Election Result વચ્ચે Gujaratના BJP કાર્યકર્તાઓએ કરી જીતની ઉજવણી! કર્યા ગરબા અને... જુઓ તસવીર


  • Published By :
  • Published Date : 2023-12-03 12:53:54

રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ તેમજ તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. તેલંગાણા સિવાય ત્રણેય રાજ્યોમાં બીજેપી આગળ ચાલી રહી છે. ભાજપ ધમાકેદાર જીત હાંસલ કરશે તેવું હાલના સમયમાં લાગી રહ્યું છે. એક તરફ મતગણતરી ચાલી રહી છે તો બીજી બાજુ દેશના વિવિધ રાજ્યોમાં જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. અલગ અલગ રાજ્યોથી જીતની ઉજવણી થઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગુજરાતમાં પણ ભાજપ દ્વારા કમલમ ખાતે ઉજવણી કરવામાં આવી રહી છે. ઢોલ નગારા સાથે ગાંધીનગર ખાતે કાર્યકર્તાઓ જીતના જશ્નમાં દેખાઈ રહ્યા છે.

 તેલંગાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના પરિણામો આજે જાહેર થશે. આ માટે મતગણતરી ચાલી રહી છે. ટ્રેન્ડ મુજબ ભાજપ ત્રણ રાજ્યોમાં આગળ છે. દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય કાર્યાલયમાં પાર્ટીની સફળતાની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે કાર્યાલય પહોંચશે અને કાર્યકર્તાઓને સંબોધિત કરશે.(તસવીર: સંજય ટાંક)

 ભાજપના કાર્યાલય કમલમ પર બીજેપીના કાર્યકર્તાઓ ઢોલ નગારા સાથે ગરબે ધૂમી રહ્યા છે.

 આ સાથે અનેક કાર્યકર્તાઓ ફટાકડા પણ ફોડી રહ્યા છે. ઢોલ નગારા સાથે વિજયોત્સવની ઉજવણી કરી રહ્યા છે.

ગુજરાત ભાજપે કરી જીતની ઉજવણી 

લોકસભાની ચૂંટણી ભલે આવતા વર્ષે થવાની છે પરંતુ આ વર્ષે પાંચ રાજ્યોમાં થયેલી વિધાનસભાની ચૂંટણીને સેમિફાઈનલ તરીકે જોવામાં આવી રહી છે. ભાજપ ત્રણ રાજ્યોમાં અગ્રેસર દેખાઈ રહી છે. ભાજપ ત્રણેય રાજ્યોમાં જીત હાંસલ કરી શકે છે તેવું હાલની પરિસ્થિતિ જોતા લાગે છે. જે રાજ્યોમાં બીજેપી જીત હાંસલ કરવા તરફ આગળ છે ત્યાં તો ઉજવણી થઈ રહી છે પરંતુ બીજા રાજ્યોમાં જ્યાં પણ ભાજપની સરકાર છે ત્યાંથી પણ ઉજવણીના દ્રશ્યો સામે આવ્યા હતા. ગુજરાતના કાર્યકર્તાઓ પણ જીત બાદ ગરબા કરતા દેખાયા હતા. તે ઉપરાંત ગુજરાતના મંત્રીઓના પણ આ અંગે નિવેદન સામે આવ્યા છે. 

 ધારાસભ્ય બાબુભાઇ પટેલ, સાંસદ કિરીટ સોલંકી અને ધારાસભ્ય અમિત શાહ સાથે કાર્યકર્તાઓ પરિણામની ઉજવણી કરી રહ્યા છે. (તસવીર: સંજય ટાંક)

 રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ભાજપ તરફ વલણ જઇ રહ્યુ છે. પરિણામ પહેલા જ ભાજપમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. ગાંધીનગર કમલમમાં કાર્યકર્તાઓ જીતનો જશ્ન ઉજવી રહ્યા છે. (તસવીર: સંજય ટાંક)



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.