Gujarat Weather : રાજ્યમાં અનુભવાયો ઠંડીનો ચમકારો, માવઠાને લઈ કરાઈ આગાહી, જાણો કેવું રહેશે આગામી દિવસોમાં હવામાન?


  • Published By :
  • Published Date : 2024-01-24 10:04:19

સામાન્ય રીતે આપણે કહેતા હોઈએ છીએ કે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે પરંતુ આ વખતે રાજ્યમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. એક તરફ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક શહેરો એવા હતા જ્યાંનું તાપમાન 11 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. સામાન્ય રીતે નલિયાનું તાપમાન સૌથી ઓછું નોંધાતું હોય છે પરંતુ આ વખતે સૌથી ઓછું તાપમાન ડીસાનું નોંધાયું છે. 

IMD warns of cold wave in Gujarat | Gujarat: રાજ્યમાં આજથી ફરી વધશે ઠંડી,  જાણો કચ્છમાં કેટલા દિવસ કોલવેવની કરાઇ આગાહી?

ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

રાજ્યમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો કેશોદમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે ભાવનગરનું તાપમાન 13 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. પોરબંદરનું તાપમાન 14 ડિગ્રી આસપાસ નોંધાયું છે. આ સાથે અમદાવાદમાં 12.5 ડિગ્રી અને ગાંધીનગરમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી દિવસોમાં હવામાનમાં ફેરફાર નહીં આવે તેવી જાણકારી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. આગામી દિવસોમાં કડકડતી ઠંડીથી આંશિક રાહત મળી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે, 

As per unseasonal rain falls on gujrat these district | Gujarat Rain:  કમોસમી વરસાદની આગાહી મુજબ રાજ્યના આ જિલ્લામાં પડ્યો ગાજવીજ સાથે વરસાદ

માવઠાએ વધારી ખેડૂતોની ચિંતા  

મહત્વનું છે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા એવી આગાહી કરવામાં આવી છે કે જાન્યુઆરીના અંત સુધીમાં કમોસમી વરસાદ આવી શકે છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી સાંભળતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ઉલ્લેખનિય છે કે ઠંડી વધારે વધવાને કારણે લોકો તાપણ કરતા પણ દેખાયા હતા. લોકો ઘરની બહાર જવાનું ટાળી રહ્યા છે ઠંડીને કારણે.. મહત્વનું છે કે શિયાળાની શરૂઆતમાં માવઠું આવ્યું હતું જેને કારણે ઠંડીનો મોડેથી અહેસાસ થયો હતો.       



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે