Gujarat Weather - રાજ્યમાં ભારે વરસાદની આગાહી, ક્યાંક રેડ એલર્ટ તો ક્યાંક ઓરેન્જ આપવામાં આવ્યું, જાણો શું કહે છે આગાહી?


  • Published By :
  • Published Date : 2024-08-24 18:30:53

ગુજરાતમાં ફરીથી ચોમાસાની સિઝન જામી છે. ફરીથી અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે.. એવા વિસ્તારો જ્યાં વરસાદ નથી પડ્યો ત્યાં પણ વરસાદ વરસવાનો છે તેવી આગાહી કરવામાં આવી છે.. વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ગરમીથી રાહત મળી છે. અનેક વિસ્તારોમાં રહેતા લોકો પ્રતિક્ષામાં હતા કે ક્યારે વરસાદ આવશે? હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી દિવસોમાં ક્યાં વરસાદ વરસી શકે છે.. અનેક વિસ્તારો માટે યલો, ઓરેન્જ અથવા તો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 



 આજે આ વિસ્તારોમાં પડી શકે છે ધોધમાર વરસાદ

આજ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નર્મદા, નવસારી, ડાંગ માટે ઓરેન્જ એલર્ટ દાહેર કરવામાં આવ્યું છે જ્યારે વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય મોટા ભાગના વિસ્તારો માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.. તે સિવાય આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો વડોદરા, ભરૂચ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 



આ વિસ્તારોમાં રહેતા લોકોએ રહેવું પડશે એલર્ટ 

તે ઉપરાંત અમરેલી, ભાવનગર, આણંદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દાહોદ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તે સિવાય ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી. મહીસાગર, પંચમહાલ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. 



ક્યાં માટે કરવામાં આવી આગાહી?

26 ઓગસ્ટ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો વડોદરા, ભરૂચ, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, આણંદ, ખેડા, અમદાવાદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, દાહોદ સહિતના અનેક વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તે ઉપરાંત 27 તારીખની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, બોટાદ, અમદાવાદ, ખેડા, આણંદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તે સિવાય કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા,સાબરકાંઠા, ભાવનગર, અમરેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


પાણી ભરાઈ જવાને કારણે લોકો થયા પરેશાન

તે ઉપરાંત ગાંધીનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર સહિતના વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. 28 તારીખે પણ અનેક વિસ્તારો માટે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે વરસાદ પડવાને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. અનેક વાહનો પાણીમાં ફસાઈ ગયા ગહતા. જન જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.. મહત્વનું છે કે પાણી ભરાઈ જવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.. લોકો અટવાઈ ગયા હતા. ત્યારે તમારે ત્યાં વાતાવરણ કેવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.