Gujarat Weather : આ તારીખો દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં પડશે કાળઝાળ ગરમી! જાણો ગરમીને લઈ Paresh Goswamiએ શું કરી આગાહી?


  • Published By :
  • Published Date : 2024-05-14 18:39:43

ગુજરાતના અનેક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.. અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસ્યો છે જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.. તાપમાનનો પારો ગગડ્યો છે જેને કારણે ગરમીથી રાહત મળી છે.. પરંતુ આવનાર દિવસોમાં આ તાપમાનનો  પારો વધી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી રહી છે... ફરી એક વખત ગરમીનો અહેસાસ કરવા તૈયાર રહેવું પડશે તેવી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે..

16 તારીખ બાદ વધશે તાપમાનનો પારો!

એક તરફ કાળઝાળ ગરમીથી લોકો પરેશાન હતા. ચોમાસું ક્યારે આવશે તેની રાહ જોતા હતા ત્યારે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવ્યો જેને કારણે તાપમાનનો પારો ઘટી ગયો અને ગરમીથી લોકોને રાહત મળી.. આગામી ત્રણ દિવસ દરમિયાન પણ કમોસમી વરસાદ વરસવાનો છે તેવી આગાહી કરવામાં આવી છે.. સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવી શકે છે.. 16 તારીખ સુધી તો આવું વાતાવરણ રહેશે પરંતુ તે બાદ ગરમી વધી જશે તેવી આગાહી કરવામાં આવી છે.


કઈ જગ્યાઓ પર થશે ગરમીનો અહેસાસ? 

17 તારીખ બાદ અનેક જિલ્લાઓમાં તાપમાનનો પારો 42-43 ડિગ્રી આસપાસ પહોંચી શકે છે.. અમદાવાદ, ગાંધીનગર, ખેડબ્રહ્મા, હિંમતનગર, દાહોદ, કપડવંજ, મહેસાણા, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, આણંદ, ખેડા સહિતના વિસ્તારોમાં તાપમાનનો પારો ભયંકર ઉંચો જઈ શકે છે તેવી વાત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે. મહત્વનું છે 17થી 22 તારીખ દરમિયાન ભયંકર ગરમી સહન કરવી પડશે..     




ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.