Gujarat Weather - હવામાન વિભાગે અનેક વિસ્તારો માટે આપ્યું Orange અને Yellow Alert, જાણી લો આગાહીમાં તમારો વિસ્તાર તો નથીને...


  • Published By :
  • Published Date : 2024-08-02 11:19:34

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી. અનેક વિસ્તારો એવા હતા જ્યાં ભારે વરસાદ જોવા મળ્યો હતો.. વરસાદને કારણે મચેલી તબાહીના દ્રશ્યો અનેક જગ્યાઓથી સામે  આવ્યા છે. ઘેડ પંથક, ભરૂચ જેવા વિસ્તારોમાં વરસાદે તારાજી સર્જી હતી. મહત્વનું છે કે થોડા દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી. ત્યારે આગામી દિવસોમાં વરસાદ કેવો રહેશે તેની આગાહી હવામાન વિભાગે કરી છે. અનેક વિસ્તારો માટે ઓરેન્જ તેમજ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 174 તાલુકામાં વરસાદ વરસ્યો છે. 



આ વિસ્તારો માટે અપાયું ઓરેન્જ અને યલો એલર્ટ 

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદને કારણે તારાજી સર્જાઈ છે.. પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. હવામાન વિભાગે અનેક વિસ્તારો માટે આગાહી કરી છે. આજ માટે કરેલી આગાહી અનુસાર સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, બનાસકાંઠા માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તે સિવાય આવતી કાલ માટે આપવામાં આવેલી આગાહીની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, આણંદ, વડોદરા, અમરેલી, ગીર સોમનાથ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.




પાંચમી તારીખ સુધીમાં આ વિસ્તારોમાં વરસી શકે છે વરસાદ 

તે સિવાય ભાવનગર, ભરૂચ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે..ચોથી ઓગસ્ટની વાત કરીએ તો કચ્છ. ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ. ભરૂચ, તાપી, ડાંગ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે સુરત, નવસારી, વલસાડ. દમણ , દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે..પાંચમી ઓગસ્ટ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર વલસાડ, દમણ, નવસારી, દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.