Gujarat Weather : આ વિસ્તારો માટે હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ અને યલો એલર્ટ, જાણી લો આગાહીમાં તમારો વિસ્તાર તો નથીને?


  • Published By :
  • Published Date : 2024-06-27 16:38:34

રાજ્યમાં મેઘસવારી આવી પહોંચી છે. અનેક જગ્યાઓ પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો કોઈ જગ્યા પર ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે અને આગામી દિવસોમાં આ વરસાદી માહોલ હજી પણ વધારે જામશે.. હવામાન વિભાગે અનેક વિસ્તારો માટે એલર્ટ જાહેર કર્યું છે. આજ અને આવતીકાલ માટે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.. આગામી થોડા કલાકો માટે અનેક જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યું છે.

Image


ImageImage

આ જિલ્લાઓ માટે જાહેર કરાયું ઓરેન્જ અને યલો એલર્ટ 

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર મોરબી, જામનગર, રાજકોટ. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, ભરૂચ, સુરતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે... તે ઉપરાંત કચ્છ, સુરેન્દ્રનગર, બોટાદ, પાટણ, બનાસકાંઠા, ભાવનગર, વલસાડ, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નવસારી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે  સિવાય આવતી કાલે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

Image

વરસાદને કારણે જગતના તાતની ઘટી ચિંતા

તે ઉપરાંત કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી., ભાવનગર, આણંદ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે..  મહત્વનું છે કે વરસાદી માહોલ જામતા જગતના તાતની ચિંતા ઘટી છે.. ખુશખુશાલ ખેડૂતો જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે હવામાન વિભાગે 2 જુલાઈ સુધીની આગાહી કરી છે.     

Image


Image



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?