Gujarat Weather Analysis : આજે આ વિસ્તારોના વાતાવરણમાં આવી શકે છે પલટો, જાણો હવામાનને લઈ શું કરવામાં આવી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2024-04-15 13:24:37

ગુજરાતમાં એક તરફ રાજકારણ ગરમાઈ રહ્યું છે તો બીજી તરફ હવામાનમાં ઠંડક પ્રસરી રહી છે. રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદને લઈ આગાહી કરવામાં આવી હતી હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત દ્વારા તે આગાહી સાચી સાબિત થઈ રહી છે. ગઈકાલે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવ્યો હતો જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી પરંતુ અચાનક આવેલા વરસાદી ઝાપટાને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. આજ માટે પણ અનેક વિસ્તારો માટે માવઠાની આગાહી કરવામાં આવી છે..



આ જગ્યાઓ પર આવી શકે છે મુસીબતનું માવઠું

રાજ્યમાં અનેક તરફ અનેક જગ્યાઓ પર કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો. તાપમાનનો પારો સતત વધી રહ્યો હતો પરંતુ ફરી એક વખત રાજ્યના વાતાવરણમાં ફેરફાર આવ્યો છે. અનેક ભાગોમાં ગઈકાલે વરસાદ આવ્યો હતો અને આજે પણ અનેક ભાગો માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, દક્ષિણ ગુજરાતમાં ભરૂચ અને સુરતમાં તથા સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, કચ્છના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવી શકે છે તેવી   આગાહી છે.    


ખેડૂતોને આવે છે રડવાનો વારો!

જગતના તાતની હાલત પ્રતિદિન ખરાબ થઈ રહી છે. અનેક વખત એવું જોવામાં આવ્યું છે કે ખેડૂતોને પોષણસમા ભાવ નથી મળતા. તો બીજી તરફ વરસાદી આફતને કારણે ખેડૂતોને રડવાનો વારો આવે છે. પાકને મોટા પાયે નુકસાન પહોંચે છે અને તેમને નુકસાની ભોગવવાનો વારો આવે છે. ગઈકાલે રાજ્યના અનેક ભાગોમાં વરસાદ આવ્યો હતો જેમાં અમદાવાદના અનેક ભાગોનો સમાવેશ થાય છે. ઉપરાંત મોરબી, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગીર સોમનાથ તથા અંબાજી સહિતના વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો હતો. મહત્વનું છે કે હમણા ભલે વરસાદ થવાને કારણે વાતાવરણમાં ઠંડક આવી છે પરંતુ આવનાર દિવસોમાં ગરમીનો પ્રકોપ સહન કરવા માટે તૈયાર રહેવું પડશે.  



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.