Gujarat : હમણા થોડા દિવસ ગરમી નહીં વધે પરંતુ તે બાદ ગરમી ભુક્કા બોલાવશે? હવામાન વિભાગે અને હવામાન નિષ્ણાતે કરી આ આગાહી


  • Published By :
  • Published Date : 2024-04-20 12:12:59

તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.. કાળઝાળ ગરમીનો અહેસાસ કરવા લોકો મજબૂર બન્યા છે. આ વર્ષે એટલી ગરમી પડી છે કે અનેક વર્ષોનો રેકોર્ડ તૂટી ગયો છે. 44 ડિગ્રી તાપમાન થોડા દિવસ પહેલા અમરેલીનું નોંધાયું હતું. એપ્રિલ મહિનામાં એટલી ગરમી પડી રહી છે કે લોકોને સવાલ થઈ રહ્યો છે કે આગામી દિવસોમાં કેટલી ગરમી પડશે... ગુજરાતમાં ઉનાળો પોતાની ચરમસીમાએ પહોંચી ગયો છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે ત્રણ દિવસ તાપમાનમાં ફેરફાર નહીં થાય પરંતુ તે બાદ કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ શકે છે....


આ ઉનાળો કપરો સાબિત થઈ રહ્યો છે  

ઉનાળાને લઈ જ્યારે થોડા સમય પહેલા આગાહી કરવામાં આવી છે કે આ વર્ષનો ઉનાળો કપરો સાબિત થવાનો છે. કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ શકે છે તેવી આગાહી પહેલેથી જ કરવામાં આવી હતી ત્યારે આગાહી સાચી પણ સાબિત થઈ રહી છે... એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. અને આગામી દિવસોમાં આ તાપમાનનો પારો હજી વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે... બેથી ત્રણ ડિગ્રીનો વધારો રાજ્યના તાપમાન થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે..


આગામી દિવસોમાં વધી શકે છે તાપમાનનો પારો 

જો રાજ્યમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો ગઈકાલે ગરમીથી આંશિક રાહત મળી હતી. આંશિક રાહત મળતા ગરમીનો અનુભવ ઓછો થયો હતો. હવામાન વિભાગના આંકડા અનુસાર અનેક જિલ્લાઓ એવા છે જ્યાંનું તાપમાન 40 ડિગ્રી આસપાસ પહોંચ્યું. અને તે જિલ્લા છે સુરત, અમરેલી. ભુજ, ભાવનગર, અમદાવાદમાં નોંધાયુ હતું. ત્યારે એક બે દિવસ ગરમીથી રાહત મળી શકે છે પરંતુ તે બાદ ગરમી ભૂક્કા બોલાવી શકે છે.....



44 ડિગ્રીને પાર અનેક જિલ્લાઓમાં પહોંચી શકે છે પારો 

મહત્વનું છે કે કાળઝાળ ગરમી આગામી દિવસોમાં પડી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત દ્વારા પણ કરવામાં આવી છે. પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું હતું કે આગામી દિવસોમાં હિટ વેવનો અનુભવ થશે અને અનેક જિલ્લાઓમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી શકે છે... રાજકોટ, અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, નડિયાદ, ગાંધીનગર, કપડવંજ, હિંમતનગર અને ઈડર એવા વિસ્તારો છે.. ઉલ્લેખનિય છે કે અસહ્ય ગરમી થવાને કારણે લોકો બિમાર પડી રહ્યા છે. હિટ સ્ટ્રોકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.. ત્યારે આવી ગરમીમાં કામ વગર ઘરથી નિકળવાનું ટાળીએ અને શક્ય હોય તેટલું વધારે પાણી પીએ...   



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.