Gujarat Weather : વરસાદની આગાહી વચ્ચે અનેક જગ્યાઓનું તાપમાન પહોંચ્યું 43 ડિગ્રીને પાર, જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-05-17 11:08:47

રાજ્યમાં હાલ બેવડી ઋતુ ચાલી રહી હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે.... કોઈ જિલ્લા માટે વરસાદની આગાહી કરાઈ છે તો કોઈ માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે... કમોસમી વરસાદના રાઉન્ડ બાદ તાપમાનનો પારો સતત વધી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગુરૂવારે અનેક જિલ્લાઓનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે.. વરસાદની આગાહીને પગલે અનેક જિલ્લાઓનું તાપમાન 44 ડિગ્રી પહોંચવાની શક્યતાઓ છે.. અમદાવાદનું તાપમાન 43.6 ડિગ્રી નોંધાયું હતું.. મહત્વનું છે કે વલસાડ માટે આગામી દિવસો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે.. 


47 ડિગ્રીને પાર પહોંચી શકે છે તાપમાન!

એક તરફ અનેક જિલ્લાલઓ માટે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. તાપમાનમાં વધારો થઈ રહ્યો હતો ત્યારે કમોસમી વરસાદ આવ્યો જેને કારણે તાપમાનનો પારો નીચે આવ્યો જેને કારણે ઠંડક પ્રસરી છે.. પરંતુ ગુજરાતમાં આગામી દિવસો દરમિયાન તાપમાનનો પારો વધી શકે છે.. એવી વાત સામે આવી હતી કે 47 ડિગ્રીને પાર તાપમાન પહોંચવાની સંભાવનાઓ છે... બુધવારે અમદાવાદનું તાપમાન 39.6 ડિગ્રી નોંધાયું હતું પરંતુ ગુરૂવારે તાપમાન 43.6 ડિગ્રી પર પહોંચી ગયો.. 17 તારીખ બાદ ગરમીનો પારો સતત વધી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી હતી.. હીટવેવની આગાહી કરવામાં આવતા લોકોમાં ચિંતા વધી ગઈ હતી..


ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

બુધવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું મહત્તમ તાપમાન 43.6 ડિગ્રી નોંધાયું હતું, ડીસાનું પણ તાપમાન 43.6 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 42.5 જ્યારે ગાંધીનગરનું તાપમાન 43.5 ડિગ્રી નોંધાયું છે. વડોદરાનું તાપમાન 42.2, સુરતનું તાપમાન 40.4 ડિગ્રી નોંધાયું છે. તે સિવાય નલિયાનું તાપમાન 38.8 ડિગ્રી જ્યારે ભુજનું તાપમાન 42.9 ડિગ્રી નોંધાયું છે.. અમરેલીનું તાપમાન 41.2 ડિગ્રી જ્યારે પોરબંદરનું તાપમાન 38.6 ડિગ્રી નોંધાયું હતું. તે સિવાય રાજકોટનું તાપમાન 42.4 ડિગ્રી જ્યારે વેરાવળનું તાપમાન 39.2 ડિગ્રી નોંધાયું હતું. સુરેન્દ્રનગરનું તાપમાન 42.3 ડિગ્રી જ્યારે મહુવાનું તાપમાન 41.6 ડિગ્રી નોંધાયું હતું. આગામી દિવસોમાં આ તાપમાનનો પારો હજૂ પણ વધી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે...


આગામી દિવસોમાં વધી શકે છે તાપમાન 

આ વર્ષે ચોમાસુ વહેલું આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. મહત્વનું છે કે તાપમાનમાં થઈ રહેલા સતત વધારાને કારણે લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.. વધતી ગરમીને કારણે લોકો બિમાર પણ પડી રહ્યા છે. ત્યારે તમે પણ પોતાની જાતનું ધ્યાન રાખો.. વધારે પાણી પીવો, લિક્વીડ પદાર્થોનું સેવન કરો, જરૂરી કામ ના હોય તો ઘરની બહાર ના નિકળવું જોઈએ.. અને જો નિકળો છો તો સાવધાની રાખો..  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે