Gujarat Weather - જન્માષ્ટમીના દિવસે વરસાદ ગુજરાતને ઘમરોળશે, હવામાન વિભાગે આ જિલ્લાઓ માટે આપ્યું Red Alert, જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-08-26 10:52:45

ગુજરાતમાં વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છે. અનેક વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. ઓગસ્ટના અંતિમ અઠવાડિયામાં વરસાદ સારો થશે તેની આગાહી કરવામાં આવી રહી હતી અને તે આગાહી સાચી પણ સાબિત થઈ રહી છે. જનમાષ્ટમીના દિવસે ગુજરાતને વરસાદ ઘમરોળી રહ્યો છે. હવામાન વિભાગે અનેક વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો કોઈ વિસ્તાર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.. આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગે કરી છે..



આ વિસ્તારો માટે હવામાન વિભાગે આપ્યું એલર્ટ

આજ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો અતિભારે વરસાદ થવાની શક્યતાઓ અનેક વિસ્તારો માટે કરવામાં આવી છે. એક સાથે અનેક સિસ્ટમ સક્રિય થવાને કારણે વરસાદની તિવ્રતા વધી છે. આજે જે વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ. દાદરા નગર હવેલી, દમણનો સમાવેશ થાય છે.જ્યારે ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.



કેવું રહેશે આવતી કાલે હવામાન?

તે સિવાયના જિલ્લાઓની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીગનર, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી તેમજ ડાંગ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આવતી કાલ એટલે 27 તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, મોરબી, આણંદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. તે સિવાય મોટા ભાગના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 



244 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં વરસાદે કરી ધમાકેદાર બેટિંગ

28 ઓગસ્ટ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ, મોરબી, બોટાદ, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તે ઉપરાંત બાકીના વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 29 તારીખ માટે પણ અનેક વિસ્તારોમાં ઓરેન્જ તેમજ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે છેલ્લા 24 કલાકમાં 244 તાલુકમાં વરસાદ વરસ્યો છે.. તમારે ત્યાં કેવો માહોલ છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.