Gujarat Weather Analysis : આજે આ વિસ્તારોના વાતાવરણમાં આવી શકે છે પલટો, જાણો હવામાનને લઈ શું કરવામાં આવી છે આગાહી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-15 13:24:37

ગુજરાતમાં એક તરફ રાજકારણ ગરમાઈ રહ્યું છે તો બીજી તરફ હવામાનમાં ઠંડક પ્રસરી રહી છે. રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદને લઈ આગાહી કરવામાં આવી હતી હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત દ્વારા તે આગાહી સાચી સાબિત થઈ રહી છે. ગઈકાલે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવ્યો હતો જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી પરંતુ અચાનક આવેલા વરસાદી ઝાપટાને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. આજ માટે પણ અનેક વિસ્તારો માટે માવઠાની આગાહી કરવામાં આવી છે..



આ જગ્યાઓ પર આવી શકે છે મુસીબતનું માવઠું

રાજ્યમાં અનેક તરફ અનેક જગ્યાઓ પર કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો. તાપમાનનો પારો સતત વધી રહ્યો હતો પરંતુ ફરી એક વખત રાજ્યના વાતાવરણમાં ફેરફાર આવ્યો છે. અનેક ભાગોમાં ગઈકાલે વરસાદ આવ્યો હતો અને આજે પણ અનેક ભાગો માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, દક્ષિણ ગુજરાતમાં ભરૂચ અને સુરતમાં તથા સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, કચ્છના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવી શકે છે તેવી   આગાહી છે.    


ખેડૂતોને આવે છે રડવાનો વારો!

જગતના તાતની હાલત પ્રતિદિન ખરાબ થઈ રહી છે. અનેક વખત એવું જોવામાં આવ્યું છે કે ખેડૂતોને પોષણસમા ભાવ નથી મળતા. તો બીજી તરફ વરસાદી આફતને કારણે ખેડૂતોને રડવાનો વારો આવે છે. પાકને મોટા પાયે નુકસાન પહોંચે છે અને તેમને નુકસાની ભોગવવાનો વારો આવે છે. ગઈકાલે રાજ્યના અનેક ભાગોમાં વરસાદ આવ્યો હતો જેમાં અમદાવાદના અનેક ભાગોનો સમાવેશ થાય છે. ઉપરાંત મોરબી, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગીર સોમનાથ તથા અંબાજી સહિતના વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો હતો. મહત્વનું છે કે હમણા ભલે વરસાદ થવાને કારણે વાતાવરણમાં ઠંડક આવી છે પરંતુ આવનાર દિવસોમાં ગરમીનો પ્રકોપ સહન કરવા માટે તૈયાર રહેવું પડશે.  



જમાવટની ઈલેક્શન યાત્રા ગુજરાતના અનેક લોકસભા વિસ્તારોમાં ફરી રહી છે અને મતદાતાના મિજાજને જાણવાનો પ્રયત્ન કરી રહી છે. જમાવટ પોરબંદર પહોંચી હતી જ્યાં હાજર લોકોએ ચૂંટણીનું ગણિત સમજાવી દીધું...

રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા નિવેદન આપ્યું હતું જેને લઈ રાજકારણ ગરમાયું હતું. ક્ષત્રિય સમાજના લોકોમાં આક્રોશ જોવા મળ્યો. ત્યારે જામનગરના જામસાહેબે રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે..

હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે... અનેક યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. ત્યારે મોરબીથી વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

ગુજરાતમાં આજે પીએમ મોદી આવ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદી પ્રચાર કરવાના છે.. જે બેઠકો પર વિખવાદ ચાલી રહ્યો છે તે બેઠકો પર પીએમ મોદી સભાને સંબોધવાના છે...