2024ની લોકસભા ચૂંટણીમાં જીતનો પાટીલનો દાવો, 'તમામ 26 બેઠક પર 5 લાખ કરતાં વધુની લીડથી જીતીશું'


  • Published By :
  • Published Date : 2023-10-06 22:15:11

આગામી લોકસભા લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે  દેશના તમામ રાજકીય પક્ષોએ કમર કસી છે, વિવિધ પાર્ટીઓના નેતાઓ તેમના પક્ષના કાર્યકરોને લોકસભાની ચૂંટણીમાં લાગી જવાની હાંકલ કરી રહ્યા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આજે રાજકોટની એક દિવસની મુલાકાતે પહોંચ્યા હતા. આજે મોરબીમાં પૂ. મોરારીબાપુની કથામાં હાજરી આપવા આવેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે બાદમાં રાજકોટમાં ટુંકું રોકાણ કર્યુ હતું અને તેઓ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી તથા પક્ષના પદાધિકારીઓ અને વોર્ડ નં.4ની તથા પક્ષના કાર્યકર્તા ભવાનભાઈ સુરાણીને ત્યાં ચાય-પે ચર્ચા કરી હતી. આ પ્રસંગે તેમણે રાજ્યની લોકસભાની તમામ 26 સીટો પર મોટા માર્જિનથી જીતનો દાવો કર્યો હતો.


શું કહ્યું હતું સી આર પાટીલે?


ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા. અહીં તેમણે ધારાસભ્ય ઉદય કાનગડના કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી તેમજ આ કાર્યાલયમાં થતી કામગીરીની વિગતો જાણી હતી. આ તકે પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં  2024ની લોકસભા ચૂંટણીને લઇ કહ્યું હતું કે 2024માં આવનારી લોકસભા ચૂંટણીમાં ભાજપ જંગી બહુમતી મેળવશે. જેમ ગુજરાતની તમામ 26 બેઠક પર 5 લાખ કરતાં વધુની લીડથી જીત મેળવRશું અને હંમેશની માફક યુવાનો-મહિલાઓને તક આપવામાં આવશે.


કાર્યકરોને કરી આ હાંકલ


રાજકોટમાં સી.આર.પાટીલએ શહેર વોર્ડના પેઈજ પ્રમુખ- પેઈજ સમીતીના સદસ્યો સાથે આગામી લોકસભા ચુંટણી અંતર્ગત સંગઠનાત્મક ચર્ચા કરી હતી. તેમણે કેન્દ્ર અને રાજયની ભાજપ સરકારની વિવિધ લોકહીતકારી અને જનકલ્યાણકારી યોજનાઓનો લાભ ઘેર-ઘેર સુધી પહોંચે તેમજ છેવાડાને માનવી પણ કોઈપણ સેવાકીય યોજનાઓના લાભથી વંચિત ન રહે તે અંતર્ગત વિસ્તૃત માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.