Gujarat Weather : કાળઝાળ ગરમીથી લોકો કંટાળ્યા! જાણો હવામાન વિભાગે કયા વિસ્તારો માટે કરી વરસાદની આગાહી? ક્યાં કેટલું તાપમાન નોંધાયું?


  • Published By :
  • Published Date : 2024-06-08 12:33:09

એક તરફ ગુજરાતમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ અનેક જગ્યાઓ પર ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે. કોઈ જગ્યા પર વાદળછાયું વાતાવરણ છે તો કોઈ જગ્યાએ આકાશમાંથી આગ વરસાવતી ગરમી પડી રહી છે.. થોડા દિવસ પહેલા વાતાવરણમાં પલટો આવ્યો હતો, ઠંડક પ્રસરી હતી જેને કારણે લાગતું હતું કે બસ ચોમાસાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. પરંતુ ફરી એક વખત ગરમીના પારાએ માથું ઉચક્યું જેને કારણે ગરમીનો અહેસાસ થવા લાગ્યો. આ બધા વચ્ચે હવામાન વિભાગે અનેક જગ્યાઓ માટે વરસાદની આગાહી કરી છે.


વરસાદની આતુરતાથી લોકો જોઈ રહ્યા છે રાહ

ગરમીથી લોકો કંટાળી ગયા છે.. ગરમીથી છુટકારો જલ્દી મળે તેની રાહ જોઈ રહ્યા છે.. વાદળછાયું વાતાવરણ જ્યારે થાય છે ત્યારે લોકોને આશા જાગે છે કે ચોમાસું આસપાસ છે. મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે એટલે ગુજરાતમાં પણ ગમે ત્યારે ચોમાસાની પધરામણી થશે. એમાં પણ આશા ત્યારે વધે વરસાદની જ્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવતી હોય.. હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારો માટે વરસાદની આગાહી કરવામાં આવી છે.. આગામી પાંચ દિવસો દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે.. 15 જૂનની આસપાસ ચોમાસુ બેસી શકે છે.


આજે આ વિસ્તારોમાં આવી શકે છે વરસાદ 

વરસાદને લઈ હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આજે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, તાપી, નવસારીમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત નર્મદા, છોટા ઉદેપુર, વલસાડ, ડાંગ.છોટા ઉદેપુર સહિતના વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસવાની શરૂઆત પણ થઈ ગઈ છે.. વરસાદને કારણે ગરમીથી આંશિક રાહત મળશે..


ક્યાં કેટલું નોંધાયું તાપમાન?

શુક્રવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 43.00 ડિગ્રી જ્યારે ડીસાનું તાપમાન 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 42.3 ડિગ્રી, વડોદરાનું તાપમાન 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સુરતનું તાપમાન 38.1 ડિગ્રી જ્યારે વલસાડનું તાપમાન 37.6 ડિગ્રી નોંધાયું છે. તે સિવાય રાજકોટનું તાપમાન 42.3 ડિગ્રી જ્યારે સુરેન્દ્રનગરનું તાપમાન 42.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.. તમારા વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો કે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે તે અમને કમેન્ટમાં જણાવજો..  



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.