રાજ્યના 89 તાલુકામાં વરસાદે કરી જમાવટ, 144 જળાશયો હાઈએલર્ટ પર, આજે આ જિલ્લાઓમાં થશે મેઘમહેર, અંબાલાલ પટેલે કરી ચક્રવાતની આગાહી


  • Published By :
  • Published Date : 2023-09-24 15:21:21

રાજ્યમાં પાછોતરા વરસાદથી ક્યાક હર્ષ તો ક્યાંક શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાતા ઉભા પાકને નુકસાન થઈ રહ્યું છે તો ક્યાંક વરસાદે ખેતીના પાકને નવજીવન આપ્યું છે. આ દરમિયાન છેલ્લા 24 કલાકમાં રાજ્યના 89 તાલુકામાં વરસાદ વરસ્યો છે. રેન્દ્રનગરના ચુડામાં સૌથી વધુ  5 ઈંચ  તે ઉપરાંત જ્યારે બોટાદમાં 3 ઈંચ, ગોંડલમાં પોણા 3 ઈંચ અને નવસારી તથા ડેડિયાપાડામાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે. રાજ્યના 5 તાલુકામાં 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે જેમાં ચીખલી, જલાલપોર, રાજુલા, બાયડ અને ડોલવણનો સમાવેશ થાય છે. જ્યારે 18 તાલુકામાં એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ગત મોડી રાત્રે  ભારે વરસાદથી વલસાડના રસ્તા પર પાણી ભરાયા હતા. વાપી, પારડી સહિતના તાલુકાઓમાં પણ વરસાદ ખાબક્યો હતો. જો કે હવામાન વિભાગ તથા જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે પણ રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી હળવા વરસાદની આગાહી કરી છે.


40 કિમીની ઝડપે પવન ફૂંકાશે


રાજ્યના હવમાન વિભાગે પણ આગામી ચાર દિવસ મધ્યમથી સામાન્ય વરસાદની આગાહી કરી છે. જે મુજબ કેટલાક વિસ્તારોમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થઈ શકે છે. 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તેજ પવન, ગાજવીજ સાથે સામાન્ય વરસાદ થઈ શકે છે. આજે ઉત્તર ગુજરાતના મહેસાણા સાબરકાંઠા સહિત મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગરમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢમાં આજે વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત આજે દક્ષિણ ગુજરાતના ભાગો ઉપરાંત દમણ, દાદરાનગર હવેલી, ખેડા, પંચમહાલમાં મધ્યમથી સામાન્ય વરસાદ થઈ શકે છે. 


28 તારીખથી ફરી એક સિસ્ટમ સક્રીય થશે


ગુજરાતમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. અરબ સાગરમાં  28 તારીખથી એક સિસ્ટમ સક્રીય થશે જેના કારણે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.  30 સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઉભુ થવાની શક્યતા છે.  2 ઑક્ટોબરથી 14 ઑક્ટોબર સુધીમાં હવાના દબાણમાંથી ધીમે ધીમે ચક્રવાત સર્જાવાની સંભાવના છે. જે બાદ અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. સાથે જ એક બાદ એક ચક્રવાત બનવાની પણ સંભાવના છે. જેને લઈ ગુજરાતમાં વરસાદ આવશે.  જેમાં દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારમાં વરસાદ પડી શકે છે. જ્યારે અંબાલાલ પટેલે પણ અરબ સાગરમાં 28 સપ્ટેમ્બરે સિસ્ટમ સક્રિય થવાની આગાહી વ્યક્ત કરી છે. જે બાદ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. 


રાજ્યના 58 જળાશયો છલોછલ   


રાજ્યમાં ફરી મેઘ મહેર થતાં રાજ્યના 58 જળાશયો છલોછલ થયા છે. જેમાં સૌરાષ્ટ્રના 30, કચ્છના 12, મધ્ય ગુજરાતના નવ અને દક્ષિણ ગુજરાતના છ જળાશયો હાઉસફુલ છે. 207 જળાશયોમાં 93.90 ટકાથી વધુ જળસંગ્રહ છે. રાજ્યના 206 પૈકી 144 જળાશયો હાઈએલર્ટ પર છે તો 107 ડેમ એલર્ટ અને વોર્નિંગ પર છે, 19 એલર્ટ તો 18 જળાશયો વોર્નિંગ પર છે. 62 જળાશયોમાં 70 ટકાથી ઓછો જળસંગ્રહ છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.