Gujarat Weather Analysis : ક્યાંક કમોસમી વરસાદનો માર તો ક્યાંક હીટવેવની કરાઈ આગાહી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી


  • Published By :
  • Published Date : 2024-05-15 18:22:55

ગુજરાતમાં એક તરફ કમસોમી વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ રાજ્યના અનેક ભાગો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. અનેક ભાગોમાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે પરંતુ આવનાર દિવસોમાં કાળઝાળ ગરમીનો અહેસાસ કરવા તૈયાર રહેવું પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. આગાહી અનુસાર 17 તારીખ સુધી અને તે બાદ અનેક ભાગોમાં ભીષણ ગરમી વરસી શકે છે.. 

આવનાર દિવસોમાં વધી શકે છે તાપમાન 

ઉનાળાની સિઝન ચાલી રહી છે જેને કારણે લોકોને અસહ્ય તાપ સહન કરવો પડી રહ્યો છે. પરંતુ ગ્લોબલ વોર્મિંગને કારણે શિયાળામાં, ઉનાળામાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે જેને કારણે ખેડૂતોને ભોગવવાનો વારો આવે છે. બે દિવસથી અનેક ભાગોમાં કમોસમી વરસાદ થયો જેને કારણે ઠંડીથી રાહત મળી પરંતુ આગામી દિવસોમાં તાપમાન વધી જશે તેવું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે.. 

News18 Gujarati

News18 Gujarati

આ જગ્યાઓ માટે કરાઈ હીટવેવની આગાહી 

આવતી કાલ માટે હીટવેવની આગાહીની વાત કરીએ તો ભાવનગર, સુરત, પોરબંદર તેમજ કચ્છ માટે કરવામાં આવી છે. તે ઉપરાંત 17 તારીખની વાત કરીએ તો પોરબંદર, સુરત, ભાવનગર, કચ્છનું તાપમાન વધી શકે છે...વલસાડ માટે પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે.. 

News18 Gujarati

ક્યાં આવી શકે છે કમોસમી વરસાદ? 

કમોસમી વરસાદ અંગે વાત કરીએ તો આવતી કાલે ખેડા, આણંદ, અમદાવાદ સહિતના વિસ્તારોમાં માવઠું વરસી શકે છે.. મહત્વનું છે કે આજે પણ ગુજરાતના અનેક ભાગોના વાતાવરણમાં પલટો આવ્યો છે. અંબાજીમાં કમોસમી વરસાદ છે, રાજકોટમાં કમોસમી વરસાદ છે.. તે ઉપરાંત કચ્છમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. આવનાર દિવસોમાં કાળઝાળ ગરમીનો અહેસાસ કરવા તૈયાર રહેવું પડશે તેવી વાત હવામાન નિષ્ણાત દ્વારા પણ કરવામાં આવી છે. ગરમીથી રક્ષણ મેળવવા માટે જરૂર હોય તો જ ઘરની બહાર નિકળવું જોઈએ ઉપરાંત વધારેમાં વધારે પાણી પીવું જોઈએ..   



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.