Election Result વચ્ચે Gujaratના BJP કાર્યકર્તાઓએ કરી જીતની ઉજવણી! કર્યા ગરબા અને... જુઓ તસવીર


  • Published By :
  • Published Date : 2023-12-03 12:53:54

રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ તેમજ તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. તેલંગાણા સિવાય ત્રણેય રાજ્યોમાં બીજેપી આગળ ચાલી રહી છે. ભાજપ ધમાકેદાર જીત હાંસલ કરશે તેવું હાલના સમયમાં લાગી રહ્યું છે. એક તરફ મતગણતરી ચાલી રહી છે તો બીજી બાજુ દેશના વિવિધ રાજ્યોમાં જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. અલગ અલગ રાજ્યોથી જીતની ઉજવણી થઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગુજરાતમાં પણ ભાજપ દ્વારા કમલમ ખાતે ઉજવણી કરવામાં આવી રહી છે. ઢોલ નગારા સાથે ગાંધીનગર ખાતે કાર્યકર્તાઓ જીતના જશ્નમાં દેખાઈ રહ્યા છે.

 તેલંગાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના પરિણામો આજે જાહેર થશે. આ માટે મતગણતરી ચાલી રહી છે. ટ્રેન્ડ મુજબ ભાજપ ત્રણ રાજ્યોમાં આગળ છે. દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય કાર્યાલયમાં પાર્ટીની સફળતાની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે કાર્યાલય પહોંચશે અને કાર્યકર્તાઓને સંબોધિત કરશે.(તસવીર: સંજય ટાંક)

 ભાજપના કાર્યાલય કમલમ પર બીજેપીના કાર્યકર્તાઓ ઢોલ નગારા સાથે ગરબે ધૂમી રહ્યા છે.

 આ સાથે અનેક કાર્યકર્તાઓ ફટાકડા પણ ફોડી રહ્યા છે. ઢોલ નગારા સાથે વિજયોત્સવની ઉજવણી કરી રહ્યા છે.

ગુજરાત ભાજપે કરી જીતની ઉજવણી 

લોકસભાની ચૂંટણી ભલે આવતા વર્ષે થવાની છે પરંતુ આ વર્ષે પાંચ રાજ્યોમાં થયેલી વિધાનસભાની ચૂંટણીને સેમિફાઈનલ તરીકે જોવામાં આવી રહી છે. ભાજપ ત્રણ રાજ્યોમાં અગ્રેસર દેખાઈ રહી છે. ભાજપ ત્રણેય રાજ્યોમાં જીત હાંસલ કરી શકે છે તેવું હાલની પરિસ્થિતિ જોતા લાગે છે. જે રાજ્યોમાં બીજેપી જીત હાંસલ કરવા તરફ આગળ છે ત્યાં તો ઉજવણી થઈ રહી છે પરંતુ બીજા રાજ્યોમાં જ્યાં પણ ભાજપની સરકાર છે ત્યાંથી પણ ઉજવણીના દ્રશ્યો સામે આવ્યા હતા. ગુજરાતના કાર્યકર્તાઓ પણ જીત બાદ ગરબા કરતા દેખાયા હતા. તે ઉપરાંત ગુજરાતના મંત્રીઓના પણ આ અંગે નિવેદન સામે આવ્યા છે. 

 ધારાસભ્ય બાબુભાઇ પટેલ, સાંસદ કિરીટ સોલંકી અને ધારાસભ્ય અમિત શાહ સાથે કાર્યકર્તાઓ પરિણામની ઉજવણી કરી રહ્યા છે. (તસવીર: સંજય ટાંક)

 રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ભાજપ તરફ વલણ જઇ રહ્યુ છે. પરિણામ પહેલા જ ભાજપમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. ગાંધીનગર કમલમમાં કાર્યકર્તાઓ જીતનો જશ્ન ઉજવી રહ્યા છે. (તસવીર: સંજય ટાંક)



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.