Gujarat Weather : આ તારીખો દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં પડશે કાળઝાળ ગરમી! જાણો ગરમીને લઈ Paresh Goswamiએ શું કરી આગાહી?


  • Published By :
  • Published Date : 2024-05-14 18:39:43

ગુજરાતના અનેક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.. અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસ્યો છે જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.. તાપમાનનો પારો ગગડ્યો છે જેને કારણે ગરમીથી રાહત મળી છે.. પરંતુ આવનાર દિવસોમાં આ તાપમાનનો  પારો વધી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી રહી છે... ફરી એક વખત ગરમીનો અહેસાસ કરવા તૈયાર રહેવું પડશે તેવી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે..

16 તારીખ બાદ વધશે તાપમાનનો પારો!

એક તરફ કાળઝાળ ગરમીથી લોકો પરેશાન હતા. ચોમાસું ક્યારે આવશે તેની રાહ જોતા હતા ત્યારે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવ્યો જેને કારણે તાપમાનનો પારો ઘટી ગયો અને ગરમીથી લોકોને રાહત મળી.. આગામી ત્રણ દિવસ દરમિયાન પણ કમોસમી વરસાદ વરસવાનો છે તેવી આગાહી કરવામાં આવી છે.. સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવી શકે છે.. 16 તારીખ સુધી તો આવું વાતાવરણ રહેશે પરંતુ તે બાદ ગરમી વધી જશે તેવી આગાહી કરવામાં આવી છે.


કઈ જગ્યાઓ પર થશે ગરમીનો અહેસાસ? 

17 તારીખ બાદ અનેક જિલ્લાઓમાં તાપમાનનો પારો 42-43 ડિગ્રી આસપાસ પહોંચી શકે છે.. અમદાવાદ, ગાંધીનગર, ખેડબ્રહ્મા, હિંમતનગર, દાહોદ, કપડવંજ, મહેસાણા, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, આણંદ, ખેડા સહિતના વિસ્તારોમાં તાપમાનનો પારો ભયંકર ઉંચો જઈ શકે છે તેવી વાત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે. મહત્વનું છે 17થી 22 તારીખ દરમિયાન ભયંકર ગરમી સહન કરવી પડશે..     




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.