Gujarat Weather : 16 તારીખ સુધી આ જિલ્લાઓમાં આવી શકે છે કમોસમી વરસાદ, જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી


  • Published By :
  • Published Date : 2024-05-14 11:46:31

આપણા રાજ્યના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે.. ભર ઉનાળે વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ આવ્યો હતો જેને કારણે જગતના તાતની ચિંતા વધી છે. પાંચ જેટલા તાલુકાઓ તો એવા હતા જ્યાં એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદને કારણે તબાહી મચી છે.. ત્યારે 16 તારીખ સુધી રાજ્યના અનેક ભાગોમાં વરસાદનું સંકટ રહેલું છે.. અનેક ભાગોમાં કડાકા ભડાકા સાથે વરસાદ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.. 


ક્યારે ક્યાં આવી શકે છે વરસાદ? 

ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરણમાં અનિયમિતતા સર્જાઈ છે.. કમોસમી વરસાદ ગમે ત્યારે આવી જાય છે.. શિયાળાની શરૂઆતમાં પણ  માવઠું આવ્યું હતું તો ઉનાળામાં પણ કમોસમી વરસાદ આવી રહ્યો છે... ગઈકાલથી રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે જેને કારણે અનેક જગ્યાઓ પર વરસાદ પડ્યો છે.. આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે...  14 તારીખે રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્ય વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે..


15 તારીખ માટે કરવામાં આવી આ આગાહી

તે ઉપરાંત અમદાવાદ, ખેડા, મહીસાગર, ગાંધીનગર, મહેસાણા, છોટા ઉદેપુર, તાપી, નવસારી, વલસાડ, પંચમહાલ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ સહિતના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે.. તે ઉપરાંત 15 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર બનાસકાંઠા, કચ્છ, અરવલ્લી, સુરત, તાપી, નવસારી, ડાંગ, અમરેલી, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં કમોસમી વરસાદ વરસી શકે છે... 


આ જગ્યાઓ પર વરસી શકે છે કમોસમી વરસાદ 

16 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. આગાહી અનુસાર ગાંધીનગર, અમદાવાદ, દાહોદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, નર્મદા, છોટા ઉદેપુર, આણંદ, તાપી, ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં માવઠું આવી શકે છે.. મહત્વનું છે કે કમોસમી વરસાદની આગાહી કરાતા ખેડૂતોની ચિંતા વધી છે..પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે...   



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.