Gujarat Weather Analysis : ક્યાંક કમોસમી વરસાદનો માર તો ક્યાંક હીટવેવની કરાઈ આગાહી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી


  • Published By :
  • Published Date : 2024-05-15 18:22:55

ગુજરાતમાં એક તરફ કમસોમી વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ રાજ્યના અનેક ભાગો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. અનેક ભાગોમાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે પરંતુ આવનાર દિવસોમાં કાળઝાળ ગરમીનો અહેસાસ કરવા તૈયાર રહેવું પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. આગાહી અનુસાર 17 તારીખ સુધી અને તે બાદ અનેક ભાગોમાં ભીષણ ગરમી વરસી શકે છે.. 

આવનાર દિવસોમાં વધી શકે છે તાપમાન 

ઉનાળાની સિઝન ચાલી રહી છે જેને કારણે લોકોને અસહ્ય તાપ સહન કરવો પડી રહ્યો છે. પરંતુ ગ્લોબલ વોર્મિંગને કારણે શિયાળામાં, ઉનાળામાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે જેને કારણે ખેડૂતોને ભોગવવાનો વારો આવે છે. બે દિવસથી અનેક ભાગોમાં કમોસમી વરસાદ થયો જેને કારણે ઠંડીથી રાહત મળી પરંતુ આગામી દિવસોમાં તાપમાન વધી જશે તેવું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે.. 

News18 Gujarati

News18 Gujarati

આ જગ્યાઓ માટે કરાઈ હીટવેવની આગાહી 

આવતી કાલ માટે હીટવેવની આગાહીની વાત કરીએ તો ભાવનગર, સુરત, પોરબંદર તેમજ કચ્છ માટે કરવામાં આવી છે. તે ઉપરાંત 17 તારીખની વાત કરીએ તો પોરબંદર, સુરત, ભાવનગર, કચ્છનું તાપમાન વધી શકે છે...વલસાડ માટે પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે.. 

News18 Gujarati

ક્યાં આવી શકે છે કમોસમી વરસાદ? 

કમોસમી વરસાદ અંગે વાત કરીએ તો આવતી કાલે ખેડા, આણંદ, અમદાવાદ સહિતના વિસ્તારોમાં માવઠું વરસી શકે છે.. મહત્વનું છે કે આજે પણ ગુજરાતના અનેક ભાગોના વાતાવરણમાં પલટો આવ્યો છે. અંબાજીમાં કમોસમી વરસાદ છે, રાજકોટમાં કમોસમી વરસાદ છે.. તે ઉપરાંત કચ્છમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. આવનાર દિવસોમાં કાળઝાળ ગરમીનો અહેસાસ કરવા તૈયાર રહેવું પડશે તેવી વાત હવામાન નિષ્ણાત દ્વારા પણ કરવામાં આવી છે. ગરમીથી રક્ષણ મેળવવા માટે જરૂર હોય તો જ ઘરની બહાર નિકળવું જોઈએ ઉપરાંત વધારેમાં વધારે પાણી પીવું જોઈએ..   



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"