Gujarat Weather : આ વિસ્તારોમાં રહેતા લોકો થઈ જજો સાવધાન.. જાણો 2 જુલાઈ સુધી કેવું રહેશે વાતાવરણ અને આજે ક્યાં આવશે વરસાદ?


  • Published By :
  • Published Date : 2024-06-27 11:51:15

રાજ્યમાં મેઘરાજા ક્યારે જમાવટ કરશે તેની રાહ લોકો આતુરતાથી જોઈ રહ્યા હતા.. આ વખતે ચોમાસાનું આગમન તો ચાર દિવસ પહેલા થઈ ગયું હતું પરંતુ વરસાદ વરસવાની શરૂઆત થોડા દિવસોથી થઈ છે.. અનેક વિસ્તારોમાં વરસાદ થયો હતો પરંતુ મેઘરાજા મન મૂકીને નથી વરસ્યા.. મન મૂકીને વરસાદ પડે તેની પ્રતિક્ષા લોકો જોઈ રહ્યા છે... રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થયો છે. થોડા દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો 84 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધારે વરસાદ મોરબીના ટંકારામાં નોંધાયો હતો.

Image

29 તારીખ સુધી ક્યાં આવી શકે છે વરસાદ? 

હવામાન વિભાગે આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. મોટા ભાગોના સ્થળો પર ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.. 28,29 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર રાજ્યના ઘણો સ્થળો પર ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે. 30 તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં મોટા ભાગોના સ્થળો પર ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે જ્યારે બાકી રહેલા વિસ્તારોના ઘણા સ્થળો પર વરસાદ વરસી શકે છે. 

Image

ક્યારે અને ક્યાં આવી શકે છે વરસાદ? 

તે સિવાય પહેલી જૂલાઈની વાત કરીએ તો કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, જૂનાગઢ, સુરેન્દ્રનગરના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે તે ઉપરાંત બાકી રહેલા જિલ્લાઓના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. બીજી તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર બનાસકાંઠા, અમદાવાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.   

Image

ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

મળતી માહિતી અનુસાર સૌથી વધારે વરસાદ મોરબીના ટંકારામાં નોંધાયો છે. તે સિવાય ગીર સોમનાથના કોડીનારમાં ત્રણ ઈંચથી વધુ, રાજકોટના ગોંડલમાં ત્રણ ઈંચ, જૂનાગઢમાં પણ ત્રણ ઈંચ જ્યારે જૂનાગઢ શહેરમાં પણ ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો  હતો. તે સિવાય ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના દાંતા તાલુકામાં અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે રાજકોટના જેતપુરમાં પણ બે ઈંચ વરસાદ નોંધાયો હતો. મહત્વનું છે કે વરસાદ થવાને કારણે જગતના તાતમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ છે. 

Image


Image

Image


અનેક જગ્યાઓની વરસાદ લઈ શકે છે મુલાકાત!

અનેક સ્થળો એવા છે જ્યાં થોડા ટાઈમ માટે વરસાદ આવે છે..થોડા ટાઈમ માટે પધરામણી કરે છે અને પછી જતા રહે છે, જેના કારણે વધારે બફારાનો સામનો લોકોને કરવો પડે છે. વધારે ઉકળાટનો સામનો લોકોને કરવો પડે છે. સારો વરસાદ આવે અને વાતાવરણમાં ઠંડક પ્રસરે તેની રાહ લોકો જોઈ રહ્યા છે. તમારે ત્યાં કેવું વાતાવરણ છે તે અમને કમેન્ટમાં જણાવજો... 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.