Gujarat Weather : આ વિસ્તારોમાં રહેતા લોકો થઈ જજો સાવધાન.. જાણો 2 જુલાઈ સુધી કેવું રહેશે વાતાવરણ અને આજે ક્યાં આવશે વરસાદ?


  • Published By :
  • Published Date : 2024-06-27 11:51:15

રાજ્યમાં મેઘરાજા ક્યારે જમાવટ કરશે તેની રાહ લોકો આતુરતાથી જોઈ રહ્યા હતા.. આ વખતે ચોમાસાનું આગમન તો ચાર દિવસ પહેલા થઈ ગયું હતું પરંતુ વરસાદ વરસવાની શરૂઆત થોડા દિવસોથી થઈ છે.. અનેક વિસ્તારોમાં વરસાદ થયો હતો પરંતુ મેઘરાજા મન મૂકીને નથી વરસ્યા.. મન મૂકીને વરસાદ પડે તેની પ્રતિક્ષા લોકો જોઈ રહ્યા છે... રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થયો છે. થોડા દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો 84 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધારે વરસાદ મોરબીના ટંકારામાં નોંધાયો હતો.

Image

29 તારીખ સુધી ક્યાં આવી શકે છે વરસાદ? 

હવામાન વિભાગે આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. મોટા ભાગોના સ્થળો પર ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.. 28,29 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર રાજ્યના ઘણો સ્થળો પર ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે. 30 તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં મોટા ભાગોના સ્થળો પર ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે જ્યારે બાકી રહેલા વિસ્તારોના ઘણા સ્થળો પર વરસાદ વરસી શકે છે. 

Image

ક્યારે અને ક્યાં આવી શકે છે વરસાદ? 

તે સિવાય પહેલી જૂલાઈની વાત કરીએ તો કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, જૂનાગઢ, સુરેન્દ્રનગરના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે તે ઉપરાંત બાકી રહેલા જિલ્લાઓના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. બીજી તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર બનાસકાંઠા, અમદાવાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.   

Image

ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

મળતી માહિતી અનુસાર સૌથી વધારે વરસાદ મોરબીના ટંકારામાં નોંધાયો છે. તે સિવાય ગીર સોમનાથના કોડીનારમાં ત્રણ ઈંચથી વધુ, રાજકોટના ગોંડલમાં ત્રણ ઈંચ, જૂનાગઢમાં પણ ત્રણ ઈંચ જ્યારે જૂનાગઢ શહેરમાં પણ ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો  હતો. તે સિવાય ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના દાંતા તાલુકામાં અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે રાજકોટના જેતપુરમાં પણ બે ઈંચ વરસાદ નોંધાયો હતો. મહત્વનું છે કે વરસાદ થવાને કારણે જગતના તાતમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ છે. 

Image


Image

Image


અનેક જગ્યાઓની વરસાદ લઈ શકે છે મુલાકાત!

અનેક સ્થળો એવા છે જ્યાં થોડા ટાઈમ માટે વરસાદ આવે છે..થોડા ટાઈમ માટે પધરામણી કરે છે અને પછી જતા રહે છે, જેના કારણે વધારે બફારાનો સામનો લોકોને કરવો પડે છે. વધારે ઉકળાટનો સામનો લોકોને કરવો પડે છે. સારો વરસાદ આવે અને વાતાવરણમાં ઠંડક પ્રસરે તેની રાહ લોકો જોઈ રહ્યા છે. તમારે ત્યાં કેવું વાતાવરણ છે તે અમને કમેન્ટમાં જણાવજો... 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.