Gujarat Weather : ચોમાસું ગમે ત્યારે દઈ શકે છે દસ્તક, જાણો આગામી દિવસો માટે શું કરાઈ આગાહી? આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-06-07 11:29:58

વરસાદ ક્યારે આવશે તેની રાહ લોકો આતુરતાથી જોઈ રહ્યા છે..કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અસહ્ય ગરમી થતા અનેક લોકો બિમારીની ઝપેટમાં આવી ગયા છે.. ગુજરાતમાં ક્યારે વરસાદ આવશે તે અંગેની માહિતી સામે આવી છે.. મુબંઈમાં વરસાદ શરૂ થઈ ગયો છે એટલા માટે ગમે ત્યારે ચોમાસું ગુજરાતમાં દસ્તક દઈ શકે છે.. ગુજરાતના અનેક ભાગો માટે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો દરમિયાન વાતાવરણ કેવું રહેશે તેની આગાહી કરી છે..


ક્યાં ક્યારે આવી શકે છે વરસાદ? 

કઈ તારીખે ક્યાં પડશે વરસાદ તેની વાત કરીએ તો સાતમી તેમજ આઠમી તારીખે દાહોદ, ડાંગ, તાપી, નવસારી તેમજ વલસાડમાં વરસાદ વરસી શકે છે.  9મી તારીખે પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ. ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ સહિતના વિસ્તારોમાં 10 તારીખે વરસાદ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે..  11 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ,બોટાદ, દીવ.


ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

મહત્વનું છે કે એક તરફ વરસાદની આગાહી કરાઈ રહી છે પરંતુ બીજી તરફ તાપમાનનો પારો નીચે નથી આવી રહ્યો... અનેક જગ્યાઓ પર તાપમાનનો પારો 42 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. અમદાવાદની વાત કરીએ તો ગુરૂવારે 42.0 ડિગ્રી જ્યારે ડીસાનું 39.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગરનું તાપમાન 41.8 જ્યારે વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 42.7 ડિગ્રી નોંધાયું છે. વડોદરાનું તાપમાન 40.2 ડિગ્રી જ્યારે સુરતનું તાપમાન 36.8 ડિગ્રી નોંધાયું છે ભાવનગરનું તાપમાન 37.6 ડિગ્રી જ્યારે રાજકોટનું તાપમાન 41.9 ડિગ્રી નોંધાયું છે. ત્યારે ગુજરાતમાં વરસાદની એન્ટ્રી જલ્દી થાય અને આ કાળઝાળ ગરમીથી જલ્દી રાહત મળે તેવી આશા..  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે