Gujarat Weather Analysis : ક્યાંક કમોસમી વરસાદનો માર તો ક્યાંક હીટવેવની કરાઈ આગાહી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-15 18:22:55

ગુજરાતમાં એક તરફ કમસોમી વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ રાજ્યના અનેક ભાગો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. અનેક ભાગોમાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે પરંતુ આવનાર દિવસોમાં કાળઝાળ ગરમીનો અહેસાસ કરવા તૈયાર રહેવું પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. આગાહી અનુસાર 17 તારીખ સુધી અને તે બાદ અનેક ભાગોમાં ભીષણ ગરમી વરસી શકે છે.. 

આવનાર દિવસોમાં વધી શકે છે તાપમાન 

ઉનાળાની સિઝન ચાલી રહી છે જેને કારણે લોકોને અસહ્ય તાપ સહન કરવો પડી રહ્યો છે. પરંતુ ગ્લોબલ વોર્મિંગને કારણે શિયાળામાં, ઉનાળામાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે જેને કારણે ખેડૂતોને ભોગવવાનો વારો આવે છે. બે દિવસથી અનેક ભાગોમાં કમોસમી વરસાદ થયો જેને કારણે ઠંડીથી રાહત મળી પરંતુ આગામી દિવસોમાં તાપમાન વધી જશે તેવું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે.. 

News18 Gujarati

News18 Gujarati

આ જગ્યાઓ માટે કરાઈ હીટવેવની આગાહી 

આવતી કાલ માટે હીટવેવની આગાહીની વાત કરીએ તો ભાવનગર, સુરત, પોરબંદર તેમજ કચ્છ માટે કરવામાં આવી છે. તે ઉપરાંત 17 તારીખની વાત કરીએ તો પોરબંદર, સુરત, ભાવનગર, કચ્છનું તાપમાન વધી શકે છે...વલસાડ માટે પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે.. 

News18 Gujarati

ક્યાં આવી શકે છે કમોસમી વરસાદ? 

કમોસમી વરસાદ અંગે વાત કરીએ તો આવતી કાલે ખેડા, આણંદ, અમદાવાદ સહિતના વિસ્તારોમાં માવઠું વરસી શકે છે.. મહત્વનું છે કે આજે પણ ગુજરાતના અનેક ભાગોના વાતાવરણમાં પલટો આવ્યો છે. અંબાજીમાં કમોસમી વરસાદ છે, રાજકોટમાં કમોસમી વરસાદ છે.. તે ઉપરાંત કચ્છમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. આવનાર દિવસોમાં કાળઝાળ ગરમીનો અહેસાસ કરવા તૈયાર રહેવું પડશે તેવી વાત હવામાન નિષ્ણાત દ્વારા પણ કરવામાં આવી છે. ગરમીથી રક્ષણ મેળવવા માટે જરૂર હોય તો જ ઘરની બહાર નિકળવું જોઈએ ઉપરાંત વધારેમાં વધારે પાણી પીવું જોઈએ..   



ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

જ્ઞાન સહાયક જે માટે વિદ્યાર્થીઓ આટલું લડ્યા ગાંધીનગરના રસ્તાઓ પર ઢસડાયા અને અંતે સરકારે ભરતી તો બહાર પડી પણ હવે એ લટકતી તલવાર જેવી સ્થિતી છે કારણ કે હવે સરકારે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરી છે એટલે હવે કાયમી શિક્ષકોની ભરતીનું શું? કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું....

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.