Gujarat Weather : આ શહેરો માટે હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ, જાણો 26 તારીખ સુધી ક્યાં માટે અપાયું ઓરેન્જ એલર્ટ?


  • Published By :
  • Published Date : 2024-05-23 17:51:33

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.. તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચી ગયું છે અને આગમી દિવસોમાં આ તાપમાનનો પારો હજી પણ વધી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. વધતી ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને ક્યારે આ ગરમીથી રાહત મળશે તેની રાહ જોઈ રહ્યા છે. 26 તારીખ સુધી રાજ્યના અનેક શહેરો માટે ઓરેન્જ તેમજ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે હવામાન વિભાગ દ્વારા... અમદાવાદ અને ગાંધીનગર માટે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

News18 Gujarati

રાત્રે પણ થાય છે ગરમીનો અહેસાસ 

ચામડી દાઝી જાય તેવી ગરમી પડી રહી છે.. સૂર્યનારાયણ ભગવાનને લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે તમે ખમ્મા કરો.. કાળઝાળ ગરમીનો અહેસાસ હાલ થઈ રહ્યો છે.. ના માત્ર ગુજરાતમાં પરંતુ દેશના અનેક રાજ્યોમાં ગરમીએ માઝા મૂકી છે.. ગુજરાત તો જાણે અગન ભઠ્ઠામાં ફેરવાઈ ગયું હોય તેવું લાગે છે.. રાત્રે પણ ગરમીનો ભયંકર અહેસાસ થાય છે. આગામી દિવસો દરમિયાન ગુજરાતનું તાપમાન કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે..

News18 Gujarati

News18 Gujarati

આ વિસ્તારમાં રહેતા લોકો થઈ જજો સાવધાન!

26 તારીખ સુધી હવામાન કેવું રહેશે તેની જાણકારી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.. અમદાવાદ તેમજ ગાંધીનગર માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. તે ઉપરાંત ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો કચ્છ , બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, પંચમહાલ, સુરત, વલસાડ, ભાવનગર, અમરેલી, બોટાદ, જૂનાગઢ, રાજકોટનો સમાવેશ થાય છે.. દરિયા કિનારે આવેલા વિસ્તારોનું હવામાન ગરમ અને ભેજવાળું રહેશે..


કેન્દ્રીય આરોગ્ચ મંત્રાલય દ્વારા બહાર પડાઈ ગાઈડલાઈન્સ 

મહત્વનું છે ગરમી વધવાને કારણે લોકો બિમાર પડી રહ્યા છે.. ઈમરજન્સી કોલમાં અનેક ઘણો વધારો થયો છે. અનેક લોકોના મૃત્યુ પણ બિમાર પડવાને કારણે થયા.. ગરમીથી કેવી રીતે બચવું જોઈએ તે માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે.. ઉનાળામાં જેટલું બને તેટલું વધારે પાણી પીવું જોઈએ જેથી બોડીમાં પાણીનું પ્રમાણ ઘટી ના જાય...    



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.