Gujarat Weather : ઘટ્યો તાપમાનનો પારો અને વધ્યો ઠંડીનો ચમકારો, જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન અને શું કરાઈ છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-12-26 10:49:58

ઠંડીના ચમકારાનો અનુભવ રાજ્યમાં સતત થઈ રહ્યો છે. ડિસેમ્બરની શરૂઆતમાં માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો. પોતાની આંખોની સામે પાક બળી જશે તેનો ડર ખેડૂતોને સતાવી રહ્યો હતો. કમોસમી વરસાદને લઈને આગાહી કરવામાં આવી પરંતુ તે ખોટી સાબિત થતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો. આવનાર દિવસોમાં ઠંડીનો અહેસાસ વધારે થશે તેવી આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે જેને કારણે તીવ્ર ઠંડીનો અનુભવ થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં ઠંડીનો ચમકારો, ડિસેમ્બરમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડવાની આગાહી |  winter 2019 break past years record cold wave in Gujarat

હિલસ્ટેશન જેવો ગુજરાતમાં થઈ રહ્યો છે અનુભવ 

ગુજરાતમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. અનેક શહેરોમાં તાપમાનનો પારો 17 ડિગ્રીથી નીચે નોંધાયો છે. આવનાર દિવસોમાં આ પારો હજી પણ ગગડી શકે છે જેને કારણે ગુજરાતીઓને હાડ થીજવતી ઠંડી સહન કરવી પડશે. જેમ જેમ શિયાળો આગળ વધી રહ્યો છે તેમ તેમ તાપમાનનો પારો ગગડી રહ્યો છે. વહેલી સવારે તેમજ રાત્રે ઠંડીનો જોરદાર અનુભવ થઈ રહ્યો છે જેને કારણે લોકોને એવો અનુભવ થઈ રહ્યો છે જાણે કે તે હિલસ્ટેશન પર હોય, નાતાલના દિવસે ગુજરાતમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો નલિયાનું તાપમાન 11.4 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે અમદાવાદનું તાપમાન 16.3 ડિગ્રી પર પહોંચ્યું હતું. 


આગામી દિવસોમાં કડકડતી ઠંડીનો થશે અનુભવ  

દેશના અનેક ભાગોમાં ખાસકરીને ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ રહી છે. ઠંડા પવન ફૂંકાવવાને કારણે તેની સીધી અસર ગુજરાતના તાપમાન પર પડી રહી છે. ગુજરાતમાં ધીરે ધીરે કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાનના પારામાં સતત ઘટાડો થતા ઠંડીનો  અહેસાસ થઈ રહ્યો છે. આગામી દિવસોમાં વધારે ઠંડીનો અનુભવ થશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં પણ આવી ઠંડીનો અહેસાસ થતો રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગઈકાલે પડેલી ઠંડીની વાત કરીએ તો અમદાવાદમાં 16.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ડીસાનું તાપમાન 13.4 ડિગ્રી, જ્યારે નલિયાનું તાપમાન 11.4 ડિગ્રી નોંધાયું હતું.

ભાવનગર જિલ્લાના મિની કશ્મીર મહુવામાં ગાત્રો થીજાવતી ઠંડી : તાપમાન

ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

તે ઉપરાંત સુરેન્દ્રનગરમાં 14.8 ડિગ્રી, રાજકોટમાં 13.6 ડિગ્રી, કેશોદમાં 15.5 ડિગ્રી નોંધાયું હતું. ભાવનગરનું તાપમાન 16.8 ડિગ્રી જ્યારે પોરબંદરનું તાપમાન 15.6 ડિગ્રી નોંધાયું છે. વડોદરાનું તાપમાન 15.2 ડિગ્રી, સુરતનું તાપમાન 17.4 ડિગ્રી નોંધાયું છે. ભુજનું તાપમાન 13.7 ડિગ્રી નોંધાયું છે. મહત્વનું છે કે આગામી દિવસોમાં ઠંડીનો પારો હજી વધારે ગગડી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

અંબાલાલ પટેલની મોટી આગાહીઃ ગરમીની સાથે માવઠાનું જોર વધશે, એપ્રિલ-મેમાં શું  થશે?

માવઠાને લઈ અંબાલાલ કાકાએ કરી આ આગાહી 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માવઠાને લઈ આગાહી કરી છે. જેમાં અરબ સાગરમાં સિસ્ટમ સક્રીય થતા રાજ્યમાં વરસાદી ઝાપટા પડી શકે છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. સાથે જ રાજ્યમાં ઉત્તર ભારત તરફથી આવતા પવનોના લીધે ઠંડીમાં વધારો થતા તાપમાન પણ નીચું જશે. ઉત્તરના પવનોના કારણે ઠંડી વધશે તેમજ બર્ફીલા પવનોના કારણે જાન્યુઆરીમાં ઠંડી પડશે. તેમણે ઉમેર્યું હતું કે, અરબ સાગરમાં બની રહેલી સીસ્ટમના કારણે કમોસમી વરસાદ વરસી શકે છે. 29 ડિસેમ્બરથી હવાનું હળવું દબાણ ઉભુ થશે જેને લઈ ગુજરાતના ઉત્તર પૂર્વીય ભાગો તથા કચ્છમાં કમોસમી વરસાદ થવાની સંભવાના છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.