Gujarat Weather - રાજ્યના આ ભાગમાં પડી શકે છે વરસાદ, હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામીની શું છે આગાહી?


  • Published By :
  • Published Date : 2024-09-28 15:17:46

ફરી એક વખત રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.. અનેક વિસ્તારોમાં મેહુલો મન મૂકીને વરસી રહ્યો છે... ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ છે.. બે ત્રણ દિવસથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે. અનેક વિસ્તારો તો એવા છે જ્યાં વરસાદને કારણે લોકો ત્રસ્ત થઈ ગયા.. જૂનાગઢમાં તો જાણે નદીઓ વહેતી હોય તેવું લાગે છે..તે ઉપરાંત દેવભૂમિ દ્વારકામાં પણ પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.. અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે... ત્યારે આજે ક્યાં વરસાદ થઈ શકે છે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે..

 


કયા વિસ્તારો માટે આપવામાં આવ્યું એલર્ટ 

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવતી આગાહીની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નર્મદા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે...  તે સિવાય મોટા ભાગના વિસ્તારો માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, સુરેન્દ્રનગર માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.. ઉપરાંત અમદાવાદ, આણંદ, વડોદરા, ખેડા, ભરૂચ. નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માટે પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.. તે સિવાય છોટા ઉદેપુર, મહીસાગર, દાહોદ, અરવલ્લી માટે પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે...


 

પરેશ ગોસ્વામીની આગાહી શું છે? 

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરેલી આગાહીની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રના ઘણા ભાગો મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે.  જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની તીવ્રતા ઓછી છે.. તે સિવાય  દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડમાં આજે વરસાદ જોવા મળી શકે છે.. મહત્વનું છે કે આ વખતનું ચોમાસુ લાંબુ છે.. સારો વરસાદ થવાને કારણે રાજ્યમાં અત્યારસુધીમાં અનેક ડેમો ભરાઈ ગયા છે...179 જેટલા જળાશયો હાઈએલર્ટ પર છે અથવા તો એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે.. ત્યારે  તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો.. 



ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.