Gujarat Weather : હવામાન વિભાગે આ વિસ્તારો માટે કરી ભારે વરસાદની આગાહી! ક્યાંક અપાયું ઓરેન્જ એલર્ટ તો ક્યાંક યલો એલર્ટ.. જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-06-28 11:18:17

ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે.. ચોમાસું ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. આ વખતે ચોમાસાની પધરામણી વહેલા થઈ ગઈ હતી પરંતુ આવતાની સાથે જ ચોમાસું નબળું પડી ગયું તેવી વાત હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી .. પરંતુ ધીરે ધીરે વરસાદી માહોલ જામી રહ્યો છે. કોઈ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો કોઈ વિસ્તાર હજી પણ વરસાદની પ્રતિક્ષામાં છે.. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે જે અનુસાર આજે ચાર જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય અનેક જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. 

Image


આ જિલ્લાઓ માટે અપાયું ઓરેન્જ અને યલો એલર્ટ 

હવામાન વિભાગે દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, આણંદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. તે સિવાય સુરત, નવસારી, ડાંગ, વલસાડ માટે પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. બાકી રહેલા જિલ્લાઓમાં છુટા છવાયા સ્થળે વરસાદ વરસી શકે છે. 29 તારીખે સાર્વત્રિક વરસાદ વરસી શકે છે તેવું અનુમાન કરવામાં આવ્યું છે. 



ક્યાં કેટલો વરસાદ ખાબક્યો? 

છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો તેની વાત કરીએ તો રાજ્યના 114 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધારે સાબરકાંઠાના પોશીનામાં 1.84 ઈંચ વરસાદ વરસ્યો છે સાથે સાથે બનાસકાંઠાના દાંતીવાડામાં, વલસાડના ઉંમરગાંવમાં, કચ્છના ભુજમાં તેમજ નખત્રાણામાં અને ભાવનગરના મહુવામાં 1.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. વરસાદને ધ્યાનમાં રાખી એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરવામાં આવી ગઈ છે. ગીર સોમનાથમાં એનડીઆરએફ ટીમનું આગમન થઈ ગયું છે. ગુજરાતમાં કુલ 8 ટીમોને તૈનાત કરવામાં આવી છે. 




રસ્તાઓ બેટમાં ફરવાઈ ગયા..!

મહત્વનું છે કે ગુજરાતમાં પડેલા થોડા વરસાદમાં પ્રિ મોનસુનની કામગીરીની પોલ ખુલી ગઈ છે. અનેક રસ્તાઓ પર પાણી પર ભરાઈ ગયા છે. રસ્તા પર પાણી પાણી થઈ ગયું છે.. આ તો હજી વરસાદની શરૂઆત છે આગળ વધારે વરસાદ આવશે ત્યારે કેવી હાલત થશે તેનો પ્રશ્ન લોકોને સતાવી રહ્યો છે. ત્યારે તમારે ત્યાં વરસાદ છે કે પછી તમે વરસાદની પ્રતિક્ષામાં છો તે અમને કમેન્ટમાં જણાવજો.. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.