Gujarat Weather : 16 તારીખ સુધી આ જિલ્લાઓમાં આવી શકે છે કમોસમી વરસાદ, જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી


  • Published By :
  • Published Date : 2024-05-14 11:46:31

આપણા રાજ્યના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે.. ભર ઉનાળે વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ આવ્યો હતો જેને કારણે જગતના તાતની ચિંતા વધી છે. પાંચ જેટલા તાલુકાઓ તો એવા હતા જ્યાં એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદને કારણે તબાહી મચી છે.. ત્યારે 16 તારીખ સુધી રાજ્યના અનેક ભાગોમાં વરસાદનું સંકટ રહેલું છે.. અનેક ભાગોમાં કડાકા ભડાકા સાથે વરસાદ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.. 


ક્યારે ક્યાં આવી શકે છે વરસાદ? 

ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરણમાં અનિયમિતતા સર્જાઈ છે.. કમોસમી વરસાદ ગમે ત્યારે આવી જાય છે.. શિયાળાની શરૂઆતમાં પણ  માવઠું આવ્યું હતું તો ઉનાળામાં પણ કમોસમી વરસાદ આવી રહ્યો છે... ગઈકાલથી રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે જેને કારણે અનેક જગ્યાઓ પર વરસાદ પડ્યો છે.. આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે...  14 તારીખે રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્ય વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે..


15 તારીખ માટે કરવામાં આવી આ આગાહી

તે ઉપરાંત અમદાવાદ, ખેડા, મહીસાગર, ગાંધીનગર, મહેસાણા, છોટા ઉદેપુર, તાપી, નવસારી, વલસાડ, પંચમહાલ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ સહિતના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે.. તે ઉપરાંત 15 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર બનાસકાંઠા, કચ્છ, અરવલ્લી, સુરત, તાપી, નવસારી, ડાંગ, અમરેલી, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં કમોસમી વરસાદ વરસી શકે છે... 


આ જગ્યાઓ પર વરસી શકે છે કમોસમી વરસાદ 

16 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. આગાહી અનુસાર ગાંધીનગર, અમદાવાદ, દાહોદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, નર્મદા, છોટા ઉદેપુર, આણંદ, તાપી, ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં માવઠું આવી શકે છે.. મહત્વનું છે કે કમોસમી વરસાદની આગાહી કરાતા ખેડૂતોની ચિંતા વધી છે..પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે...   



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"