Gujaratના મતદાતાઓ કરી રહ્યા છે મતાધિકારનો ઉપયોગ, Chaitar Vasava,GeniBen Thakor, Amit Shahએ કર્યું મતદાન


  • Published By :
  • Published Date : 2024-05-07 11:30:28

ગુજરાતની 25 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે... ભાજપ અને ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે.. ત્યારે ઉમેદવારો તેમજ ભાજપના દિગ્ગજ નેતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. બનાસકાંઠાના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું છે. ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવાએ પોતાની પત્નીઓ સાથે મતદાન કર્યું છે. તે ઉપરાંત પોરબંદર ભાજપના ઉમેદવાર ડો. મનસુખ માંડવિયાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે.. તે ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ પણ મતદાન કર્યું છે.. પરેશ ધાનાણીએ મતદાન કર્યું છે. તે સિવાય પરમિલ નથવાણીએ પણ પોતાના વતન ખંભાળીયામાં મતદાન કર્યું છે.   


આ બેઠકો રહી હતી ચર્ચા

દેશભરમાં ત્રીજા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. 93 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.. ગુજરાતમાં અનેક લોકસભા બેઠકો એવી છે જેની ચર્ચા વારંવાર થઈ.. તેમાની એક બેઠક છે રાજકોટ લોકસભા બેઠક જ્યાં પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ટિકીટ આપવામાં આવી છે. આ બેઠકની ચર્ચા પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે થઈ હતી. તે સિવાય બનાસકાંઠાની બેઠક પર બંને રાજકીય પાર્ટીઓએ મહિલાઓને ટિકીટ આપી છે. તે સિવાય ભરૂચ લોકસભા બેઠકની ચર્ચા પણ થતી હોય છે ઉમેદવારને કારણે.. મહત્વનું છે કે જામનગર લોકસભા બેઠક પર સૌથી વધારે ક્ષત્રિય સમાજના લોકોએ વિરોધ કર્યો હતો.  



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.