Gujarat Weather : ગરમીથી લોકો પોકારી ઉઠ્યા ત્રાહિમામ, આ શહેરનું તાપમાન નોંધાયું 45 ડિગ્રીને પાર, જાણો તમારે ત્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-05-20 13:52:51

ગુજરાતના લોકો કાળઝાળ ગરમીને કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે... મે મહિનામાં ગરમીનું વિકરાળ રૂપ જોવા મળી રહ્યું છે.. આકાશમાંથી અગનવર્ષા થઈ રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. ગરમીએ ગુજરાતમાં 45 ડિગ્રી તાપમાનને વટાવી દીધું છે.. રાજ્યના અનેક ભાગોના વિસ્તારો એવા હતા જ્યાંનું તાપમાન 44 ડિગ્રી ઉપર નોંધાયું હોય.. સૌથી વધારે તાપમાન સુરેન્દ્રનગરનું નોંધાયું છે 45.3 જ્યારે અમદાવાદનું તાપમાન 44.9 ડિગ્રી નોંધાયું છે.. 


ઉનાળાની થઈ હતી આકરી શરૂઆત

કાળઝાળ ગરમીનો અહેસાસ હમણાં રાજ્યવાસીઓને થઈ રહ્યો છે.. ગરમીનો આંકડો જાણે પોતાનો જ રેકોર્ડ તોડી રહ્યો છે તેવું લાગી રહ્યું છે.. આ વર્ષની ગરમી આકરી રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ હતી અને વાત સાચી પણ સાબિત થઈ રહી છે.. ઉનાળાની શરૂઆતમાં તાપમાનનો પારો એટલો બધો હતો કે લોકો વિચારતા હતા કે હમણાં આ હાલત છે તે મે મહિનામાં શું થશે? 


ચોમાસાની જોવાઈ રહી છે આતુરતાથી રાહ

મે મહિનામાં ભુક્કા બોલાઈ જાય તેવી ગરમી પડી રહી છે..45 ડિગ્રીનો આંકડો ગરમી પાર કરી ચૂકી છે.. ઉનાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ વરસ્યો હતો જેને કારણે ગરમીથી આંશિક રાહત મળી હતી પરંતુ તે બાદ ફરીથી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે.. અનેક વિસ્તારો માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે... હીટવેવની આગાહી પણ જાહેર કરવામાં આવી હતી.. પ્રતિદન ગરમીનો પારો વધી રહ્યો છે.. ચોમાસું ક્યારે બેસશે તેની આતુરતાથી રાહ લોકો જોઈ રહ્યા છે..


ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

રવિવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 45 ડિગ્રી નજીક પહોંચી ગયું હતું જ્યારે ડીસાનું તાપમાન 45.1 ડિગ્રી નોંધાયું હતું. તે ઉપરાંત ગાંધીનગરનું તાપમાન 44.2, વડોદરાનું તાપમાન 44, વલસાડનું તાપમાન 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભુજનું તાપમાન 42.8 ડિગ્રી, અમરેલી - ભાવનગરમાં 44.6 ડિગ્રી નોંધાયું છે. સુરેન્દ્રનગરનું 45.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મહત્વનું છે કે આ વખતે ચોમાસું જલ્દી બેસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. 



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.