2024ની લોકસભા ચૂંટણીમાં જીતનો પાટીલનો દાવો, 'તમામ 26 બેઠક પર 5 લાખ કરતાં વધુની લીડથી જીતીશું'


  • Published By :
  • Published Date : 2023-10-06 22:15:11

આગામી લોકસભા લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે  દેશના તમામ રાજકીય પક્ષોએ કમર કસી છે, વિવિધ પાર્ટીઓના નેતાઓ તેમના પક્ષના કાર્યકરોને લોકસભાની ચૂંટણીમાં લાગી જવાની હાંકલ કરી રહ્યા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આજે રાજકોટની એક દિવસની મુલાકાતે પહોંચ્યા હતા. આજે મોરબીમાં પૂ. મોરારીબાપુની કથામાં હાજરી આપવા આવેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે બાદમાં રાજકોટમાં ટુંકું રોકાણ કર્યુ હતું અને તેઓ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી તથા પક્ષના પદાધિકારીઓ અને વોર્ડ નં.4ની તથા પક્ષના કાર્યકર્તા ભવાનભાઈ સુરાણીને ત્યાં ચાય-પે ચર્ચા કરી હતી. આ પ્રસંગે તેમણે રાજ્યની લોકસભાની તમામ 26 સીટો પર મોટા માર્જિનથી જીતનો દાવો કર્યો હતો.


શું કહ્યું હતું સી આર પાટીલે?


ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા. અહીં તેમણે ધારાસભ્ય ઉદય કાનગડના કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી તેમજ આ કાર્યાલયમાં થતી કામગીરીની વિગતો જાણી હતી. આ તકે પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં  2024ની લોકસભા ચૂંટણીને લઇ કહ્યું હતું કે 2024માં આવનારી લોકસભા ચૂંટણીમાં ભાજપ જંગી બહુમતી મેળવશે. જેમ ગુજરાતની તમામ 26 બેઠક પર 5 લાખ કરતાં વધુની લીડથી જીત મેળવRશું અને હંમેશની માફક યુવાનો-મહિલાઓને તક આપવામાં આવશે.


કાર્યકરોને કરી આ હાંકલ


રાજકોટમાં સી.આર.પાટીલએ શહેર વોર્ડના પેઈજ પ્રમુખ- પેઈજ સમીતીના સદસ્યો સાથે આગામી લોકસભા ચુંટણી અંતર્ગત સંગઠનાત્મક ચર્ચા કરી હતી. તેમણે કેન્દ્ર અને રાજયની ભાજપ સરકારની વિવિધ લોકહીતકારી અને જનકલ્યાણકારી યોજનાઓનો લાભ ઘેર-ઘેર સુધી પહોંચે તેમજ છેવાડાને માનવી પણ કોઈપણ સેવાકીય યોજનાઓના લાભથી વંચિત ન રહે તે અંતર્ગત વિસ્તૃત માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.