Gujarat Weather : બફારા અને ઉકળાટથી લોકો પરેશાન! આજે આ વિસ્તારોમાં જોવા મળી શકે છે વરસાદની બેટિંગ, વરસાદને લઈ શું કરી છે હવામાન વિભાગે આગાહી?


  • Published By :
  • Published Date : 2024-06-19 13:25:01

ગુજરાતમાં આ વખતે ધાર્યા કરતા પહેલા ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ.. ચાર દિવસ પહેલા ચોમાસાએ એન્ટ્રી તો લઈ લીધી પરંતુ એન્ટ્રીની સાથે જ ચોમાસું નબળું પડી ગયું. રાજ્યમાં આ વખતે સાર્વત્રિક વરસાદ વરસ્યો નથી,  છુટા છવાયા સ્થળો પર વરસાદ વરસી રહ્યો છે ક્યાંક કડાકા ભડાકા સાથે તો ક્યાંક ધીમી ધારે.. અનેક જગ્યાઓ એવી છે જ્યાં વરસાદ નથી પડ્યો. ત્યાંના લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. સારો વરસાદ નથી આવતો જેને કારણે બફારાના પ્રમાણમાં વધારો થયો છે. બફારાને કારણે ઉકળાટ વધી ગયો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આજે અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે.

આજે અને આવતી કાલ માટે શું કરવામાં આવી આગાહી? 

આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી હોય છે. ક્યાં વરસાદ વરસી શકે છે તેનું પુર્વાનુમાન આપવામાં આવે છે. ત્યારે 19 તેમજ 20 તારીખ માટે હવામાન વિભાગે કરેલી આગાહીની વાત કરીએ તો કચ્છ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, રાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. 




22 તારીખ સુધી ક્યાં આવી શકે છે વરસાદ? 

21 તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, જૂનાગઢ, દ્વારકા, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. 22 તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો મહીસાગર. દાહોદ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ. જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદ વરસી શકે છે. 



ક્યાં કેટલો વરસાદ નોંધાયો?   

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 34  તાલુકામાં વરસાદ ખાબક્યો છે. વરસાદના આંકડાને લઈ જે માહિતી મળી રહી છે તેની વાત કરીએ તો જૂનાગઢના વિસાવદરમાં સૌથી વધારે વરસાદ ખાબક્યો છે, 26 એમએમ વરસાદ. તે સિવાય વલસાડના ધરમપુરમાં 25 એમએમ વરસાદ ખાબક્યો છે જ્યારે સુરેન્દ્રનગરના થાનગઢમાં 21 એમએમ વરસાદ વરસ્યો છે. તે સિવાય ભરૂચના અંકલેશ્વરમાં 19 એમએમ વરસાદ વરસ્યો છે. 


ખેડૂતોની જીંદગી હોય છે વરસાદ પર નિર્ભર!

આ વખતે ચોમાસું જલ્દી આવી ગયું જેને કારણે ખેડૂતોને આશા હતી કે આ વખતે સારો વરસાદ આવશે. સારા વરસાદની આશા સાથે તેમણે વાવણી કરી પરંતુ ચોમાસું આવતાની સાથે જ ખેંચાઈ ગયું.. વરસાદ જોઈએ એવો નથી વરસી રહ્યો જેને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. આપણું જીવન વરસાદના આગમન પર તેના ખેંચાઈ જવા પર નિર્ભર નથી કરતું, તેનાથી આપણને directly અસર નથી થતી પરંતુ ખેડૂતો પર ખેતી પર આની સીધી અસર પડે છે. વરસાદ વધારે આવે તો પણ ખેડૂતોને ચિંતા થાય છે અને વરસાદ ના આવે તો પણ ખેડૂતોને ચિંતા થાય છે. મેઘરાજાને ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા હશે કે હવે પધારો! તમારે ત્યાં કેવું વાતાવરણ છે તે અમને કમેન્ટમાં જણાવજો... 



In India, marriage is considered a sacred institution, in which love, trust and dedication are expected. Incidents like the one that have happened recently have changed the very definition of this sacred bond. Cases of brutal murder of husbands by wives have shocked the society. Cases like Pragati, Muskan, Aftab and similar incidents that have happened in the last few years have raised a big question mark and also on the entire system because every person, be it a man or a woman, is in fear of whether to get married or not. Even memes have become like that.

લોકતાંત્રિક દેશના કોઇપણ ખૂણામાં ભાષા અને ભાષાકીય જૂથ સંગઠન પોતાને સર્વસર્વા માની નાગરિકો સાથે મનમાની કરી જાય તો કાયદો અને વ્યવસ્થા શું મુકપ્રક્ષક બનીને રહશે !

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ભારતમાં બ્રેન્ડન લિન્ચના નેતૃત્વમાં એક પ્રતિનિધિ મંડળ મોકલ્યું છે . આ પ્રતિનિધિ મંડળ ૨જી એપ્રિલથી ભારત પર જે ટેરિફ લગાવવામાં આવશે તેની પર ચર્ચા કરશે . જોઈએ કે આ વાટાઘાટોથી કેટલો ફર્ક પડે છે . જો અમેરિકાએ ૨જી એપ્રિલથી ટેરિફ લગાવ્યા તો ભારતને લગભગ ૫ લાખ કરોડનું નુકશાન થઈ શકે છે .

સુરત સહિત સમગ્ર રાજ્યનો હીરા ઉદ્યોગમાં મંદીમાથી પસાર થઈ રહ્યો છે. ત્યારે સરકારે એક્શન પ્લાન 2 દિવસમાં બનાવવા કહ્યું હતું. પરંતુ 10 દિવસે પણ કોઈ નિરાકરણ લવાયું નથી. ત્યારે 30 માર્ચે સુરત ડાયમંડ વર્કર યુનિયને હડતાળનું એલાન કર્યું છે. છેલ્લા અઢી વર્ષથી ડાયમંડ ઉદ્યોગમાં મંદી વચ્ચે રત્નકલાકારોની આર્થિક સ્થિતિ કથળી છે. યુનિયનના જણાવ્યા પ્રમાણે, એક વર્ષમાં 50થી વધુ રત્નકલાકારે આપઘાત કર્યા છે છતાં હજી સુધી સરકારે કોઈ ઠોસ પગલાં લીધાં નથી.