Gujarat : ગરમીનો પારો આસમાને પહોંચ્યો!અનેક જગ્યાઓનું તાપમાન પહોંચ્યું 40 ડિગ્રીને પાર, જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-04-18 13:21:57

ગુજરાતમાં એક તરફ રાજકારણની ગરમી છે તો બીજી તરફ હવામાનમાં પણ ગરમાવો આવી રહ્યો છે. છેલ્લા અનેક દિવસોથી તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. રાજ્યમાં વધી રહેલી ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અસહ્ય ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. એપ્રિલ મહિનામાં થતો ગરમીનો અહેસાસ એ સવાલ કરવા મજબૂર કરે છે કે હમણાં આવી પરિસ્થિતિ છે તો મે જૂનમાં કેવી હાલત થશે... અમદાવાદમાં 17 એપ્રિલને બુધવારે સિઝનનું સૌથી વધુ 42.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. રાજ્યના અનેક ભાગોનું તાપમાન 40 ડિગ્રીની આસપાસ પહોંચ્યું છે જેને કારણે હિટવેવની અસર જોવા મળી રહી છે...


અનેક શહેરોનું તાપમાન પહોંચ્યું 40 ડિગ્રીને પાર 

રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે... આકાશમાંથી અગન વર્ષા વરસી રહી હોય તેવું લાગે છે... ગુજરાતના અનેક ભાગોમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. હવામાન વિભાગના આંકડા અનુસાર રાજ્યના પાંચ શહેરો એવા હતા જ્યાંનું તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચી ગયું હતું. ગઈકાલે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમરેલીનું તાપમાન 44 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. બપોરના સમયે એવું લાગે જાણે આકાશમાંથી અગ્નિ વરસી રહ્યો હોય...


હિટ સ્ટ્રોકના વધી રહ્યા છે કિસ્સા

મહત્વનું છે કે ગુજરાતમાં થોડા દિવસો પહેલા કમોસમી વરસાદ આવ્યો હતો. રાજ્યના અનેક ભાગોમાં માવઠાને કારણે ગરમીથી રાહત મળી હતી પરંતુ તે વખતે પણ એવી આગાહી કરવામાં આવી હતી કે આવનાર દિવસોમાં તાપમાનનો પારો વધશે અને કાળઝાળ ગરમીનો અહેસાસ થશે.. ત્યારે વાત સાચી પણ સાબિત થઈ રહી છે.. રાજ્યમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે જેને કારણે અનેક લોકો બિમાર પડી રહ્યા છે. લોકોને હિટ સ્ટ્રોકનો સામનો કરવો પડી રહ્યો છે.. ત્યારે ગરમીથી રક્ષણ મેળવવા માટે વધારે પાણી પીએ, કામ વગર ઘરથી બહાર નિકળવાનું ટાળીએ અને પોતાનું ધ્યાન રાખીએ...... 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.