Gujarat Weather - રાજ્યમાં ભારે વરસાદની આગાહી, ક્યાંક રેડ એલર્ટ તો ક્યાંક ઓરેન્જ આપવામાં આવ્યું, જાણો શું કહે છે આગાહી?


  • Published By :
  • Published Date : 2024-08-24 18:30:53

ગુજરાતમાં ફરીથી ચોમાસાની સિઝન જામી છે. ફરીથી અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે.. એવા વિસ્તારો જ્યાં વરસાદ નથી પડ્યો ત્યાં પણ વરસાદ વરસવાનો છે તેવી આગાહી કરવામાં આવી છે.. વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ગરમીથી રાહત મળી છે. અનેક વિસ્તારોમાં રહેતા લોકો પ્રતિક્ષામાં હતા કે ક્યારે વરસાદ આવશે? હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી દિવસોમાં ક્યાં વરસાદ વરસી શકે છે.. અનેક વિસ્તારો માટે યલો, ઓરેન્જ અથવા તો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 



 આજે આ વિસ્તારોમાં પડી શકે છે ધોધમાર વરસાદ

આજ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નર્મદા, નવસારી, ડાંગ માટે ઓરેન્જ એલર્ટ દાહેર કરવામાં આવ્યું છે જ્યારે વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય મોટા ભાગના વિસ્તારો માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.. તે સિવાય આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો વડોદરા, ભરૂચ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 



આ વિસ્તારોમાં રહેતા લોકોએ રહેવું પડશે એલર્ટ 

તે ઉપરાંત અમરેલી, ભાવનગર, આણંદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દાહોદ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તે સિવાય ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી. મહીસાગર, પંચમહાલ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. 



ક્યાં માટે કરવામાં આવી આગાહી?

26 ઓગસ્ટ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો વડોદરા, ભરૂચ, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, આણંદ, ખેડા, અમદાવાદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, દાહોદ સહિતના અનેક વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તે ઉપરાંત 27 તારીખની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, બોટાદ, અમદાવાદ, ખેડા, આણંદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તે સિવાય કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા,સાબરકાંઠા, ભાવનગર, અમરેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


પાણી ભરાઈ જવાને કારણે લોકો થયા પરેશાન

તે ઉપરાંત ગાંધીનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર સહિતના વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. 28 તારીખે પણ અનેક વિસ્તારો માટે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે વરસાદ પડવાને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. અનેક વાહનો પાણીમાં ફસાઈ ગયા ગહતા. જન જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.. મહત્વનું છે કે પાણી ભરાઈ જવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.. લોકો અટવાઈ ગયા હતા. ત્યારે તમારે ત્યાં વાતાવરણ કેવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.