Gujarat Weather : હવામાન વિભાગે આ વિસ્તારો માટે કરી વરસાદની આગાહી! ક્યાંક ગરમી તો ક્યાંક વાદળછાયું વાતાવરણ, જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-06-06 12:23:51

થોડા સમય પહેલા વાતાવરણમાં આવેલા પલટાને કારણે લાગતું હતું કે હવે ગરમીથી રાહત મળશે..  વરસાદ આવશે અને ગરમીથી મુક્તિ મળશે.. પરંતુ એકાએક ગરમીમાં વધારો થયો.. વરસાદની આતુરતા પૂર્વક લોકો રાહ જોઈ રહ્યા છે.. બુધવારે અનેક ભાગોનું તાપમાન 40 ડિગ્રી નીચે નોંધાયું હતું પરંતુ ગરમીનો અહેસાસ તો પણ થતો હતો.. હાલ એવું વાતાવરણ અનેક જગ્યાઓનું થઈ ગયું છે કે કોઈ વખત  એકદમ તડકો હોય તો કોઈ વખત એકદમ વાદળછાયું વાતાવરણ થઈ જાય.. રાજ્યના અનેક ભાગો માટે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. 



આ વખતે ગરમીએ તોડ્યો અનેક વખતનો રેકોર્ડ

કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.. વરસાદની ચાતક નજરે લોકો રાહ જોઈ રહ્યા છે.. આ વખતનો ઉનાળો એકદમ કપરો સાબિત થયો. આ વખતે ગરમીએ અનેક વર્ષોના રેકોર્ડ તોડી દીધા છે. ના માત્ર ગુજરાતમાં પરંતુ દેશના અનેક રાજ્યોમાં ગરમીનો માર સહન કરવો પડ્યો.. 50 ડિગ્રીને પાર તાપમાનનો પારો નોંધાયો.. ગુજરાતના અનેક ભાગો માટે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.. રાજ્યમાં દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 


ક્યાં માટે કરવામાં આવી વરસાદની આગાહી? 

બુધવારે ક્યાં કેટલી ગરમી નોંધાઈ તેની વાત કરીએ તો અમદાવાદનું મહત્તમ તાપમાન 41.7 ડિગ્રી નોંધાયું હતું જ્યારે ગાંધીનગરનું તાપમાન 41.5 ડિગ્રી. વલ્લભવિદ્યાનગરનું તાપમાન 40.9 જ્યારે વડોદરાનું તાપમાન 40.9 ડિગ્રી નોંધાયું હતું.. સુરતનું તાપમાન 36.2 જ્યારે વલસાડનું તાપમાન 36.4 ડિગ્રી નોંધાયું હતું.. ભાવનગરનું તાપમાન 37.4 ડિગ્રી જ્યારે દ્વારકાનું તાપમાન 33.2 ડિગ્રી નોંધાયું હતું. રાજકોટનું તાપમાન 35.2 ડિગ્રી જ્યારે વેરાવળનું તાપમાન 35.4 ડિગ્રી નોંધાયું હતું..  તે સિવાય આવતી કાલ એટલે 7 જૂન  માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો ભારે પવન અને ગાજવીજ સાથે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.  



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે