Gujarat Rain : શિયાળાના અંતમાં છવાયો વરસાદી માહોલ! રાજ્યોના અનેક ભાગોમાં કમોસમી વરસાદ સાથે પડ્યા કરા, જુઓ તસવીરો


  • Published By :
  • Published Date : 2024-03-02 16:04:40

રાજ્યમાં કમોસમી વરસાદને કારણે જગનતો તાત ચિંતામાં મૂકાયો છે. કમોસમી વરસાદને કારણે રવિ પાકને નુકસાન પહોંચવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. વહેલી સવારથી કમોસમી વરસાદ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસી રહ્યો છે. વાતાવરણમાં આવતા પલટાને કારણે કોઈ પણ સિઝન કેમ ના હોય પરંતુ વરસાદ આવી જતો હોય છે.માવઠાને કારણે જગતના તાતને મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત દ્વારા આગાહી કરવામાં આવી હતી કે પહેલી અને બીજી માર્ચના રોજ કમોસમી વરસાદ થશે અને આગાહી સાચી પણ પડી.

News18 Gujarati

Rajkot News Rain became the villain in the wedding, the porch got wet, people were disturbed Rajkot News: લગ્નમાં વરસાદ બન્યો વિલન, મંડપ પલળી ગયા, લોકો પરેશાન

માવઠાને કારણે પાકને પહોંચ્યું નુકસાન

અનેક વિસ્તારોમાં માવઠાનો માર સહન કરવા ખેડૂતો મજબૂર બન્યા છે. દેવભૂમિ દ્વારકાથી દ્રશ્યો સામે આવ્યા જેમાં લગ્ન માટે બાંધવામાં આવેલો મંડપને નુકસાન પહોંચ્યું. આગાહીની વાત કરીએ તો વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છ માટે કરવામાં આવી છે. કમોસમી વરસાદને કારણે પાકને તો નુકસાન પહોંચે જ છે પરંતુ યાર્ડમાં રાખેલા પાક પણ પલળી જાય છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે.  

Rajkot News: લગ્નમાં વરસાદ બન્યો વિલન, મંડપ પલળી ગયા, લોકો પરેશાન

According to the forecast of the meteorological department, the rain started in Patan Dwarka from morning Unseasonal rain Update: વરસાદની આગાહી વચ્ચે દ્રારકા સહિત આ જિલ્લામાં વરસ્યો કમોસમી વરસાદ

આ જગ્યાઓ પર વરસી રહ્યો છે કમોસમી વરસાદ! 

રાજકોટમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મહેસાણા, જામનગર, અરવલ્લી, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ આવ્યો જ્યારે જામનગરના ગ્રામ વિસ્તારોમાં પણ માવઠાને કારણે વરસાદી માહોલ છવાયો. અરવલ્લી માલપુર સહિત અનેક પંથકોમાં કમોસમી વરસાદ પડ્યો હતો તે સિવાય બનાસકાંઠામાં તો જાણે ચોમાસાની સિઝન આવી ગઈ હોય તેવું લાગે છે. મહત્વનું છે કે રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને કારણે જગતના તાતની આંખો ભીની થઈ ગઈ છે.  


મોરબી-રાજકોટ હાઈવે પર વરસાદની તસવીર


News18 Gujarati



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.