Gujarat Rajya sabha : જે.પી.નડ્ડા વિજય મુહુર્તમાં ભરશે ઉમેદવારી ફોર્મ! ભાજપના ઉમેદવાર આજે નોંધાવશે પોતાની દાવેદારી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-15 10:04:08

ગઈકાલે રાજ્યસભા માટે ભાજપ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી. ન માત્ર ગુજરાત માટે પરંતુ વિવિધ રાજ્યોના રાજ્યસભાના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી. થોડા દિવસ પહેલા કોંગ્રેસમાંને છોડી ભાજપમાં જોડાયેલા અશોક ચવ્હાણને રાજ્ય સભા મોકલવાની જાહેરાત ભાજપે કરી છે. તે ઉપરાંત કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પણ રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતના ચાર રાજ્યસભાના ઉમેદવારો આજે ઉમેદવારી ફોર્મ ભરશે તેવી માહિતી સામે આવી છે. વિજય મુહુર્તમાં જે.પી.નડ્ડા ફોર્મ ભરવાના છે તેવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે.

BJP announced the names of four Rajya Sabha candidates from Gujarat જે.પી. નડ્ડા, ગોવિંદ ધોળકીયા સહિત આ ચાર લોકો ગુજરાતમાંથી રાજ્યસભા જશે, ભાજપે કરી જાહેરાત

રાજ્યસભા માટે આ ચાર નામોની કરાઈ પસંદગી! 

ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની રાજ્યસભાની સીટો માટે યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ભાજપે જે ચાર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે તેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, સુરતના જાણીતા હીરા વેપારી ગોવિંદ ધોળકિયા, મયંક નાયક, જસવંતસિંહ પરમારના નામનો સમાવેશ થાય છે. જે ચાર સભ્યોનો કાર્યકાળ પૂરો થાય છે  તેમાં ભાજપના પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા અને કોંગ્રેસના નારણ રાઠવા અને અમીબેન યાજ્ઞિકનું નામ સામેલ છે. ગુજરાત વિધાનસભામાં ભાજપ પાસે 156 બેઠકો હોવાને કારણે તેમની જીત નક્કી માનવામાં આવે છે. ત્યારે આજે ભાજપના ગુજરાત માટે જાહેર કરવામાં આવેલા ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરશે. 

Sonia Gandhi files her nomination for Rajya Sabha from Rajasthan. Rahul Gandhi and Priyanka Gandhi Vadra accompany their mother. Former Rajasthan Chief Minister Ashok Gehlot and Rajasthan Congress chief Govind Dotasara also present.New political journey: Sonia Gandhi shifts to 'House of elders' after 25 years in 'House of people'


કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારોના નામ કરાયા જાહેર

ગઈકાલે ન માત્ર ભાજપ દ્વારા પરંતુ કોંગ્રેસ દ્વારા પણ રાજ્યસભા માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. સોનિયા ગાંધીએ રાજસ્થાનથી ઉમેદવારી નોંધાવી છે. ગઈકાલે તેમણે ઉમેદવારી ફોર્મ ભરી દીધું હતું. તે ઉપરાંત બિહાર માટે ડો. અખિલેશ પ્રસાદ સિંહના નામની જાહેરાત કરવામાં આવી છે. અભિષેક સિંધવીને હિમાચલ પ્રદેશની ચૂંટણી મેદાનમાં કોંગ્રેસ ઉતારવાની છે તે ઉપરાંત મહારાષ્ટ્રમાં ચંદ્રકાન્ત હિંડોરેની પસંદગી કરવામાં આવી છે. કર્ણાટકમાંથી અજય માકન, ડૉ. સૈયદ નસીર હુસૈન અને જીસી ચંદ્રશેખરને ઉમેદવાર બનાવ્યા છે. મધ્યપ્રદેશથી અશોક સિંહને ઉમેદવાર બનાવ્યા છે. તે સિવાય તેલંગાણાથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે રેણુકા ચૌધરી અને એમ અનિલ કુમારની પંસદગી કરવામાં આવી છે. 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે