Gujarat Weather : આ શહેરો માટે હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ, જાણો 26 તારીખ સુધી ક્યાં માટે અપાયું ઓરેન્જ એલર્ટ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-23 17:51:33

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.. તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચી ગયું છે અને આગમી દિવસોમાં આ તાપમાનનો પારો હજી પણ વધી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. વધતી ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને ક્યારે આ ગરમીથી રાહત મળશે તેની રાહ જોઈ રહ્યા છે. 26 તારીખ સુધી રાજ્યના અનેક શહેરો માટે ઓરેન્જ તેમજ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે હવામાન વિભાગ દ્વારા... અમદાવાદ અને ગાંધીનગર માટે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

News18 Gujarati

રાત્રે પણ થાય છે ગરમીનો અહેસાસ 

ચામડી દાઝી જાય તેવી ગરમી પડી રહી છે.. સૂર્યનારાયણ ભગવાનને લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે તમે ખમ્મા કરો.. કાળઝાળ ગરમીનો અહેસાસ હાલ થઈ રહ્યો છે.. ના માત્ર ગુજરાતમાં પરંતુ દેશના અનેક રાજ્યોમાં ગરમીએ માઝા મૂકી છે.. ગુજરાત તો જાણે અગન ભઠ્ઠામાં ફેરવાઈ ગયું હોય તેવું લાગે છે.. રાત્રે પણ ગરમીનો ભયંકર અહેસાસ થાય છે. આગામી દિવસો દરમિયાન ગુજરાતનું તાપમાન કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે..

News18 Gujarati

News18 Gujarati

આ વિસ્તારમાં રહેતા લોકો થઈ જજો સાવધાન!

26 તારીખ સુધી હવામાન કેવું રહેશે તેની જાણકારી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.. અમદાવાદ તેમજ ગાંધીનગર માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. તે ઉપરાંત ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો કચ્છ , બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, પંચમહાલ, સુરત, વલસાડ, ભાવનગર, અમરેલી, બોટાદ, જૂનાગઢ, રાજકોટનો સમાવેશ થાય છે.. દરિયા કિનારે આવેલા વિસ્તારોનું હવામાન ગરમ અને ભેજવાળું રહેશે..


કેન્દ્રીય આરોગ્ચ મંત્રાલય દ્વારા બહાર પડાઈ ગાઈડલાઈન્સ 

મહત્વનું છે ગરમી વધવાને કારણે લોકો બિમાર પડી રહ્યા છે.. ઈમરજન્સી કોલમાં અનેક ઘણો વધારો થયો છે. અનેક લોકોના મૃત્યુ પણ બિમાર પડવાને કારણે થયા.. ગરમીથી કેવી રીતે બચવું જોઈએ તે માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે.. ઉનાળામાં જેટલું બને તેટલું વધારે પાણી પીવું જોઈએ જેથી બોડીમાં પાણીનું પ્રમાણ ઘટી ના જાય...    



આ વખતે ગુજરાત માટે ભારતીય જનતા પાર્ટીએ લક્ષ્ણાંક રાખ્યો હતો 26એ 26 બેઠકો મળશે અને પાંચ લાખની લીડ સાથે. પરંતુ આ વખતે 26માંથી 25 સીટ ભાજપને મળી છે. ત્યારે એક સીટ ગુમાવાનો વસવસો સી.આર.પાટીલે વ્યક્ત કર્યો હતો.

આપણે ત્યાં માતા માટે ઘણું બધું લખાયું છે, ઘણું બધું કહેવાયું છે. પરંતુ પિતા માટે એટલું બધુ નથી કહેવાયું.. માતાનો પ્રેમ દેખાય છે પરંતુ પિતાનો પ્રેમ દેખાતો નથી.. માતા વ્યક્ત કરે છે જ્યારે પિતા છાનેમાને સંતાનને પ્રેમ કરતા હોય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે પિતાને સમર્પિત રચના..

જૂનાગઢની માણાવદર બેઠક પર કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ પેટાચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી ધારાસભ્ય બનેલા અરવિંદ લાડાણીનો અધિકારીનો ઉધડો લેતો વીડિયો સામે આવ્યો છે.

રાજકોટ અગ્નિકાંડ મામલે હાઈકોર્ટની ઝાટકણી બાદ નવી કમિટીની રચના થશે. અશ્વિની કુમારની આગેવાનીમાં નવી કમિટી રચાશે. નવી કમિટીમાં 5થી 7 સભ્યો હશે. નવી કમિટીમાં DGP સહિતના અધિકારીઓ હશે તેવી માહિતી સામે આવી છે.