Gujarat Weather - જન્માષ્ટમીના દિવસે વરસાદ ગુજરાતને ઘમરોળશે, હવામાન વિભાગે આ જિલ્લાઓ માટે આપ્યું Red Alert, જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-08-26 10:52:45

ગુજરાતમાં વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છે. અનેક વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. ઓગસ્ટના અંતિમ અઠવાડિયામાં વરસાદ સારો થશે તેની આગાહી કરવામાં આવી રહી હતી અને તે આગાહી સાચી પણ સાબિત થઈ રહી છે. જનમાષ્ટમીના દિવસે ગુજરાતને વરસાદ ઘમરોળી રહ્યો છે. હવામાન વિભાગે અનેક વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો કોઈ વિસ્તાર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.. આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગે કરી છે..



આ વિસ્તારો માટે હવામાન વિભાગે આપ્યું એલર્ટ

આજ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો અતિભારે વરસાદ થવાની શક્યતાઓ અનેક વિસ્તારો માટે કરવામાં આવી છે. એક સાથે અનેક સિસ્ટમ સક્રિય થવાને કારણે વરસાદની તિવ્રતા વધી છે. આજે જે વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ. દાદરા નગર હવેલી, દમણનો સમાવેશ થાય છે.જ્યારે ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.



કેવું રહેશે આવતી કાલે હવામાન?

તે સિવાયના જિલ્લાઓની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીગનર, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી તેમજ ડાંગ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આવતી કાલ એટલે 27 તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, મોરબી, આણંદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. તે સિવાય મોટા ભાગના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 



244 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં વરસાદે કરી ધમાકેદાર બેટિંગ

28 ઓગસ્ટ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ, મોરબી, બોટાદ, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તે ઉપરાંત બાકીના વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 29 તારીખ માટે પણ અનેક વિસ્તારોમાં ઓરેન્જ તેમજ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે છેલ્લા 24 કલાકમાં 244 તાલુકમાં વરસાદ વરસ્યો છે.. તમારે ત્યાં કેવો માહોલ છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.