Gujarat Weather - જાણો કડકડતી ઠંડીનો અહેસાસ થવાની શરૂઆત થશે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે શું કરી આગાહી?


  • Published By :
  • Published Date : 2024-11-09 18:44:30

એક સમય હતો જ્યારે લોકો ચોમાસાની રાહ જોતા હતા... આ વખતનું ચોમાસું લાંબુ ચાલ્યું.. વરસાદે જતા જતા ધધબાટી બોલાવી હતી જેને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.. પાછોતરા વરસાદને કારણે જગતના તાતની હાલત એકદમ ખરાબ થઈ ગઈ છે... ખેડૂતો પાયમાલ થઈ ગયા છે...ચોમાસું ક્યારે વિદાય લેશે તેની રાહ ખેડૂતો જોતા હતા... શિયાળાની શરૂઆત ક્યારે થશે તેની રાહ જોઈ રહ્યા છે... રવિ પાકનું વાવેતર કરવાની રાહ જોવાઈ રહી છે... ત્યારે શિયાળો ક્યારે શરૂ થશે તેની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે...

આવનાર દિવસોમાં આવી શકે છે ચક્રવાત!

અંબાલાલ પટેલે ના માત્ર શિયાળાની આગાહી કરી છે પરંતુ આવનાર દિવસોમાં માવઠાની પણ આગાહી કરી છે... શિયાળાના આગમન પહેલા વરસાદનો એક રાઉન્ડ જોવા મળશે... આગાહી કરતા તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી મજબૂત પશ્ચિમી વિક્ષેપ નહીં આવે ત્યાં સુધી કાતિલ ઠંડીનો અહેસાસ નહીં થાય.. તે ઉપરાંત પશ્ચિમી વિક્ષેપો સાથે અરબ સાગરના ચક્રવાતી પવનો ફૂંકાય, તો માવઠું પણ થઈ શકે છે... તે ઉપરાંત 18થી 24 નવેમ્બરની આસપાસ વધુ એક ચક્રવાત  આવવાની સંભાવના પણ રહી છે...


આ તારીખ દરમિયાન પડી શકે છે કડકડતી ઠંડી

શિયાળાની વાત કરતા તેમણે જણાવ્યું કે ડિસેમ્બરમાં ઠંડીની શરૂઆત થઈ જશે... 22 ડિસેમ્બર બાદ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... મહત્વનું છે કે સામાન્ય રીતે આ સમય દરમિયાન ઠંડીની શરૂઆત થઈ જવી જોઈએ પરંતુ બપોરના સમયે ગરમીનો અનુભવ થાય છે... બપોરે બહાર નિકળીએ તો લાગે કે ઉનાળો જ ચાલી રહ્યો છે...   



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી