Gujarat Weather : જાણો આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન? આ જગ્યાઓ માટે કરવામાં આવી હિટવેવની આગાહી!


  • Published By :
  • Published Date : 2024-05-06 11:27:18

રાજ્યમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે... તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. દિવસેને દિવસે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે... હવામાન વિભાગે છઠ્ઠી અને સાતમી તારીખના રોજ પોરબંદર, ભાવનગર અને દીવ માટે હીટવેવની આગાહીની આગાહી કરી છે... 9મી તારીખ સુધી રાજ્યના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે..


આગામી દિવસો માટે કરવામાં આવી હિટવેવની આગાહી

ગુજરાતના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે... એપ્રિલ મહિનામાં ભારે તાપ સહન કરવો પડ્યો હતો અને મે મહિનામાં ગરમી સહન કરવી પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે... તાપમાનનો પારો અનેક જગ્યાઓ પર 40 ડિગ્રીને વટાવી ચૂક્યો છે અને આગામી દિવસોમાં આ તાપમાનનો પારો હજી પણ વધારે થઈ શકે છે... 43 ડિગ્રીને પાર પણ તાપમાન જઈ શકે છે...! 



ક્યાં કેટલું નોંધાયું તાપમાન?

હવામાન વિભાગ દ્વારા હિટ વેવની આગાહી કરવામાં આવી છે... પોરબંદર, ભાવનગર, સુરત અને દીવ માટે હવામાન વિભાગે હિટવેવની આગાહી કરી છે.. આવતી કાલે મતદાન થવાનું છે. 42 ડિગ્રી આસપાસ અમદાવાદ તેમજ ગાંધીનગરનું તાપમાન પહોંચી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે... રવિવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 39.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે ડીસાનું તાપમાન 38.7, ગાંધીનગરનું તાપમાન 38.6 ડિગ્રી નોંધાયું હતું, 



ગરમીથી બચવા શું કરવું જોઈએ? 

જ્યારે વલ્લભ વિદ્યાનગર અને વડોદરાનું તાપમાન 39.8 ડિગ્રી નોંધાયું હતં. સુરતનું તાપમાન 40.0 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 41.0 ડિગ્રી નોંધાયું હતું. મહત્વનું છે કે ગરમીને કારણે અનેક લોકો બિમાર પડી શકે છે. ગરમીથી બચવા માટે અનેક ઉપાયો કરવા જોઈએ.. કામ વગર ઘરથી બહાર ના નિકળવું જોઈએ... વધારે પાણી તેમજ લિક્વિડ પદાર્થોનું સેવન કરવું જોઈએ.. 




એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.