ગૌણ સેવા પસંદગી મંડળનો મોટો નિર્ણય, પરિક્ષાના ઉમેદવારો માટે સંમતિપત્ર ભરવા અનિવાર્ય, જાણો તારીખ


  • Published By :
  • Published Date : 2023-07-14 19:26:40

સરકારી નોકરીની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળે રાજ્યમાં યોજાનારી આગામી 5 પરીક્ષાઓ માટે મોટો નિર્ણય લેતા ઉમેદવારો માટે સંમતિપત્ર ફરજિયાત કર્યા છે. આ તમામ પરીક્ષાઓ માટે 17થી 27 જુલાઇ સુધીમાં પરીક્ષાર્થીઓએ સંમતિપત્ર ઓનલાઇન ભરવાના રહેશે. 


આ 5 પરીક્ષાઓ માટે સંમતિપત્ર 


ગૌણ સેવા પસંદગી મંડળની પાંચ પરિક્ષામાં ઉમેદવારોએ આપવી પડશે સંમતિ, જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ, મદદનીશ ગ્રંથપાલ, વર્ક આસિસ્ટન્ટ, મ્યુનિસિપલ ઈજનેર અને લેખનકારની પરીક્ષા માટે 17 થી 27 જુલાઇ સુધીમાં સંમતિ પત્ર ભરવાના રહેશે


સંમતિપત્રક ક્યા અને કેવી રીતે ભરવું?


ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓ માટે સંમતિપત્રક ઓજસ પર ઓનલાઇન ભરી શકાશે. સૌથી પહેલા તમારે ઓજસના હોમપેજ પર જવાનું પછી નોટિસ બોર્ડ સેક્શનમાં જવાનું અને પછી સંમતિ ફોર્મ ફરવા માટે ક્લિક કરો લખ્યું હોય ત્યાં ક્લિક કરી પોતાના કન્ફર્મેશન નાખી, જન્મતારીખ ભરીને લોગઈન કરવાની રહેશે. ઉપરથી આ બધુ 27 જુલાઈ સુધી જ કરવાનું રહેશે. ગૌણ સેવાની જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ, મદદનીશ ગ્રંથપાલ અને વર્ક આસિસ્ટન્ટની પરીક્ષા 20 ઓગસ્ટએ યોજાનાર છે. પરીક્ષા માટે ભરાયેલા ફોર્મ અને પરીક્ષા આપનાર ઉમેદવારો વચ્ચેના તફાવતને ઓળખી પરીક્ષા વ્યવસ્થાના સંચાલન માટે સંમતિ પત્ર ફરજિયાત કરાયા છે. 


શા માટે સંમતિપત્ર ફરજિયાત કરાયા?


સંમતિપત્રક ભરવાનો નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કારણ કે બધા તો નહીં પણ અમુક છોકરાઓ ખાલી પરીક્ષા આપવા માટે પરીક્ષા આપે છે, તૈયારીઓ નથી કરતા બસ ખાલી એમને એમ પરીક્ષા આપી દે છે. જે છોકરાઓ પરીક્ષા પ્રત્યે ગંભીર નથી ખાલી ફોર્મ ભરવા ખાતર ફોર્મ ભરે છે અને પરીક્ષા ખંડમાં પરીક્ષા આપવા હાજર નથી રહેતા તેના માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે, આપણે જાણીએ જ છીએ કે પરીક્ષા લીધા બાદ આપણે આંકડો જોઈએ છીએ કે કેટલા છોકરાઓએ પરીક્ષા આપી અને કેટલા ફોર્મ ભરાયા હતા. તો હંમેશા જેટલા ફોર્મ ભરાયા હોય તેની તુલનામાં લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા નથી જતા.  મંડળને તો આંકડા મુજબ મેનેજમેન્ટ ઉભુ કરવાનું હોય છે, તેમને પોલીસનું મેનેજમેન્ટ કરવાનું હોય છે, શિક્ષકોનું મેનેજમેન્ટ કરવાનું હોય, સુપરવાઈઝર, ઈન્વીજીલેટર, પરીક્ષા ખંડ, સ્કૂલ, નિયામકો વગેરે ઘણું બધુ રોકાતું હોય છે. જો વિદ્યાર્થી પરીક્ષા નથી આપતા તો મંડળનું મેનેજમેન્ટ ખોરવાઈ જાય છે. ઉપરથી બિનનજરૂરી ખર્ચ થાય છે સાચી રીતે જે ઉમેદવારો પરીક્ષા માટે મહેનત કરે છે તેને લાભ થાય તે માટે મંડળે સંમતિપત્રક ફરજિયાત કર્યું છે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.