Gujarat Rain Update - આ વિસ્તારો માટે હવામાન વિભાગે આપ્યું એલર્ટ, તમારો વિસ્તાર તો નથીને જાણો...


  • Published By :
  • Published Date : 2024-08-12 13:52:56

ગુજરાતમાં થોડા દિવસથી વરસાદનું જોર ઘટ્યું હતું.. થોડા વિસ્તારોમાં જ વરસાદ વરસતો હતો, પરંતુ વરસાદી માહોલ ફરી એક વખત જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેની આગાહી કરવામાં આવી છે.. રાજ્યના અનેક ભાગો માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રવિવારે 153 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. 

News18 Gujarati


આ વિસ્તારોમાં પડી શકે છે સારો વરસાદ

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહીની વાત કરીએ તો ગીર સોમનાથ, અમરેલી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી, દમણમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.. અરવલ્લી,મહીસાગર, પંચમહાલ,દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ,નર્મદા, સુરત,તાપી,ડાંગ, વલસાડ,વડોદરા, આણંદ,ખેડા,અમદાવાદ, ગાંધીનગર, દમણ, દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની શક્યતા છે



અનેક જળાશયોમાં થઈ પાણીની આવક

મહત્વનું છે કે વરસાદને કારણે અનેક જળાશયોમાં પાણીની સારી આવક થઈ છે.. અનેક જળાશયો એવા છે જે છલોછલ પાણીથી ભરાઈ ગયા છે. ઉપરવાસમાં પાણી આવવાને કારણે ગુજરાતનો જીવાદોરી સમાન ગણાતો સરદાર સરોવર ડેમ પણ 90 ટકા જેટલો ભરાઈ ગયો છે. ના માત્ર ડેમમાં પરંતુ નદીઓમાં પણ પાણીની સારી આવક થઈ છે. અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે.. અમદાવાદમાં પણ સવારથી સારો વરસાદ વરસી રહ્યો છે.. ત્યારે તમારે ત્યાં વરસાદ છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો..   



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.