Gujarat Weather Analysis : આજે આ વિસ્તારોના વાતાવરણમાં આવી શકે છે પલટો, જાણો હવામાનને લઈ શું કરવામાં આવી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2024-04-15 13:24:37

ગુજરાતમાં એક તરફ રાજકારણ ગરમાઈ રહ્યું છે તો બીજી તરફ હવામાનમાં ઠંડક પ્રસરી રહી છે. રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદને લઈ આગાહી કરવામાં આવી હતી હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત દ્વારા તે આગાહી સાચી સાબિત થઈ રહી છે. ગઈકાલે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવ્યો હતો જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી પરંતુ અચાનક આવેલા વરસાદી ઝાપટાને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. આજ માટે પણ અનેક વિસ્તારો માટે માવઠાની આગાહી કરવામાં આવી છે..



આ જગ્યાઓ પર આવી શકે છે મુસીબતનું માવઠું

રાજ્યમાં અનેક તરફ અનેક જગ્યાઓ પર કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો. તાપમાનનો પારો સતત વધી રહ્યો હતો પરંતુ ફરી એક વખત રાજ્યના વાતાવરણમાં ફેરફાર આવ્યો છે. અનેક ભાગોમાં ગઈકાલે વરસાદ આવ્યો હતો અને આજે પણ અનેક ભાગો માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, દક્ષિણ ગુજરાતમાં ભરૂચ અને સુરતમાં તથા સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, કચ્છના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવી શકે છે તેવી   આગાહી છે.    


ખેડૂતોને આવે છે રડવાનો વારો!

જગતના તાતની હાલત પ્રતિદિન ખરાબ થઈ રહી છે. અનેક વખત એવું જોવામાં આવ્યું છે કે ખેડૂતોને પોષણસમા ભાવ નથી મળતા. તો બીજી તરફ વરસાદી આફતને કારણે ખેડૂતોને રડવાનો વારો આવે છે. પાકને મોટા પાયે નુકસાન પહોંચે છે અને તેમને નુકસાની ભોગવવાનો વારો આવે છે. ગઈકાલે રાજ્યના અનેક ભાગોમાં વરસાદ આવ્યો હતો જેમાં અમદાવાદના અનેક ભાગોનો સમાવેશ થાય છે. ઉપરાંત મોરબી, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગીર સોમનાથ તથા અંબાજી સહિતના વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો હતો. મહત્વનું છે કે હમણા ભલે વરસાદ થવાને કારણે વાતાવરણમાં ઠંડક આવી છે પરંતુ આવનાર દિવસોમાં ગરમીનો પ્રકોપ સહન કરવા માટે તૈયાર રહેવું પડશે.  



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"