Gujarat : હમણા થોડા દિવસ ગરમી નહીં વધે પરંતુ તે બાદ ગરમી ભુક્કા બોલાવશે? હવામાન વિભાગે અને હવામાન નિષ્ણાતે કરી આ આગાહી


  • Published By :
  • Published Date : 2024-04-20 12:12:59

તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.. કાળઝાળ ગરમીનો અહેસાસ કરવા લોકો મજબૂર બન્યા છે. આ વર્ષે એટલી ગરમી પડી છે કે અનેક વર્ષોનો રેકોર્ડ તૂટી ગયો છે. 44 ડિગ્રી તાપમાન થોડા દિવસ પહેલા અમરેલીનું નોંધાયું હતું. એપ્રિલ મહિનામાં એટલી ગરમી પડી રહી છે કે લોકોને સવાલ થઈ રહ્યો છે કે આગામી દિવસોમાં કેટલી ગરમી પડશે... ગુજરાતમાં ઉનાળો પોતાની ચરમસીમાએ પહોંચી ગયો છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે ત્રણ દિવસ તાપમાનમાં ફેરફાર નહીં થાય પરંતુ તે બાદ કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ શકે છે....


આ ઉનાળો કપરો સાબિત થઈ રહ્યો છે  

ઉનાળાને લઈ જ્યારે થોડા સમય પહેલા આગાહી કરવામાં આવી છે કે આ વર્ષનો ઉનાળો કપરો સાબિત થવાનો છે. કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ શકે છે તેવી આગાહી પહેલેથી જ કરવામાં આવી હતી ત્યારે આગાહી સાચી પણ સાબિત થઈ રહી છે... એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. અને આગામી દિવસોમાં આ તાપમાનનો પારો હજી વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે... બેથી ત્રણ ડિગ્રીનો વધારો રાજ્યના તાપમાન થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે..


આગામી દિવસોમાં વધી શકે છે તાપમાનનો પારો 

જો રાજ્યમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો ગઈકાલે ગરમીથી આંશિક રાહત મળી હતી. આંશિક રાહત મળતા ગરમીનો અનુભવ ઓછો થયો હતો. હવામાન વિભાગના આંકડા અનુસાર અનેક જિલ્લાઓ એવા છે જ્યાંનું તાપમાન 40 ડિગ્રી આસપાસ પહોંચ્યું. અને તે જિલ્લા છે સુરત, અમરેલી. ભુજ, ભાવનગર, અમદાવાદમાં નોંધાયુ હતું. ત્યારે એક બે દિવસ ગરમીથી રાહત મળી શકે છે પરંતુ તે બાદ ગરમી ભૂક્કા બોલાવી શકે છે.....



44 ડિગ્રીને પાર અનેક જિલ્લાઓમાં પહોંચી શકે છે પારો 

મહત્વનું છે કે કાળઝાળ ગરમી આગામી દિવસોમાં પડી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત દ્વારા પણ કરવામાં આવી છે. પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું હતું કે આગામી દિવસોમાં હિટ વેવનો અનુભવ થશે અને અનેક જિલ્લાઓમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી શકે છે... રાજકોટ, અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, નડિયાદ, ગાંધીનગર, કપડવંજ, હિંમતનગર અને ઈડર એવા વિસ્તારો છે.. ઉલ્લેખનિય છે કે અસહ્ય ગરમી થવાને કારણે લોકો બિમાર પડી રહ્યા છે. હિટ સ્ટ્રોકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.. ત્યારે આવી ગરમીમાં કામ વગર ઘરથી નિકળવાનું ટાળીએ અને શક્ય હોય તેટલું વધારે પાણી પીએ...   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે