Gujarat Weather : કાળઝાળ ગરમીથી લોકો કંટાળ્યા! જાણો હવામાન વિભાગે કયા વિસ્તારો માટે કરી વરસાદની આગાહી? ક્યાં કેટલું તાપમાન નોંધાયું?


  • Published By :
  • Published Date : 2024-06-08 12:33:09

એક તરફ ગુજરાતમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ અનેક જગ્યાઓ પર ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે. કોઈ જગ્યા પર વાદળછાયું વાતાવરણ છે તો કોઈ જગ્યાએ આકાશમાંથી આગ વરસાવતી ગરમી પડી રહી છે.. થોડા દિવસ પહેલા વાતાવરણમાં પલટો આવ્યો હતો, ઠંડક પ્રસરી હતી જેને કારણે લાગતું હતું કે બસ ચોમાસાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. પરંતુ ફરી એક વખત ગરમીના પારાએ માથું ઉચક્યું જેને કારણે ગરમીનો અહેસાસ થવા લાગ્યો. આ બધા વચ્ચે હવામાન વિભાગે અનેક જગ્યાઓ માટે વરસાદની આગાહી કરી છે.


વરસાદની આતુરતાથી લોકો જોઈ રહ્યા છે રાહ

ગરમીથી લોકો કંટાળી ગયા છે.. ગરમીથી છુટકારો જલ્દી મળે તેની રાહ જોઈ રહ્યા છે.. વાદળછાયું વાતાવરણ જ્યારે થાય છે ત્યારે લોકોને આશા જાગે છે કે ચોમાસું આસપાસ છે. મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે એટલે ગુજરાતમાં પણ ગમે ત્યારે ચોમાસાની પધરામણી થશે. એમાં પણ આશા ત્યારે વધે વરસાદની જ્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવતી હોય.. હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારો માટે વરસાદની આગાહી કરવામાં આવી છે.. આગામી પાંચ દિવસો દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે.. 15 જૂનની આસપાસ ચોમાસુ બેસી શકે છે.


આજે આ વિસ્તારોમાં આવી શકે છે વરસાદ 

વરસાદને લઈ હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આજે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, તાપી, નવસારીમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત નર્મદા, છોટા ઉદેપુર, વલસાડ, ડાંગ.છોટા ઉદેપુર સહિતના વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસવાની શરૂઆત પણ થઈ ગઈ છે.. વરસાદને કારણે ગરમીથી આંશિક રાહત મળશે..


ક્યાં કેટલું નોંધાયું તાપમાન?

શુક્રવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 43.00 ડિગ્રી જ્યારે ડીસાનું તાપમાન 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 42.3 ડિગ્રી, વડોદરાનું તાપમાન 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સુરતનું તાપમાન 38.1 ડિગ્રી જ્યારે વલસાડનું તાપમાન 37.6 ડિગ્રી નોંધાયું છે. તે સિવાય રાજકોટનું તાપમાન 42.3 ડિગ્રી જ્યારે સુરેન્દ્રનગરનું તાપમાન 42.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.. તમારા વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો કે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે તે અમને કમેન્ટમાં જણાવજો..  



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"