Gujarat Weather : ચોમાસું ગમે ત્યારે દઈ શકે છે દસ્તક, જાણો આગામી દિવસો માટે શું કરાઈ આગાહી? આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-07 11:29:58

વરસાદ ક્યારે આવશે તેની રાહ લોકો આતુરતાથી જોઈ રહ્યા છે..કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અસહ્ય ગરમી થતા અનેક લોકો બિમારીની ઝપેટમાં આવી ગયા છે.. ગુજરાતમાં ક્યારે વરસાદ આવશે તે અંગેની માહિતી સામે આવી છે.. મુબંઈમાં વરસાદ શરૂ થઈ ગયો છે એટલા માટે ગમે ત્યારે ચોમાસું ગુજરાતમાં દસ્તક દઈ શકે છે.. ગુજરાતના અનેક ભાગો માટે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો દરમિયાન વાતાવરણ કેવું રહેશે તેની આગાહી કરી છે..


ક્યાં ક્યારે આવી શકે છે વરસાદ? 

કઈ તારીખે ક્યાં પડશે વરસાદ તેની વાત કરીએ તો સાતમી તેમજ આઠમી તારીખે દાહોદ, ડાંગ, તાપી, નવસારી તેમજ વલસાડમાં વરસાદ વરસી શકે છે.  9મી તારીખે પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ. ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ સહિતના વિસ્તારોમાં 10 તારીખે વરસાદ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે..  11 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ,બોટાદ, દીવ.


ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

મહત્વનું છે કે એક તરફ વરસાદની આગાહી કરાઈ રહી છે પરંતુ બીજી તરફ તાપમાનનો પારો નીચે નથી આવી રહ્યો... અનેક જગ્યાઓ પર તાપમાનનો પારો 42 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. અમદાવાદની વાત કરીએ તો ગુરૂવારે 42.0 ડિગ્રી જ્યારે ડીસાનું 39.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગરનું તાપમાન 41.8 જ્યારે વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 42.7 ડિગ્રી નોંધાયું છે. વડોદરાનું તાપમાન 40.2 ડિગ્રી જ્યારે સુરતનું તાપમાન 36.8 ડિગ્રી નોંધાયું છે ભાવનગરનું તાપમાન 37.6 ડિગ્રી જ્યારે રાજકોટનું તાપમાન 41.9 ડિગ્રી નોંધાયું છે. ત્યારે ગુજરાતમાં વરસાદની એન્ટ્રી જલ્દી થાય અને આ કાળઝાળ ગરમીથી જલ્દી રાહત મળે તેવી આશા..  



વધારે વરસાદ પડવાથી સામાન્ય માણસને વધારે ફરક નથી પડતો પરંતુ જગતના તાતની ચિંતા વધી જાય છે જ્યારે વરસાદ જરૂરિયાત કરતા વધારે વરસે અથવા તો ખેતરમાં પાણી ભરાઈ જાય તો.. સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદે તબાહી સર્જી છે. અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે..

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.