Gujarat Weather : આ વિસ્તારોમાં રહેતા લોકો થઈ જજો સાવધાન.. જાણો 2 જુલાઈ સુધી કેવું રહેશે વાતાવરણ અને આજે ક્યાં આવશે વરસાદ?


  • Published By :
  • Published Date : 2024-06-27 11:51:15

રાજ્યમાં મેઘરાજા ક્યારે જમાવટ કરશે તેની રાહ લોકો આતુરતાથી જોઈ રહ્યા હતા.. આ વખતે ચોમાસાનું આગમન તો ચાર દિવસ પહેલા થઈ ગયું હતું પરંતુ વરસાદ વરસવાની શરૂઆત થોડા દિવસોથી થઈ છે.. અનેક વિસ્તારોમાં વરસાદ થયો હતો પરંતુ મેઘરાજા મન મૂકીને નથી વરસ્યા.. મન મૂકીને વરસાદ પડે તેની પ્રતિક્ષા લોકો જોઈ રહ્યા છે... રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થયો છે. થોડા દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો 84 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધારે વરસાદ મોરબીના ટંકારામાં નોંધાયો હતો.

Image

29 તારીખ સુધી ક્યાં આવી શકે છે વરસાદ? 

હવામાન વિભાગે આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. મોટા ભાગોના સ્થળો પર ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.. 28,29 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર રાજ્યના ઘણો સ્થળો પર ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે. 30 તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં મોટા ભાગોના સ્થળો પર ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે જ્યારે બાકી રહેલા વિસ્તારોના ઘણા સ્થળો પર વરસાદ વરસી શકે છે. 

Image

ક્યારે અને ક્યાં આવી શકે છે વરસાદ? 

તે સિવાય પહેલી જૂલાઈની વાત કરીએ તો કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, જૂનાગઢ, સુરેન્દ્રનગરના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે તે ઉપરાંત બાકી રહેલા જિલ્લાઓના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. બીજી તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર બનાસકાંઠા, અમદાવાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.   

Image

ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

મળતી માહિતી અનુસાર સૌથી વધારે વરસાદ મોરબીના ટંકારામાં નોંધાયો છે. તે સિવાય ગીર સોમનાથના કોડીનારમાં ત્રણ ઈંચથી વધુ, રાજકોટના ગોંડલમાં ત્રણ ઈંચ, જૂનાગઢમાં પણ ત્રણ ઈંચ જ્યારે જૂનાગઢ શહેરમાં પણ ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો  હતો. તે સિવાય ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના દાંતા તાલુકામાં અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે રાજકોટના જેતપુરમાં પણ બે ઈંચ વરસાદ નોંધાયો હતો. મહત્વનું છે કે વરસાદ થવાને કારણે જગતના તાતમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ છે. 

Image


Image

Image


અનેક જગ્યાઓની વરસાદ લઈ શકે છે મુલાકાત!

અનેક સ્થળો એવા છે જ્યાં થોડા ટાઈમ માટે વરસાદ આવે છે..થોડા ટાઈમ માટે પધરામણી કરે છે અને પછી જતા રહે છે, જેના કારણે વધારે બફારાનો સામનો લોકોને કરવો પડે છે. વધારે ઉકળાટનો સામનો લોકોને કરવો પડે છે. સારો વરસાદ આવે અને વાતાવરણમાં ઠંડક પ્રસરે તેની રાહ લોકો જોઈ રહ્યા છે. તમારે ત્યાં કેવું વાતાવરણ છે તે અમને કમેન્ટમાં જણાવજો... 



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.