Gujarat Weather - જન્માષ્ટમીના દિવસે વરસાદ ગુજરાતને ઘમરોળશે, હવામાન વિભાગે આ જિલ્લાઓ માટે આપ્યું Red Alert, જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-08-26 10:52:45

ગુજરાતમાં વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છે. અનેક વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. ઓગસ્ટના અંતિમ અઠવાડિયામાં વરસાદ સારો થશે તેની આગાહી કરવામાં આવી રહી હતી અને તે આગાહી સાચી પણ સાબિત થઈ રહી છે. જનમાષ્ટમીના દિવસે ગુજરાતને વરસાદ ઘમરોળી રહ્યો છે. હવામાન વિભાગે અનેક વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો કોઈ વિસ્તાર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.. આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગે કરી છે..



આ વિસ્તારો માટે હવામાન વિભાગે આપ્યું એલર્ટ

આજ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો અતિભારે વરસાદ થવાની શક્યતાઓ અનેક વિસ્તારો માટે કરવામાં આવી છે. એક સાથે અનેક સિસ્ટમ સક્રિય થવાને કારણે વરસાદની તિવ્રતા વધી છે. આજે જે વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ. દાદરા નગર હવેલી, દમણનો સમાવેશ થાય છે.જ્યારે ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.



કેવું રહેશે આવતી કાલે હવામાન?

તે સિવાયના જિલ્લાઓની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીગનર, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી તેમજ ડાંગ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આવતી કાલ એટલે 27 તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, મોરબી, આણંદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. તે સિવાય મોટા ભાગના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 



244 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં વરસાદે કરી ધમાકેદાર બેટિંગ

28 ઓગસ્ટ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ, મોરબી, બોટાદ, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તે ઉપરાંત બાકીના વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 29 તારીખ માટે પણ અનેક વિસ્તારોમાં ઓરેન્જ તેમજ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે છેલ્લા 24 કલાકમાં 244 તાલુકમાં વરસાદ વરસ્યો છે.. તમારે ત્યાં કેવો માહોલ છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.