Gujarat Weather : હવામાન વિભાગે આ વિસ્તારો માટે આપ્યું Orange અને Red એલર્ટ, તો અંબાલાલ કાકાએ વરસાદને લઈ કરી આ આગાહી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-06-22 19:04:05

ગુજરાતના અનેક સ્થળો પર વરસાદી માહોલ જામ્યો છે પરંતુ અનેક જગ્યાઓ એવી છે કે જ્યાં વરસાદ નથી વરસ્યો. ત્યાંના લોકો વરસાદની પ્રતિક્ષા કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવતી હોય છે. ત્યારે આગામી દિવસોમાં અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. યલો તેમજ ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી દિવસોમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

Image

ક્યાંક યલો એલર્ટ તો ક્યાંક ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું 

હવામાન વિભાગે 23 તારીખ માટે ભારે વરસાદની ચેતવણી આપી છે. સાર્વત્રિક વરસાદ વરસી શકે છે આખા રાજ્યમાં પરંતુ અમરેલી, ભાવનગર, જૂનાગઢ. ભરૂચ, નર્મદા, તાપી, સુરત માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે નવસારી, ડાંગ, વલસાડ, ગીર સોમનાથ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય 24 તારીખની વાત કરીએ તો અમરેલી, બોટાદ,છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે જ્યારે ભાવનગર, ભરૂચ, સુરત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

Image

શું કહે છે અંબાલાલ પટેલની આગાહી? 

હવામાન વિભાગ દ્વારા તો વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. અંબાલાલ કાકાના જણાવ્યા અનુસાર 22થી 24 તારીખ દરમિયાન હવામાનમાં ફેરફાર આવી શકે છે. 22,23 તેમજ 24 જૂન દરમિયાન વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ, મધ્ય તેમજ ઉત્તર ગુજરાતના ભાગોમાં ક્યાંક હળવો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી શકે છે. 28 તારીખ બાદ ચોમાસું ફરી સક્રિય થશે તેવી વાત તેમણે કરી હતી. ત્યારે જોવું રહ્યું કે મેઘરાજા ક્યાં પધરામણી કરશે.. ગરમી તેમજ ઉકળાટને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.