2024ની લોકસભા ચૂંટણીમાં જીતનો પાટીલનો દાવો, 'તમામ 26 બેઠક પર 5 લાખ કરતાં વધુની લીડથી જીતીશું'


  • Published By :
  • Published Date : 2023-10-06 22:15:11

આગામી લોકસભા લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે  દેશના તમામ રાજકીય પક્ષોએ કમર કસી છે, વિવિધ પાર્ટીઓના નેતાઓ તેમના પક્ષના કાર્યકરોને લોકસભાની ચૂંટણીમાં લાગી જવાની હાંકલ કરી રહ્યા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આજે રાજકોટની એક દિવસની મુલાકાતે પહોંચ્યા હતા. આજે મોરબીમાં પૂ. મોરારીબાપુની કથામાં હાજરી આપવા આવેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે બાદમાં રાજકોટમાં ટુંકું રોકાણ કર્યુ હતું અને તેઓ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી તથા પક્ષના પદાધિકારીઓ અને વોર્ડ નં.4ની તથા પક્ષના કાર્યકર્તા ભવાનભાઈ સુરાણીને ત્યાં ચાય-પે ચર્ચા કરી હતી. આ પ્રસંગે તેમણે રાજ્યની લોકસભાની તમામ 26 સીટો પર મોટા માર્જિનથી જીતનો દાવો કર્યો હતો.


શું કહ્યું હતું સી આર પાટીલે?


ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા. અહીં તેમણે ધારાસભ્ય ઉદય કાનગડના કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી તેમજ આ કાર્યાલયમાં થતી કામગીરીની વિગતો જાણી હતી. આ તકે પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં  2024ની લોકસભા ચૂંટણીને લઇ કહ્યું હતું કે 2024માં આવનારી લોકસભા ચૂંટણીમાં ભાજપ જંગી બહુમતી મેળવશે. જેમ ગુજરાતની તમામ 26 બેઠક પર 5 લાખ કરતાં વધુની લીડથી જીત મેળવRશું અને હંમેશની માફક યુવાનો-મહિલાઓને તક આપવામાં આવશે.


કાર્યકરોને કરી આ હાંકલ


રાજકોટમાં સી.આર.પાટીલએ શહેર વોર્ડના પેઈજ પ્રમુખ- પેઈજ સમીતીના સદસ્યો સાથે આગામી લોકસભા ચુંટણી અંતર્ગત સંગઠનાત્મક ચર્ચા કરી હતી. તેમણે કેન્દ્ર અને રાજયની ભાજપ સરકારની વિવિધ લોકહીતકારી અને જનકલ્યાણકારી યોજનાઓનો લાભ ઘેર-ઘેર સુધી પહોંચે તેમજ છેવાડાને માનવી પણ કોઈપણ સેવાકીય યોજનાઓના લાભથી વંચિત ન રહે તે અંતર્ગત વિસ્તૃત માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી