Gujarat Weather : ચોમાસું ગમે ત્યારે દઈ શકે છે દસ્તક, જાણો આગામી દિવસો માટે શું કરાઈ આગાહી? આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-06-07 11:29:58

વરસાદ ક્યારે આવશે તેની રાહ લોકો આતુરતાથી જોઈ રહ્યા છે..કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અસહ્ય ગરમી થતા અનેક લોકો બિમારીની ઝપેટમાં આવી ગયા છે.. ગુજરાતમાં ક્યારે વરસાદ આવશે તે અંગેની માહિતી સામે આવી છે.. મુબંઈમાં વરસાદ શરૂ થઈ ગયો છે એટલા માટે ગમે ત્યારે ચોમાસું ગુજરાતમાં દસ્તક દઈ શકે છે.. ગુજરાતના અનેક ભાગો માટે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો દરમિયાન વાતાવરણ કેવું રહેશે તેની આગાહી કરી છે..


ક્યાં ક્યારે આવી શકે છે વરસાદ? 

કઈ તારીખે ક્યાં પડશે વરસાદ તેની વાત કરીએ તો સાતમી તેમજ આઠમી તારીખે દાહોદ, ડાંગ, તાપી, નવસારી તેમજ વલસાડમાં વરસાદ વરસી શકે છે.  9મી તારીખે પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ. ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ સહિતના વિસ્તારોમાં 10 તારીખે વરસાદ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે..  11 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ,બોટાદ, દીવ.


ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

મહત્વનું છે કે એક તરફ વરસાદની આગાહી કરાઈ રહી છે પરંતુ બીજી તરફ તાપમાનનો પારો નીચે નથી આવી રહ્યો... અનેક જગ્યાઓ પર તાપમાનનો પારો 42 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. અમદાવાદની વાત કરીએ તો ગુરૂવારે 42.0 ડિગ્રી જ્યારે ડીસાનું 39.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગરનું તાપમાન 41.8 જ્યારે વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 42.7 ડિગ્રી નોંધાયું છે. વડોદરાનું તાપમાન 40.2 ડિગ્રી જ્યારે સુરતનું તાપમાન 36.8 ડિગ્રી નોંધાયું છે ભાવનગરનું તાપમાન 37.6 ડિગ્રી જ્યારે રાજકોટનું તાપમાન 41.9 ડિગ્રી નોંધાયું છે. ત્યારે ગુજરાતમાં વરસાદની એન્ટ્રી જલ્દી થાય અને આ કાળઝાળ ગરમીથી જલ્દી રાહત મળે તેવી આશા..  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.