Gujarat Weather : રાજ્યમાં અનુભવાયો ઠંડીનો ચમકારો, માવઠાને લઈ કરાઈ આગાહી, જાણો કેવું રહેશે આગામી દિવસોમાં હવામાન?


  • Published By :
  • Published Date : 2024-01-24 10:04:19

સામાન્ય રીતે આપણે કહેતા હોઈએ છીએ કે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે પરંતુ આ વખતે રાજ્યમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. એક તરફ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક શહેરો એવા હતા જ્યાંનું તાપમાન 11 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. સામાન્ય રીતે નલિયાનું તાપમાન સૌથી ઓછું નોંધાતું હોય છે પરંતુ આ વખતે સૌથી ઓછું તાપમાન ડીસાનું નોંધાયું છે. 

IMD warns of cold wave in Gujarat | Gujarat: રાજ્યમાં આજથી ફરી વધશે ઠંડી,  જાણો કચ્છમાં કેટલા દિવસ કોલવેવની કરાઇ આગાહી?

ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

રાજ્યમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો કેશોદમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે ભાવનગરનું તાપમાન 13 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. પોરબંદરનું તાપમાન 14 ડિગ્રી આસપાસ નોંધાયું છે. આ સાથે અમદાવાદમાં 12.5 ડિગ્રી અને ગાંધીનગરમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી દિવસોમાં હવામાનમાં ફેરફાર નહીં આવે તેવી જાણકારી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. આગામી દિવસોમાં કડકડતી ઠંડીથી આંશિક રાહત મળી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે, 

As per unseasonal rain falls on gujrat these district | Gujarat Rain:  કમોસમી વરસાદની આગાહી મુજબ રાજ્યના આ જિલ્લામાં પડ્યો ગાજવીજ સાથે વરસાદ

માવઠાએ વધારી ખેડૂતોની ચિંતા  

મહત્વનું છે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા એવી આગાહી કરવામાં આવી છે કે જાન્યુઆરીના અંત સુધીમાં કમોસમી વરસાદ આવી શકે છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી સાંભળતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ઉલ્લેખનિય છે કે ઠંડી વધારે વધવાને કારણે લોકો તાપણ કરતા પણ દેખાયા હતા. લોકો ઘરની બહાર જવાનું ટાળી રહ્યા છે ઠંડીને કારણે.. મહત્વનું છે કે શિયાળાની શરૂઆતમાં માવઠું આવ્યું હતું જેને કારણે ઠંડીનો મોડેથી અહેસાસ થયો હતો.       



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.