Gujarat Weather : બફારા અને ઉકળાટથી લોકો પરેશાન! આજે આ વિસ્તારોમાં જોવા મળી શકે છે વરસાદની બેટિંગ, વરસાદને લઈ શું કરી છે હવામાન વિભાગે આગાહી?


  • Published By :
  • Published Date : 2024-06-19 13:25:01

ગુજરાતમાં આ વખતે ધાર્યા કરતા પહેલા ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ.. ચાર દિવસ પહેલા ચોમાસાએ એન્ટ્રી તો લઈ લીધી પરંતુ એન્ટ્રીની સાથે જ ચોમાસું નબળું પડી ગયું. રાજ્યમાં આ વખતે સાર્વત્રિક વરસાદ વરસ્યો નથી,  છુટા છવાયા સ્થળો પર વરસાદ વરસી રહ્યો છે ક્યાંક કડાકા ભડાકા સાથે તો ક્યાંક ધીમી ધારે.. અનેક જગ્યાઓ એવી છે જ્યાં વરસાદ નથી પડ્યો. ત્યાંના લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. સારો વરસાદ નથી આવતો જેને કારણે બફારાના પ્રમાણમાં વધારો થયો છે. બફારાને કારણે ઉકળાટ વધી ગયો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આજે અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે.

આજે અને આવતી કાલ માટે શું કરવામાં આવી આગાહી? 

આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી હોય છે. ક્યાં વરસાદ વરસી શકે છે તેનું પુર્વાનુમાન આપવામાં આવે છે. ત્યારે 19 તેમજ 20 તારીખ માટે હવામાન વિભાગે કરેલી આગાહીની વાત કરીએ તો કચ્છ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, રાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. 




22 તારીખ સુધી ક્યાં આવી શકે છે વરસાદ? 

21 તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, જૂનાગઢ, દ્વારકા, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. 22 તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો મહીસાગર. દાહોદ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ. જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદ વરસી શકે છે. 



ક્યાં કેટલો વરસાદ નોંધાયો?   

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 34  તાલુકામાં વરસાદ ખાબક્યો છે. વરસાદના આંકડાને લઈ જે માહિતી મળી રહી છે તેની વાત કરીએ તો જૂનાગઢના વિસાવદરમાં સૌથી વધારે વરસાદ ખાબક્યો છે, 26 એમએમ વરસાદ. તે સિવાય વલસાડના ધરમપુરમાં 25 એમએમ વરસાદ ખાબક્યો છે જ્યારે સુરેન્દ્રનગરના થાનગઢમાં 21 એમએમ વરસાદ વરસ્યો છે. તે સિવાય ભરૂચના અંકલેશ્વરમાં 19 એમએમ વરસાદ વરસ્યો છે. 


ખેડૂતોની જીંદગી હોય છે વરસાદ પર નિર્ભર!

આ વખતે ચોમાસું જલ્દી આવી ગયું જેને કારણે ખેડૂતોને આશા હતી કે આ વખતે સારો વરસાદ આવશે. સારા વરસાદની આશા સાથે તેમણે વાવણી કરી પરંતુ ચોમાસું આવતાની સાથે જ ખેંચાઈ ગયું.. વરસાદ જોઈએ એવો નથી વરસી રહ્યો જેને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. આપણું જીવન વરસાદના આગમન પર તેના ખેંચાઈ જવા પર નિર્ભર નથી કરતું, તેનાથી આપણને directly અસર નથી થતી પરંતુ ખેડૂતો પર ખેતી પર આની સીધી અસર પડે છે. વરસાદ વધારે આવે તો પણ ખેડૂતોને ચિંતા થાય છે અને વરસાદ ના આવે તો પણ ખેડૂતોને ચિંતા થાય છે. મેઘરાજાને ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા હશે કે હવે પધારો! તમારે ત્યાં કેવું વાતાવરણ છે તે અમને કમેન્ટમાં જણાવજો... 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.