Gujarat Weather : જાણો આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન? આ જગ્યાઓ માટે કરવામાં આવી હિટવેવની આગાહી!


  • Published By :
  • Published Date : 2024-05-06 11:27:18

રાજ્યમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે... તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. દિવસેને દિવસે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે... હવામાન વિભાગે છઠ્ઠી અને સાતમી તારીખના રોજ પોરબંદર, ભાવનગર અને દીવ માટે હીટવેવની આગાહીની આગાહી કરી છે... 9મી તારીખ સુધી રાજ્યના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે..


આગામી દિવસો માટે કરવામાં આવી હિટવેવની આગાહી

ગુજરાતના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે... એપ્રિલ મહિનામાં ભારે તાપ સહન કરવો પડ્યો હતો અને મે મહિનામાં ગરમી સહન કરવી પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે... તાપમાનનો પારો અનેક જગ્યાઓ પર 40 ડિગ્રીને વટાવી ચૂક્યો છે અને આગામી દિવસોમાં આ તાપમાનનો પારો હજી પણ વધારે થઈ શકે છે... 43 ડિગ્રીને પાર પણ તાપમાન જઈ શકે છે...! 



ક્યાં કેટલું નોંધાયું તાપમાન?

હવામાન વિભાગ દ્વારા હિટ વેવની આગાહી કરવામાં આવી છે... પોરબંદર, ભાવનગર, સુરત અને દીવ માટે હવામાન વિભાગે હિટવેવની આગાહી કરી છે.. આવતી કાલે મતદાન થવાનું છે. 42 ડિગ્રી આસપાસ અમદાવાદ તેમજ ગાંધીનગરનું તાપમાન પહોંચી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે... રવિવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 39.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે ડીસાનું તાપમાન 38.7, ગાંધીનગરનું તાપમાન 38.6 ડિગ્રી નોંધાયું હતું, 



ગરમીથી બચવા શું કરવું જોઈએ? 

જ્યારે વલ્લભ વિદ્યાનગર અને વડોદરાનું તાપમાન 39.8 ડિગ્રી નોંધાયું હતં. સુરતનું તાપમાન 40.0 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 41.0 ડિગ્રી નોંધાયું હતું. મહત્વનું છે કે ગરમીને કારણે અનેક લોકો બિમાર પડી શકે છે. ગરમીથી બચવા માટે અનેક ઉપાયો કરવા જોઈએ.. કામ વગર ઘરથી બહાર ના નિકળવું જોઈએ... વધારે પાણી તેમજ લિક્વિડ પદાર્થોનું સેવન કરવું જોઈએ.. 




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.