Gujarat Weather - રાજ્યમાં ભારે વરસાદની આગાહી, ક્યાંક રેડ એલર્ટ તો ક્યાંક ઓરેન્જ આપવામાં આવ્યું, જાણો શું કહે છે આગાહી?


  • Published By :
  • Published Date : 2024-08-24 18:30:53

ગુજરાતમાં ફરીથી ચોમાસાની સિઝન જામી છે. ફરીથી અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે.. એવા વિસ્તારો જ્યાં વરસાદ નથી પડ્યો ત્યાં પણ વરસાદ વરસવાનો છે તેવી આગાહી કરવામાં આવી છે.. વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ગરમીથી રાહત મળી છે. અનેક વિસ્તારોમાં રહેતા લોકો પ્રતિક્ષામાં હતા કે ક્યારે વરસાદ આવશે? હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી દિવસોમાં ક્યાં વરસાદ વરસી શકે છે.. અનેક વિસ્તારો માટે યલો, ઓરેન્જ અથવા તો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 



 આજે આ વિસ્તારોમાં પડી શકે છે ધોધમાર વરસાદ

આજ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નર્મદા, નવસારી, ડાંગ માટે ઓરેન્જ એલર્ટ દાહેર કરવામાં આવ્યું છે જ્યારે વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય મોટા ભાગના વિસ્તારો માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.. તે સિવાય આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો વડોદરા, ભરૂચ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 



આ વિસ્તારોમાં રહેતા લોકોએ રહેવું પડશે એલર્ટ 

તે ઉપરાંત અમરેલી, ભાવનગર, આણંદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દાહોદ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તે સિવાય ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી. મહીસાગર, પંચમહાલ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. 



ક્યાં માટે કરવામાં આવી આગાહી?

26 ઓગસ્ટ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો વડોદરા, ભરૂચ, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, આણંદ, ખેડા, અમદાવાદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, દાહોદ સહિતના અનેક વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તે ઉપરાંત 27 તારીખની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, બોટાદ, અમદાવાદ, ખેડા, આણંદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તે સિવાય કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા,સાબરકાંઠા, ભાવનગર, અમરેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


પાણી ભરાઈ જવાને કારણે લોકો થયા પરેશાન

તે ઉપરાંત ગાંધીનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર સહિતના વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. 28 તારીખે પણ અનેક વિસ્તારો માટે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે વરસાદ પડવાને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. અનેક વાહનો પાણીમાં ફસાઈ ગયા ગહતા. જન જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.. મહત્વનું છે કે પાણી ભરાઈ જવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.. લોકો અટવાઈ ગયા હતા. ત્યારે તમારે ત્યાં વાતાવરણ કેવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.