Gujarat Weather - જન્માષ્ટમીના દિવસે વરસાદ ગુજરાતને ઘમરોળશે, હવામાન વિભાગે આ જિલ્લાઓ માટે આપ્યું Red Alert, જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-08-26 10:52:45

ગુજરાતમાં વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છે. અનેક વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. ઓગસ્ટના અંતિમ અઠવાડિયામાં વરસાદ સારો થશે તેની આગાહી કરવામાં આવી રહી હતી અને તે આગાહી સાચી પણ સાબિત થઈ રહી છે. જનમાષ્ટમીના દિવસે ગુજરાતને વરસાદ ઘમરોળી રહ્યો છે. હવામાન વિભાગે અનેક વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો કોઈ વિસ્તાર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.. આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગે કરી છે..



આ વિસ્તારો માટે હવામાન વિભાગે આપ્યું એલર્ટ

આજ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો અતિભારે વરસાદ થવાની શક્યતાઓ અનેક વિસ્તારો માટે કરવામાં આવી છે. એક સાથે અનેક સિસ્ટમ સક્રિય થવાને કારણે વરસાદની તિવ્રતા વધી છે. આજે જે વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ. દાદરા નગર હવેલી, દમણનો સમાવેશ થાય છે.જ્યારે ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.



કેવું રહેશે આવતી કાલે હવામાન?

તે સિવાયના જિલ્લાઓની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીગનર, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી તેમજ ડાંગ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આવતી કાલ એટલે 27 તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, મોરબી, આણંદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. તે સિવાય મોટા ભાગના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 



244 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં વરસાદે કરી ધમાકેદાર બેટિંગ

28 ઓગસ્ટ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ, મોરબી, બોટાદ, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તે ઉપરાંત બાકીના વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 29 તારીખ માટે પણ અનેક વિસ્તારોમાં ઓરેન્જ તેમજ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે છેલ્લા 24 કલાકમાં 244 તાલુકમાં વરસાદ વરસ્યો છે.. તમારે ત્યાં કેવો માહોલ છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.