Gujarat Weather : રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ, હવામાન વિભાગના એલર્ટથી ખેડૂતો ચિંતિત, જાણો કયા વિસ્તાર માટે કરવામાં આવી આગાહી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-02 12:06:45

ગુજરાતનું વાતાવરણ કોઈ તમને પૂછે તો જવાબ આપતી વખતે તમે confuse થઈ જશો કારણ કે રાજ્યમાં બે નહીં પરંતુ ત્રણેય ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે ઠંડી હોય છે, બપોરે ગરમી હોય છે અને વરસાદ ગમે ત્યારે વરસી શકે છે, શિયાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ આવ્યો હતો જેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો હતો ત્યારે વિદાય લેતી વખતે પણ વરસાદ આવી રહ્યો છે. પેહલી અને બીજી માર્ચ માટે હવામાન વિભાગે આગાહી કરી હતી કે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે અને આગાહી સાચી પણ સાબિત થઈ છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં માવઠાએ ધરતીપુત્રોની ચિંતા વધારી છે. 

રાજ્યના અનેક ભાગોમાં વરસી રહ્યો છે કમોસમી વરસાદ!  

ગ્લોબલ વોર્મિગને કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ગરમીનો પારો સતત વધી રહ્યો છે. શિયાળાના દિવસો દરમિયાન પણ બપોરના સમયે એવી ગરમી લાગતી હતી કે લોકો કહેતા હતા કે શિયાળામાં આવી હાલત છે તો ઉનાળામાં શું થશે? શિયાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ આવ્યો હતો ત્યારે હવે ઉનાળાની શરૂઆત પહેલા કમોસમી વરસાદ આવી રહ્યો છે રાજ્યના અનેક ભાગોમાં. 



હવામાન વિભાગે આ જગ્યાઓ માટે એલર્ટ કર્યું જાહેર 

રાજ્યના અનેક ભાગોમાં વહેલી સવારથી કમોસમી વરસાદ થઈ રહ્યો છે જેને કારણે જગતના તાત ચિંતિત બન્યા છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં માવઠું વરસ્યું છે. સાર્વત્રિક કમોસમી વરસાદ દ્વારકા જિલ્લામાં જોવા મળ્યો છે. હવામાન વિભાગ દ્વારા 20થી વધુ જિલ્લામાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે. એલર્ટની વાત કરીએ તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના જિલ્લાનો સમાવેશ થાય છે. 



અનેક જિલ્લાઓના વાતાવરણમાં આવ્યો પલટો!

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા એલર્ટની વાત કરીએ તો કચ્છ,મોરબી,રાજકોટ,બોટાદ, અમરેલીમાં આપ્યું છે ઉપરાંત ગીરસોમનાથ, બોટાદ,ભાવનગર,સુરેન્દ્રનગર તેમજ અમદાવાદમાં પણ કમોસમી વરસાદને લઈ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે.  પાટણના સાંતલપુર, રાધનપુર તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો ઉપરાંત વાતાવરણ પણ વાદળછાયું લાગતું હતું. 

 

હવામાન પર આધાર હોય છે ખેતીનો!

મહત્વનું છે કે વાતાવરણમાં આવતા પલટાની સીધી અસર આપણને ના થાય પરંતુ આ વાતાવરણમાં થતા ચેન્જની અસર ખેડૂતોને સીધી રીતે થાય. હવામાન પર ખેતી આધારિત રહેતી હોય છે અને જો હવામાનમાં કોઈ પણ ફેરફાર આવે છે તો ખેડૂતોને રડવાનો વારો આવે છે.જ્યારે વરસાદ જોઈતો હોય છે ત્યારે વરસાદ આવતો નથી અને જ્યારે વરસાદ નથી જોઈતો ત્યારે વરસાદ આવે છે.    



ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..