Gujarat Rajya sabha : જે.પી.નડ્ડા વિજય મુહુર્તમાં ભરશે ઉમેદવારી ફોર્મ! ભાજપના ઉમેદવાર આજે નોંધાવશે પોતાની દાવેદારી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-15 10:04:08

ગઈકાલે રાજ્યસભા માટે ભાજપ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી. ન માત્ર ગુજરાત માટે પરંતુ વિવિધ રાજ્યોના રાજ્યસભાના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી. થોડા દિવસ પહેલા કોંગ્રેસમાંને છોડી ભાજપમાં જોડાયેલા અશોક ચવ્હાણને રાજ્ય સભા મોકલવાની જાહેરાત ભાજપે કરી છે. તે ઉપરાંત કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પણ રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતના ચાર રાજ્યસભાના ઉમેદવારો આજે ઉમેદવારી ફોર્મ ભરશે તેવી માહિતી સામે આવી છે. વિજય મુહુર્તમાં જે.પી.નડ્ડા ફોર્મ ભરવાના છે તેવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે.

BJP announced the names of four Rajya Sabha candidates from Gujarat જે.પી. નડ્ડા, ગોવિંદ ધોળકીયા સહિત આ ચાર લોકો ગુજરાતમાંથી રાજ્યસભા જશે, ભાજપે કરી જાહેરાત

રાજ્યસભા માટે આ ચાર નામોની કરાઈ પસંદગી! 

ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની રાજ્યસભાની સીટો માટે યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ભાજપે જે ચાર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે તેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, સુરતના જાણીતા હીરા વેપારી ગોવિંદ ધોળકિયા, મયંક નાયક, જસવંતસિંહ પરમારના નામનો સમાવેશ થાય છે. જે ચાર સભ્યોનો કાર્યકાળ પૂરો થાય છે  તેમાં ભાજપના પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા અને કોંગ્રેસના નારણ રાઠવા અને અમીબેન યાજ્ઞિકનું નામ સામેલ છે. ગુજરાત વિધાનસભામાં ભાજપ પાસે 156 બેઠકો હોવાને કારણે તેમની જીત નક્કી માનવામાં આવે છે. ત્યારે આજે ભાજપના ગુજરાત માટે જાહેર કરવામાં આવેલા ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરશે. 

Sonia Gandhi files her nomination for Rajya Sabha from Rajasthan. Rahul Gandhi and Priyanka Gandhi Vadra accompany their mother. Former Rajasthan Chief Minister Ashok Gehlot and Rajasthan Congress chief Govind Dotasara also present.New political journey: Sonia Gandhi shifts to 'House of elders' after 25 years in 'House of people'


કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારોના નામ કરાયા જાહેર

ગઈકાલે ન માત્ર ભાજપ દ્વારા પરંતુ કોંગ્રેસ દ્વારા પણ રાજ્યસભા માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. સોનિયા ગાંધીએ રાજસ્થાનથી ઉમેદવારી નોંધાવી છે. ગઈકાલે તેમણે ઉમેદવારી ફોર્મ ભરી દીધું હતું. તે ઉપરાંત બિહાર માટે ડો. અખિલેશ પ્રસાદ સિંહના નામની જાહેરાત કરવામાં આવી છે. અભિષેક સિંધવીને હિમાચલ પ્રદેશની ચૂંટણી મેદાનમાં કોંગ્રેસ ઉતારવાની છે તે ઉપરાંત મહારાષ્ટ્રમાં ચંદ્રકાન્ત હિંડોરેની પસંદગી કરવામાં આવી છે. કર્ણાટકમાંથી અજય માકન, ડૉ. સૈયદ નસીર હુસૈન અને જીસી ચંદ્રશેખરને ઉમેદવાર બનાવ્યા છે. મધ્યપ્રદેશથી અશોક સિંહને ઉમેદવાર બનાવ્યા છે. તે સિવાય તેલંગાણાથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે રેણુકા ચૌધરી અને એમ અનિલ કુમારની પંસદગી કરવામાં આવી છે. 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"