એક ટ્વિટથી Gujaratનું ગરમાયું રાજકારણ! Rajkotમાં Congress Leader Dr Hemang Vasavadaએ Suratની ઘટના પરથી શું કટાક્ષ કર્યો?


  • Published By :
  • Published Date : 2024-04-25 15:33:14

ગુજરાતનું રાજકારણ ધીરે ધીરે ગરમાઈ રહ્યું છે... ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. મતદાન થાય તે પહેલા સુરત બેઠક પર ઉતરેલા બીજેપીના ઉમેદવાર મુકેશ દલાલ બિનબરીફ જાહેર થઈ ગયા અને તે સાંસદ પણ બની ગયા.. આજે સુરતમાં થયેલી ઘટનાની ચર્ચા એટલા માટે કરવી છે કારણ કે રાજકોટમાં કોંગ્રેસના નેતા ડો. હેમાંગ વસાવડાએ એક ટ્વિટ કરી છે. પોતાની ટ્વિટમાં તેમણે જાણકારી આપી છે કે, રાજકોટમાં પણ સુરત જેવું થતા થતા રહી ગયું.! આ ટ્વિટને કારણે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે..

પરેશ ધાનાણીને ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અપાઈ છે ટિકીટ 

કોંગ્રેસના નેતા દ્વારા કરવામાં આવેલી ટ્વિટને વિસ્તારથી સમજીએ તો રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસ પહેલા વિક્રમ સોરાણીને ટિકીટ આપવાની હતી. વિક્રમ સોરાણીને ટિકીટ આપવા માટે પાર્ટી વિચારણા કરી રહી હતી પરંતુ તે બાદ તેમની જગ્યાએ ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત પરેશ ધાનાણીને ટિકીટ આપવામાં આવી છે. 


કોંગ્રેસના નેતાએ કટાક્ષ કરતા લખ્યું છે.. 

પોતાની ટ્વિટમાં ડો.હેમાંગ વસાવડાએ લખ્યું કે રાજકોટ લોકસભાના કોંગ્રેસના કેટલાક નેતાઓએ વિક્રમ સોરાણીને ટિકીટ અપાવવા ખાસી કોશિશ કરી હતી . સારુઁ છે કે મારા જેવા લોકોએ સમયસર વિક્રમ સોરાણીને ટિકીટ આપતા કોંગ્રેસને રોકી નહીં તો સુરતવાળી રાજકોટમાં થતી. ત્યારે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે વિક્રમ સોરાણી એપ્રિલ મહિનાના અંત સુધીમાં ભાજપમાં જોડાઈ શકે છે...  


સુરતીઓને વગર મતદાને મળી ગયા સાંસદ!

મહત્વનું છે કે સુરતમાં જે ઘટના બની તે આપણે સૌ જાણીએ છીએ.. સુરત લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનાં ઉમેદવારી પત્રમાં થયેલી સાચી ખોટી સહીના વિવાદ પછી ફોર્મ રદ થયું, તે ઉપરાંત બીજા ઉમેદવારોએ પણ પોતાનું ફોર્મ પરત લીધું હતું. જેને કારણે ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર કરાયા અને તે સાંસદ પણ બની ગયા.. રાજકોટ લોકસભા બેઠકની વાત કરીએ તો આ બેઠક પર બંને પાટીદાર નેતાને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. એક તરફ પરેશ ધાનાણી છે તો બીજી તરફ ભાજપે પરષોત્તમ રૂપાલાને ટિકીટ આપી છે... 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે