Gujarat Weather : આ શહેરો માટે હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ, જાણો 26 તારીખ સુધી ક્યાં માટે અપાયું ઓરેન્જ એલર્ટ?


  • Published By :
  • Published Date : 2024-05-23 17:51:33

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.. તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચી ગયું છે અને આગમી દિવસોમાં આ તાપમાનનો પારો હજી પણ વધી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. વધતી ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને ક્યારે આ ગરમીથી રાહત મળશે તેની રાહ જોઈ રહ્યા છે. 26 તારીખ સુધી રાજ્યના અનેક શહેરો માટે ઓરેન્જ તેમજ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે હવામાન વિભાગ દ્વારા... અમદાવાદ અને ગાંધીનગર માટે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

News18 Gujarati

રાત્રે પણ થાય છે ગરમીનો અહેસાસ 

ચામડી દાઝી જાય તેવી ગરમી પડી રહી છે.. સૂર્યનારાયણ ભગવાનને લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે તમે ખમ્મા કરો.. કાળઝાળ ગરમીનો અહેસાસ હાલ થઈ રહ્યો છે.. ના માત્ર ગુજરાતમાં પરંતુ દેશના અનેક રાજ્યોમાં ગરમીએ માઝા મૂકી છે.. ગુજરાત તો જાણે અગન ભઠ્ઠામાં ફેરવાઈ ગયું હોય તેવું લાગે છે.. રાત્રે પણ ગરમીનો ભયંકર અહેસાસ થાય છે. આગામી દિવસો દરમિયાન ગુજરાતનું તાપમાન કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે..

News18 Gujarati

News18 Gujarati

આ વિસ્તારમાં રહેતા લોકો થઈ જજો સાવધાન!

26 તારીખ સુધી હવામાન કેવું રહેશે તેની જાણકારી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.. અમદાવાદ તેમજ ગાંધીનગર માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. તે ઉપરાંત ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો કચ્છ , બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, પંચમહાલ, સુરત, વલસાડ, ભાવનગર, અમરેલી, બોટાદ, જૂનાગઢ, રાજકોટનો સમાવેશ થાય છે.. દરિયા કિનારે આવેલા વિસ્તારોનું હવામાન ગરમ અને ભેજવાળું રહેશે..


કેન્દ્રીય આરોગ્ચ મંત્રાલય દ્વારા બહાર પડાઈ ગાઈડલાઈન્સ 

મહત્વનું છે ગરમી વધવાને કારણે લોકો બિમાર પડી રહ્યા છે.. ઈમરજન્સી કોલમાં અનેક ઘણો વધારો થયો છે. અનેક લોકોના મૃત્યુ પણ બિમાર પડવાને કારણે થયા.. ગરમીથી કેવી રીતે બચવું જોઈએ તે માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે.. ઉનાળામાં જેટલું બને તેટલું વધારે પાણી પીવું જોઈએ જેથી બોડીમાં પાણીનું પ્રમાણ ઘટી ના જાય...    



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.