Gujarat Weather : જાણો આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન? આ જગ્યાઓ માટે કરવામાં આવી હિટવેવની આગાહી!


  • Published By :
  • Published Date : 2024-05-06 11:27:18

રાજ્યમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે... તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. દિવસેને દિવસે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે... હવામાન વિભાગે છઠ્ઠી અને સાતમી તારીખના રોજ પોરબંદર, ભાવનગર અને દીવ માટે હીટવેવની આગાહીની આગાહી કરી છે... 9મી તારીખ સુધી રાજ્યના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે..


આગામી દિવસો માટે કરવામાં આવી હિટવેવની આગાહી

ગુજરાતના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે... એપ્રિલ મહિનામાં ભારે તાપ સહન કરવો પડ્યો હતો અને મે મહિનામાં ગરમી સહન કરવી પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે... તાપમાનનો પારો અનેક જગ્યાઓ પર 40 ડિગ્રીને વટાવી ચૂક્યો છે અને આગામી દિવસોમાં આ તાપમાનનો પારો હજી પણ વધારે થઈ શકે છે... 43 ડિગ્રીને પાર પણ તાપમાન જઈ શકે છે...! 



ક્યાં કેટલું નોંધાયું તાપમાન?

હવામાન વિભાગ દ્વારા હિટ વેવની આગાહી કરવામાં આવી છે... પોરબંદર, ભાવનગર, સુરત અને દીવ માટે હવામાન વિભાગે હિટવેવની આગાહી કરી છે.. આવતી કાલે મતદાન થવાનું છે. 42 ડિગ્રી આસપાસ અમદાવાદ તેમજ ગાંધીનગરનું તાપમાન પહોંચી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે... રવિવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 39.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે ડીસાનું તાપમાન 38.7, ગાંધીનગરનું તાપમાન 38.6 ડિગ્રી નોંધાયું હતું, 



ગરમીથી બચવા શું કરવું જોઈએ? 

જ્યારે વલ્લભ વિદ્યાનગર અને વડોદરાનું તાપમાન 39.8 ડિગ્રી નોંધાયું હતં. સુરતનું તાપમાન 40.0 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 41.0 ડિગ્રી નોંધાયું હતું. મહત્વનું છે કે ગરમીને કારણે અનેક લોકો બિમાર પડી શકે છે. ગરમીથી બચવા માટે અનેક ઉપાયો કરવા જોઈએ.. કામ વગર ઘરથી બહાર ના નિકળવું જોઈએ... વધારે પાણી તેમજ લિક્વિડ પદાર્થોનું સેવન કરવું જોઈએ.. 




રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.