Gujaratનું વિકાસ મોડલ ચર્ચામાં! હાઈવેની આવી દુર્દશા જોઈ તમે પણ કહેશો કે આવી હાલત તો ગામડાઓના રસ્તાઓની હોય છે! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-10-10 10:57:15

ખરાબ રોડ રસ્તાઓ જોવા હવે જાણે સામાન્ય બની ગયું છે. રસ્તા પર ખાડા ન હોય તો નવાઈ લાગે છે, જો રસ્તા પર રખડતા ઢોર ન દેખાય તો નવાઈ લાગે છે. કારણ કે રસ્તા પર આ બધુ હોવું એકદમ નોર્મલ થઈ ગયું છે. ખરાબ રસ્તાના સમાચાર અનેક વખત તમને આપ્યા છે. કદાચ આપણા મનમાં એવું થતું હોય કે ગામડાઓના રસ્તાઓ જ માત્ર બિસ્માર હશે પરંતુ ના મોટા મોટા શહેરોની પરિસ્થિતિ પણ રસ્તા મામલે આવી જ છે. શહેરોથી આવા અનેક કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે જેમાં ખરાબ રસ્તાને કારણે વાહનને નુકસાન પહોંચે છે. ત્યારે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જે હાઈવેનો હોય તેવી પ્રાથમિક માહિતી છે.

હાઈવે પર આવી હાલત છે તો ગામડામાં શું હાલત હશે? 

સામાન્ય રીતે આપણી સામે એવા અનેક વીડિયો આવતા હોય છે જેમાં રસ્તાની ખરાબ હાલત દેખાતી હોય. રસ્તા પર ખાડા પડેલા જોવા મળે છે. કોઈ રસ્તાઓ પર તો દ્રશ્યો એવા હોય છે કે રસ્તા પર પડેલા ખાડા નહીં પરંતુ સારો રસ્તો કેટલો દેખાય છે તે એક પ્રશ્ન હોય છે. અનેક વખત રસ્તા બન્યા પછી કોઈ પાઈપલાઈન નાખવા માટે ખોદકામ કરવામાં આવે છે, તો કોઈ જગ્યા પર ભૂવો પડવાની ઘટના બનતી હોય છે. ત્યારે એક વીડિયો સામે આવ્યો છે જેમાં ગુજરાતના વિકાસ મોડલની પોલ ખુલી જાય છે. ભુજ-નલિયા હાઈવેનો આ વીડિયો છે તેવી પ્રાથમિક માહિતી છે. રેલવે ક્રોસિંગ આગળ એટલી બધી કપચી, પથ્થર નાખી દીધી છે કે ગાડી તેની પરથી પસાર નથી થઈ શક્તી. મોટી મોટી કપચી પાથરી દેવામાં આવી છે. આમાં વાહનોને નુકસાન ન પહોંચે તો શું થાય તે એક સવાલ છે...


અંતરિયાળ વિસ્તારના ગામો આજે પણ વિકાસની પ્રતિક્ષામાં!

મહત્વનું છે કે આવા રસ્તાઓ પરથી તમે પણ પસાર થતા હશો. રસ્તા પર પડેલા ખાડા પરથી તમારૂ વાહન પણ આવી રીતે પસાર થતું હશે. આવા વીડિયો જ્યારે આપણી સામે આવે છે ત્યારે લાગે છે કે વિકસીત શહેરોની આવી હાલત છે કે તો અંતરિયાળ વિસ્તારની હાલત કેવી હશે? ત્યાં તો પ્રશ્ન પણ એ ના પૂછાય કે તમારે ત્યાં રસ્તાની આવી ખરાબ હાલત છે, કારણ કે ત્યાં તો એવા પ્રશ્નો પૂછવો પડે કે તમારે ત્યાં રસ્તો છે? અંતરિયાળ વિસ્તારથી અનેક વખત એવા દ્રશ્યો, એવા વીડિયો, એવી કહાની સામે આવતી હોય છે જેને જોઈ થાય કે આ છે ગુજરાતનું વિકાસ મોડલ? વિકાસ મોડલની વાતો સમગ્ર દેશમાં તેમજ વિદેશમાં કરવામાં આવે છે તે જ રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગામો વિકાસ માટે ઝંખે છે. અનેક વર્ષો વિત્યા પરંતુ તેમની પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ છે. અંતિમ ક્રિયા માટે પણ, સારવાર અર્થે  પણ ઝોળી કરી 108 સુધી બીમાર માણસને પહોંચાડવો પડે છે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.