Gujarat Rain Update - આ વિસ્તારો માટે હવામાન વિભાગે આપ્યું એલર્ટ, તમારો વિસ્તાર તો નથીને જાણો...


  • Published By :
  • Published Date : 2024-08-12 13:52:56

ગુજરાતમાં થોડા દિવસથી વરસાદનું જોર ઘટ્યું હતું.. થોડા વિસ્તારોમાં જ વરસાદ વરસતો હતો, પરંતુ વરસાદી માહોલ ફરી એક વખત જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેની આગાહી કરવામાં આવી છે.. રાજ્યના અનેક ભાગો માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રવિવારે 153 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. 

News18 Gujarati


આ વિસ્તારોમાં પડી શકે છે સારો વરસાદ

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહીની વાત કરીએ તો ગીર સોમનાથ, અમરેલી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી, દમણમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.. અરવલ્લી,મહીસાગર, પંચમહાલ,દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ,નર્મદા, સુરત,તાપી,ડાંગ, વલસાડ,વડોદરા, આણંદ,ખેડા,અમદાવાદ, ગાંધીનગર, દમણ, દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની શક્યતા છે



અનેક જળાશયોમાં થઈ પાણીની આવક

મહત્વનું છે કે વરસાદને કારણે અનેક જળાશયોમાં પાણીની સારી આવક થઈ છે.. અનેક જળાશયો એવા છે જે છલોછલ પાણીથી ભરાઈ ગયા છે. ઉપરવાસમાં પાણી આવવાને કારણે ગુજરાતનો જીવાદોરી સમાન ગણાતો સરદાર સરોવર ડેમ પણ 90 ટકા જેટલો ભરાઈ ગયો છે. ના માત્ર ડેમમાં પરંતુ નદીઓમાં પણ પાણીની સારી આવક થઈ છે. અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે.. અમદાવાદમાં પણ સવારથી સારો વરસાદ વરસી રહ્યો છે.. ત્યારે તમારે ત્યાં વરસાદ છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો..   



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી