Gujarat Weather : હવામાન વિભાગે આ વિસ્તારો માટે કરી ભારે વરસાદની આગાહી! ક્યાંક અપાયું ઓરેન્જ એલર્ટ તો ક્યાંક યલો એલર્ટ.. જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-06-28 11:18:17

ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે.. ચોમાસું ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. આ વખતે ચોમાસાની પધરામણી વહેલા થઈ ગઈ હતી પરંતુ આવતાની સાથે જ ચોમાસું નબળું પડી ગયું તેવી વાત હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી .. પરંતુ ધીરે ધીરે વરસાદી માહોલ જામી રહ્યો છે. કોઈ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો કોઈ વિસ્તાર હજી પણ વરસાદની પ્રતિક્ષામાં છે.. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે જે અનુસાર આજે ચાર જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય અનેક જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. 

Image


આ જિલ્લાઓ માટે અપાયું ઓરેન્જ અને યલો એલર્ટ 

હવામાન વિભાગે દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, આણંદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. તે સિવાય સુરત, નવસારી, ડાંગ, વલસાડ માટે પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. બાકી રહેલા જિલ્લાઓમાં છુટા છવાયા સ્થળે વરસાદ વરસી શકે છે. 29 તારીખે સાર્વત્રિક વરસાદ વરસી શકે છે તેવું અનુમાન કરવામાં આવ્યું છે. 



ક્યાં કેટલો વરસાદ ખાબક્યો? 

છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો તેની વાત કરીએ તો રાજ્યના 114 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધારે સાબરકાંઠાના પોશીનામાં 1.84 ઈંચ વરસાદ વરસ્યો છે સાથે સાથે બનાસકાંઠાના દાંતીવાડામાં, વલસાડના ઉંમરગાંવમાં, કચ્છના ભુજમાં તેમજ નખત્રાણામાં અને ભાવનગરના મહુવામાં 1.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. વરસાદને ધ્યાનમાં રાખી એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરવામાં આવી ગઈ છે. ગીર સોમનાથમાં એનડીઆરએફ ટીમનું આગમન થઈ ગયું છે. ગુજરાતમાં કુલ 8 ટીમોને તૈનાત કરવામાં આવી છે. 




રસ્તાઓ બેટમાં ફરવાઈ ગયા..!

મહત્વનું છે કે ગુજરાતમાં પડેલા થોડા વરસાદમાં પ્રિ મોનસુનની કામગીરીની પોલ ખુલી ગઈ છે. અનેક રસ્તાઓ પર પાણી પર ભરાઈ ગયા છે. રસ્તા પર પાણી પાણી થઈ ગયું છે.. આ તો હજી વરસાદની શરૂઆત છે આગળ વધારે વરસાદ આવશે ત્યારે કેવી હાલત થશે તેનો પ્રશ્ન લોકોને સતાવી રહ્યો છે. ત્યારે તમારે ત્યાં વરસાદ છે કે પછી તમે વરસાદની પ્રતિક્ષામાં છો તે અમને કમેન્ટમાં જણાવજો.. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.