Gujarat Rain : શિયાળાના અંતમાં છવાયો વરસાદી માહોલ! રાજ્યોના અનેક ભાગોમાં કમોસમી વરસાદ સાથે પડ્યા કરા, જુઓ તસવીરો


  • Published By :
  • Published Date : 2024-03-02 16:04:40

રાજ્યમાં કમોસમી વરસાદને કારણે જગનતો તાત ચિંતામાં મૂકાયો છે. કમોસમી વરસાદને કારણે રવિ પાકને નુકસાન પહોંચવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. વહેલી સવારથી કમોસમી વરસાદ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસી રહ્યો છે. વાતાવરણમાં આવતા પલટાને કારણે કોઈ પણ સિઝન કેમ ના હોય પરંતુ વરસાદ આવી જતો હોય છે.માવઠાને કારણે જગતના તાતને મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત દ્વારા આગાહી કરવામાં આવી હતી કે પહેલી અને બીજી માર્ચના રોજ કમોસમી વરસાદ થશે અને આગાહી સાચી પણ પડી.

News18 Gujarati

Rajkot News Rain became the villain in the wedding, the porch got wet, people were disturbed Rajkot News: લગ્નમાં વરસાદ બન્યો વિલન, મંડપ પલળી ગયા, લોકો પરેશાન

માવઠાને કારણે પાકને પહોંચ્યું નુકસાન

અનેક વિસ્તારોમાં માવઠાનો માર સહન કરવા ખેડૂતો મજબૂર બન્યા છે. દેવભૂમિ દ્વારકાથી દ્રશ્યો સામે આવ્યા જેમાં લગ્ન માટે બાંધવામાં આવેલો મંડપને નુકસાન પહોંચ્યું. આગાહીની વાત કરીએ તો વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છ માટે કરવામાં આવી છે. કમોસમી વરસાદને કારણે પાકને તો નુકસાન પહોંચે જ છે પરંતુ યાર્ડમાં રાખેલા પાક પણ પલળી જાય છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે.  

Rajkot News: લગ્નમાં વરસાદ બન્યો વિલન, મંડપ પલળી ગયા, લોકો પરેશાન

According to the forecast of the meteorological department, the rain started in Patan Dwarka from morning Unseasonal rain Update: વરસાદની આગાહી વચ્ચે દ્રારકા સહિત આ જિલ્લામાં વરસ્યો કમોસમી વરસાદ

આ જગ્યાઓ પર વરસી રહ્યો છે કમોસમી વરસાદ! 

રાજકોટમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મહેસાણા, જામનગર, અરવલ્લી, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ આવ્યો જ્યારે જામનગરના ગ્રામ વિસ્તારોમાં પણ માવઠાને કારણે વરસાદી માહોલ છવાયો. અરવલ્લી માલપુર સહિત અનેક પંથકોમાં કમોસમી વરસાદ પડ્યો હતો તે સિવાય બનાસકાંઠામાં તો જાણે ચોમાસાની સિઝન આવી ગઈ હોય તેવું લાગે છે. મહત્વનું છે કે રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને કારણે જગતના તાતની આંખો ભીની થઈ ગઈ છે.  


મોરબી-રાજકોટ હાઈવે પર વરસાદની તસવીર


News18 Gujarati



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે