Gujarat Weather - હવામાન વિભાગે આ વિસ્તારો માટે આપ્યું Red Alert, જાણો અતિભારે વરસાદની ક્યાં છે સંભાવના, હવામાન નિષ્ણાંતોની આગાહીએ વધારી ચિંતા!


  • Published By :
  • Published Date : 2024-09-03 12:38:11

ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે.. અનેક વિસ્તારોમાં ભયંકર મેઘ વર્ષા થઈ રહી છે.. શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે મેઘરાજાએ ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કરી છે. સપ્ટેમ્બર મહિનામાં પણ સારો વરસાદ નોંધાઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. તે સિવાય હવામાન નિષ્ણાતો દ્વારા પણ આ અંગે આગાહી કરવામાં આવી છે.. છેલ્લા 24 કલાકમાં 183 તાલુકામાં વરસાદ નોંધાયો છે. બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશરને કારણે ગુજરાતમાં વરસાદ આવી રહ્યો છે. આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. 



આ વિસ્તારોમાં આજે વરસી શકે છે વરસાદ 

હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો ભરૂચ તેમજ સુરત માટે રેડ એલર્ટ આપ્યું છે જ્યારે બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે ઉપરાંત સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાર, છોટા ઉદેપુર, રાજકોટ, અમરેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. તે સિવાય આવતી કાલે પણ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ ભૂક્કા બોલાવી શકે છે.. 


3થી 9 સપ્ટેમ્બર દરમિયાન થઈ શકે છે ભારે વરસાદ 

વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે.. હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાતો દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર ત્રીજીથી નવમી સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર ગુજરાતમાં વરસાદ લાવશે અને આ લો પ્રેશર મજબૂત થઈને ડિપ્રેશનમાં પણ ફેરવાઈ શકે છે તેવી શક્યતા પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આજ માટે આગાહી કરતા તેમણે કહ્યું કે પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, નડિયાદ વડોદરા, છોટાઉદેપુર, રાજપીપળા, દાહોદ, ગોધરામાં વરસાદ નોંધાઈ શકે છે જ્યારે ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છના રાપરમાં વરસાદની તિવ્રતા વધુ રહી છે. 

શું કહે છે અંબાલાલ પટેલની આગાહી?  

પરેશ ગોસ્વામી ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવેલી આગાહીની વાત કરીએ તો 3થી 11 સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં સારો વરસાદ થઈ શકે છે. 6થી 11 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતના વિવિધ ભારોમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તે સિવાય ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં આ તારીખો દરમિયાન સારો વરસાદ નોંધાઈ શકે છે. તેમની આગાહી અનુસાર રાજ્યની અનેક નદીઓમાં પૂર આવી શકે છે. જળસ્તરમાં વધારો થઈ શકે છે. અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે તમારે ત્યાં વરસાદ છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો.. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.