Gujarat Rain Update - 21 તારીખ સુધીની આગાહી જાણીલો કે કયા વિસ્તારોઓ માટે એલર્ટ આપવામાં આવ્યું છે? હવામાન વિભાગે કરી આગાહી


  • Published By :
  • Published Date : 2024-07-17 17:17:49

રાજ્યના અનેક ભાગો એવા છે કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે તો કોઈ જગ્યા પર વરસાદ નથી વરસી રહ્યો. અનેક વખત જે વિસ્તાર માટે રેડ અલર્ટ જાહેર કરવામાં આવતું હોય છે કે પરંતુ ત્યાંના કોઈ વિસ્તારમાં વરસાદ વરસે છે તો કોઈ વખત વરસાદ નથી વરસતો.. પ્રતિદિન હવામાન વિભાગની આગાહી બદલાતી રહે છે.. આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તેની જાણકારી હવામાન વિભાગ આપતું હોય છે.. આજ માટે પણ રાજ્યના અનેક વિસ્તારો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  



હવામાન વિભાગે કરી આ આગાહી!

આજ માટે હવામાન વિભાગે જે આગાહી કરી છે તે અનુસાર દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે... તે સિવાય કચ્છ, મોરબી, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાયની જગ્યા પર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.



આવતી કાલે આ વિસ્તારના લોકો રહેજો સાવધાન

તે સિવાય 18 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જૂનાગઢ, પોરબંદરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. તે સિવાય ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ માટે જાહેર કરાયું છે. તે સિવાય બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. 

News18 Gujarati



20 તારીખ સુધી આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ! 

19 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર કચ્છ, જામનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, નવસારી, વલસાડ. દમણ, દાદરા નગર હેવલી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 20 તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

News18 Gujarati


News18 Gujarati

આ વિસ્તારો માટે જાહેર કરવામાં આવ્યું યલો એલર્ટ

તે સિવાય 21 તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે અનેક વિસ્તારોમાં વરસાદ નથી પરંતુ અનેક વિસ્તારો એવા છે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે તમારે ત્યાં વરસાદ છે કે ગરમી છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો..  

News18 Gujarati



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.