Gujarat Super Leagueનું કરાયું આયોજન, Parimal Nathwaniએ GSL ટ્રોફીનું કર્યું અનાવરણ, જાણો શા માટે કરાયું GSLનું આયોજન?


  • Published By :
  • Published Date : 2024-04-25 11:03:49

હજી સુધી આપણે FIFA,IPL જેવી લિગ, ટુર્નામેન્ટ વિશે સાંભળ્યું હશે પરંતુ હવે આવી લીગ ગુજરાતમાં રમાવાની છે.... જી હા.. ગુજરાતમાં GSL એટલે Gujarat Super Leagueનું આયોજન થવાનું છે.. જીએસએલ ફ્રેન્ચાઇઝી આધારિત ફૂટબોલની એક મોટી પહેલ કરવામાં આવી છે... જીએસએલ માટે ટ્રોફીનું અનાવરણ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન અને રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી દ્વારા કરવામાં આવ્યું હતું.. આ ક્રાર્યક્રમમાં GSLમાં ભાગ લેનારી ટીમના માલિકો, પ્રાયોજકો ઉપસ્થિત રહ્યા હતા.

ટ્રોફી અનાવરણના પ્રસંગે પરિમલ નથવાણીએ કહ્યું કે

ક્રિકેટને જેટલી લોકચાહના મળી તેવી લોકચાહના બીજી રમતોને નથી મળી.. આવું કહીએ તો અતિશયોક્તિ ના કહેવાય.. બહુ બધા ખેલ ચાહકો ક્રિકેટમાં વધારે રસ ધરાવતા હોય છે પરંતુ તે સિવાયની રમતો વિશે વધારે જાણકારી નથી હોતી.. ત્યારે આ પ્રકારની ફૂટબોલ લીગનું આયોજન કરવા પાછળના હેતુની વાત કરીએ તો ફૂટબોલ વિશે જાણકારી મળે, ફૂટબોલને લોકપ્રિયતા મળે અને આ ગેમમાં ભાગ લેવા પ્રોત્સાહિત થાય તે છે... ટ્રોફી અનાવરણ પ્રસંગે પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં પ્રથમ વખત ફ્રેન્ચાઈઝી આધારિત ફૂટબોલ લીગનો પ્રારંભ થઈ રહ્યો છે. ગુજરાતમાં ફૂટબોલની રમતને મજબૂત કરવા માટે GSFAની આ એક મોટી પહેલ છે. 

6 ટીમો વચ્ચે થશે મુકાબલો

આ લીગમાં કઈ કઈ ટીમ ભાગ લેશે તેની વાત કરીએ તો 6 ટીમો વચ્ચે મુકાબલો થવાનો અને તે છે -  અમદાવાદ એવેન્જર્સ (ગોડ TMT અને વિવાન ધ રાઈટ સ્ટીલ પ્રાઈવેટ લિમિટેડ), ગાંધીનગર જાયન્ટ્સ (ANVI સ્પોર્ટ્સ), કર્ણાવતી નાઈટ્સ (ધ એડ્રેસ), સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ (અક્ષિતા કોટન લિમિટેડ અને બીલાઇન), સુરત સ્ટ્રાઇકર્સ (લોયલ ઇક્વિપમેન્ટ્સ લિમિટેડ), વડોદરા વોરિયર્સ (કે એન્ડ ડી કોમ્યુનિકેશન લિમિટેડ). GSLના મુખ્ય પ્રાયોજક અને સહયોગી સ્પોન્સર તરીકે અનુક્રમે ગુજરાત પ્રવાસન નિગમ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત છે.

વિજેતા ટીમને 11 લાખનું અપાશે ઈનામ 

GSFAના ઓનરરી જનરલ સેક્રેટરી મૂળરાજસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે GSLમાં વિજેતા ટીમને રૂ. 11 લાખનું ઇનામ આપવામાં આવશે, જ્યારે રનર્સ અપ રહેનારી ટીમને રૂ. 5 લાખનું ઇનામ મળશે. આ સાથે જ, સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા ખેલાડીઓને જુદી-જુદી આઠ કેટેગરીમાં રૂ. 25,000નું ઇનામ આપવામાં આવશે, તેમજ દરેક મેચના પ્લેયર  ઑફ ધ મેચને રૂ. 5,000નું ઇનામ આપવામાં આવશે. ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે પ્રેક્ટીસથી શરૂ કરીને ફાઇનલ મેચ સુધી દરેક દિવસનું રૂ. 1500-2000 સુધીનું દૈનિક ભથ્થું આપવામાં આવશે. 


12મેના રોજ રમાશે ફાઈનલ મેચ

1લી મે થી 12મી મે 2024 દરમિયાન અમદાવાદમાં EKA એરેના, ટ્રાન્સસ્ટેડિયા ખાતે આ ટુર્નામેન્ટનું આયોજન થવાનું છે. મેચના દિવસો 1લી, 2જી, 4થી, 5મી, 8મી, 10મી મે છે. અને ફાઈનલ 12મી મે 2024ના રોજ રમાશે. સાંજે સાત વાગે આ મેચની ફાઈનલ યોજાવાની છે... GSLની મેચો માટેની સિઝન ટિકિટની કિંમત રૂ. 499 રાખવામાં આવી છે, જ્યારે ફાઇનલ મેચની ટિકિટની કિંમત રૂ. 399 રાખવામાં આવી છે. ટિકિટ BookMyShow પરથી મળી શકશે. મહત્વનું છે કે આ લીગમાં ભારતના 10 રાજ્યોના ફૂટબોલ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. મહત્વનું છે કે અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત ફૂટબોલમાં હજુ ઘણું પાછળ છે. ત્યારે આવી લીગ ફૂટબોલને લોકપ્રિય બનાવામાં મોટો ફાળો ભગવે છે...  




ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.