Gujarat : ગરમીનો પારો આસમાને પહોંચ્યો!અનેક જગ્યાઓનું તાપમાન પહોંચ્યું 40 ડિગ્રીને પાર, જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-04-18 13:21:57

ગુજરાતમાં એક તરફ રાજકારણની ગરમી છે તો બીજી તરફ હવામાનમાં પણ ગરમાવો આવી રહ્યો છે. છેલ્લા અનેક દિવસોથી તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. રાજ્યમાં વધી રહેલી ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અસહ્ય ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. એપ્રિલ મહિનામાં થતો ગરમીનો અહેસાસ એ સવાલ કરવા મજબૂર કરે છે કે હમણાં આવી પરિસ્થિતિ છે તો મે જૂનમાં કેવી હાલત થશે... અમદાવાદમાં 17 એપ્રિલને બુધવારે સિઝનનું સૌથી વધુ 42.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. રાજ્યના અનેક ભાગોનું તાપમાન 40 ડિગ્રીની આસપાસ પહોંચ્યું છે જેને કારણે હિટવેવની અસર જોવા મળી રહી છે...


અનેક શહેરોનું તાપમાન પહોંચ્યું 40 ડિગ્રીને પાર 

રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે... આકાશમાંથી અગન વર્ષા વરસી રહી હોય તેવું લાગે છે... ગુજરાતના અનેક ભાગોમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. હવામાન વિભાગના આંકડા અનુસાર રાજ્યના પાંચ શહેરો એવા હતા જ્યાંનું તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચી ગયું હતું. ગઈકાલે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમરેલીનું તાપમાન 44 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. બપોરના સમયે એવું લાગે જાણે આકાશમાંથી અગ્નિ વરસી રહ્યો હોય...


હિટ સ્ટ્રોકના વધી રહ્યા છે કિસ્સા

મહત્વનું છે કે ગુજરાતમાં થોડા દિવસો પહેલા કમોસમી વરસાદ આવ્યો હતો. રાજ્યના અનેક ભાગોમાં માવઠાને કારણે ગરમીથી રાહત મળી હતી પરંતુ તે વખતે પણ એવી આગાહી કરવામાં આવી હતી કે આવનાર દિવસોમાં તાપમાનનો પારો વધશે અને કાળઝાળ ગરમીનો અહેસાસ થશે.. ત્યારે વાત સાચી પણ સાબિત થઈ રહી છે.. રાજ્યમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે જેને કારણે અનેક લોકો બિમાર પડી રહ્યા છે. લોકોને હિટ સ્ટ્રોકનો સામનો કરવો પડી રહ્યો છે.. ત્યારે ગરમીથી રક્ષણ મેળવવા માટે વધારે પાણી પીએ, કામ વગર ઘરથી બહાર નિકળવાનું ટાળીએ અને પોતાનું ધ્યાન રાખીએ...... 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે