Gujarat Weather - જાણો કડકડતી ઠંડીનો અહેસાસ થવાની શરૂઆત થશે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે શું કરી આગાહી?


  • Published By :
  • Published Date : 2024-11-09 18:44:30

એક સમય હતો જ્યારે લોકો ચોમાસાની રાહ જોતા હતા... આ વખતનું ચોમાસું લાંબુ ચાલ્યું.. વરસાદે જતા જતા ધધબાટી બોલાવી હતી જેને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.. પાછોતરા વરસાદને કારણે જગતના તાતની હાલત એકદમ ખરાબ થઈ ગઈ છે... ખેડૂતો પાયમાલ થઈ ગયા છે...ચોમાસું ક્યારે વિદાય લેશે તેની રાહ ખેડૂતો જોતા હતા... શિયાળાની શરૂઆત ક્યારે થશે તેની રાહ જોઈ રહ્યા છે... રવિ પાકનું વાવેતર કરવાની રાહ જોવાઈ રહી છે... ત્યારે શિયાળો ક્યારે શરૂ થશે તેની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે...

આવનાર દિવસોમાં આવી શકે છે ચક્રવાત!

અંબાલાલ પટેલે ના માત્ર શિયાળાની આગાહી કરી છે પરંતુ આવનાર દિવસોમાં માવઠાની પણ આગાહી કરી છે... શિયાળાના આગમન પહેલા વરસાદનો એક રાઉન્ડ જોવા મળશે... આગાહી કરતા તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી મજબૂત પશ્ચિમી વિક્ષેપ નહીં આવે ત્યાં સુધી કાતિલ ઠંડીનો અહેસાસ નહીં થાય.. તે ઉપરાંત પશ્ચિમી વિક્ષેપો સાથે અરબ સાગરના ચક્રવાતી પવનો ફૂંકાય, તો માવઠું પણ થઈ શકે છે... તે ઉપરાંત 18થી 24 નવેમ્બરની આસપાસ વધુ એક ચક્રવાત  આવવાની સંભાવના પણ રહી છે...


આ તારીખ દરમિયાન પડી શકે છે કડકડતી ઠંડી

શિયાળાની વાત કરતા તેમણે જણાવ્યું કે ડિસેમ્બરમાં ઠંડીની શરૂઆત થઈ જશે... 22 ડિસેમ્બર બાદ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... મહત્વનું છે કે સામાન્ય રીતે આ સમય દરમિયાન ઠંડીની શરૂઆત થઈ જવી જોઈએ પરંતુ બપોરના સમયે ગરમીનો અનુભવ થાય છે... બપોરે બહાર નિકળીએ તો લાગે કે ઉનાળો જ ચાલી રહ્યો છે...   



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.