Gujarat Weather : ઘટ્યો તાપમાનનો પારો અને વધ્યો ઠંડીનો ચમકારો, જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન અને શું કરાઈ છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-12-26 10:49:58

ઠંડીના ચમકારાનો અનુભવ રાજ્યમાં સતત થઈ રહ્યો છે. ડિસેમ્બરની શરૂઆતમાં માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો. પોતાની આંખોની સામે પાક બળી જશે તેનો ડર ખેડૂતોને સતાવી રહ્યો હતો. કમોસમી વરસાદને લઈને આગાહી કરવામાં આવી પરંતુ તે ખોટી સાબિત થતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો. આવનાર દિવસોમાં ઠંડીનો અહેસાસ વધારે થશે તેવી આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે જેને કારણે તીવ્ર ઠંડીનો અનુભવ થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં ઠંડીનો ચમકારો, ડિસેમ્બરમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડવાની આગાહી |  winter 2019 break past years record cold wave in Gujarat

હિલસ્ટેશન જેવો ગુજરાતમાં થઈ રહ્યો છે અનુભવ 

ગુજરાતમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. અનેક શહેરોમાં તાપમાનનો પારો 17 ડિગ્રીથી નીચે નોંધાયો છે. આવનાર દિવસોમાં આ પારો હજી પણ ગગડી શકે છે જેને કારણે ગુજરાતીઓને હાડ થીજવતી ઠંડી સહન કરવી પડશે. જેમ જેમ શિયાળો આગળ વધી રહ્યો છે તેમ તેમ તાપમાનનો પારો ગગડી રહ્યો છે. વહેલી સવારે તેમજ રાત્રે ઠંડીનો જોરદાર અનુભવ થઈ રહ્યો છે જેને કારણે લોકોને એવો અનુભવ થઈ રહ્યો છે જાણે કે તે હિલસ્ટેશન પર હોય, નાતાલના દિવસે ગુજરાતમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો નલિયાનું તાપમાન 11.4 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે અમદાવાદનું તાપમાન 16.3 ડિગ્રી પર પહોંચ્યું હતું. 


આગામી દિવસોમાં કડકડતી ઠંડીનો થશે અનુભવ  

દેશના અનેક ભાગોમાં ખાસકરીને ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ રહી છે. ઠંડા પવન ફૂંકાવવાને કારણે તેની સીધી અસર ગુજરાતના તાપમાન પર પડી રહી છે. ગુજરાતમાં ધીરે ધીરે કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાનના પારામાં સતત ઘટાડો થતા ઠંડીનો  અહેસાસ થઈ રહ્યો છે. આગામી દિવસોમાં વધારે ઠંડીનો અનુભવ થશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં પણ આવી ઠંડીનો અહેસાસ થતો રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગઈકાલે પડેલી ઠંડીની વાત કરીએ તો અમદાવાદમાં 16.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ડીસાનું તાપમાન 13.4 ડિગ્રી, જ્યારે નલિયાનું તાપમાન 11.4 ડિગ્રી નોંધાયું હતું.

ભાવનગર જિલ્લાના મિની કશ્મીર મહુવામાં ગાત્રો થીજાવતી ઠંડી : તાપમાન

ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

તે ઉપરાંત સુરેન્દ્રનગરમાં 14.8 ડિગ્રી, રાજકોટમાં 13.6 ડિગ્રી, કેશોદમાં 15.5 ડિગ્રી નોંધાયું હતું. ભાવનગરનું તાપમાન 16.8 ડિગ્રી જ્યારે પોરબંદરનું તાપમાન 15.6 ડિગ્રી નોંધાયું છે. વડોદરાનું તાપમાન 15.2 ડિગ્રી, સુરતનું તાપમાન 17.4 ડિગ્રી નોંધાયું છે. ભુજનું તાપમાન 13.7 ડિગ્રી નોંધાયું છે. મહત્વનું છે કે આગામી દિવસોમાં ઠંડીનો પારો હજી વધારે ગગડી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

અંબાલાલ પટેલની મોટી આગાહીઃ ગરમીની સાથે માવઠાનું જોર વધશે, એપ્રિલ-મેમાં શું  થશે?

માવઠાને લઈ અંબાલાલ કાકાએ કરી આ આગાહી 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માવઠાને લઈ આગાહી કરી છે. જેમાં અરબ સાગરમાં સિસ્ટમ સક્રીય થતા રાજ્યમાં વરસાદી ઝાપટા પડી શકે છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. સાથે જ રાજ્યમાં ઉત્તર ભારત તરફથી આવતા પવનોના લીધે ઠંડીમાં વધારો થતા તાપમાન પણ નીચું જશે. ઉત્તરના પવનોના કારણે ઠંડી વધશે તેમજ બર્ફીલા પવનોના કારણે જાન્યુઆરીમાં ઠંડી પડશે. તેમણે ઉમેર્યું હતું કે, અરબ સાગરમાં બની રહેલી સીસ્ટમના કારણે કમોસમી વરસાદ વરસી શકે છે. 29 ડિસેમ્બરથી હવાનું હળવું દબાણ ઉભુ થશે જેને લઈ ગુજરાતના ઉત્તર પૂર્વીય ભાગો તથા કચ્છમાં કમોસમી વરસાદ થવાની સંભવાના છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે.



પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.