Gujaratનું વિકાસ મોડલ ચર્ચામાં! હાઈવેની આવી દુર્દશા જોઈ તમે પણ કહેશો કે આવી હાલત તો ગામડાઓના રસ્તાઓની હોય છે! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-10-10 10:57:15

ખરાબ રોડ રસ્તાઓ જોવા હવે જાણે સામાન્ય બની ગયું છે. રસ્તા પર ખાડા ન હોય તો નવાઈ લાગે છે, જો રસ્તા પર રખડતા ઢોર ન દેખાય તો નવાઈ લાગે છે. કારણ કે રસ્તા પર આ બધુ હોવું એકદમ નોર્મલ થઈ ગયું છે. ખરાબ રસ્તાના સમાચાર અનેક વખત તમને આપ્યા છે. કદાચ આપણા મનમાં એવું થતું હોય કે ગામડાઓના રસ્તાઓ જ માત્ર બિસ્માર હશે પરંતુ ના મોટા મોટા શહેરોની પરિસ્થિતિ પણ રસ્તા મામલે આવી જ છે. શહેરોથી આવા અનેક કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે જેમાં ખરાબ રસ્તાને કારણે વાહનને નુકસાન પહોંચે છે. ત્યારે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જે હાઈવેનો હોય તેવી પ્રાથમિક માહિતી છે.

હાઈવે પર આવી હાલત છે તો ગામડામાં શું હાલત હશે? 

સામાન્ય રીતે આપણી સામે એવા અનેક વીડિયો આવતા હોય છે જેમાં રસ્તાની ખરાબ હાલત દેખાતી હોય. રસ્તા પર ખાડા પડેલા જોવા મળે છે. કોઈ રસ્તાઓ પર તો દ્રશ્યો એવા હોય છે કે રસ્તા પર પડેલા ખાડા નહીં પરંતુ સારો રસ્તો કેટલો દેખાય છે તે એક પ્રશ્ન હોય છે. અનેક વખત રસ્તા બન્યા પછી કોઈ પાઈપલાઈન નાખવા માટે ખોદકામ કરવામાં આવે છે, તો કોઈ જગ્યા પર ભૂવો પડવાની ઘટના બનતી હોય છે. ત્યારે એક વીડિયો સામે આવ્યો છે જેમાં ગુજરાતના વિકાસ મોડલની પોલ ખુલી જાય છે. ભુજ-નલિયા હાઈવેનો આ વીડિયો છે તેવી પ્રાથમિક માહિતી છે. રેલવે ક્રોસિંગ આગળ એટલી બધી કપચી, પથ્થર નાખી દીધી છે કે ગાડી તેની પરથી પસાર નથી થઈ શક્તી. મોટી મોટી કપચી પાથરી દેવામાં આવી છે. આમાં વાહનોને નુકસાન ન પહોંચે તો શું થાય તે એક સવાલ છે...


અંતરિયાળ વિસ્તારના ગામો આજે પણ વિકાસની પ્રતિક્ષામાં!

મહત્વનું છે કે આવા રસ્તાઓ પરથી તમે પણ પસાર થતા હશો. રસ્તા પર પડેલા ખાડા પરથી તમારૂ વાહન પણ આવી રીતે પસાર થતું હશે. આવા વીડિયો જ્યારે આપણી સામે આવે છે ત્યારે લાગે છે કે વિકસીત શહેરોની આવી હાલત છે કે તો અંતરિયાળ વિસ્તારની હાલત કેવી હશે? ત્યાં તો પ્રશ્ન પણ એ ના પૂછાય કે તમારે ત્યાં રસ્તાની આવી ખરાબ હાલત છે, કારણ કે ત્યાં તો એવા પ્રશ્નો પૂછવો પડે કે તમારે ત્યાં રસ્તો છે? અંતરિયાળ વિસ્તારથી અનેક વખત એવા દ્રશ્યો, એવા વીડિયો, એવી કહાની સામે આવતી હોય છે જેને જોઈ થાય કે આ છે ગુજરાતનું વિકાસ મોડલ? વિકાસ મોડલની વાતો સમગ્ર દેશમાં તેમજ વિદેશમાં કરવામાં આવે છે તે જ રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગામો વિકાસ માટે ઝંખે છે. અનેક વર્ષો વિત્યા પરંતુ તેમની પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ છે. અંતિમ ક્રિયા માટે પણ, સારવાર અર્થે  પણ ઝોળી કરી 108 સુધી બીમાર માણસને પહોંચાડવો પડે છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.