Gujarat Weather : 11 તારીખ બાદ આ જગ્યાઓ માટે કરાઈ કમોસમી વરસાદની આગાહી, જાણો શું તમારા ત્યાં આવશે માવઠું?


  • Published By :
  • Published Date : 2024-05-10 11:44:28

ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે તો બીજી તરફ રાજ્યના અનેક ભાગો માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે..  હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાત દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે.. 11 તારીખ બાદ અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે અને આ આગાહીને કારણે જગતના તાતની ચિંતા વધી છે.. જો વિસ્તારોની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે.. 

News18 Gujarati

જગતના તાતને થાય છે કમોસમી વરસાદથી ભારે નુકસાન

હવામાનમાં આવતા ફેરફારની સીધી અસર આપણને નથી થતી, ગરમીમાં વરસાદ પડે તો આપણને થાય કે ચલો ગરમીથી થોડી રાહત મળશે.. પરંતુ આપણે જગતના તાત દ્વારા પાક પાછળ કરવામાં આવેલી મહેનતને ભૂલી જઈએ છીએ.. પાક સારો જાય એની આશા સાથે તે પાકની સાર સંભાળ લે છે.. સંતાનની જેમ ઉછેરે છે પરંતુ જ્યારે કમોસમી વરસાદ આવે છે ત્યારે તેમની મહેનત પર પાણી ફરી જાય છે.. ત્યારે રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે... 12 તારીખ બાદ રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.. 

News18 Gujarati

News18 Gujarati

ક્યારે ક્યાં માટે કરવામાં આવી કમોસમી વરસાદની આગાહી? 

11 મે માટે કરવામાં આવેલી આગાહી અનુસાર નર્મદા, ડાંગ, નવસારી તેમજ વલસાડમાં વરસાદ વરસી શકે છે જ્યારે અરવલ્લી., સાબરકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, નર્મદા, ડાંગ સહિતના ભાગોમાં માવઠું વરસી શકે છે. તે સિવાય 12 તારીખે સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા, તાપી સહિતના ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.. વલસાડ. નવસારી, ડાંગ, બોટાદ, જામનગર, અમરેલી, ભાવનગર, બોટાદમાં 14 તારીખ દરમિયાન કમોસમી વરસાદ વરસી શકે છે જ્યારે 15 તારીખે વલસાડ, ડાંગ, તાપી તેમજ નવસારીમાં કમોસમી વરસાદ વરસી શકે છે.

News18 Gujarati

News18 Gujarati

ગુરૂવારે ક્યાં કેટલી નોંધાઈ ગરમી? 

ગુરૂવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 43.0 મહત્તમ તાપમાન નોંધાયું હતું. ડીસામાં 40.7 જ્યારે ગાંધીનગરમાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 41.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. વડોદરાનું તાપમાન 40.8 ડિગ્રી જ્યારે સુરતનું તાપમાન 34.0 ડિગ્રી નોંધાયું હતું. વલસાડનું તાપમાન 34.8 ડિગ્રી જ્યારે દમણનું તાપમાન 33.8 ડિગ્રી, ભુજનું તાપમાન 40.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે.. અમરેલીનું તાપમાન 41.2 ડિગ્રી તાપમાન, દ્વારકાનું તાપમાન 33.1 ડિગ્રી નોંધાયું હતું..   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.