Gujarat Weather : બફારા અને ઉકળાટથી લોકો પરેશાન! આજે આ વિસ્તારોમાં જોવા મળી શકે છે વરસાદની બેટિંગ, વરસાદને લઈ શું કરી છે હવામાન વિભાગે આગાહી?


  • Published By :
  • Published Date : 2024-06-19 13:25:01

ગુજરાતમાં આ વખતે ધાર્યા કરતા પહેલા ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ.. ચાર દિવસ પહેલા ચોમાસાએ એન્ટ્રી તો લઈ લીધી પરંતુ એન્ટ્રીની સાથે જ ચોમાસું નબળું પડી ગયું. રાજ્યમાં આ વખતે સાર્વત્રિક વરસાદ વરસ્યો નથી,  છુટા છવાયા સ્થળો પર વરસાદ વરસી રહ્યો છે ક્યાંક કડાકા ભડાકા સાથે તો ક્યાંક ધીમી ધારે.. અનેક જગ્યાઓ એવી છે જ્યાં વરસાદ નથી પડ્યો. ત્યાંના લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. સારો વરસાદ નથી આવતો જેને કારણે બફારાના પ્રમાણમાં વધારો થયો છે. બફારાને કારણે ઉકળાટ વધી ગયો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આજે અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે.

આજે અને આવતી કાલ માટે શું કરવામાં આવી આગાહી? 

આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી હોય છે. ક્યાં વરસાદ વરસી શકે છે તેનું પુર્વાનુમાન આપવામાં આવે છે. ત્યારે 19 તેમજ 20 તારીખ માટે હવામાન વિભાગે કરેલી આગાહીની વાત કરીએ તો કચ્છ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, રાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. 




22 તારીખ સુધી ક્યાં આવી શકે છે વરસાદ? 

21 તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, જૂનાગઢ, દ્વારકા, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. 22 તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો મહીસાગર. દાહોદ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ. જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદ વરસી શકે છે. 



ક્યાં કેટલો વરસાદ નોંધાયો?   

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 34  તાલુકામાં વરસાદ ખાબક્યો છે. વરસાદના આંકડાને લઈ જે માહિતી મળી રહી છે તેની વાત કરીએ તો જૂનાગઢના વિસાવદરમાં સૌથી વધારે વરસાદ ખાબક્યો છે, 26 એમએમ વરસાદ. તે સિવાય વલસાડના ધરમપુરમાં 25 એમએમ વરસાદ ખાબક્યો છે જ્યારે સુરેન્દ્રનગરના થાનગઢમાં 21 એમએમ વરસાદ વરસ્યો છે. તે સિવાય ભરૂચના અંકલેશ્વરમાં 19 એમએમ વરસાદ વરસ્યો છે. 


ખેડૂતોની જીંદગી હોય છે વરસાદ પર નિર્ભર!

આ વખતે ચોમાસું જલ્દી આવી ગયું જેને કારણે ખેડૂતોને આશા હતી કે આ વખતે સારો વરસાદ આવશે. સારા વરસાદની આશા સાથે તેમણે વાવણી કરી પરંતુ ચોમાસું આવતાની સાથે જ ખેંચાઈ ગયું.. વરસાદ જોઈએ એવો નથી વરસી રહ્યો જેને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. આપણું જીવન વરસાદના આગમન પર તેના ખેંચાઈ જવા પર નિર્ભર નથી કરતું, તેનાથી આપણને directly અસર નથી થતી પરંતુ ખેડૂતો પર ખેતી પર આની સીધી અસર પડે છે. વરસાદ વધારે આવે તો પણ ખેડૂતોને ચિંતા થાય છે અને વરસાદ ના આવે તો પણ ખેડૂતોને ચિંતા થાય છે. મેઘરાજાને ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા હશે કે હવે પધારો! તમારે ત્યાં કેવું વાતાવરણ છે તે અમને કમેન્ટમાં જણાવજો... 



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.