Gujarat Weather : રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ, હવામાન વિભાગના એલર્ટથી ખેડૂતો ચિંતિત, જાણો કયા વિસ્તાર માટે કરવામાં આવી આગાહી?


  • Published By :
  • Published Date : 2024-03-02 12:06:45

ગુજરાતનું વાતાવરણ કોઈ તમને પૂછે તો જવાબ આપતી વખતે તમે confuse થઈ જશો કારણ કે રાજ્યમાં બે નહીં પરંતુ ત્રણેય ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે ઠંડી હોય છે, બપોરે ગરમી હોય છે અને વરસાદ ગમે ત્યારે વરસી શકે છે, શિયાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ આવ્યો હતો જેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો હતો ત્યારે વિદાય લેતી વખતે પણ વરસાદ આવી રહ્યો છે. પેહલી અને બીજી માર્ચ માટે હવામાન વિભાગે આગાહી કરી હતી કે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે અને આગાહી સાચી પણ સાબિત થઈ છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં માવઠાએ ધરતીપુત્રોની ચિંતા વધારી છે. 

રાજ્યના અનેક ભાગોમાં વરસી રહ્યો છે કમોસમી વરસાદ!  

ગ્લોબલ વોર્મિગને કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ગરમીનો પારો સતત વધી રહ્યો છે. શિયાળાના દિવસો દરમિયાન પણ બપોરના સમયે એવી ગરમી લાગતી હતી કે લોકો કહેતા હતા કે શિયાળામાં આવી હાલત છે તો ઉનાળામાં શું થશે? શિયાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ આવ્યો હતો ત્યારે હવે ઉનાળાની શરૂઆત પહેલા કમોસમી વરસાદ આવી રહ્યો છે રાજ્યના અનેક ભાગોમાં. 



હવામાન વિભાગે આ જગ્યાઓ માટે એલર્ટ કર્યું જાહેર 

રાજ્યના અનેક ભાગોમાં વહેલી સવારથી કમોસમી વરસાદ થઈ રહ્યો છે જેને કારણે જગતના તાત ચિંતિત બન્યા છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં માવઠું વરસ્યું છે. સાર્વત્રિક કમોસમી વરસાદ દ્વારકા જિલ્લામાં જોવા મળ્યો છે. હવામાન વિભાગ દ્વારા 20થી વધુ જિલ્લામાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે. એલર્ટની વાત કરીએ તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના જિલ્લાનો સમાવેશ થાય છે. 



અનેક જિલ્લાઓના વાતાવરણમાં આવ્યો પલટો!

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા એલર્ટની વાત કરીએ તો કચ્છ,મોરબી,રાજકોટ,બોટાદ, અમરેલીમાં આપ્યું છે ઉપરાંત ગીરસોમનાથ, બોટાદ,ભાવનગર,સુરેન્દ્રનગર તેમજ અમદાવાદમાં પણ કમોસમી વરસાદને લઈ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે.  પાટણના સાંતલપુર, રાધનપુર તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો ઉપરાંત વાતાવરણ પણ વાદળછાયું લાગતું હતું. 

 

હવામાન પર આધાર હોય છે ખેતીનો!

મહત્વનું છે કે વાતાવરણમાં આવતા પલટાની સીધી અસર આપણને ના થાય પરંતુ આ વાતાવરણમાં થતા ચેન્જની અસર ખેડૂતોને સીધી રીતે થાય. હવામાન પર ખેતી આધારિત રહેતી હોય છે અને જો હવામાનમાં કોઈ પણ ફેરફાર આવે છે તો ખેડૂતોને રડવાનો વારો આવે છે.જ્યારે વરસાદ જોઈતો હોય છે ત્યારે વરસાદ આવતો નથી અને જ્યારે વરસાદ નથી જોઈતો ત્યારે વરસાદ આવે છે.    



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"