Gujarat Weather : આગામી કલાકો ગુજરાતના આ વિસ્તારો માટે ભારે... જાણો કયા વિસ્તાર માટે હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ...


  • Published By :
  • Published Date : 2024-07-04 15:15:35

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.. મેઘો મન મૂકીને વરસી રહ્યો છે.. છેલ્લા 24 કલાકમાં 110 તાલુકામાં વરાદ વરસ્યો છે જેમાં સૌથી વધારે વરસાદ કડીમાં વરસ્યો હતો. છેલ્લા થોડા દિવસોથી હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારો માટે રેડ એલર્ટ, ઓરેન્જ તેમજ યલો એલર્ટ અપાઈ રહ્યું છે.. આગામી દિવસો દરમિયાન ક્યાં વરસાદ થશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આજે અનેક જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

આ વિસ્તારો માટે જાહેર કરવામાં આવ્યું રેડ એલર્ટ

આજ માટે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે અનુસાર બનાસકાંઠા. સુરત, નર્મદા, તાપી માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે કચ્છ, મોરબી, રાજકોટ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, આણંદ, અરવલ્લી, દાહોદ,મહીસાગર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


જાણો કેવું રહેશે આગામી દિવસોમાં હવામાન?

તે સિવાય પાંચમી તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર બનાસકાંઠા. સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સુરત, નર્મદા, તાપી, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. છઠ્ઠી તેમજ સાતમી તારીખે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.