Gujaratનું વિકાસ મોડલ ચર્ચામાં! હાઈવેની આવી દુર્દશા જોઈ તમે પણ કહેશો કે આવી હાલત તો ગામડાઓના રસ્તાઓની હોય છે! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-10-10 10:57:15

ખરાબ રોડ રસ્તાઓ જોવા હવે જાણે સામાન્ય બની ગયું છે. રસ્તા પર ખાડા ન હોય તો નવાઈ લાગે છે, જો રસ્તા પર રખડતા ઢોર ન દેખાય તો નવાઈ લાગે છે. કારણ કે રસ્તા પર આ બધુ હોવું એકદમ નોર્મલ થઈ ગયું છે. ખરાબ રસ્તાના સમાચાર અનેક વખત તમને આપ્યા છે. કદાચ આપણા મનમાં એવું થતું હોય કે ગામડાઓના રસ્તાઓ જ માત્ર બિસ્માર હશે પરંતુ ના મોટા મોટા શહેરોની પરિસ્થિતિ પણ રસ્તા મામલે આવી જ છે. શહેરોથી આવા અનેક કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે જેમાં ખરાબ રસ્તાને કારણે વાહનને નુકસાન પહોંચે છે. ત્યારે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જે હાઈવેનો હોય તેવી પ્રાથમિક માહિતી છે.

હાઈવે પર આવી હાલત છે તો ગામડામાં શું હાલત હશે? 

સામાન્ય રીતે આપણી સામે એવા અનેક વીડિયો આવતા હોય છે જેમાં રસ્તાની ખરાબ હાલત દેખાતી હોય. રસ્તા પર ખાડા પડેલા જોવા મળે છે. કોઈ રસ્તાઓ પર તો દ્રશ્યો એવા હોય છે કે રસ્તા પર પડેલા ખાડા નહીં પરંતુ સારો રસ્તો કેટલો દેખાય છે તે એક પ્રશ્ન હોય છે. અનેક વખત રસ્તા બન્યા પછી કોઈ પાઈપલાઈન નાખવા માટે ખોદકામ કરવામાં આવે છે, તો કોઈ જગ્યા પર ભૂવો પડવાની ઘટના બનતી હોય છે. ત્યારે એક વીડિયો સામે આવ્યો છે જેમાં ગુજરાતના વિકાસ મોડલની પોલ ખુલી જાય છે. ભુજ-નલિયા હાઈવેનો આ વીડિયો છે તેવી પ્રાથમિક માહિતી છે. રેલવે ક્રોસિંગ આગળ એટલી બધી કપચી, પથ્થર નાખી દીધી છે કે ગાડી તેની પરથી પસાર નથી થઈ શક્તી. મોટી મોટી કપચી પાથરી દેવામાં આવી છે. આમાં વાહનોને નુકસાન ન પહોંચે તો શું થાય તે એક સવાલ છે...


અંતરિયાળ વિસ્તારના ગામો આજે પણ વિકાસની પ્રતિક્ષામાં!

મહત્વનું છે કે આવા રસ્તાઓ પરથી તમે પણ પસાર થતા હશો. રસ્તા પર પડેલા ખાડા પરથી તમારૂ વાહન પણ આવી રીતે પસાર થતું હશે. આવા વીડિયો જ્યારે આપણી સામે આવે છે ત્યારે લાગે છે કે વિકસીત શહેરોની આવી હાલત છે કે તો અંતરિયાળ વિસ્તારની હાલત કેવી હશે? ત્યાં તો પ્રશ્ન પણ એ ના પૂછાય કે તમારે ત્યાં રસ્તાની આવી ખરાબ હાલત છે, કારણ કે ત્યાં તો એવા પ્રશ્નો પૂછવો પડે કે તમારે ત્યાં રસ્તો છે? અંતરિયાળ વિસ્તારથી અનેક વખત એવા દ્રશ્યો, એવા વીડિયો, એવી કહાની સામે આવતી હોય છે જેને જોઈ થાય કે આ છે ગુજરાતનું વિકાસ મોડલ? વિકાસ મોડલની વાતો સમગ્ર દેશમાં તેમજ વિદેશમાં કરવામાં આવે છે તે જ રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગામો વિકાસ માટે ઝંખે છે. અનેક વર્ષો વિત્યા પરંતુ તેમની પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ છે. અંતિમ ક્રિયા માટે પણ, સારવાર અર્થે  પણ ઝોળી કરી 108 સુધી બીમાર માણસને પહોંચાડવો પડે છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.