Gujarat Weather : આ વિસ્તારો માટે હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ અને યલો એલર્ટ, જાણી લો આગાહીમાં તમારો વિસ્તાર તો નથીને?


  • Published By :
  • Published Date : 2024-06-27 16:38:34

રાજ્યમાં મેઘસવારી આવી પહોંચી છે. અનેક જગ્યાઓ પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો કોઈ જગ્યા પર ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે અને આગામી દિવસોમાં આ વરસાદી માહોલ હજી પણ વધારે જામશે.. હવામાન વિભાગે અનેક વિસ્તારો માટે એલર્ટ જાહેર કર્યું છે. આજ અને આવતીકાલ માટે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.. આગામી થોડા કલાકો માટે અનેક જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યું છે.

Image


ImageImage

આ જિલ્લાઓ માટે જાહેર કરાયું ઓરેન્જ અને યલો એલર્ટ 

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર મોરબી, જામનગર, રાજકોટ. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, ભરૂચ, સુરતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે... તે ઉપરાંત કચ્છ, સુરેન્દ્રનગર, બોટાદ, પાટણ, બનાસકાંઠા, ભાવનગર, વલસાડ, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નવસારી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે  સિવાય આવતી કાલે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

Image

વરસાદને કારણે જગતના તાતની ઘટી ચિંતા

તે ઉપરાંત કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી., ભાવનગર, આણંદ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે..  મહત્વનું છે કે વરસાદી માહોલ જામતા જગતના તાતની ચિંતા ઘટી છે.. ખુશખુશાલ ખેડૂતો જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે હવામાન વિભાગે 2 જુલાઈ સુધીની આગાહી કરી છે.     

Image


Image



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.