રાજ્યમાં તાપમાન 5 ડીગ્રી વધવાની આગાહી, અમદાવાદમાં કાલથી 5 દિવસ ઓરેન્જ એલર્ટ, AMC તંત્રએ આપી આ સલાહ


  • Published By :
  • Published Date : 2023-05-09 21:38:17

રાજ્યમાં માવઠાના માર બાદ હવે કાળઝાળ ગરમી માટે થઈ જાઓ તૈયાર, ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. વાતાવરણના ઉપલા લેવલે સક્રિય થયેલી હાઇ પ્રેશર સિસ્ટમની અસરથી રાજ્યમાં ગરમીનો પારો વધ્યો છે. હવામાન વિભાગે અમદાવાદ શહેર માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે. આગાહી મુજબ 10થી 14 મે સુધી અતિ ત્રાસદાયક ગરમી માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. શહેરમાં ગરમીનો પારો 43થી 44 ડિગ્રી સુધી રહેવાની સંભાવના છે. અમદાવાદની જેમ ગાંધીનગરમાં પણ તાપમાનનો પારો ઊંચો જવાની શક્યતાઓ છે. 14મી મે બાદ તાપમાન ઘટીને 36 ડીગ્રી આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 


AMCએ જાહેર કરી એડવાઈઝરી


અમદાવાદ શહેરમાં પાંચ દિવસ ગરમીનો પારો 43થી 45 ડીગ્રી સુધી પહોંચી જવાની શક્યતાને જોતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, સાથે નાગરિકોએ શું કાળજી રાખવી તે અંગે એક એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકોને ગરમીથી બચવા માટે સલાહ આપવામાં આવી છે. મ્યુની તંત્રએ અમદાવાદીઓને ગરમીમાં બહાર ન નિકળવાની અપીલ પણ કરવામાં આવી છે. તંત્ર દ્વારા ગરમીથી બચવા માટે જણાવ્યું છે કે, વધુ પ્રમાણામાં પાણી, છાશ અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવું, લાંબો સમય તડકામાં ન રહેવું, હળવા રંગના સુતરાઉ કપડા પહેરવા, ઠંડકવાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો, નાના બાળકો-વૃધ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવું સહિતની સુચના આપવામાં આવી છે. મ્યુનિ.નાં તમામ આરોગ્ય કેન્દ્રો તેમજ BRTS અને AMTSનાં કેટલાક સ્ટેન્ડ પર ORSનાં પેકેટ પણ મૂકવામાં આવ્યાં છે. 


આ જિલ્લાઓમાં પણ તાપમાન વધશે


ગુજરાતના જિલ્લાઓ સહિત રાજ્યના મધ્ય અને પૂર્વના જિલ્લાઓમાં ગરમીનું જોર વધવાની શક્યતાઓ છે. રાજ્યમાં આગામી ચાર-પાંચ દિવસમાં મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. જ્યાં તાપમાન વધીને 42-44 ડિગ્રી સુધી જવાની સંભાવનાઓ છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ પટ્ટીના ભાગો જેવા કે, ગીર-સોમનાથ, અમરેલી, પોરબંદર, જૂનાગઢમાં તાપમાન વધીને 40 ડિગ્રી સુધી જઈ શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ અને નવસારીમાં પણ 40 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે. અમદાવાદમાં આગામી પાંચ દિવસ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, અહીં ગરમીનો પારો 43-44 ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.