Gujarat Weather : જાણો આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન? આ જગ્યાઓ માટે કરવામાં આવી હિટવેવની આગાહી!


  • Published By :
  • Published Date : 2024-05-06 11:27:18

રાજ્યમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે... તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. દિવસેને દિવસે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે... હવામાન વિભાગે છઠ્ઠી અને સાતમી તારીખના રોજ પોરબંદર, ભાવનગર અને દીવ માટે હીટવેવની આગાહીની આગાહી કરી છે... 9મી તારીખ સુધી રાજ્યના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે..


આગામી દિવસો માટે કરવામાં આવી હિટવેવની આગાહી

ગુજરાતના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે... એપ્રિલ મહિનામાં ભારે તાપ સહન કરવો પડ્યો હતો અને મે મહિનામાં ગરમી સહન કરવી પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે... તાપમાનનો પારો અનેક જગ્યાઓ પર 40 ડિગ્રીને વટાવી ચૂક્યો છે અને આગામી દિવસોમાં આ તાપમાનનો પારો હજી પણ વધારે થઈ શકે છે... 43 ડિગ્રીને પાર પણ તાપમાન જઈ શકે છે...! 



ક્યાં કેટલું નોંધાયું તાપમાન?

હવામાન વિભાગ દ્વારા હિટ વેવની આગાહી કરવામાં આવી છે... પોરબંદર, ભાવનગર, સુરત અને દીવ માટે હવામાન વિભાગે હિટવેવની આગાહી કરી છે.. આવતી કાલે મતદાન થવાનું છે. 42 ડિગ્રી આસપાસ અમદાવાદ તેમજ ગાંધીનગરનું તાપમાન પહોંચી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે... રવિવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 39.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે ડીસાનું તાપમાન 38.7, ગાંધીનગરનું તાપમાન 38.6 ડિગ્રી નોંધાયું હતું, 



ગરમીથી બચવા શું કરવું જોઈએ? 

જ્યારે વલ્લભ વિદ્યાનગર અને વડોદરાનું તાપમાન 39.8 ડિગ્રી નોંધાયું હતં. સુરતનું તાપમાન 40.0 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 41.0 ડિગ્રી નોંધાયું હતું. મહત્વનું છે કે ગરમીને કારણે અનેક લોકો બિમાર પડી શકે છે. ગરમીથી બચવા માટે અનેક ઉપાયો કરવા જોઈએ.. કામ વગર ઘરથી બહાર ના નિકળવું જોઈએ... વધારે પાણી તેમજ લિક્વિડ પદાર્થોનું સેવન કરવું જોઈએ.. 




મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.