Gujarat Weather - રાજ્યના આ ભાગમાં પડી શકે છે વરસાદ, હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામીની શું છે આગાહી?


  • Published By :
  • Published Date : 2024-09-28 15:17:46

ફરી એક વખત રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.. અનેક વિસ્તારોમાં મેહુલો મન મૂકીને વરસી રહ્યો છે... ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ છે.. બે ત્રણ દિવસથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે. અનેક વિસ્તારો તો એવા છે જ્યાં વરસાદને કારણે લોકો ત્રસ્ત થઈ ગયા.. જૂનાગઢમાં તો જાણે નદીઓ વહેતી હોય તેવું લાગે છે..તે ઉપરાંત દેવભૂમિ દ્વારકામાં પણ પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.. અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે... ત્યારે આજે ક્યાં વરસાદ થઈ શકે છે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે..

 


કયા વિસ્તારો માટે આપવામાં આવ્યું એલર્ટ 

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવતી આગાહીની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નર્મદા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે...  તે સિવાય મોટા ભાગના વિસ્તારો માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, સુરેન્દ્રનગર માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.. ઉપરાંત અમદાવાદ, આણંદ, વડોદરા, ખેડા, ભરૂચ. નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માટે પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.. તે સિવાય છોટા ઉદેપુર, મહીસાગર, દાહોદ, અરવલ્લી માટે પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે...


 

પરેશ ગોસ્વામીની આગાહી શું છે? 

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરેલી આગાહીની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રના ઘણા ભાગો મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે.  જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની તીવ્રતા ઓછી છે.. તે સિવાય  દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડમાં આજે વરસાદ જોવા મળી શકે છે.. મહત્વનું છે કે આ વખતનું ચોમાસુ લાંબુ છે.. સારો વરસાદ થવાને કારણે રાજ્યમાં અત્યારસુધીમાં અનેક ડેમો ભરાઈ ગયા છે...179 જેટલા જળાશયો હાઈએલર્ટ પર છે અથવા તો એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે.. ત્યારે  તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો.. 



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.