Gujarat Super Leagueનું કરાયું આયોજન, Parimal Nathwaniએ GSL ટ્રોફીનું કર્યું અનાવરણ, જાણો શા માટે કરાયું GSLનું આયોજન?


  • Published By :
  • Published Date : 2024-04-25 11:03:49

હજી સુધી આપણે FIFA,IPL જેવી લિગ, ટુર્નામેન્ટ વિશે સાંભળ્યું હશે પરંતુ હવે આવી લીગ ગુજરાતમાં રમાવાની છે.... જી હા.. ગુજરાતમાં GSL એટલે Gujarat Super Leagueનું આયોજન થવાનું છે.. જીએસએલ ફ્રેન્ચાઇઝી આધારિત ફૂટબોલની એક મોટી પહેલ કરવામાં આવી છે... જીએસએલ માટે ટ્રોફીનું અનાવરણ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન અને રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી દ્વારા કરવામાં આવ્યું હતું.. આ ક્રાર્યક્રમમાં GSLમાં ભાગ લેનારી ટીમના માલિકો, પ્રાયોજકો ઉપસ્થિત રહ્યા હતા.

ટ્રોફી અનાવરણના પ્રસંગે પરિમલ નથવાણીએ કહ્યું કે

ક્રિકેટને જેટલી લોકચાહના મળી તેવી લોકચાહના બીજી રમતોને નથી મળી.. આવું કહીએ તો અતિશયોક્તિ ના કહેવાય.. બહુ બધા ખેલ ચાહકો ક્રિકેટમાં વધારે રસ ધરાવતા હોય છે પરંતુ તે સિવાયની રમતો વિશે વધારે જાણકારી નથી હોતી.. ત્યારે આ પ્રકારની ફૂટબોલ લીગનું આયોજન કરવા પાછળના હેતુની વાત કરીએ તો ફૂટબોલ વિશે જાણકારી મળે, ફૂટબોલને લોકપ્રિયતા મળે અને આ ગેમમાં ભાગ લેવા પ્રોત્સાહિત થાય તે છે... ટ્રોફી અનાવરણ પ્રસંગે પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં પ્રથમ વખત ફ્રેન્ચાઈઝી આધારિત ફૂટબોલ લીગનો પ્રારંભ થઈ રહ્યો છે. ગુજરાતમાં ફૂટબોલની રમતને મજબૂત કરવા માટે GSFAની આ એક મોટી પહેલ છે. 

6 ટીમો વચ્ચે થશે મુકાબલો

આ લીગમાં કઈ કઈ ટીમ ભાગ લેશે તેની વાત કરીએ તો 6 ટીમો વચ્ચે મુકાબલો થવાનો અને તે છે -  અમદાવાદ એવેન્જર્સ (ગોડ TMT અને વિવાન ધ રાઈટ સ્ટીલ પ્રાઈવેટ લિમિટેડ), ગાંધીનગર જાયન્ટ્સ (ANVI સ્પોર્ટ્સ), કર્ણાવતી નાઈટ્સ (ધ એડ્રેસ), સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ (અક્ષિતા કોટન લિમિટેડ અને બીલાઇન), સુરત સ્ટ્રાઇકર્સ (લોયલ ઇક્વિપમેન્ટ્સ લિમિટેડ), વડોદરા વોરિયર્સ (કે એન્ડ ડી કોમ્યુનિકેશન લિમિટેડ). GSLના મુખ્ય પ્રાયોજક અને સહયોગી સ્પોન્સર તરીકે અનુક્રમે ગુજરાત પ્રવાસન નિગમ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત છે.

વિજેતા ટીમને 11 લાખનું અપાશે ઈનામ 

GSFAના ઓનરરી જનરલ સેક્રેટરી મૂળરાજસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે GSLમાં વિજેતા ટીમને રૂ. 11 લાખનું ઇનામ આપવામાં આવશે, જ્યારે રનર્સ અપ રહેનારી ટીમને રૂ. 5 લાખનું ઇનામ મળશે. આ સાથે જ, સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા ખેલાડીઓને જુદી-જુદી આઠ કેટેગરીમાં રૂ. 25,000નું ઇનામ આપવામાં આવશે, તેમજ દરેક મેચના પ્લેયર  ઑફ ધ મેચને રૂ. 5,000નું ઇનામ આપવામાં આવશે. ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે પ્રેક્ટીસથી શરૂ કરીને ફાઇનલ મેચ સુધી દરેક દિવસનું રૂ. 1500-2000 સુધીનું દૈનિક ભથ્થું આપવામાં આવશે. 


12મેના રોજ રમાશે ફાઈનલ મેચ

1લી મે થી 12મી મે 2024 દરમિયાન અમદાવાદમાં EKA એરેના, ટ્રાન્સસ્ટેડિયા ખાતે આ ટુર્નામેન્ટનું આયોજન થવાનું છે. મેચના દિવસો 1લી, 2જી, 4થી, 5મી, 8મી, 10મી મે છે. અને ફાઈનલ 12મી મે 2024ના રોજ રમાશે. સાંજે સાત વાગે આ મેચની ફાઈનલ યોજાવાની છે... GSLની મેચો માટેની સિઝન ટિકિટની કિંમત રૂ. 499 રાખવામાં આવી છે, જ્યારે ફાઇનલ મેચની ટિકિટની કિંમત રૂ. 399 રાખવામાં આવી છે. ટિકિટ BookMyShow પરથી મળી શકશે. મહત્વનું છે કે આ લીગમાં ભારતના 10 રાજ્યોના ફૂટબોલ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. મહત્વનું છે કે અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત ફૂટબોલમાં હજુ ઘણું પાછળ છે. ત્યારે આવી લીગ ફૂટબોલને લોકપ્રિય બનાવામાં મોટો ફાળો ભગવે છે...  




Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.