રાજ્યમાં તાપમાન 5 ડીગ્રી વધવાની આગાહી, અમદાવાદમાં કાલથી 5 દિવસ ઓરેન્જ એલર્ટ, AMC તંત્રએ આપી આ સલાહ


  • Published By :
  • Published Date : 2023-05-09 21:38:17

રાજ્યમાં માવઠાના માર બાદ હવે કાળઝાળ ગરમી માટે થઈ જાઓ તૈયાર, ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. વાતાવરણના ઉપલા લેવલે સક્રિય થયેલી હાઇ પ્રેશર સિસ્ટમની અસરથી રાજ્યમાં ગરમીનો પારો વધ્યો છે. હવામાન વિભાગે અમદાવાદ શહેર માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે. આગાહી મુજબ 10થી 14 મે સુધી અતિ ત્રાસદાયક ગરમી માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. શહેરમાં ગરમીનો પારો 43થી 44 ડિગ્રી સુધી રહેવાની સંભાવના છે. અમદાવાદની જેમ ગાંધીનગરમાં પણ તાપમાનનો પારો ઊંચો જવાની શક્યતાઓ છે. 14મી મે બાદ તાપમાન ઘટીને 36 ડીગ્રી આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 


AMCએ જાહેર કરી એડવાઈઝરી


અમદાવાદ શહેરમાં પાંચ દિવસ ગરમીનો પારો 43થી 45 ડીગ્રી સુધી પહોંચી જવાની શક્યતાને જોતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, સાથે નાગરિકોએ શું કાળજી રાખવી તે અંગે એક એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકોને ગરમીથી બચવા માટે સલાહ આપવામાં આવી છે. મ્યુની તંત્રએ અમદાવાદીઓને ગરમીમાં બહાર ન નિકળવાની અપીલ પણ કરવામાં આવી છે. તંત્ર દ્વારા ગરમીથી બચવા માટે જણાવ્યું છે કે, વધુ પ્રમાણામાં પાણી, છાશ અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવું, લાંબો સમય તડકામાં ન રહેવું, હળવા રંગના સુતરાઉ કપડા પહેરવા, ઠંડકવાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો, નાના બાળકો-વૃધ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવું સહિતની સુચના આપવામાં આવી છે. મ્યુનિ.નાં તમામ આરોગ્ય કેન્દ્રો તેમજ BRTS અને AMTSનાં કેટલાક સ્ટેન્ડ પર ORSનાં પેકેટ પણ મૂકવામાં આવ્યાં છે. 


આ જિલ્લાઓમાં પણ તાપમાન વધશે


ગુજરાતના જિલ્લાઓ સહિત રાજ્યના મધ્ય અને પૂર્વના જિલ્લાઓમાં ગરમીનું જોર વધવાની શક્યતાઓ છે. રાજ્યમાં આગામી ચાર-પાંચ દિવસમાં મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. જ્યાં તાપમાન વધીને 42-44 ડિગ્રી સુધી જવાની સંભાવનાઓ છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ પટ્ટીના ભાગો જેવા કે, ગીર-સોમનાથ, અમરેલી, પોરબંદર, જૂનાગઢમાં તાપમાન વધીને 40 ડિગ્રી સુધી જઈ શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ અને નવસારીમાં પણ 40 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે. અમદાવાદમાં આગામી પાંચ દિવસ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, અહીં ગરમીનો પારો 43-44 ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે.



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .