Gujarat Weather : રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ, હવામાન વિભાગના એલર્ટથી ખેડૂતો ચિંતિત, જાણો કયા વિસ્તાર માટે કરવામાં આવી આગાહી?


  • Published By :
  • Published Date : 2024-03-02 12:06:45

ગુજરાતનું વાતાવરણ કોઈ તમને પૂછે તો જવાબ આપતી વખતે તમે confuse થઈ જશો કારણ કે રાજ્યમાં બે નહીં પરંતુ ત્રણેય ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે ઠંડી હોય છે, બપોરે ગરમી હોય છે અને વરસાદ ગમે ત્યારે વરસી શકે છે, શિયાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ આવ્યો હતો જેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો હતો ત્યારે વિદાય લેતી વખતે પણ વરસાદ આવી રહ્યો છે. પેહલી અને બીજી માર્ચ માટે હવામાન વિભાગે આગાહી કરી હતી કે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે અને આગાહી સાચી પણ સાબિત થઈ છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં માવઠાએ ધરતીપુત્રોની ચિંતા વધારી છે. 

રાજ્યના અનેક ભાગોમાં વરસી રહ્યો છે કમોસમી વરસાદ!  

ગ્લોબલ વોર્મિગને કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ગરમીનો પારો સતત વધી રહ્યો છે. શિયાળાના દિવસો દરમિયાન પણ બપોરના સમયે એવી ગરમી લાગતી હતી કે લોકો કહેતા હતા કે શિયાળામાં આવી હાલત છે તો ઉનાળામાં શું થશે? શિયાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ આવ્યો હતો ત્યારે હવે ઉનાળાની શરૂઆત પહેલા કમોસમી વરસાદ આવી રહ્યો છે રાજ્યના અનેક ભાગોમાં. 



હવામાન વિભાગે આ જગ્યાઓ માટે એલર્ટ કર્યું જાહેર 

રાજ્યના અનેક ભાગોમાં વહેલી સવારથી કમોસમી વરસાદ થઈ રહ્યો છે જેને કારણે જગતના તાત ચિંતિત બન્યા છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં માવઠું વરસ્યું છે. સાર્વત્રિક કમોસમી વરસાદ દ્વારકા જિલ્લામાં જોવા મળ્યો છે. હવામાન વિભાગ દ્વારા 20થી વધુ જિલ્લામાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે. એલર્ટની વાત કરીએ તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના જિલ્લાનો સમાવેશ થાય છે. 



અનેક જિલ્લાઓના વાતાવરણમાં આવ્યો પલટો!

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા એલર્ટની વાત કરીએ તો કચ્છ,મોરબી,રાજકોટ,બોટાદ, અમરેલીમાં આપ્યું છે ઉપરાંત ગીરસોમનાથ, બોટાદ,ભાવનગર,સુરેન્દ્રનગર તેમજ અમદાવાદમાં પણ કમોસમી વરસાદને લઈ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે.  પાટણના સાંતલપુર, રાધનપુર તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો ઉપરાંત વાતાવરણ પણ વાદળછાયું લાગતું હતું. 

 

હવામાન પર આધાર હોય છે ખેતીનો!

મહત્વનું છે કે વાતાવરણમાં આવતા પલટાની સીધી અસર આપણને ના થાય પરંતુ આ વાતાવરણમાં થતા ચેન્જની અસર ખેડૂતોને સીધી રીતે થાય. હવામાન પર ખેતી આધારિત રહેતી હોય છે અને જો હવામાનમાં કોઈ પણ ફેરફાર આવે છે તો ખેડૂતોને રડવાનો વારો આવે છે.જ્યારે વરસાદ જોઈતો હોય છે ત્યારે વરસાદ આવતો નથી અને જ્યારે વરસાદ નથી જોઈતો ત્યારે વરસાદ આવે છે.    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.