Gujarat Weather : હવામાન વિભાગે આ વિસ્તારો માટે કરી વરસાદની આગાહી! ક્યાંક ગરમી તો ક્યાંક વાદળછાયું વાતાવરણ, જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-06-06 12:23:51

થોડા સમય પહેલા વાતાવરણમાં આવેલા પલટાને કારણે લાગતું હતું કે હવે ગરમીથી રાહત મળશે..  વરસાદ આવશે અને ગરમીથી મુક્તિ મળશે.. પરંતુ એકાએક ગરમીમાં વધારો થયો.. વરસાદની આતુરતા પૂર્વક લોકો રાહ જોઈ રહ્યા છે.. બુધવારે અનેક ભાગોનું તાપમાન 40 ડિગ્રી નીચે નોંધાયું હતું પરંતુ ગરમીનો અહેસાસ તો પણ થતો હતો.. હાલ એવું વાતાવરણ અનેક જગ્યાઓનું થઈ ગયું છે કે કોઈ વખત  એકદમ તડકો હોય તો કોઈ વખત એકદમ વાદળછાયું વાતાવરણ થઈ જાય.. રાજ્યના અનેક ભાગો માટે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. 



આ વખતે ગરમીએ તોડ્યો અનેક વખતનો રેકોર્ડ

કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.. વરસાદની ચાતક નજરે લોકો રાહ જોઈ રહ્યા છે.. આ વખતનો ઉનાળો એકદમ કપરો સાબિત થયો. આ વખતે ગરમીએ અનેક વર્ષોના રેકોર્ડ તોડી દીધા છે. ના માત્ર ગુજરાતમાં પરંતુ દેશના અનેક રાજ્યોમાં ગરમીનો માર સહન કરવો પડ્યો.. 50 ડિગ્રીને પાર તાપમાનનો પારો નોંધાયો.. ગુજરાતના અનેક ભાગો માટે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.. રાજ્યમાં દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 


ક્યાં માટે કરવામાં આવી વરસાદની આગાહી? 

બુધવારે ક્યાં કેટલી ગરમી નોંધાઈ તેની વાત કરીએ તો અમદાવાદનું મહત્તમ તાપમાન 41.7 ડિગ્રી નોંધાયું હતું જ્યારે ગાંધીનગરનું તાપમાન 41.5 ડિગ્રી. વલ્લભવિદ્યાનગરનું તાપમાન 40.9 જ્યારે વડોદરાનું તાપમાન 40.9 ડિગ્રી નોંધાયું હતું.. સુરતનું તાપમાન 36.2 જ્યારે વલસાડનું તાપમાન 36.4 ડિગ્રી નોંધાયું હતું.. ભાવનગરનું તાપમાન 37.4 ડિગ્રી જ્યારે દ્વારકાનું તાપમાન 33.2 ડિગ્રી નોંધાયું હતું. રાજકોટનું તાપમાન 35.2 ડિગ્રી જ્યારે વેરાવળનું તાપમાન 35.4 ડિગ્રી નોંધાયું હતું..  તે સિવાય આવતી કાલ એટલે 7 જૂન  માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો ભારે પવન અને ગાજવીજ સાથે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.