Gujarat : ગરમીનો પારો આસમાને પહોંચ્યો!અનેક જગ્યાઓનું તાપમાન પહોંચ્યું 40 ડિગ્રીને પાર, જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-04-18 13:21:57

ગુજરાતમાં એક તરફ રાજકારણની ગરમી છે તો બીજી તરફ હવામાનમાં પણ ગરમાવો આવી રહ્યો છે. છેલ્લા અનેક દિવસોથી તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. રાજ્યમાં વધી રહેલી ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અસહ્ય ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. એપ્રિલ મહિનામાં થતો ગરમીનો અહેસાસ એ સવાલ કરવા મજબૂર કરે છે કે હમણાં આવી પરિસ્થિતિ છે તો મે જૂનમાં કેવી હાલત થશે... અમદાવાદમાં 17 એપ્રિલને બુધવારે સિઝનનું સૌથી વધુ 42.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. રાજ્યના અનેક ભાગોનું તાપમાન 40 ડિગ્રીની આસપાસ પહોંચ્યું છે જેને કારણે હિટવેવની અસર જોવા મળી રહી છે...


અનેક શહેરોનું તાપમાન પહોંચ્યું 40 ડિગ્રીને પાર 

રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે... આકાશમાંથી અગન વર્ષા વરસી રહી હોય તેવું લાગે છે... ગુજરાતના અનેક ભાગોમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. હવામાન વિભાગના આંકડા અનુસાર રાજ્યના પાંચ શહેરો એવા હતા જ્યાંનું તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચી ગયું હતું. ગઈકાલે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમરેલીનું તાપમાન 44 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. બપોરના સમયે એવું લાગે જાણે આકાશમાંથી અગ્નિ વરસી રહ્યો હોય...


હિટ સ્ટ્રોકના વધી રહ્યા છે કિસ્સા

મહત્વનું છે કે ગુજરાતમાં થોડા દિવસો પહેલા કમોસમી વરસાદ આવ્યો હતો. રાજ્યના અનેક ભાગોમાં માવઠાને કારણે ગરમીથી રાહત મળી હતી પરંતુ તે વખતે પણ એવી આગાહી કરવામાં આવી હતી કે આવનાર દિવસોમાં તાપમાનનો પારો વધશે અને કાળઝાળ ગરમીનો અહેસાસ થશે.. ત્યારે વાત સાચી પણ સાબિત થઈ રહી છે.. રાજ્યમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે જેને કારણે અનેક લોકો બિમાર પડી રહ્યા છે. લોકોને હિટ સ્ટ્રોકનો સામનો કરવો પડી રહ્યો છે.. ત્યારે ગરમીથી રક્ષણ મેળવવા માટે વધારે પાણી પીએ, કામ વગર ઘરથી બહાર નિકળવાનું ટાળીએ અને પોતાનું ધ્યાન રાખીએ...... 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"