Gujarat Weather : હવામાન વિભાગે આ વિસ્તારો માટે કરી વરસાદની આગાહી! ક્યાંક ગરમી તો ક્યાંક વાદળછાયું વાતાવરણ, જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-06-06 12:23:51

થોડા સમય પહેલા વાતાવરણમાં આવેલા પલટાને કારણે લાગતું હતું કે હવે ગરમીથી રાહત મળશે..  વરસાદ આવશે અને ગરમીથી મુક્તિ મળશે.. પરંતુ એકાએક ગરમીમાં વધારો થયો.. વરસાદની આતુરતા પૂર્વક લોકો રાહ જોઈ રહ્યા છે.. બુધવારે અનેક ભાગોનું તાપમાન 40 ડિગ્રી નીચે નોંધાયું હતું પરંતુ ગરમીનો અહેસાસ તો પણ થતો હતો.. હાલ એવું વાતાવરણ અનેક જગ્યાઓનું થઈ ગયું છે કે કોઈ વખત  એકદમ તડકો હોય તો કોઈ વખત એકદમ વાદળછાયું વાતાવરણ થઈ જાય.. રાજ્યના અનેક ભાગો માટે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. 



આ વખતે ગરમીએ તોડ્યો અનેક વખતનો રેકોર્ડ

કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.. વરસાદની ચાતક નજરે લોકો રાહ જોઈ રહ્યા છે.. આ વખતનો ઉનાળો એકદમ કપરો સાબિત થયો. આ વખતે ગરમીએ અનેક વર્ષોના રેકોર્ડ તોડી દીધા છે. ના માત્ર ગુજરાતમાં પરંતુ દેશના અનેક રાજ્યોમાં ગરમીનો માર સહન કરવો પડ્યો.. 50 ડિગ્રીને પાર તાપમાનનો પારો નોંધાયો.. ગુજરાતના અનેક ભાગો માટે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.. રાજ્યમાં દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 


ક્યાં માટે કરવામાં આવી વરસાદની આગાહી? 

બુધવારે ક્યાં કેટલી ગરમી નોંધાઈ તેની વાત કરીએ તો અમદાવાદનું મહત્તમ તાપમાન 41.7 ડિગ્રી નોંધાયું હતું જ્યારે ગાંધીનગરનું તાપમાન 41.5 ડિગ્રી. વલ્લભવિદ્યાનગરનું તાપમાન 40.9 જ્યારે વડોદરાનું તાપમાન 40.9 ડિગ્રી નોંધાયું હતું.. સુરતનું તાપમાન 36.2 જ્યારે વલસાડનું તાપમાન 36.4 ડિગ્રી નોંધાયું હતું.. ભાવનગરનું તાપમાન 37.4 ડિગ્રી જ્યારે દ્વારકાનું તાપમાન 33.2 ડિગ્રી નોંધાયું હતું. રાજકોટનું તાપમાન 35.2 ડિગ્રી જ્યારે વેરાવળનું તાપમાન 35.4 ડિગ્રી નોંધાયું હતું..  તે સિવાય આવતી કાલ એટલે 7 જૂન  માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો ભારે પવન અને ગાજવીજ સાથે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.  



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"