બેકારી: ગુજરાત STનાં 7600 ડ્રાઈવર-કંડકટરની જગ્યા માટે અધધધ 1.55 લાખથી વધુ ફોર્મ ભરાયા


  • Published By :
  • Published Date : 2023-09-13 19:10:11

ગુજરાત દેશનું સૌથી સમૃધ્ધ રાજ્ય કહેવાય છે, જો કે રાજ્યમાં બેકાર યુવાનો નોકરી માટે રીતસર ટળવળી રહ્યા છે. આ બાબતની પ્રતિતી તાજેતરમાં આવેલા આવેલી ગુજરાત એસટી નિગમ(GSRTC)માં ડ્રાઈવર-કંડકટરોની ભરતી માટે ભરાયેલા ફોર્મની સંખ્યા પરથી જાણી શકાશે. ગુજરાત એસટી નિગમમાં ડ્રાઈવર કંડકટરોની કુલ 7600 જેટલી જગ્યાઓ માટે આન લાઈન અરજીઓ મંગાવામાં આવી હતી. જો કે સૌના આશ્ચર્ય વચ્ચે આ ભરતી માટે દોઢ લાખ કરતા વધુ બેરોજગાર યુવાનોએ અરજીઓ કરી છે. એસટીમાં ડ્રાઈવર અને કંડકટરની જગ્યાઓ માટે અરજી કરનારાઓમાં ગામડાંના સૌથી વધુ યુવાનો અને યુવતીઓ છે. 


ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ


એસટી નિગમનાં સૂત્રો પાસેથી મળેલી વિગતો મુજબ પ્રાપ્ત વિગતો મુજબ ડ્રાઈવરની 3300 જેટલી જગ્યા માટે ગત 6 સપ્ટેમ્બર સુધીમાં 25 હજાર ઉમેદવારોએ ઓનલાઈન ઉમેદવારી નોંધાવી હતી જયારે કંડકટરની 4300 જેટલી જગ્યા માટે રાજયભરમાંથી 1.30 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ઉલ્લેખનીય છે કે ડ્રાઈવર-કંડકટરોની ભરતી માટે છેલ્લા એક માસ કરતા વધુ સમયથી ઓનલાઈન ફોર્મ ભરવાની, પ્રક્રિયા ચાલતી હતી. જે ગત તા.6ઠ્ઠી સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થઈ હતી. અને એક માસ કરતા વધુ સમયથી ચાલેલી આ ફોર્મ ભરવાની પ્રક્રિયાનાં અંતે 7600 જગ્યા માટે રાજયભરમાંથી દોઢ લાખથી વધુ ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મ ભર્યા છે, ફોર્મ ભરવાની પ્રક્રિયા હવે પૂરી થઈ ગઈ છે. ત્યારે હવે એક માસ બાદ ફોર્મ ભરનારા ઉમેદવારોની મેરીટ મુજબ પરીક્ષા લેવાશે અને આ પરીક્ષામાં પાસ થનારા ઉમેદવારોની ભરતી કરાશે.


શું ભરતી માટેની પ્રક્રિયા?


એસટીમાં  ડ્રાઈવર કંડકટરોની ભરતી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા હવે પૂરી થઈ ગઈ છે. ત્યારે હવે એક માસ બાદ ફોર્મ ભરનારા ઉમેદવારોની મેરીટ મુજબ પરીક્ષા લેવાશે અને આ પરીક્ષામાં પાસ થનારા ઉમેદવારોની ભરતી કરાશે. ડ્રાઈવરોની 3300 જગ્યા માટે માત્ર 25000 યુવાનોએ અરજી કરી છે. જેમના ડ્રાઈવિંગના ટેસ્ટ લેવાયા બાદ ભરતી કરાશે. જ્યારે કંટક્ટરની 4300 જેટલી જગ્યા માટે સૌથી વધુ 1.30 લાખ ઉમેદવારોએ અરજી કરી છે. જેમાં યુવતીઓની સંખ્યા ઘણી મોટી છે. એટલું જ નહીં ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ સહિત ઉચ્ચ ડિગ્રીધારી યુવાનોએ પણ અરજીઓ કરી છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી