતો. જો કે હવામાન વિભાગ તથા જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે પણ રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી હળવા વરસાદની આગાહી કરી છે.


40 કિમીની ઝડપે પવન ફૂંકાશે


રાજ્યના હવમાન વિભાગે પણ આગામી ચાર દિવસ મધ્યમથી સામાન્ય વરસાદની આગાહી કરી છે. જે મુજબ કેટલાક વિસ્તારોમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થઈ શકે છે. 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તેજ પવન, ગાજવીજ સાથે સામાન્ય વરસાદ થઈ શકે છે. આજે ઉત્તર ગુજરાતના મહેસાણા સાબરકાંઠા સહિત મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગરમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢમાં આજે વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત આજે દક્ષિણ ગુજરાતના ભાગો ઉપરાંત દમણ, દાદરાનગર હવેલી, ખેડા, પંચમહાલમાં મધ્યમથી સામાન્ય વરસાદ થઈ શકે છે. 


28 તારીખથી ફરી એક સિસ્ટમ સક્રીય થશે


ગુજરાતમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. અરબ સાગરમાં  28 તારીખથી એક સિસ્ટમ સક્રીય થશે જેના કારણે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.  30 સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઉભુ થવાની શક્યતા છે.  2 ઑક્ટોબરથી 14 ઑક્ટોબર સુધીમાં હવાના દબાણમાંથી ધીમે ધીમે ચક્રવાત સર્જાવાની સંભાવના છે. જે બાદ અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. સાથે જ એક બાદ એક ચક્રવાત બનવાની પણ સંભાવના છે. જેને લઈ ગુજરાતમાં વરસાદ આવશે.  જેમાં દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારમાં વરસાદ પડી શકે છે. જ્યારે અંબાલાલ પટેલે પણ અરબ સાગરમાં 28 સપ્ટેમ્બરે સિસ્ટમ સક્રિય થવાની આગાહી વ્યક્ત કરી છે. જે બાદ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. 


રાજ્યના 58 જળાશયો છલોછલ   


રાજ્યમાં ફરી મેઘ મહેર થતાં રાજ્યના 58 જળાશયો છલોછલ થયા છે. જેમાં સૌરાષ્ટ્રના 30, કચ્છના 12, મધ્ય ગુજરાતના નવ અને દક્ષિણ ગુજરાતના છ જળાશયો હાઉસફુલ છે. 207 જળાશયોમાં 93.90 ટકાથી વધુ જળસંગ્રહ છે. રાજ્યના 206 પૈકી 144 જળાશયો હાઈએલર્ટ પર છે તો 107 ડેમ એલર્ટ અને વોર્નિંગ પર છે, 19 એલર્ટ તો 18 જળાશયો વોર્નિંગ પર છે. 62 જળાશયોમાં 70 ટકાથી ઓછો જળસંગ્રહ છે.



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.