Gujarat Weather : આ તારીખો દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં પડશે કાળઝાળ ગરમી! જાણો ગરમીને લઈ Paresh Goswamiએ શું કરી આગાહી?


  • Published By :
  • Published Date : 2024-05-14 18:39:43

ગુજરાતના અનેક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.. અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસ્યો છે જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.. તાપમાનનો પારો ગગડ્યો છે જેને કારણે ગરમીથી રાહત મળી છે.. પરંતુ આવનાર દિવસોમાં આ તાપમાનનો  પારો વધી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી રહી છે... ફરી એક વખત ગરમીનો અહેસાસ કરવા તૈયાર રહેવું પડશે તેવી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે..

16 તારીખ બાદ વધશે તાપમાનનો પારો!

એક તરફ કાળઝાળ ગરમીથી લોકો પરેશાન હતા. ચોમાસું ક્યારે આવશે તેની રાહ જોતા હતા ત્યારે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવ્યો જેને કારણે તાપમાનનો પારો ઘટી ગયો અને ગરમીથી લોકોને રાહત મળી.. આગામી ત્રણ દિવસ દરમિયાન પણ કમોસમી વરસાદ વરસવાનો છે તેવી આગાહી કરવામાં આવી છે.. સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવી શકે છે.. 16 તારીખ સુધી તો આવું વાતાવરણ રહેશે પરંતુ તે બાદ ગરમી વધી જશે તેવી આગાહી કરવામાં આવી છે.


કઈ જગ્યાઓ પર થશે ગરમીનો અહેસાસ? 

17 તારીખ બાદ અનેક જિલ્લાઓમાં તાપમાનનો પારો 42-43 ડિગ્રી આસપાસ પહોંચી શકે છે.. અમદાવાદ, ગાંધીનગર, ખેડબ્રહ્મા, હિંમતનગર, દાહોદ, કપડવંજ, મહેસાણા, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, આણંદ, ખેડા સહિતના વિસ્તારોમાં તાપમાનનો પારો ભયંકર ઉંચો જઈ શકે છે તેવી વાત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે. મહત્વનું છે 17થી 22 તારીખ દરમિયાન ભયંકર ગરમી સહન કરવી પડશે..     




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.