Gujarat Rain Update - આ વિસ્તારો માટે હવામાન વિભાગે આપ્યું એલર્ટ, તમારો વિસ્તાર તો નથીને જાણો...


  • Published By :
  • Published Date : 2024-08-12 13:52:56

ગુજરાતમાં થોડા દિવસથી વરસાદનું જોર ઘટ્યું હતું.. થોડા વિસ્તારોમાં જ વરસાદ વરસતો હતો, પરંતુ વરસાદી માહોલ ફરી એક વખત જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેની આગાહી કરવામાં આવી છે.. રાજ્યના અનેક ભાગો માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રવિવારે 153 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. 

News18 Gujarati


આ વિસ્તારોમાં પડી શકે છે સારો વરસાદ

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહીની વાત કરીએ તો ગીર સોમનાથ, અમરેલી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી, દમણમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.. અરવલ્લી,મહીસાગર, પંચમહાલ,દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ,નર્મદા, સુરત,તાપી,ડાંગ, વલસાડ,વડોદરા, આણંદ,ખેડા,અમદાવાદ, ગાંધીનગર, દમણ, દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની શક્યતા છે



અનેક જળાશયોમાં થઈ પાણીની આવક

મહત્વનું છે કે વરસાદને કારણે અનેક જળાશયોમાં પાણીની સારી આવક થઈ છે.. અનેક જળાશયો એવા છે જે છલોછલ પાણીથી ભરાઈ ગયા છે. ઉપરવાસમાં પાણી આવવાને કારણે ગુજરાતનો જીવાદોરી સમાન ગણાતો સરદાર સરોવર ડેમ પણ 90 ટકા જેટલો ભરાઈ ગયો છે. ના માત્ર ડેમમાં પરંતુ નદીઓમાં પણ પાણીની સારી આવક થઈ છે. અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે.. અમદાવાદમાં પણ સવારથી સારો વરસાદ વરસી રહ્યો છે.. ત્યારે તમારે ત્યાં વરસાદ છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો..   



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.