Gujarat Weather - હવામાન વિભાગે આ વિસ્તારો માટે આપ્યું Red Alert, જાણો અતિભારે વરસાદની ક્યાં છે સંભાવના, હવામાન નિષ્ણાંતોની આગાહીએ વધારી ચિંતા!


  • Published By :
  • Published Date : 2024-09-03 12:38:11

ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે.. અનેક વિસ્તારોમાં ભયંકર મેઘ વર્ષા થઈ રહી છે.. શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે મેઘરાજાએ ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કરી છે. સપ્ટેમ્બર મહિનામાં પણ સારો વરસાદ નોંધાઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. તે સિવાય હવામાન નિષ્ણાતો દ્વારા પણ આ અંગે આગાહી કરવામાં આવી છે.. છેલ્લા 24 કલાકમાં 183 તાલુકામાં વરસાદ નોંધાયો છે. બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશરને કારણે ગુજરાતમાં વરસાદ આવી રહ્યો છે. આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. 



આ વિસ્તારોમાં આજે વરસી શકે છે વરસાદ 

હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો ભરૂચ તેમજ સુરત માટે રેડ એલર્ટ આપ્યું છે જ્યારે બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે ઉપરાંત સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાર, છોટા ઉદેપુર, રાજકોટ, અમરેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. તે સિવાય આવતી કાલે પણ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ ભૂક્કા બોલાવી શકે છે.. 


3થી 9 સપ્ટેમ્બર દરમિયાન થઈ શકે છે ભારે વરસાદ 

વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે.. હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાતો દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર ત્રીજીથી નવમી સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર ગુજરાતમાં વરસાદ લાવશે અને આ લો પ્રેશર મજબૂત થઈને ડિપ્રેશનમાં પણ ફેરવાઈ શકે છે તેવી શક્યતા પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આજ માટે આગાહી કરતા તેમણે કહ્યું કે પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, નડિયાદ વડોદરા, છોટાઉદેપુર, રાજપીપળા, દાહોદ, ગોધરામાં વરસાદ નોંધાઈ શકે છે જ્યારે ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છના રાપરમાં વરસાદની તિવ્રતા વધુ રહી છે. 

શું કહે છે અંબાલાલ પટેલની આગાહી?  

પરેશ ગોસ્વામી ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવેલી આગાહીની વાત કરીએ તો 3થી 11 સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં સારો વરસાદ થઈ શકે છે. 6થી 11 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતના વિવિધ ભારોમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તે સિવાય ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં આ તારીખો દરમિયાન સારો વરસાદ નોંધાઈ શકે છે. તેમની આગાહી અનુસાર રાજ્યની અનેક નદીઓમાં પૂર આવી શકે છે. જળસ્તરમાં વધારો થઈ શકે છે. અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે તમારે ત્યાં વરસાદ છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો.. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.