Gujarat Weather - રાજ્યમાં ભારે વરસાદની આગાહી, ક્યાંક રેડ એલર્ટ તો ક્યાંક ઓરેન્જ આપવામાં આવ્યું, જાણો શું કહે છે આગાહી?


  • Published By :
  • Published Date : 2024-08-24 18:30:53

ગુજરાતમાં ફરીથી ચોમાસાની સિઝન જામી છે. ફરીથી અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે.. એવા વિસ્તારો જ્યાં વરસાદ નથી પડ્યો ત્યાં પણ વરસાદ વરસવાનો છે તેવી આગાહી કરવામાં આવી છે.. વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ગરમીથી રાહત મળી છે. અનેક વિસ્તારોમાં રહેતા લોકો પ્રતિક્ષામાં હતા કે ક્યારે વરસાદ આવશે? હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી દિવસોમાં ક્યાં વરસાદ વરસી શકે છે.. અનેક વિસ્તારો માટે યલો, ઓરેન્જ અથવા તો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 



 આજે આ વિસ્તારોમાં પડી શકે છે ધોધમાર વરસાદ

આજ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નર્મદા, નવસારી, ડાંગ માટે ઓરેન્જ એલર્ટ દાહેર કરવામાં આવ્યું છે જ્યારે વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય મોટા ભાગના વિસ્તારો માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.. તે સિવાય આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો વડોદરા, ભરૂચ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 



આ વિસ્તારોમાં રહેતા લોકોએ રહેવું પડશે એલર્ટ 

તે ઉપરાંત અમરેલી, ભાવનગર, આણંદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દાહોદ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તે સિવાય ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી. મહીસાગર, પંચમહાલ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. 



ક્યાં માટે કરવામાં આવી આગાહી?

26 ઓગસ્ટ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો વડોદરા, ભરૂચ, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, આણંદ, ખેડા, અમદાવાદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, દાહોદ સહિતના અનેક વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તે ઉપરાંત 27 તારીખની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, બોટાદ, અમદાવાદ, ખેડા, આણંદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તે સિવાય કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા,સાબરકાંઠા, ભાવનગર, અમરેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


પાણી ભરાઈ જવાને કારણે લોકો થયા પરેશાન

તે ઉપરાંત ગાંધીનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર સહિતના વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. 28 તારીખે પણ અનેક વિસ્તારો માટે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે વરસાદ પડવાને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. અનેક વાહનો પાણીમાં ફસાઈ ગયા ગહતા. જન જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.. મહત્વનું છે કે પાણી ભરાઈ જવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.. લોકો અટવાઈ ગયા હતા. ત્યારે તમારે ત્યાં વાતાવરણ કેવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.