Gujarat Weather : રાજ્યમાં અનુભવાયો ઠંડીનો ચમકારો, માવઠાને લઈ કરાઈ આગાહી, જાણો કેવું રહેશે આગામી દિવસોમાં હવામાન?


  • Published By :
  • Published Date : 2024-01-24 10:04:19

સામાન્ય રીતે આપણે કહેતા હોઈએ છીએ કે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે પરંતુ આ વખતે રાજ્યમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. એક તરફ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક શહેરો એવા હતા જ્યાંનું તાપમાન 11 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. સામાન્ય રીતે નલિયાનું તાપમાન સૌથી ઓછું નોંધાતું હોય છે પરંતુ આ વખતે સૌથી ઓછું તાપમાન ડીસાનું નોંધાયું છે. 

IMD warns of cold wave in Gujarat | Gujarat: રાજ્યમાં આજથી ફરી વધશે ઠંડી,  જાણો કચ્છમાં કેટલા દિવસ કોલવેવની કરાઇ આગાહી?

ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

રાજ્યમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો કેશોદમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે ભાવનગરનું તાપમાન 13 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. પોરબંદરનું તાપમાન 14 ડિગ્રી આસપાસ નોંધાયું છે. આ સાથે અમદાવાદમાં 12.5 ડિગ્રી અને ગાંધીનગરમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી દિવસોમાં હવામાનમાં ફેરફાર નહીં આવે તેવી જાણકારી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. આગામી દિવસોમાં કડકડતી ઠંડીથી આંશિક રાહત મળી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે, 

As per unseasonal rain falls on gujrat these district | Gujarat Rain:  કમોસમી વરસાદની આગાહી મુજબ રાજ્યના આ જિલ્લામાં પડ્યો ગાજવીજ સાથે વરસાદ

માવઠાએ વધારી ખેડૂતોની ચિંતા  

મહત્વનું છે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા એવી આગાહી કરવામાં આવી છે કે જાન્યુઆરીના અંત સુધીમાં કમોસમી વરસાદ આવી શકે છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી સાંભળતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ઉલ્લેખનિય છે કે ઠંડી વધારે વધવાને કારણે લોકો તાપણ કરતા પણ દેખાયા હતા. લોકો ઘરની બહાર જવાનું ટાળી રહ્યા છે ઠંડીને કારણે.. મહત્વનું છે કે શિયાળાની શરૂઆતમાં માવઠું આવ્યું હતું જેને કારણે ઠંડીનો મોડેથી અહેસાસ થયો હતો.       



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.