Gujarat Weather : રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ, હવામાન વિભાગના એલર્ટથી ખેડૂતો ચિંતિત, જાણો કયા વિસ્તાર માટે કરવામાં આવી આગાહી?


  • Published By :
  • Published Date : 2024-03-02 12:06:45

ગુજરાતનું વાતાવરણ કોઈ તમને પૂછે તો જવાબ આપતી વખતે તમે confuse થઈ જશો કારણ કે રાજ્યમાં બે નહીં પરંતુ ત્રણેય ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે ઠંડી હોય છે, બપોરે ગરમી હોય છે અને વરસાદ ગમે ત્યારે વરસી શકે છે, શિયાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ આવ્યો હતો જેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો હતો ત્યારે વિદાય લેતી વખતે પણ વરસાદ આવી રહ્યો છે. પેહલી અને બીજી માર્ચ માટે હવામાન વિભાગે આગાહી કરી હતી કે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે અને આગાહી સાચી પણ સાબિત થઈ છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં માવઠાએ ધરતીપુત્રોની ચિંતા વધારી છે. 

રાજ્યના અનેક ભાગોમાં વરસી રહ્યો છે કમોસમી વરસાદ!  

ગ્લોબલ વોર્મિગને કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ગરમીનો પારો સતત વધી રહ્યો છે. શિયાળાના દિવસો દરમિયાન પણ બપોરના સમયે એવી ગરમી લાગતી હતી કે લોકો કહેતા હતા કે શિયાળામાં આવી હાલત છે તો ઉનાળામાં શું થશે? શિયાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ આવ્યો હતો ત્યારે હવે ઉનાળાની શરૂઆત પહેલા કમોસમી વરસાદ આવી રહ્યો છે રાજ્યના અનેક ભાગોમાં. 



હવામાન વિભાગે આ જગ્યાઓ માટે એલર્ટ કર્યું જાહેર 

રાજ્યના અનેક ભાગોમાં વહેલી સવારથી કમોસમી વરસાદ થઈ રહ્યો છે જેને કારણે જગતના તાત ચિંતિત બન્યા છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં માવઠું વરસ્યું છે. સાર્વત્રિક કમોસમી વરસાદ દ્વારકા જિલ્લામાં જોવા મળ્યો છે. હવામાન વિભાગ દ્વારા 20થી વધુ જિલ્લામાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે. એલર્ટની વાત કરીએ તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના જિલ્લાનો સમાવેશ થાય છે. 



અનેક જિલ્લાઓના વાતાવરણમાં આવ્યો પલટો!

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા એલર્ટની વાત કરીએ તો કચ્છ,મોરબી,રાજકોટ,બોટાદ, અમરેલીમાં આપ્યું છે ઉપરાંત ગીરસોમનાથ, બોટાદ,ભાવનગર,સુરેન્દ્રનગર તેમજ અમદાવાદમાં પણ કમોસમી વરસાદને લઈ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે.  પાટણના સાંતલપુર, રાધનપુર તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો ઉપરાંત વાતાવરણ પણ વાદળછાયું લાગતું હતું. 

 

હવામાન પર આધાર હોય છે ખેતીનો!

મહત્વનું છે કે વાતાવરણમાં આવતા પલટાની સીધી અસર આપણને ના થાય પરંતુ આ વાતાવરણમાં થતા ચેન્જની અસર ખેડૂતોને સીધી રીતે થાય. હવામાન પર ખેતી આધારિત રહેતી હોય છે અને જો હવામાનમાં કોઈ પણ ફેરફાર આવે છે તો ખેડૂતોને રડવાનો વારો આવે છે.જ્યારે વરસાદ જોઈતો હોય છે ત્યારે વરસાદ આવતો નથી અને જ્યારે વરસાદ નથી જોઈતો ત્યારે વરસાદ આવે છે.    



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.