Gujarat Weather : વરસાદની આગાહી વચ્ચે અનેક જગ્યાઓનું તાપમાન પહોંચ્યું 43 ડિગ્રીને પાર, જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-05-17 11:08:47

રાજ્યમાં હાલ બેવડી ઋતુ ચાલી રહી હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે.... કોઈ જિલ્લા માટે વરસાદની આગાહી કરાઈ છે તો કોઈ માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે... કમોસમી વરસાદના રાઉન્ડ બાદ તાપમાનનો પારો સતત વધી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગુરૂવારે અનેક જિલ્લાઓનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે.. વરસાદની આગાહીને પગલે અનેક જિલ્લાઓનું તાપમાન 44 ડિગ્રી પહોંચવાની શક્યતાઓ છે.. અમદાવાદનું તાપમાન 43.6 ડિગ્રી નોંધાયું હતું.. મહત્વનું છે કે વલસાડ માટે આગામી દિવસો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે.. 


47 ડિગ્રીને પાર પહોંચી શકે છે તાપમાન!

એક તરફ અનેક જિલ્લાલઓ માટે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. તાપમાનમાં વધારો થઈ રહ્યો હતો ત્યારે કમોસમી વરસાદ આવ્યો જેને કારણે તાપમાનનો પારો નીચે આવ્યો જેને કારણે ઠંડક પ્રસરી છે.. પરંતુ ગુજરાતમાં આગામી દિવસો દરમિયાન તાપમાનનો પારો વધી શકે છે.. એવી વાત સામે આવી હતી કે 47 ડિગ્રીને પાર તાપમાન પહોંચવાની સંભાવનાઓ છે... બુધવારે અમદાવાદનું તાપમાન 39.6 ડિગ્રી નોંધાયું હતું પરંતુ ગુરૂવારે તાપમાન 43.6 ડિગ્રી પર પહોંચી ગયો.. 17 તારીખ બાદ ગરમીનો પારો સતત વધી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી હતી.. હીટવેવની આગાહી કરવામાં આવતા લોકોમાં ચિંતા વધી ગઈ હતી..


ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

બુધવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું મહત્તમ તાપમાન 43.6 ડિગ્રી નોંધાયું હતું, ડીસાનું પણ તાપમાન 43.6 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 42.5 જ્યારે ગાંધીનગરનું તાપમાન 43.5 ડિગ્રી નોંધાયું છે. વડોદરાનું તાપમાન 42.2, સુરતનું તાપમાન 40.4 ડિગ્રી નોંધાયું છે. તે સિવાય નલિયાનું તાપમાન 38.8 ડિગ્રી જ્યારે ભુજનું તાપમાન 42.9 ડિગ્રી નોંધાયું છે.. અમરેલીનું તાપમાન 41.2 ડિગ્રી જ્યારે પોરબંદરનું તાપમાન 38.6 ડિગ્રી નોંધાયું હતું. તે સિવાય રાજકોટનું તાપમાન 42.4 ડિગ્રી જ્યારે વેરાવળનું તાપમાન 39.2 ડિગ્રી નોંધાયું હતું. સુરેન્દ્રનગરનું તાપમાન 42.3 ડિગ્રી જ્યારે મહુવાનું તાપમાન 41.6 ડિગ્રી નોંધાયું હતું. આગામી દિવસોમાં આ તાપમાનનો પારો હજૂ પણ વધી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે...


આગામી દિવસોમાં વધી શકે છે તાપમાન 

આ વર્ષે ચોમાસુ વહેલું આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. મહત્વનું છે કે તાપમાનમાં થઈ રહેલા સતત વધારાને કારણે લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.. વધતી ગરમીને કારણે લોકો બિમાર પણ પડી રહ્યા છે. ત્યારે તમે પણ પોતાની જાતનું ધ્યાન રાખો.. વધારે પાણી પીવો, લિક્વીડ પદાર્થોનું સેવન કરો, જરૂરી કામ ના હોય તો ઘરની બહાર ના નિકળવું જોઈએ.. અને જો નિકળો છો તો સાવધાની રાખો..  



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .