Gujarat Weather : Red, Orange અને Yellow એલર્ટ બધા એક સાથે...! જાણો ક્યા વિસ્તાર માટે અપાયું રેડ એલર્ટ?


  • Published By :
  • Published Date : 2024-07-01 13:07:21

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. રવિવારે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદે સારી એવી બેટિંગ કરી હતી..છેલ્લા 24 કલાકમાં રાજ્યના 214 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો છે.. સૌથી વધારે સુરતના પલસાણામાં તેમજ જૂનાગઢના માણાવદરમાં વરસાદ ખાબક્યો છે.. આગામી દિવસોમાં ક્યાં વરસાદ વરસી શકે છે તેની આગાહી હવામાન વિભાગે કરી છે. આજ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, સુરત, નવસારી, દમણ, દાદરા નગર હવેલી માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. 

Image



Image

Image

આજ અને આવતી કાલ માટેની જાણી લો આગાહી

તે સિવાય બનાસકાંઠા, પાટણ, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. તે સિવાય બાકી રહેલા જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. બીજી તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, સુરત, નવસારી, વલસાડ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. તે સિવાય બાકી રહેલા વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Image

Image

આ તારીખો દરમિયાન અહીંયા જામશે વરસાદી માહોલ 

ત્રીજી તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, દાહોદ, પંચમહાલ, બનાસકાંઠા, પાટણ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.ચોથી તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, વડોદરા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે..


ગરમીથી મળશે રાહત તેવી લોકોને આશા

તે સિવાય પાંચમી તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર મહેસાણા, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, ગાંધીનગર માટે યલો એલર્ટ જ્યારે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વરસાદની પધરામણી થતા લોકોને આશા જાગી છે કે ગરમીથી જલ્દી રાહત મળશે..  



ક્યાં કેટલો વરસાદ નોંધાયો? 

સૌથી વધારે વરસાદ ક્યારે પડ્યો તેની વાત કરીએ તો સુરતના પલસાણામાં 211 એમએમ વરસાદ વરસ્યો છે જ્યારે જૂનાગઢના માણાવદરમાં 210 એમએમ વરસાદ વરસ્યો છે. તે ઉપરાંત સુરતના મહુવામાં 171એમએમ વરસાદ વરસ્યો છે જ્યારે જૂનાગઢના વંથલીમાં 154 એમએમ વરસાદ વરસ્યો છે. તે સિવાય પોરબંદરના કુતિયાણામાં 146 એમએમ વરસાદ વરસ્યો છે.. ત્યારે તમારે ત્યાં કેવો છે માહોલ તે અમને કમેન્ટમાં જણાવજો..   




"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.