Gujarat Weather : આગામી કલાકો ગુજરાતના આ વિસ્તારો માટે ભારે... જાણો કયા વિસ્તાર માટે હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ...


  • Published By :
  • Published Date : 2024-07-04 15:15:35

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.. મેઘો મન મૂકીને વરસી રહ્યો છે.. છેલ્લા 24 કલાકમાં 110 તાલુકામાં વરાદ વરસ્યો છે જેમાં સૌથી વધારે વરસાદ કડીમાં વરસ્યો હતો. છેલ્લા થોડા દિવસોથી હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારો માટે રેડ એલર્ટ, ઓરેન્જ તેમજ યલો એલર્ટ અપાઈ રહ્યું છે.. આગામી દિવસો દરમિયાન ક્યાં વરસાદ થશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આજે અનેક જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

આ વિસ્તારો માટે જાહેર કરવામાં આવ્યું રેડ એલર્ટ

આજ માટે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે અનુસાર બનાસકાંઠા. સુરત, નર્મદા, તાપી માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે કચ્છ, મોરબી, રાજકોટ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, આણંદ, અરવલ્લી, દાહોદ,મહીસાગર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


જાણો કેવું રહેશે આગામી દિવસોમાં હવામાન?

તે સિવાય પાંચમી તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર બનાસકાંઠા. સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સુરત, નર્મદા, તાપી, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. છઠ્ઠી તેમજ સાતમી તારીખે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.