Gujarat Weather : હવામાન વિભાગે આ વિસ્તારો માટે કરી વરસાદની આગાહી! ક્યાંક ગરમી તો ક્યાંક વાદળછાયું વાતાવરણ, જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-06-06 12:23:51

થોડા સમય પહેલા વાતાવરણમાં આવેલા પલટાને કારણે લાગતું હતું કે હવે ગરમીથી રાહત મળશે..  વરસાદ આવશે અને ગરમીથી મુક્તિ મળશે.. પરંતુ એકાએક ગરમીમાં વધારો થયો.. વરસાદની આતુરતા પૂર્વક લોકો રાહ જોઈ રહ્યા છે.. બુધવારે અનેક ભાગોનું તાપમાન 40 ડિગ્રી નીચે નોંધાયું હતું પરંતુ ગરમીનો અહેસાસ તો પણ થતો હતો.. હાલ એવું વાતાવરણ અનેક જગ્યાઓનું થઈ ગયું છે કે કોઈ વખત  એકદમ તડકો હોય તો કોઈ વખત એકદમ વાદળછાયું વાતાવરણ થઈ જાય.. રાજ્યના અનેક ભાગો માટે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. 



આ વખતે ગરમીએ તોડ્યો અનેક વખતનો રેકોર્ડ

કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.. વરસાદની ચાતક નજરે લોકો રાહ જોઈ રહ્યા છે.. આ વખતનો ઉનાળો એકદમ કપરો સાબિત થયો. આ વખતે ગરમીએ અનેક વર્ષોના રેકોર્ડ તોડી દીધા છે. ના માત્ર ગુજરાતમાં પરંતુ દેશના અનેક રાજ્યોમાં ગરમીનો માર સહન કરવો પડ્યો.. 50 ડિગ્રીને પાર તાપમાનનો પારો નોંધાયો.. ગુજરાતના અનેક ભાગો માટે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.. રાજ્યમાં દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 


ક્યાં માટે કરવામાં આવી વરસાદની આગાહી? 

બુધવારે ક્યાં કેટલી ગરમી નોંધાઈ તેની વાત કરીએ તો અમદાવાદનું મહત્તમ તાપમાન 41.7 ડિગ્રી નોંધાયું હતું જ્યારે ગાંધીનગરનું તાપમાન 41.5 ડિગ્રી. વલ્લભવિદ્યાનગરનું તાપમાન 40.9 જ્યારે વડોદરાનું તાપમાન 40.9 ડિગ્રી નોંધાયું હતું.. સુરતનું તાપમાન 36.2 જ્યારે વલસાડનું તાપમાન 36.4 ડિગ્રી નોંધાયું હતું.. ભાવનગરનું તાપમાન 37.4 ડિગ્રી જ્યારે દ્વારકાનું તાપમાન 33.2 ડિગ્રી નોંધાયું હતું. રાજકોટનું તાપમાન 35.2 ડિગ્રી જ્યારે વેરાવળનું તાપમાન 35.4 ડિગ્રી નોંધાયું હતું..  તે સિવાય આવતી કાલ એટલે 7 જૂન  માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો ભારે પવન અને ગાજવીજ સાથે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.  



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.