Gujarat Weather Analysis : ક્યાંક કમોસમી વરસાદનો માર તો ક્યાંક હીટવેવની કરાઈ આગાહી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી


  • Published By :
  • Published Date : 2024-05-15 18:22:55

ગુજરાતમાં એક તરફ કમસોમી વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ રાજ્યના અનેક ભાગો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. અનેક ભાગોમાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે પરંતુ આવનાર દિવસોમાં કાળઝાળ ગરમીનો અહેસાસ કરવા તૈયાર રહેવું પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. આગાહી અનુસાર 17 તારીખ સુધી અને તે બાદ અનેક ભાગોમાં ભીષણ ગરમી વરસી શકે છે.. 

આવનાર દિવસોમાં વધી શકે છે તાપમાન 

ઉનાળાની સિઝન ચાલી રહી છે જેને કારણે લોકોને અસહ્ય તાપ સહન કરવો પડી રહ્યો છે. પરંતુ ગ્લોબલ વોર્મિંગને કારણે શિયાળામાં, ઉનાળામાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે જેને કારણે ખેડૂતોને ભોગવવાનો વારો આવે છે. બે દિવસથી અનેક ભાગોમાં કમોસમી વરસાદ થયો જેને કારણે ઠંડીથી રાહત મળી પરંતુ આગામી દિવસોમાં તાપમાન વધી જશે તેવું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે.. 

News18 Gujarati

News18 Gujarati

આ જગ્યાઓ માટે કરાઈ હીટવેવની આગાહી 

આવતી કાલ માટે હીટવેવની આગાહીની વાત કરીએ તો ભાવનગર, સુરત, પોરબંદર તેમજ કચ્છ માટે કરવામાં આવી છે. તે ઉપરાંત 17 તારીખની વાત કરીએ તો પોરબંદર, સુરત, ભાવનગર, કચ્છનું તાપમાન વધી શકે છે...વલસાડ માટે પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે.. 

News18 Gujarati

ક્યાં આવી શકે છે કમોસમી વરસાદ? 

કમોસમી વરસાદ અંગે વાત કરીએ તો આવતી કાલે ખેડા, આણંદ, અમદાવાદ સહિતના વિસ્તારોમાં માવઠું વરસી શકે છે.. મહત્વનું છે કે આજે પણ ગુજરાતના અનેક ભાગોના વાતાવરણમાં પલટો આવ્યો છે. અંબાજીમાં કમોસમી વરસાદ છે, રાજકોટમાં કમોસમી વરસાદ છે.. તે ઉપરાંત કચ્છમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. આવનાર દિવસોમાં કાળઝાળ ગરમીનો અહેસાસ કરવા તૈયાર રહેવું પડશે તેવી વાત હવામાન નિષ્ણાત દ્વારા પણ કરવામાં આવી છે. ગરમીથી રક્ષણ મેળવવા માટે જરૂર હોય તો જ ઘરની બહાર નિકળવું જોઈએ ઉપરાંત વધારેમાં વધારે પાણી પીવું જોઈએ..   



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.