Election Result વચ્ચે Gujaratના BJP કાર્યકર્તાઓએ કરી જીતની ઉજવણી! કર્યા ગરબા અને... જુઓ તસવીર


  • Published By :
  • Published Date : 2023-12-03 12:53:54

રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ તેમજ તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. તેલંગાણા સિવાય ત્રણેય રાજ્યોમાં બીજેપી આગળ ચાલી રહી છે. ભાજપ ધમાકેદાર જીત હાંસલ કરશે તેવું હાલના સમયમાં લાગી રહ્યું છે. એક તરફ મતગણતરી ચાલી રહી છે તો બીજી બાજુ દેશના વિવિધ રાજ્યોમાં જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. અલગ અલગ રાજ્યોથી જીતની ઉજવણી થઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગુજરાતમાં પણ ભાજપ દ્વારા કમલમ ખાતે ઉજવણી કરવામાં આવી રહી છે. ઢોલ નગારા સાથે ગાંધીનગર ખાતે કાર્યકર્તાઓ જીતના જશ્નમાં દેખાઈ રહ્યા છે.

 તેલંગાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના પરિણામો આજે જાહેર થશે. આ માટે મતગણતરી ચાલી રહી છે. ટ્રેન્ડ મુજબ ભાજપ ત્રણ રાજ્યોમાં આગળ છે. દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય કાર્યાલયમાં પાર્ટીની સફળતાની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે કાર્યાલય પહોંચશે અને કાર્યકર્તાઓને સંબોધિત કરશે.(તસવીર: સંજય ટાંક)

 ભાજપના કાર્યાલય કમલમ પર બીજેપીના કાર્યકર્તાઓ ઢોલ નગારા સાથે ગરબે ધૂમી રહ્યા છે.

 આ સાથે અનેક કાર્યકર્તાઓ ફટાકડા પણ ફોડી રહ્યા છે. ઢોલ નગારા સાથે વિજયોત્સવની ઉજવણી કરી રહ્યા છે.

ગુજરાત ભાજપે કરી જીતની ઉજવણી 

લોકસભાની ચૂંટણી ભલે આવતા વર્ષે થવાની છે પરંતુ આ વર્ષે પાંચ રાજ્યોમાં થયેલી વિધાનસભાની ચૂંટણીને સેમિફાઈનલ તરીકે જોવામાં આવી રહી છે. ભાજપ ત્રણ રાજ્યોમાં અગ્રેસર દેખાઈ રહી છે. ભાજપ ત્રણેય રાજ્યોમાં જીત હાંસલ કરી શકે છે તેવું હાલની પરિસ્થિતિ જોતા લાગે છે. જે રાજ્યોમાં બીજેપી જીત હાંસલ કરવા તરફ આગળ છે ત્યાં તો ઉજવણી થઈ રહી છે પરંતુ બીજા રાજ્યોમાં જ્યાં પણ ભાજપની સરકાર છે ત્યાંથી પણ ઉજવણીના દ્રશ્યો સામે આવ્યા હતા. ગુજરાતના કાર્યકર્તાઓ પણ જીત બાદ ગરબા કરતા દેખાયા હતા. તે ઉપરાંત ગુજરાતના મંત્રીઓના પણ આ અંગે નિવેદન સામે આવ્યા છે. 

 ધારાસભ્ય બાબુભાઇ પટેલ, સાંસદ કિરીટ સોલંકી અને ધારાસભ્ય અમિત શાહ સાથે કાર્યકર્તાઓ પરિણામની ઉજવણી કરી રહ્યા છે. (તસવીર: સંજય ટાંક)

 રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ભાજપ તરફ વલણ જઇ રહ્યુ છે. પરિણામ પહેલા જ ભાજપમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. ગાંધીનગર કમલમમાં કાર્યકર્તાઓ જીતનો જશ્ન ઉજવી રહ્યા છે. (તસવીર: સંજય ટાંક)



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.