Gujarat Weather : Red, Orange અને Yellow એલર્ટ બધા એક સાથે...! જાણો ક્યા વિસ્તાર માટે અપાયું રેડ એલર્ટ?


  • Published By :
  • Published Date : 2024-07-01 13:07:21

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. રવિવારે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદે સારી એવી બેટિંગ કરી હતી..છેલ્લા 24 કલાકમાં રાજ્યના 214 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો છે.. સૌથી વધારે સુરતના પલસાણામાં તેમજ જૂનાગઢના માણાવદરમાં વરસાદ ખાબક્યો છે.. આગામી દિવસોમાં ક્યાં વરસાદ વરસી શકે છે તેની આગાહી હવામાન વિભાગે કરી છે. આજ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, સુરત, નવસારી, દમણ, દાદરા નગર હવેલી માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. 

Image



Image

Image

આજ અને આવતી કાલ માટેની જાણી લો આગાહી

તે સિવાય બનાસકાંઠા, પાટણ, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. તે સિવાય બાકી રહેલા જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. બીજી તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, સુરત, નવસારી, વલસાડ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. તે સિવાય બાકી રહેલા વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Image

Image

આ તારીખો દરમિયાન અહીંયા જામશે વરસાદી માહોલ 

ત્રીજી તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, દાહોદ, પંચમહાલ, બનાસકાંઠા, પાટણ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.ચોથી તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, વડોદરા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે..


ગરમીથી મળશે રાહત તેવી લોકોને આશા

તે સિવાય પાંચમી તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર મહેસાણા, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, ગાંધીનગર માટે યલો એલર્ટ જ્યારે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વરસાદની પધરામણી થતા લોકોને આશા જાગી છે કે ગરમીથી જલ્દી રાહત મળશે..  



ક્યાં કેટલો વરસાદ નોંધાયો? 

સૌથી વધારે વરસાદ ક્યારે પડ્યો તેની વાત કરીએ તો સુરતના પલસાણામાં 211 એમએમ વરસાદ વરસ્યો છે જ્યારે જૂનાગઢના માણાવદરમાં 210 એમએમ વરસાદ વરસ્યો છે. તે ઉપરાંત સુરતના મહુવામાં 171એમએમ વરસાદ વરસ્યો છે જ્યારે જૂનાગઢના વંથલીમાં 154 એમએમ વરસાદ વરસ્યો છે. તે સિવાય પોરબંદરના કુતિયાણામાં 146 એમએમ વરસાદ વરસ્યો છે.. ત્યારે તમારે ત્યાં કેવો છે માહોલ તે અમને કમેન્ટમાં જણાવજો..   




ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.