રાજ્યના 89 તાલુકામાં વરસાદે કરી જમાવટ, 144 જળાશયો હાઈએલર્ટ પર, આજે આ જિલ્લાઓમાં થશે મેઘમહેર, અંબાલાલ પટેલે કરી ચક્રવાતની આગાહી


  • Published By :
  • Published Date : 2023-09-24 15:21:21

રાજ્યમાં પાછોતરા વરસાદથી ક્યાક હર્ષ તો ક્યાંક શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાતા ઉભા પાકને નુકસાન થઈ રહ્યું છે તો ક્યાંક વરસાદે ખેતીના પાકને નવજીવન આપ્યું છે. આ દરમિયાન છેલ્લા 24 કલાકમાં રાજ્યના 89 તાલુકામાં વરસાદ વરસ્યો છે. રેન્દ્રનગરના ચુડામાં સૌથી વધુ  5 ઈંચ  તે ઉપરાંત જ્યારે બોટાદમાં 3 ઈંચ, ગોંડલમાં પોણા 3 ઈંચ અને નવસારી તથા ડેડિયાપાડામાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે. રાજ્યના 5 તાલુકામાં 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે જેમાં ચીખલી, જલાલપોર, રાજુલા, બાયડ અને ડોલવણનો સમાવેશ થાય છે. જ્યારે 18 તાલુકામાં એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ગત મોડી રાત્રે  ભારે વરસાદથી વલસાડના રસ્તા પર પાણી ભરાયા હતા. વાપી, પારડી સહિતના તાલુકાઓમાં પણ વરસાદ ખાબક્યો હતો. જો કે હવામાન વિભાગ તથા જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે પણ રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી હળવા વરસાદની આગાહી કરી છે.


40 કિમીની ઝડપે પવન ફૂંકાશે


રાજ્યના હવમાન વિભાગે પણ આગામી ચાર દિવસ મધ્યમથી સામાન્ય વરસાદની આગાહી કરી છે. જે મુજબ કેટલાક વિસ્તારોમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થઈ શકે છે. 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તેજ પવન, ગાજવીજ સાથે સામાન્ય વરસાદ થઈ શકે છે. આજે ઉત્તર ગુજરાતના મહેસાણા સાબરકાંઠા સહિત મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગરમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢમાં આજે વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત આજે દક્ષિણ ગુજરાતના ભાગો ઉપરાંત દમણ, દાદરાનગર હવેલી, ખેડા, પંચમહાલમાં મધ્યમથી સામાન્ય વરસાદ થઈ શકે છે. 


28 તારીખથી ફરી એક સિસ્ટમ સક્રીય થશે


ગુજરાતમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. અરબ સાગરમાં  28 તારીખથી એક સિસ્ટમ સક્રીય થશે જેના કારણે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.  30 સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઉભુ થવાની શક્યતા છે.  2 ઑક્ટોબરથી 14 ઑક્ટોબર સુધીમાં હવાના દબાણમાંથી ધીમે ધીમે ચક્રવાત સર્જાવાની સંભાવના છે. જે બાદ અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. સાથે જ એક બાદ એક ચક્રવાત બનવાની પણ સંભાવના છે. જેને લઈ ગુજરાતમાં વરસાદ આવશે.  જેમાં દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારમાં વરસાદ પડી શકે છે. જ્યારે અંબાલાલ પટેલે પણ અરબ સાગરમાં 28 સપ્ટેમ્બરે સિસ્ટમ સક્રિય થવાની આગાહી વ્યક્ત કરી છે. જે બાદ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. 


રાજ્યના 58 જળાશયો છલોછલ   


રાજ્યમાં ફરી મેઘ મહેર થતાં રાજ્યના 58 જળાશયો છલોછલ થયા છે. જેમાં સૌરાષ્ટ્રના 30, કચ્છના 12, મધ્ય ગુજરાતના નવ અને દક્ષિણ ગુજરાતના છ જળાશયો હાઉસફુલ છે. 207 જળાશયોમાં 93.90 ટકાથી વધુ જળસંગ્રહ છે. રાજ્યના 206 પૈકી 144 જળાશયો હાઈએલર્ટ પર છે તો 107 ડેમ એલર્ટ અને વોર્નિંગ પર છે, 19 એલર્ટ તો 18 જળાશયો વોર્નિંગ પર છે. 62 જળાશયોમાં 70 ટકાથી ઓછો જળસંગ્રહ છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.