Gujarat Super Leagueનું કરાયું આયોજન, Parimal Nathwaniએ GSL ટ્રોફીનું કર્યું અનાવરણ, જાણો શા માટે કરાયું GSLનું આયોજન?


  • Published By :
  • Published Date : 2024-04-25 11:03:49

હજી સુધી આપણે FIFA,IPL જેવી લિગ, ટુર્નામેન્ટ વિશે સાંભળ્યું હશે પરંતુ હવે આવી લીગ ગુજરાતમાં રમાવાની છે.... જી હા.. ગુજરાતમાં GSL એટલે Gujarat Super Leagueનું આયોજન થવાનું છે.. જીએસએલ ફ્રેન્ચાઇઝી આધારિત ફૂટબોલની એક મોટી પહેલ કરવામાં આવી છે... જીએસએલ માટે ટ્રોફીનું અનાવરણ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન અને રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી દ્વારા કરવામાં આવ્યું હતું.. આ ક્રાર્યક્રમમાં GSLમાં ભાગ લેનારી ટીમના માલિકો, પ્રાયોજકો ઉપસ્થિત રહ્યા હતા.

ટ્રોફી અનાવરણના પ્રસંગે પરિમલ નથવાણીએ કહ્યું કે

ક્રિકેટને જેટલી લોકચાહના મળી તેવી લોકચાહના બીજી રમતોને નથી મળી.. આવું કહીએ તો અતિશયોક્તિ ના કહેવાય.. બહુ બધા ખેલ ચાહકો ક્રિકેટમાં વધારે રસ ધરાવતા હોય છે પરંતુ તે સિવાયની રમતો વિશે વધારે જાણકારી નથી હોતી.. ત્યારે આ પ્રકારની ફૂટબોલ લીગનું આયોજન કરવા પાછળના હેતુની વાત કરીએ તો ફૂટબોલ વિશે જાણકારી મળે, ફૂટબોલને લોકપ્રિયતા મળે અને આ ગેમમાં ભાગ લેવા પ્રોત્સાહિત થાય તે છે... ટ્રોફી અનાવરણ પ્રસંગે પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં પ્રથમ વખત ફ્રેન્ચાઈઝી આધારિત ફૂટબોલ લીગનો પ્રારંભ થઈ રહ્યો છે. ગુજરાતમાં ફૂટબોલની રમતને મજબૂત કરવા માટે GSFAની આ એક મોટી પહેલ છે. 

6 ટીમો વચ્ચે થશે મુકાબલો

આ લીગમાં કઈ કઈ ટીમ ભાગ લેશે તેની વાત કરીએ તો 6 ટીમો વચ્ચે મુકાબલો થવાનો અને તે છે -  અમદાવાદ એવેન્જર્સ (ગોડ TMT અને વિવાન ધ રાઈટ સ્ટીલ પ્રાઈવેટ લિમિટેડ), ગાંધીનગર જાયન્ટ્સ (ANVI સ્પોર્ટ્સ), કર્ણાવતી નાઈટ્સ (ધ એડ્રેસ), સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ (અક્ષિતા કોટન લિમિટેડ અને બીલાઇન), સુરત સ્ટ્રાઇકર્સ (લોયલ ઇક્વિપમેન્ટ્સ લિમિટેડ), વડોદરા વોરિયર્સ (કે એન્ડ ડી કોમ્યુનિકેશન લિમિટેડ). GSLના મુખ્ય પ્રાયોજક અને સહયોગી સ્પોન્સર તરીકે અનુક્રમે ગુજરાત પ્રવાસન નિગમ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત છે.

વિજેતા ટીમને 11 લાખનું અપાશે ઈનામ 

GSFAના ઓનરરી જનરલ સેક્રેટરી મૂળરાજસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે GSLમાં વિજેતા ટીમને રૂ. 11 લાખનું ઇનામ આપવામાં આવશે, જ્યારે રનર્સ અપ રહેનારી ટીમને રૂ. 5 લાખનું ઇનામ મળશે. આ સાથે જ, સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા ખેલાડીઓને જુદી-જુદી આઠ કેટેગરીમાં રૂ. 25,000નું ઇનામ આપવામાં આવશે, તેમજ દરેક મેચના પ્લેયર  ઑફ ધ મેચને રૂ. 5,000નું ઇનામ આપવામાં આવશે. ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે પ્રેક્ટીસથી શરૂ કરીને ફાઇનલ મેચ સુધી દરેક દિવસનું રૂ. 1500-2000 સુધીનું દૈનિક ભથ્થું આપવામાં આવશે. 


12મેના રોજ રમાશે ફાઈનલ મેચ

1લી મે થી 12મી મે 2024 દરમિયાન અમદાવાદમાં EKA એરેના, ટ્રાન્સસ્ટેડિયા ખાતે આ ટુર્નામેન્ટનું આયોજન થવાનું છે. મેચના દિવસો 1લી, 2જી, 4થી, 5મી, 8મી, 10મી મે છે. અને ફાઈનલ 12મી મે 2024ના રોજ રમાશે. સાંજે સાત વાગે આ મેચની ફાઈનલ યોજાવાની છે... GSLની મેચો માટેની સિઝન ટિકિટની કિંમત રૂ. 499 રાખવામાં આવી છે, જ્યારે ફાઇનલ મેચની ટિકિટની કિંમત રૂ. 399 રાખવામાં આવી છે. ટિકિટ BookMyShow પરથી મળી શકશે. મહત્વનું છે કે આ લીગમાં ભારતના 10 રાજ્યોના ફૂટબોલ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. મહત્વનું છે કે અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત ફૂટબોલમાં હજુ ઘણું પાછળ છે. ત્યારે આવી લીગ ફૂટબોલને લોકપ્રિય બનાવામાં મોટો ફાળો ભગવે છે...  




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.