Gujarat Weather : હવામાન વિભાગે આ વિસ્તારો માટે આપ્યું Orange અને Red એલર્ટ, તો અંબાલાલ કાકાએ વરસાદને લઈ કરી આ આગાહી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-06-22 19:04:05

ગુજરાતના અનેક સ્થળો પર વરસાદી માહોલ જામ્યો છે પરંતુ અનેક જગ્યાઓ એવી છે કે જ્યાં વરસાદ નથી વરસ્યો. ત્યાંના લોકો વરસાદની પ્રતિક્ષા કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવતી હોય છે. ત્યારે આગામી દિવસોમાં અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. યલો તેમજ ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી દિવસોમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

Image

ક્યાંક યલો એલર્ટ તો ક્યાંક ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું 

હવામાન વિભાગે 23 તારીખ માટે ભારે વરસાદની ચેતવણી આપી છે. સાર્વત્રિક વરસાદ વરસી શકે છે આખા રાજ્યમાં પરંતુ અમરેલી, ભાવનગર, જૂનાગઢ. ભરૂચ, નર્મદા, તાપી, સુરત માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે નવસારી, ડાંગ, વલસાડ, ગીર સોમનાથ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય 24 તારીખની વાત કરીએ તો અમરેલી, બોટાદ,છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે જ્યારે ભાવનગર, ભરૂચ, સુરત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

Image

શું કહે છે અંબાલાલ પટેલની આગાહી? 

હવામાન વિભાગ દ્વારા તો વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. અંબાલાલ કાકાના જણાવ્યા અનુસાર 22થી 24 તારીખ દરમિયાન હવામાનમાં ફેરફાર આવી શકે છે. 22,23 તેમજ 24 જૂન દરમિયાન વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ, મધ્ય તેમજ ઉત્તર ગુજરાતના ભાગોમાં ક્યાંક હળવો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી શકે છે. 28 તારીખ બાદ ચોમાસું ફરી સક્રિય થશે તેવી વાત તેમણે કરી હતી. ત્યારે જોવું રહ્યું કે મેઘરાજા ક્યાં પધરામણી કરશે.. ગરમી તેમજ ઉકળાટને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.