એક ટ્વિટથી Gujaratનું ગરમાયું રાજકારણ! Rajkotમાં Congress Leader Dr Hemang Vasavadaએ Suratની ઘટના પરથી શું કટાક્ષ કર્યો?


  • Published By :
  • Published Date : 2024-04-25 15:33:14

ગુજરાતનું રાજકારણ ધીરે ધીરે ગરમાઈ રહ્યું છે... ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. મતદાન થાય તે પહેલા સુરત બેઠક પર ઉતરેલા બીજેપીના ઉમેદવાર મુકેશ દલાલ બિનબરીફ જાહેર થઈ ગયા અને તે સાંસદ પણ બની ગયા.. આજે સુરતમાં થયેલી ઘટનાની ચર્ચા એટલા માટે કરવી છે કારણ કે રાજકોટમાં કોંગ્રેસના નેતા ડો. હેમાંગ વસાવડાએ એક ટ્વિટ કરી છે. પોતાની ટ્વિટમાં તેમણે જાણકારી આપી છે કે, રાજકોટમાં પણ સુરત જેવું થતા થતા રહી ગયું.! આ ટ્વિટને કારણે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે..

પરેશ ધાનાણીને ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અપાઈ છે ટિકીટ 

કોંગ્રેસના નેતા દ્વારા કરવામાં આવેલી ટ્વિટને વિસ્તારથી સમજીએ તો રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસ પહેલા વિક્રમ સોરાણીને ટિકીટ આપવાની હતી. વિક્રમ સોરાણીને ટિકીટ આપવા માટે પાર્ટી વિચારણા કરી રહી હતી પરંતુ તે બાદ તેમની જગ્યાએ ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત પરેશ ધાનાણીને ટિકીટ આપવામાં આવી છે. 


કોંગ્રેસના નેતાએ કટાક્ષ કરતા લખ્યું છે.. 

પોતાની ટ્વિટમાં ડો.હેમાંગ વસાવડાએ લખ્યું કે રાજકોટ લોકસભાના કોંગ્રેસના કેટલાક નેતાઓએ વિક્રમ સોરાણીને ટિકીટ અપાવવા ખાસી કોશિશ કરી હતી . સારુઁ છે કે મારા જેવા લોકોએ સમયસર વિક્રમ સોરાણીને ટિકીટ આપતા કોંગ્રેસને રોકી નહીં તો સુરતવાળી રાજકોટમાં થતી. ત્યારે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે વિક્રમ સોરાણી એપ્રિલ મહિનાના અંત સુધીમાં ભાજપમાં જોડાઈ શકે છે...  


સુરતીઓને વગર મતદાને મળી ગયા સાંસદ!

મહત્વનું છે કે સુરતમાં જે ઘટના બની તે આપણે સૌ જાણીએ છીએ.. સુરત લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનાં ઉમેદવારી પત્રમાં થયેલી સાચી ખોટી સહીના વિવાદ પછી ફોર્મ રદ થયું, તે ઉપરાંત બીજા ઉમેદવારોએ પણ પોતાનું ફોર્મ પરત લીધું હતું. જેને કારણે ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર કરાયા અને તે સાંસદ પણ બની ગયા.. રાજકોટ લોકસભા બેઠકની વાત કરીએ તો આ બેઠક પર બંને પાટીદાર નેતાને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. એક તરફ પરેશ ધાનાણી છે તો બીજી તરફ ભાજપે પરષોત્તમ રૂપાલાને ટિકીટ આપી છે... 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે