Gujarat Weather : વરસાદની આગાહી વચ્ચે અનેક જગ્યાઓનું તાપમાન પહોંચ્યું 43 ડિગ્રીને પાર, જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-05-17 11:08:47

રાજ્યમાં હાલ બેવડી ઋતુ ચાલી રહી હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે.... કોઈ જિલ્લા માટે વરસાદની આગાહી કરાઈ છે તો કોઈ માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે... કમોસમી વરસાદના રાઉન્ડ બાદ તાપમાનનો પારો સતત વધી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગુરૂવારે અનેક જિલ્લાઓનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે.. વરસાદની આગાહીને પગલે અનેક જિલ્લાઓનું તાપમાન 44 ડિગ્રી પહોંચવાની શક્યતાઓ છે.. અમદાવાદનું તાપમાન 43.6 ડિગ્રી નોંધાયું હતું.. મહત્વનું છે કે વલસાડ માટે આગામી દિવસો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે.. 


47 ડિગ્રીને પાર પહોંચી શકે છે તાપમાન!

એક તરફ અનેક જિલ્લાલઓ માટે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. તાપમાનમાં વધારો થઈ રહ્યો હતો ત્યારે કમોસમી વરસાદ આવ્યો જેને કારણે તાપમાનનો પારો નીચે આવ્યો જેને કારણે ઠંડક પ્રસરી છે.. પરંતુ ગુજરાતમાં આગામી દિવસો દરમિયાન તાપમાનનો પારો વધી શકે છે.. એવી વાત સામે આવી હતી કે 47 ડિગ્રીને પાર તાપમાન પહોંચવાની સંભાવનાઓ છે... બુધવારે અમદાવાદનું તાપમાન 39.6 ડિગ્રી નોંધાયું હતું પરંતુ ગુરૂવારે તાપમાન 43.6 ડિગ્રી પર પહોંચી ગયો.. 17 તારીખ બાદ ગરમીનો પારો સતત વધી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી હતી.. હીટવેવની આગાહી કરવામાં આવતા લોકોમાં ચિંતા વધી ગઈ હતી..


ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

બુધવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું મહત્તમ તાપમાન 43.6 ડિગ્રી નોંધાયું હતું, ડીસાનું પણ તાપમાન 43.6 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 42.5 જ્યારે ગાંધીનગરનું તાપમાન 43.5 ડિગ્રી નોંધાયું છે. વડોદરાનું તાપમાન 42.2, સુરતનું તાપમાન 40.4 ડિગ્રી નોંધાયું છે. તે સિવાય નલિયાનું તાપમાન 38.8 ડિગ્રી જ્યારે ભુજનું તાપમાન 42.9 ડિગ્રી નોંધાયું છે.. અમરેલીનું તાપમાન 41.2 ડિગ્રી જ્યારે પોરબંદરનું તાપમાન 38.6 ડિગ્રી નોંધાયું હતું. તે સિવાય રાજકોટનું તાપમાન 42.4 ડિગ્રી જ્યારે વેરાવળનું તાપમાન 39.2 ડિગ્રી નોંધાયું હતું. સુરેન્દ્રનગરનું તાપમાન 42.3 ડિગ્રી જ્યારે મહુવાનું તાપમાન 41.6 ડિગ્રી નોંધાયું હતું. આગામી દિવસોમાં આ તાપમાનનો પારો હજૂ પણ વધી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે...


આગામી દિવસોમાં વધી શકે છે તાપમાન 

આ વર્ષે ચોમાસુ વહેલું આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. મહત્વનું છે કે તાપમાનમાં થઈ રહેલા સતત વધારાને કારણે લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.. વધતી ગરમીને કારણે લોકો બિમાર પણ પડી રહ્યા છે. ત્યારે તમે પણ પોતાની જાતનું ધ્યાન રાખો.. વધારે પાણી પીવો, લિક્વીડ પદાર્થોનું સેવન કરો, જરૂરી કામ ના હોય તો ઘરની બહાર ના નિકળવું જોઈએ.. અને જો નિકળો છો તો સાવધાની રાખો..  



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.