Gujarat Weather - હવામાન વિભાગે અનેક વિસ્તારો માટે આપ્યું Orange અને Yellow Alert, જાણી લો આગાહીમાં તમારો વિસ્તાર તો નથીને...


  • Published By :
  • Published Date : 2024-08-02 11:19:34

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી. અનેક વિસ્તારો એવા હતા જ્યાં ભારે વરસાદ જોવા મળ્યો હતો.. વરસાદને કારણે મચેલી તબાહીના દ્રશ્યો અનેક જગ્યાઓથી સામે  આવ્યા છે. ઘેડ પંથક, ભરૂચ જેવા વિસ્તારોમાં વરસાદે તારાજી સર્જી હતી. મહત્વનું છે કે થોડા દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી. ત્યારે આગામી દિવસોમાં વરસાદ કેવો રહેશે તેની આગાહી હવામાન વિભાગે કરી છે. અનેક વિસ્તારો માટે ઓરેન્જ તેમજ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 174 તાલુકામાં વરસાદ વરસ્યો છે. 



આ વિસ્તારો માટે અપાયું ઓરેન્જ અને યલો એલર્ટ 

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદને કારણે તારાજી સર્જાઈ છે.. પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. હવામાન વિભાગે અનેક વિસ્તારો માટે આગાહી કરી છે. આજ માટે કરેલી આગાહી અનુસાર સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, બનાસકાંઠા માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તે સિવાય આવતી કાલ માટે આપવામાં આવેલી આગાહીની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, આણંદ, વડોદરા, અમરેલી, ગીર સોમનાથ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.




પાંચમી તારીખ સુધીમાં આ વિસ્તારોમાં વરસી શકે છે વરસાદ 

તે સિવાય ભાવનગર, ભરૂચ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે..ચોથી ઓગસ્ટની વાત કરીએ તો કચ્છ. ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ. ભરૂચ, તાપી, ડાંગ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે સુરત, નવસારી, વલસાડ. દમણ , દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે..પાંચમી ઓગસ્ટ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર વલસાડ, દમણ, નવસારી, દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  



રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.