Gujarat Weather : હવામાન વિભાગે આ વિસ્તારો માટે આપ્યું Orange અને Red એલર્ટ, તો અંબાલાલ કાકાએ વરસાદને લઈ કરી આ આગાહી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-06-22 19:04:05

ગુજરાતના અનેક સ્થળો પર વરસાદી માહોલ જામ્યો છે પરંતુ અનેક જગ્યાઓ એવી છે કે જ્યાં વરસાદ નથી વરસ્યો. ત્યાંના લોકો વરસાદની પ્રતિક્ષા કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવતી હોય છે. ત્યારે આગામી દિવસોમાં અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. યલો તેમજ ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી દિવસોમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

Image

ક્યાંક યલો એલર્ટ તો ક્યાંક ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું 

હવામાન વિભાગે 23 તારીખ માટે ભારે વરસાદની ચેતવણી આપી છે. સાર્વત્રિક વરસાદ વરસી શકે છે આખા રાજ્યમાં પરંતુ અમરેલી, ભાવનગર, જૂનાગઢ. ભરૂચ, નર્મદા, તાપી, સુરત માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે નવસારી, ડાંગ, વલસાડ, ગીર સોમનાથ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય 24 તારીખની વાત કરીએ તો અમરેલી, બોટાદ,છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે જ્યારે ભાવનગર, ભરૂચ, સુરત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

Image

શું કહે છે અંબાલાલ પટેલની આગાહી? 

હવામાન વિભાગ દ્વારા તો વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. અંબાલાલ કાકાના જણાવ્યા અનુસાર 22થી 24 તારીખ દરમિયાન હવામાનમાં ફેરફાર આવી શકે છે. 22,23 તેમજ 24 જૂન દરમિયાન વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ, મધ્ય તેમજ ઉત્તર ગુજરાતના ભાગોમાં ક્યાંક હળવો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી શકે છે. 28 તારીખ બાદ ચોમાસું ફરી સક્રિય થશે તેવી વાત તેમણે કરી હતી. ત્યારે જોવું રહ્યું કે મેઘરાજા ક્યાં પધરામણી કરશે.. ગરમી તેમજ ઉકળાટને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.