Gujarat Weather : હવામાન વિભાગે આ વિસ્તારો માટે કરી ભારે વરસાદની આગાહી! ક્યાંક અપાયું ઓરેન્જ એલર્ટ તો ક્યાંક યલો એલર્ટ.. જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-06-28 11:18:17

ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે.. ચોમાસું ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. આ વખતે ચોમાસાની પધરામણી વહેલા થઈ ગઈ હતી પરંતુ આવતાની સાથે જ ચોમાસું નબળું પડી ગયું તેવી વાત હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી .. પરંતુ ધીરે ધીરે વરસાદી માહોલ જામી રહ્યો છે. કોઈ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો કોઈ વિસ્તાર હજી પણ વરસાદની પ્રતિક્ષામાં છે.. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે જે અનુસાર આજે ચાર જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય અનેક જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. 

Image


આ જિલ્લાઓ માટે અપાયું ઓરેન્જ અને યલો એલર્ટ 

હવામાન વિભાગે દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, આણંદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. તે સિવાય સુરત, નવસારી, ડાંગ, વલસાડ માટે પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. બાકી રહેલા જિલ્લાઓમાં છુટા છવાયા સ્થળે વરસાદ વરસી શકે છે. 29 તારીખે સાર્વત્રિક વરસાદ વરસી શકે છે તેવું અનુમાન કરવામાં આવ્યું છે. 



ક્યાં કેટલો વરસાદ ખાબક્યો? 

છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો તેની વાત કરીએ તો રાજ્યના 114 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધારે સાબરકાંઠાના પોશીનામાં 1.84 ઈંચ વરસાદ વરસ્યો છે સાથે સાથે બનાસકાંઠાના દાંતીવાડામાં, વલસાડના ઉંમરગાંવમાં, કચ્છના ભુજમાં તેમજ નખત્રાણામાં અને ભાવનગરના મહુવામાં 1.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. વરસાદને ધ્યાનમાં રાખી એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરવામાં આવી ગઈ છે. ગીર સોમનાથમાં એનડીઆરએફ ટીમનું આગમન થઈ ગયું છે. ગુજરાતમાં કુલ 8 ટીમોને તૈનાત કરવામાં આવી છે. 




રસ્તાઓ બેટમાં ફરવાઈ ગયા..!

મહત્વનું છે કે ગુજરાતમાં પડેલા થોડા વરસાદમાં પ્રિ મોનસુનની કામગીરીની પોલ ખુલી ગઈ છે. અનેક રસ્તાઓ પર પાણી પર ભરાઈ ગયા છે. રસ્તા પર પાણી પાણી થઈ ગયું છે.. આ તો હજી વરસાદની શરૂઆત છે આગળ વધારે વરસાદ આવશે ત્યારે કેવી હાલત થશે તેનો પ્રશ્ન લોકોને સતાવી રહ્યો છે. ત્યારે તમારે ત્યાં વરસાદ છે કે પછી તમે વરસાદની પ્રતિક્ષામાં છો તે અમને કમેન્ટમાં જણાવજો.. 



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?