Gujarat Weather : Red, Orange અને Yellow એલર્ટ બધા એક સાથે...! જાણો ક્યા વિસ્તાર માટે અપાયું રેડ એલર્ટ?


  • Published By :
  • Published Date : 2024-07-01 13:07:21

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. રવિવારે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદે સારી એવી બેટિંગ કરી હતી..છેલ્લા 24 કલાકમાં રાજ્યના 214 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો છે.. સૌથી વધારે સુરતના પલસાણામાં તેમજ જૂનાગઢના માણાવદરમાં વરસાદ ખાબક્યો છે.. આગામી દિવસોમાં ક્યાં વરસાદ વરસી શકે છે તેની આગાહી હવામાન વિભાગે કરી છે. આજ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, સુરત, નવસારી, દમણ, દાદરા નગર હવેલી માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. 

Image



Image

Image

આજ અને આવતી કાલ માટેની જાણી લો આગાહી

તે સિવાય બનાસકાંઠા, પાટણ, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. તે સિવાય બાકી રહેલા જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. બીજી તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, સુરત, નવસારી, વલસાડ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. તે સિવાય બાકી રહેલા વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Image

Image

આ તારીખો દરમિયાન અહીંયા જામશે વરસાદી માહોલ 

ત્રીજી તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, દાહોદ, પંચમહાલ, બનાસકાંઠા, પાટણ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.ચોથી તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, વડોદરા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે..


ગરમીથી મળશે રાહત તેવી લોકોને આશા

તે સિવાય પાંચમી તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર મહેસાણા, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, ગાંધીનગર માટે યલો એલર્ટ જ્યારે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વરસાદની પધરામણી થતા લોકોને આશા જાગી છે કે ગરમીથી જલ્દી રાહત મળશે..  



ક્યાં કેટલો વરસાદ નોંધાયો? 

સૌથી વધારે વરસાદ ક્યારે પડ્યો તેની વાત કરીએ તો સુરતના પલસાણામાં 211 એમએમ વરસાદ વરસ્યો છે જ્યારે જૂનાગઢના માણાવદરમાં 210 એમએમ વરસાદ વરસ્યો છે. તે ઉપરાંત સુરતના મહુવામાં 171એમએમ વરસાદ વરસ્યો છે જ્યારે જૂનાગઢના વંથલીમાં 154 એમએમ વરસાદ વરસ્યો છે. તે સિવાય પોરબંદરના કુતિયાણામાં 146 એમએમ વરસાદ વરસ્યો છે.. ત્યારે તમારે ત્યાં કેવો છે માહોલ તે અમને કમેન્ટમાં જણાવજો..   




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.