Gujarat Weather - હવામાન વિભાગે આ વિસ્તારો માટે આપ્યું Red Alert, જાણો અતિભારે વરસાદની ક્યાં છે સંભાવના, હવામાન નિષ્ણાંતોની આગાહીએ વધારી ચિંતા!


  • Published By :
  • Published Date : 2024-09-03 12:38:11

ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે.. અનેક વિસ્તારોમાં ભયંકર મેઘ વર્ષા થઈ રહી છે.. શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે મેઘરાજાએ ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કરી છે. સપ્ટેમ્બર મહિનામાં પણ સારો વરસાદ નોંધાઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. તે સિવાય હવામાન નિષ્ણાતો દ્વારા પણ આ અંગે આગાહી કરવામાં આવી છે.. છેલ્લા 24 કલાકમાં 183 તાલુકામાં વરસાદ નોંધાયો છે. બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશરને કારણે ગુજરાતમાં વરસાદ આવી રહ્યો છે. આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. 



આ વિસ્તારોમાં આજે વરસી શકે છે વરસાદ 

હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો ભરૂચ તેમજ સુરત માટે રેડ એલર્ટ આપ્યું છે જ્યારે બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે ઉપરાંત સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાર, છોટા ઉદેપુર, રાજકોટ, અમરેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. તે સિવાય આવતી કાલે પણ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ ભૂક્કા બોલાવી શકે છે.. 


3થી 9 સપ્ટેમ્બર દરમિયાન થઈ શકે છે ભારે વરસાદ 

વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે.. હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાતો દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર ત્રીજીથી નવમી સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર ગુજરાતમાં વરસાદ લાવશે અને આ લો પ્રેશર મજબૂત થઈને ડિપ્રેશનમાં પણ ફેરવાઈ શકે છે તેવી શક્યતા પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આજ માટે આગાહી કરતા તેમણે કહ્યું કે પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, નડિયાદ વડોદરા, છોટાઉદેપુર, રાજપીપળા, દાહોદ, ગોધરામાં વરસાદ નોંધાઈ શકે છે જ્યારે ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છના રાપરમાં વરસાદની તિવ્રતા વધુ રહી છે. 

શું કહે છે અંબાલાલ પટેલની આગાહી?  

પરેશ ગોસ્વામી ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવેલી આગાહીની વાત કરીએ તો 3થી 11 સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં સારો વરસાદ થઈ શકે છે. 6થી 11 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતના વિવિધ ભારોમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તે સિવાય ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં આ તારીખો દરમિયાન સારો વરસાદ નોંધાઈ શકે છે. તેમની આગાહી અનુસાર રાજ્યની અનેક નદીઓમાં પૂર આવી શકે છે. જળસ્તરમાં વધારો થઈ શકે છે. અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે તમારે ત્યાં વરસાદ છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો.. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.