Gujarat Weather - જાણો કડકડતી ઠંડીનો અહેસાસ થવાની શરૂઆત થશે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે શું કરી આગાહી?


  • Published By :
  • Published Date : 2024-11-09 18:44:30

એક સમય હતો જ્યારે લોકો ચોમાસાની રાહ જોતા હતા... આ વખતનું ચોમાસું લાંબુ ચાલ્યું.. વરસાદે જતા જતા ધધબાટી બોલાવી હતી જેને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.. પાછોતરા વરસાદને કારણે જગતના તાતની હાલત એકદમ ખરાબ થઈ ગઈ છે... ખેડૂતો પાયમાલ થઈ ગયા છે...ચોમાસું ક્યારે વિદાય લેશે તેની રાહ ખેડૂતો જોતા હતા... શિયાળાની શરૂઆત ક્યારે થશે તેની રાહ જોઈ રહ્યા છે... રવિ પાકનું વાવેતર કરવાની રાહ જોવાઈ રહી છે... ત્યારે શિયાળો ક્યારે શરૂ થશે તેની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે...

આવનાર દિવસોમાં આવી શકે છે ચક્રવાત!

અંબાલાલ પટેલે ના માત્ર શિયાળાની આગાહી કરી છે પરંતુ આવનાર દિવસોમાં માવઠાની પણ આગાહી કરી છે... શિયાળાના આગમન પહેલા વરસાદનો એક રાઉન્ડ જોવા મળશે... આગાહી કરતા તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી મજબૂત પશ્ચિમી વિક્ષેપ નહીં આવે ત્યાં સુધી કાતિલ ઠંડીનો અહેસાસ નહીં થાય.. તે ઉપરાંત પશ્ચિમી વિક્ષેપો સાથે અરબ સાગરના ચક્રવાતી પવનો ફૂંકાય, તો માવઠું પણ થઈ શકે છે... તે ઉપરાંત 18થી 24 નવેમ્બરની આસપાસ વધુ એક ચક્રવાત  આવવાની સંભાવના પણ રહી છે...


આ તારીખ દરમિયાન પડી શકે છે કડકડતી ઠંડી

શિયાળાની વાત કરતા તેમણે જણાવ્યું કે ડિસેમ્બરમાં ઠંડીની શરૂઆત થઈ જશે... 22 ડિસેમ્બર બાદ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... મહત્વનું છે કે સામાન્ય રીતે આ સમય દરમિયાન ઠંડીની શરૂઆત થઈ જવી જોઈએ પરંતુ બપોરના સમયે ગરમીનો અનુભવ થાય છે... બપોરે બહાર નિકળીએ તો લાગે કે ઉનાળો જ ચાલી રહ્યો છે...   



ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.