Gujarat Weather - રાજ્યમાં અનુભવાયો ઠંડીનો ચમકારો! જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-11-22 16:59:14

ગુજરાતમાં એક તરફ રાજનીતિ ગરમાઈ રહી છે તો બીજી તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે...... ધીરે ધીરે રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ રાત્રે ઠંડીના ચમકારા અનુભવાતા હતા પરંતુ હવે ધીરે ધીરે બપોરના સમયમાં પણ ઠંડી લાગે છે... સૂર્યનારાયણની ગરમી મળે છે પરંતુ તેની સાથે સાથે પવન પણ હોય છે જેને કારણે ગરમીનો અહેસાસ લાગ્તો નથી... આવનાર દિવસોમાં હવામાનમાં બહુ  ફેરફાર નહીં આવે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.... 



ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

ક્યાં કેટલું તાપમાન નોંધાયું તેની વાત કરીએ તો નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે.. નલિયાનું તાપમાન 13 ડિગ્રી નોંધાયું છે જ્યારે દાહોદ અને ડીસાનું તાપમાન 14 ડિગ્રી નોંધાયું છે... તે સિવાય વડોદરામાં પણ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.. ત્યાંનું તાપમાન 14.6 ડિગ્રી જ્યારે છોટા ઉદેપુરનું તાપમાન 16 ડિગ્રી નોંધાયું છે.. તે સિવાય રાજકોટનું તાપમાન 16.6 ડિગ્રી જ્યારે ભુજનું તાપમાન 16.8 ડિગ્રી નોંધાયું છે.. અમદાવાદનું તાપમાન 17.4 ડિગ્રી જ્યારે ગાંધીનગરનું તાપમાન 17.8 ડિગ્રી નોંધાયું છે.. 



માઉન્ટ આબુમાં તાપમાનનો પારો માઈનસમાં!

મહત્વનું છે કે પહાડી વિસ્તારોમાં હિમ વર્ષા થવાને કારણે તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે... ઉત્તર પ્રદેશ, બિહાર, હરીયાણા, રાજસ્થાન જેવા રાજ્યો માટે ધુમ્મસનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે... માઉન્ટ આબુનું તાપમાન માઈનસમાં નોંધાયું છે... મહત્વનું છે કે અનેક પર્યટકો ઠંડીના સમયે ઠંડીનો અહેસાસ કરવા માટે જતા હોય છે...    



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.