બેકારી: ગુજરાત STનાં 7600 ડ્રાઈવર-કંડકટરની જગ્યા માટે અધધધ 1.55 લાખથી વધુ ફોર્મ ભરાયા


  • Published By :
  • Published Date : 2023-09-13 19:10:11

ગુજરાત દેશનું સૌથી સમૃધ્ધ રાજ્ય કહેવાય છે, જો કે રાજ્યમાં બેકાર યુવાનો નોકરી માટે રીતસર ટળવળી રહ્યા છે. આ બાબતની પ્રતિતી તાજેતરમાં આવેલા આવેલી ગુજરાત એસટી નિગમ(GSRTC)માં ડ્રાઈવર-કંડકટરોની ભરતી માટે ભરાયેલા ફોર્મની સંખ્યા પરથી જાણી શકાશે. ગુજરાત એસટી નિગમમાં ડ્રાઈવર કંડકટરોની કુલ 7600 જેટલી જગ્યાઓ માટે આન લાઈન અરજીઓ મંગાવામાં આવી હતી. જો કે સૌના આશ્ચર્ય વચ્ચે આ ભરતી માટે દોઢ લાખ કરતા વધુ બેરોજગાર યુવાનોએ અરજીઓ કરી છે. એસટીમાં ડ્રાઈવર અને કંડકટરની જગ્યાઓ માટે અરજી કરનારાઓમાં ગામડાંના સૌથી વધુ યુવાનો અને યુવતીઓ છે. 


ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ


એસટી નિગમનાં સૂત્રો પાસેથી મળેલી વિગતો મુજબ પ્રાપ્ત વિગતો મુજબ ડ્રાઈવરની 3300 જેટલી જગ્યા માટે ગત 6 સપ્ટેમ્બર સુધીમાં 25 હજાર ઉમેદવારોએ ઓનલાઈન ઉમેદવારી નોંધાવી હતી જયારે કંડકટરની 4300 જેટલી જગ્યા માટે રાજયભરમાંથી 1.30 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ઉલ્લેખનીય છે કે ડ્રાઈવર-કંડકટરોની ભરતી માટે છેલ્લા એક માસ કરતા વધુ સમયથી ઓનલાઈન ફોર્મ ભરવાની, પ્રક્રિયા ચાલતી હતી. જે ગત તા.6ઠ્ઠી સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થઈ હતી. અને એક માસ કરતા વધુ સમયથી ચાલેલી આ ફોર્મ ભરવાની પ્રક્રિયાનાં અંતે 7600 જગ્યા માટે રાજયભરમાંથી દોઢ લાખથી વધુ ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મ ભર્યા છે, ફોર્મ ભરવાની પ્રક્રિયા હવે પૂરી થઈ ગઈ છે. ત્યારે હવે એક માસ બાદ ફોર્મ ભરનારા ઉમેદવારોની મેરીટ મુજબ પરીક્ષા લેવાશે અને આ પરીક્ષામાં પાસ થનારા ઉમેદવારોની ભરતી કરાશે.


શું ભરતી માટેની પ્રક્રિયા?


એસટીમાં  ડ્રાઈવર કંડકટરોની ભરતી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા હવે પૂરી થઈ ગઈ છે. ત્યારે હવે એક માસ બાદ ફોર્મ ભરનારા ઉમેદવારોની મેરીટ મુજબ પરીક્ષા લેવાશે અને આ પરીક્ષામાં પાસ થનારા ઉમેદવારોની ભરતી કરાશે. ડ્રાઈવરોની 3300 જગ્યા માટે માત્ર 25000 યુવાનોએ અરજી કરી છે. જેમના ડ્રાઈવિંગના ટેસ્ટ લેવાયા બાદ ભરતી કરાશે. જ્યારે કંટક્ટરની 4300 જેટલી જગ્યા માટે સૌથી વધુ 1.30 લાખ ઉમેદવારોએ અરજી કરી છે. જેમાં યુવતીઓની સંખ્યા ઘણી મોટી છે. એટલું જ નહીં ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ સહિત ઉચ્ચ ડિગ્રીધારી યુવાનોએ પણ અરજીઓ કરી છે.



IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .