Gujaratના મતદાતાઓ કરી રહ્યા છે મતાધિકારનો ઉપયોગ, Chaitar Vasava,GeniBen Thakor, Amit Shahએ કર્યું મતદાન


  • Published By :
  • Published Date : 2024-05-07 11:30:28

ગુજરાતની 25 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે... ભાજપ અને ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે.. ત્યારે ઉમેદવારો તેમજ ભાજપના દિગ્ગજ નેતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. બનાસકાંઠાના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું છે. ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવાએ પોતાની પત્નીઓ સાથે મતદાન કર્યું છે. તે ઉપરાંત પોરબંદર ભાજપના ઉમેદવાર ડો. મનસુખ માંડવિયાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે.. તે ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ પણ મતદાન કર્યું છે.. પરેશ ધાનાણીએ મતદાન કર્યું છે. તે સિવાય પરમિલ નથવાણીએ પણ પોતાના વતન ખંભાળીયામાં મતદાન કર્યું છે.   


આ બેઠકો રહી હતી ચર્ચા

દેશભરમાં ત્રીજા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. 93 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.. ગુજરાતમાં અનેક લોકસભા બેઠકો એવી છે જેની ચર્ચા વારંવાર થઈ.. તેમાની એક બેઠક છે રાજકોટ લોકસભા બેઠક જ્યાં પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ટિકીટ આપવામાં આવી છે. આ બેઠકની ચર્ચા પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે થઈ હતી. તે સિવાય બનાસકાંઠાની બેઠક પર બંને રાજકીય પાર્ટીઓએ મહિલાઓને ટિકીટ આપી છે. તે સિવાય ભરૂચ લોકસભા બેઠકની ચર્ચા પણ થતી હોય છે ઉમેદવારને કારણે.. મહત્વનું છે કે જામનગર લોકસભા બેઠક પર સૌથી વધારે ક્ષત્રિય સમાજના લોકોએ વિરોધ કર્યો હતો.  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે