Gujarat Weather : કાળઝાળ ગરમીથી લોકો કંટાળ્યા! જાણો હવામાન વિભાગે કયા વિસ્તારો માટે કરી વરસાદની આગાહી? ક્યાં કેટલું તાપમાન નોંધાયું?


  • Published By :
  • Published Date : 2024-06-08 12:33:09

એક તરફ ગુજરાતમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ અનેક જગ્યાઓ પર ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે. કોઈ જગ્યા પર વાદળછાયું વાતાવરણ છે તો કોઈ જગ્યાએ આકાશમાંથી આગ વરસાવતી ગરમી પડી રહી છે.. થોડા દિવસ પહેલા વાતાવરણમાં પલટો આવ્યો હતો, ઠંડક પ્રસરી હતી જેને કારણે લાગતું હતું કે બસ ચોમાસાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. પરંતુ ફરી એક વખત ગરમીના પારાએ માથું ઉચક્યું જેને કારણે ગરમીનો અહેસાસ થવા લાગ્યો. આ બધા વચ્ચે હવામાન વિભાગે અનેક જગ્યાઓ માટે વરસાદની આગાહી કરી છે.


વરસાદની આતુરતાથી લોકો જોઈ રહ્યા છે રાહ

ગરમીથી લોકો કંટાળી ગયા છે.. ગરમીથી છુટકારો જલ્દી મળે તેની રાહ જોઈ રહ્યા છે.. વાદળછાયું વાતાવરણ જ્યારે થાય છે ત્યારે લોકોને આશા જાગે છે કે ચોમાસું આસપાસ છે. મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે એટલે ગુજરાતમાં પણ ગમે ત્યારે ચોમાસાની પધરામણી થશે. એમાં પણ આશા ત્યારે વધે વરસાદની જ્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવતી હોય.. હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારો માટે વરસાદની આગાહી કરવામાં આવી છે.. આગામી પાંચ દિવસો દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે.. 15 જૂનની આસપાસ ચોમાસુ બેસી શકે છે.


આજે આ વિસ્તારોમાં આવી શકે છે વરસાદ 

વરસાદને લઈ હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આજે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, તાપી, નવસારીમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત નર્મદા, છોટા ઉદેપુર, વલસાડ, ડાંગ.છોટા ઉદેપુર સહિતના વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસવાની શરૂઆત પણ થઈ ગઈ છે.. વરસાદને કારણે ગરમીથી આંશિક રાહત મળશે..


ક્યાં કેટલું નોંધાયું તાપમાન?

શુક્રવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 43.00 ડિગ્રી જ્યારે ડીસાનું તાપમાન 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 42.3 ડિગ્રી, વડોદરાનું તાપમાન 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સુરતનું તાપમાન 38.1 ડિગ્રી જ્યારે વલસાડનું તાપમાન 37.6 ડિગ્રી નોંધાયું છે. તે સિવાય રાજકોટનું તાપમાન 42.3 ડિગ્રી જ્યારે સુરેન્દ્રનગરનું તાપમાન 42.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.. તમારા વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો કે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે તે અમને કમેન્ટમાં જણાવજો..  



૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.