Gujarat Weather : કાળઝાળ ગરમીથી લોકો કંટાળ્યા! જાણો હવામાન વિભાગે કયા વિસ્તારો માટે કરી વરસાદની આગાહી? ક્યાં કેટલું તાપમાન નોંધાયું?


  • Published By :
  • Published Date : 2024-06-08 12:33:09

એક તરફ ગુજરાતમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ અનેક જગ્યાઓ પર ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે. કોઈ જગ્યા પર વાદળછાયું વાતાવરણ છે તો કોઈ જગ્યાએ આકાશમાંથી આગ વરસાવતી ગરમી પડી રહી છે.. થોડા દિવસ પહેલા વાતાવરણમાં પલટો આવ્યો હતો, ઠંડક પ્રસરી હતી જેને કારણે લાગતું હતું કે બસ ચોમાસાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. પરંતુ ફરી એક વખત ગરમીના પારાએ માથું ઉચક્યું જેને કારણે ગરમીનો અહેસાસ થવા લાગ્યો. આ બધા વચ્ચે હવામાન વિભાગે અનેક જગ્યાઓ માટે વરસાદની આગાહી કરી છે.


વરસાદની આતુરતાથી લોકો જોઈ રહ્યા છે રાહ

ગરમીથી લોકો કંટાળી ગયા છે.. ગરમીથી છુટકારો જલ્દી મળે તેની રાહ જોઈ રહ્યા છે.. વાદળછાયું વાતાવરણ જ્યારે થાય છે ત્યારે લોકોને આશા જાગે છે કે ચોમાસું આસપાસ છે. મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે એટલે ગુજરાતમાં પણ ગમે ત્યારે ચોમાસાની પધરામણી થશે. એમાં પણ આશા ત્યારે વધે વરસાદની જ્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવતી હોય.. હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારો માટે વરસાદની આગાહી કરવામાં આવી છે.. આગામી પાંચ દિવસો દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે.. 15 જૂનની આસપાસ ચોમાસુ બેસી શકે છે.


આજે આ વિસ્તારોમાં આવી શકે છે વરસાદ 

વરસાદને લઈ હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આજે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, તાપી, નવસારીમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત નર્મદા, છોટા ઉદેપુર, વલસાડ, ડાંગ.છોટા ઉદેપુર સહિતના વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસવાની શરૂઆત પણ થઈ ગઈ છે.. વરસાદને કારણે ગરમીથી આંશિક રાહત મળશે..


ક્યાં કેટલું નોંધાયું તાપમાન?

શુક્રવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 43.00 ડિગ્રી જ્યારે ડીસાનું તાપમાન 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 42.3 ડિગ્રી, વડોદરાનું તાપમાન 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સુરતનું તાપમાન 38.1 ડિગ્રી જ્યારે વલસાડનું તાપમાન 37.6 ડિગ્રી નોંધાયું છે. તે સિવાય રાજકોટનું તાપમાન 42.3 ડિગ્રી જ્યારે સુરેન્દ્રનગરનું તાપમાન 42.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.. તમારા વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો કે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે તે અમને કમેન્ટમાં જણાવજો..  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.