Gujarat Weather : બફારા અને ઉકળાટથી લોકો પરેશાન! આજે આ વિસ્તારોમાં જોવા મળી શકે છે વરસાદની બેટિંગ, વરસાદને લઈ શું કરી છે હવામાન વિભાગે આગાહી?


  • Published By :
  • Published Date : 2024-06-19 13:25:01

ગુજરાતમાં આ વખતે ધાર્યા કરતા પહેલા ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ.. ચાર દિવસ પહેલા ચોમાસાએ એન્ટ્રી તો લઈ લીધી પરંતુ એન્ટ્રીની સાથે જ ચોમાસું નબળું પડી ગયું. રાજ્યમાં આ વખતે સાર્વત્રિક વરસાદ વરસ્યો નથી,  છુટા છવાયા સ્થળો પર વરસાદ વરસી રહ્યો છે ક્યાંક કડાકા ભડાકા સાથે તો ક્યાંક ધીમી ધારે.. અનેક જગ્યાઓ એવી છે જ્યાં વરસાદ નથી પડ્યો. ત્યાંના લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. સારો વરસાદ નથી આવતો જેને કારણે બફારાના પ્રમાણમાં વધારો થયો છે. બફારાને કારણે ઉકળાટ વધી ગયો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આજે અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે.

આજે અને આવતી કાલ માટે શું કરવામાં આવી આગાહી? 

આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી હોય છે. ક્યાં વરસાદ વરસી શકે છે તેનું પુર્વાનુમાન આપવામાં આવે છે. ત્યારે 19 તેમજ 20 તારીખ માટે હવામાન વિભાગે કરેલી આગાહીની વાત કરીએ તો કચ્છ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, રાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. 




22 તારીખ સુધી ક્યાં આવી શકે છે વરસાદ? 

21 તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, જૂનાગઢ, દ્વારકા, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. 22 તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો મહીસાગર. દાહોદ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ. જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદ વરસી શકે છે. 



ક્યાં કેટલો વરસાદ નોંધાયો?   

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 34  તાલુકામાં વરસાદ ખાબક્યો છે. વરસાદના આંકડાને લઈ જે માહિતી મળી રહી છે તેની વાત કરીએ તો જૂનાગઢના વિસાવદરમાં સૌથી વધારે વરસાદ ખાબક્યો છે, 26 એમએમ વરસાદ. તે સિવાય વલસાડના ધરમપુરમાં 25 એમએમ વરસાદ ખાબક્યો છે જ્યારે સુરેન્દ્રનગરના થાનગઢમાં 21 એમએમ વરસાદ વરસ્યો છે. તે સિવાય ભરૂચના અંકલેશ્વરમાં 19 એમએમ વરસાદ વરસ્યો છે. 


ખેડૂતોની જીંદગી હોય છે વરસાદ પર નિર્ભર!

આ વખતે ચોમાસું જલ્દી આવી ગયું જેને કારણે ખેડૂતોને આશા હતી કે આ વખતે સારો વરસાદ આવશે. સારા વરસાદની આશા સાથે તેમણે વાવણી કરી પરંતુ ચોમાસું આવતાની સાથે જ ખેંચાઈ ગયું.. વરસાદ જોઈએ એવો નથી વરસી રહ્યો જેને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. આપણું જીવન વરસાદના આગમન પર તેના ખેંચાઈ જવા પર નિર્ભર નથી કરતું, તેનાથી આપણને directly અસર નથી થતી પરંતુ ખેડૂતો પર ખેતી પર આની સીધી અસર પડે છે. વરસાદ વધારે આવે તો પણ ખેડૂતોને ચિંતા થાય છે અને વરસાદ ના આવે તો પણ ખેડૂતોને ચિંતા થાય છે. મેઘરાજાને ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા હશે કે હવે પધારો! તમારે ત્યાં કેવું વાતાવરણ છે તે અમને કમેન્ટમાં જણાવજો... 



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?