Gujarat Weather - હવામાન વિભાગે અનેક વિસ્તારો માટે આપ્યું Orange અને Yellow Alert, જાણી લો આગાહીમાં તમારો વિસ્તાર તો નથીને...


  • Published By :
  • Published Date : 2024-08-02 11:19:34

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી. અનેક વિસ્તારો એવા હતા જ્યાં ભારે વરસાદ જોવા મળ્યો હતો.. વરસાદને કારણે મચેલી તબાહીના દ્રશ્યો અનેક જગ્યાઓથી સામે  આવ્યા છે. ઘેડ પંથક, ભરૂચ જેવા વિસ્તારોમાં વરસાદે તારાજી સર્જી હતી. મહત્વનું છે કે થોડા દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી. ત્યારે આગામી દિવસોમાં વરસાદ કેવો રહેશે તેની આગાહી હવામાન વિભાગે કરી છે. અનેક વિસ્તારો માટે ઓરેન્જ તેમજ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 174 તાલુકામાં વરસાદ વરસ્યો છે. 



આ વિસ્તારો માટે અપાયું ઓરેન્જ અને યલો એલર્ટ 

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદને કારણે તારાજી સર્જાઈ છે.. પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. હવામાન વિભાગે અનેક વિસ્તારો માટે આગાહી કરી છે. આજ માટે કરેલી આગાહી અનુસાર સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, બનાસકાંઠા માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તે સિવાય આવતી કાલ માટે આપવામાં આવેલી આગાહીની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, આણંદ, વડોદરા, અમરેલી, ગીર સોમનાથ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.




પાંચમી તારીખ સુધીમાં આ વિસ્તારોમાં વરસી શકે છે વરસાદ 

તે સિવાય ભાવનગર, ભરૂચ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે..ચોથી ઓગસ્ટની વાત કરીએ તો કચ્છ. ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ. ભરૂચ, તાપી, ડાંગ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે સુરત, નવસારી, વલસાડ. દમણ , દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે..પાંચમી ઓગસ્ટ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર વલસાડ, દમણ, નવસારી, દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.