Gujarat Weather : હવામાન વિભાગે આ વિસ્તારો માટે કરી ભારે વરસાદની આગાહી! ક્યાંક અપાયું ઓરેન્જ એલર્ટ તો ક્યાંક યલો એલર્ટ.. જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-06-28 11:18:17

ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે.. ચોમાસું ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. આ વખતે ચોમાસાની પધરામણી વહેલા થઈ ગઈ હતી પરંતુ આવતાની સાથે જ ચોમાસું નબળું પડી ગયું તેવી વાત હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી .. પરંતુ ધીરે ધીરે વરસાદી માહોલ જામી રહ્યો છે. કોઈ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો કોઈ વિસ્તાર હજી પણ વરસાદની પ્રતિક્ષામાં છે.. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે જે અનુસાર આજે ચાર જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય અનેક જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. 

Image


આ જિલ્લાઓ માટે અપાયું ઓરેન્જ અને યલો એલર્ટ 

હવામાન વિભાગે દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, આણંદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. તે સિવાય સુરત, નવસારી, ડાંગ, વલસાડ માટે પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. બાકી રહેલા જિલ્લાઓમાં છુટા છવાયા સ્થળે વરસાદ વરસી શકે છે. 29 તારીખે સાર્વત્રિક વરસાદ વરસી શકે છે તેવું અનુમાન કરવામાં આવ્યું છે. 



ક્યાં કેટલો વરસાદ ખાબક્યો? 

છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો તેની વાત કરીએ તો રાજ્યના 114 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધારે સાબરકાંઠાના પોશીનામાં 1.84 ઈંચ વરસાદ વરસ્યો છે સાથે સાથે બનાસકાંઠાના દાંતીવાડામાં, વલસાડના ઉંમરગાંવમાં, કચ્છના ભુજમાં તેમજ નખત્રાણામાં અને ભાવનગરના મહુવામાં 1.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. વરસાદને ધ્યાનમાં રાખી એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરવામાં આવી ગઈ છે. ગીર સોમનાથમાં એનડીઆરએફ ટીમનું આગમન થઈ ગયું છે. ગુજરાતમાં કુલ 8 ટીમોને તૈનાત કરવામાં આવી છે. 




રસ્તાઓ બેટમાં ફરવાઈ ગયા..!

મહત્વનું છે કે ગુજરાતમાં પડેલા થોડા વરસાદમાં પ્રિ મોનસુનની કામગીરીની પોલ ખુલી ગઈ છે. અનેક રસ્તાઓ પર પાણી પર ભરાઈ ગયા છે. રસ્તા પર પાણી પાણી થઈ ગયું છે.. આ તો હજી વરસાદની શરૂઆત છે આગળ વધારે વરસાદ આવશે ત્યારે કેવી હાલત થશે તેનો પ્રશ્ન લોકોને સતાવી રહ્યો છે. ત્યારે તમારે ત્યાં વરસાદ છે કે પછી તમે વરસાદની પ્રતિક્ષામાં છો તે અમને કમેન્ટમાં જણાવજો.. 



૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.