Gujarat Weather : આગામી કલાકો ગુજરાતના આ વિસ્તારો માટે ભારે... જાણો કયા વિસ્તાર માટે હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ...


  • Published By :
  • Published Date : 2024-07-04 15:15:35

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.. મેઘો મન મૂકીને વરસી રહ્યો છે.. છેલ્લા 24 કલાકમાં 110 તાલુકામાં વરાદ વરસ્યો છે જેમાં સૌથી વધારે વરસાદ કડીમાં વરસ્યો હતો. છેલ્લા થોડા દિવસોથી હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારો માટે રેડ એલર્ટ, ઓરેન્જ તેમજ યલો એલર્ટ અપાઈ રહ્યું છે.. આગામી દિવસો દરમિયાન ક્યાં વરસાદ થશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આજે અનેક જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

આ વિસ્તારો માટે જાહેર કરવામાં આવ્યું રેડ એલર્ટ

આજ માટે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે અનુસાર બનાસકાંઠા. સુરત, નર્મદા, તાપી માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે કચ્છ, મોરબી, રાજકોટ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, આણંદ, અરવલ્લી, દાહોદ,મહીસાગર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


જાણો કેવું રહેશે આગામી દિવસોમાં હવામાન?

તે સિવાય પાંચમી તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર બનાસકાંઠા. સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સુરત, નર્મદા, તાપી, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. છઠ્ઠી તેમજ સાતમી તારીખે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.