Gujarat Rajya sabha : જે.પી.નડ્ડા વિજય મુહુર્તમાં ભરશે ઉમેદવારી ફોર્મ! ભાજપના ઉમેદવાર આજે નોંધાવશે પોતાની દાવેદારી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-15 10:04:08

ગઈકાલે રાજ્યસભા માટે ભાજપ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી. ન માત્ર ગુજરાત માટે પરંતુ વિવિધ રાજ્યોના રાજ્યસભાના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી. થોડા દિવસ પહેલા કોંગ્રેસમાંને છોડી ભાજપમાં જોડાયેલા અશોક ચવ્હાણને રાજ્ય સભા મોકલવાની જાહેરાત ભાજપે કરી છે. તે ઉપરાંત કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પણ રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતના ચાર રાજ્યસભાના ઉમેદવારો આજે ઉમેદવારી ફોર્મ ભરશે તેવી માહિતી સામે આવી છે. વિજય મુહુર્તમાં જે.પી.નડ્ડા ફોર્મ ભરવાના છે તેવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે.

BJP announced the names of four Rajya Sabha candidates from Gujarat જે.પી. નડ્ડા, ગોવિંદ ધોળકીયા સહિત આ ચાર લોકો ગુજરાતમાંથી રાજ્યસભા જશે, ભાજપે કરી જાહેરાત

રાજ્યસભા માટે આ ચાર નામોની કરાઈ પસંદગી! 

ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની રાજ્યસભાની સીટો માટે યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ભાજપે જે ચાર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે તેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, સુરતના જાણીતા હીરા વેપારી ગોવિંદ ધોળકિયા, મયંક નાયક, જસવંતસિંહ પરમારના નામનો સમાવેશ થાય છે. જે ચાર સભ્યોનો કાર્યકાળ પૂરો થાય છે  તેમાં ભાજપના પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા અને કોંગ્રેસના નારણ રાઠવા અને અમીબેન યાજ્ઞિકનું નામ સામેલ છે. ગુજરાત વિધાનસભામાં ભાજપ પાસે 156 બેઠકો હોવાને કારણે તેમની જીત નક્કી માનવામાં આવે છે. ત્યારે આજે ભાજપના ગુજરાત માટે જાહેર કરવામાં આવેલા ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરશે. 

Sonia Gandhi files her nomination for Rajya Sabha from Rajasthan. Rahul Gandhi and Priyanka Gandhi Vadra accompany their mother. Former Rajasthan Chief Minister Ashok Gehlot and Rajasthan Congress chief Govind Dotasara also present.New political journey: Sonia Gandhi shifts to 'House of elders' after 25 years in 'House of people'


કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારોના નામ કરાયા જાહેર

ગઈકાલે ન માત્ર ભાજપ દ્વારા પરંતુ કોંગ્રેસ દ્વારા પણ રાજ્યસભા માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. સોનિયા ગાંધીએ રાજસ્થાનથી ઉમેદવારી નોંધાવી છે. ગઈકાલે તેમણે ઉમેદવારી ફોર્મ ભરી દીધું હતું. તે ઉપરાંત બિહાર માટે ડો. અખિલેશ પ્રસાદ સિંહના નામની જાહેરાત કરવામાં આવી છે. અભિષેક સિંધવીને હિમાચલ પ્રદેશની ચૂંટણી મેદાનમાં કોંગ્રેસ ઉતારવાની છે તે ઉપરાંત મહારાષ્ટ્રમાં ચંદ્રકાન્ત હિંડોરેની પસંદગી કરવામાં આવી છે. કર્ણાટકમાંથી અજય માકન, ડૉ. સૈયદ નસીર હુસૈન અને જીસી ચંદ્રશેખરને ઉમેદવાર બનાવ્યા છે. મધ્યપ્રદેશથી અશોક સિંહને ઉમેદવાર બનાવ્યા છે. તે સિવાય તેલંગાણાથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે રેણુકા ચૌધરી અને એમ અનિલ કુમારની પંસદગી કરવામાં આવી છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.