Gujarat Weather Analysis : આજે આ વિસ્તારોના વાતાવરણમાં આવી શકે છે પલટો, જાણો હવામાનને લઈ શું કરવામાં આવી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2024-04-15 13:24:37

ગુજરાતમાં એક તરફ રાજકારણ ગરમાઈ રહ્યું છે તો બીજી તરફ હવામાનમાં ઠંડક પ્રસરી રહી છે. રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદને લઈ આગાહી કરવામાં આવી હતી હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત દ્વારા તે આગાહી સાચી સાબિત થઈ રહી છે. ગઈકાલે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવ્યો હતો જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી પરંતુ અચાનક આવેલા વરસાદી ઝાપટાને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. આજ માટે પણ અનેક વિસ્તારો માટે માવઠાની આગાહી કરવામાં આવી છે..



આ જગ્યાઓ પર આવી શકે છે મુસીબતનું માવઠું

રાજ્યમાં અનેક તરફ અનેક જગ્યાઓ પર કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો. તાપમાનનો પારો સતત વધી રહ્યો હતો પરંતુ ફરી એક વખત રાજ્યના વાતાવરણમાં ફેરફાર આવ્યો છે. અનેક ભાગોમાં ગઈકાલે વરસાદ આવ્યો હતો અને આજે પણ અનેક ભાગો માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, દક્ષિણ ગુજરાતમાં ભરૂચ અને સુરતમાં તથા સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, કચ્છના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવી શકે છે તેવી   આગાહી છે.    


ખેડૂતોને આવે છે રડવાનો વારો!

જગતના તાતની હાલત પ્રતિદિન ખરાબ થઈ રહી છે. અનેક વખત એવું જોવામાં આવ્યું છે કે ખેડૂતોને પોષણસમા ભાવ નથી મળતા. તો બીજી તરફ વરસાદી આફતને કારણે ખેડૂતોને રડવાનો વારો આવે છે. પાકને મોટા પાયે નુકસાન પહોંચે છે અને તેમને નુકસાની ભોગવવાનો વારો આવે છે. ગઈકાલે રાજ્યના અનેક ભાગોમાં વરસાદ આવ્યો હતો જેમાં અમદાવાદના અનેક ભાગોનો સમાવેશ થાય છે. ઉપરાંત મોરબી, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગીર સોમનાથ તથા અંબાજી સહિતના વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો હતો. મહત્વનું છે કે હમણા ભલે વરસાદ થવાને કારણે વાતાવરણમાં ઠંડક આવી છે પરંતુ આવનાર દિવસોમાં ગરમીનો પ્રકોપ સહન કરવા માટે તૈયાર રહેવું પડશે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.