Gujarat Weather - રાજ્યમાં અનુભવાયો ઠંડીનો ચમકારો! જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-11-22 16:59:14

ગુજરાતમાં એક તરફ રાજનીતિ ગરમાઈ રહી છે તો બીજી તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે...... ધીરે ધીરે રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ રાત્રે ઠંડીના ચમકારા અનુભવાતા હતા પરંતુ હવે ધીરે ધીરે બપોરના સમયમાં પણ ઠંડી લાગે છે... સૂર્યનારાયણની ગરમી મળે છે પરંતુ તેની સાથે સાથે પવન પણ હોય છે જેને કારણે ગરમીનો અહેસાસ લાગ્તો નથી... આવનાર દિવસોમાં હવામાનમાં બહુ  ફેરફાર નહીં આવે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.... 



ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

ક્યાં કેટલું તાપમાન નોંધાયું તેની વાત કરીએ તો નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે.. નલિયાનું તાપમાન 13 ડિગ્રી નોંધાયું છે જ્યારે દાહોદ અને ડીસાનું તાપમાન 14 ડિગ્રી નોંધાયું છે... તે સિવાય વડોદરામાં પણ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.. ત્યાંનું તાપમાન 14.6 ડિગ્રી જ્યારે છોટા ઉદેપુરનું તાપમાન 16 ડિગ્રી નોંધાયું છે.. તે સિવાય રાજકોટનું તાપમાન 16.6 ડિગ્રી જ્યારે ભુજનું તાપમાન 16.8 ડિગ્રી નોંધાયું છે.. અમદાવાદનું તાપમાન 17.4 ડિગ્રી જ્યારે ગાંધીનગરનું તાપમાન 17.8 ડિગ્રી નોંધાયું છે.. 



માઉન્ટ આબુમાં તાપમાનનો પારો માઈનસમાં!

મહત્વનું છે કે પહાડી વિસ્તારોમાં હિમ વર્ષા થવાને કારણે તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે... ઉત્તર પ્રદેશ, બિહાર, હરીયાણા, રાજસ્થાન જેવા રાજ્યો માટે ધુમ્મસનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે... માઉન્ટ આબુનું તાપમાન માઈનસમાં નોંધાયું છે... મહત્વનું છે કે અનેક પર્યટકો ઠંડીના સમયે ઠંડીનો અહેસાસ કરવા માટે જતા હોય છે...    



અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.