Gujarat Weather : 16 તારીખ સુધી આ જિલ્લાઓમાં આવી શકે છે કમોસમી વરસાદ, જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-14 11:46:31

આપણા રાજ્યના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે.. ભર ઉનાળે વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ આવ્યો હતો જેને કારણે જગતના તાતની ચિંતા વધી છે. પાંચ જેટલા તાલુકાઓ તો એવા હતા જ્યાં એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદને કારણે તબાહી મચી છે.. ત્યારે 16 તારીખ સુધી રાજ્યના અનેક ભાગોમાં વરસાદનું સંકટ રહેલું છે.. અનેક ભાગોમાં કડાકા ભડાકા સાથે વરસાદ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.. 


ક્યારે ક્યાં આવી શકે છે વરસાદ? 

ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરણમાં અનિયમિતતા સર્જાઈ છે.. કમોસમી વરસાદ ગમે ત્યારે આવી જાય છે.. શિયાળાની શરૂઆતમાં પણ  માવઠું આવ્યું હતું તો ઉનાળામાં પણ કમોસમી વરસાદ આવી રહ્યો છે... ગઈકાલથી રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે જેને કારણે અનેક જગ્યાઓ પર વરસાદ પડ્યો છે.. આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે...  14 તારીખે રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્ય વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે..


15 તારીખ માટે કરવામાં આવી આ આગાહી

તે ઉપરાંત અમદાવાદ, ખેડા, મહીસાગર, ગાંધીનગર, મહેસાણા, છોટા ઉદેપુર, તાપી, નવસારી, વલસાડ, પંચમહાલ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ સહિતના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે.. તે ઉપરાંત 15 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર બનાસકાંઠા, કચ્છ, અરવલ્લી, સુરત, તાપી, નવસારી, ડાંગ, અમરેલી, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં કમોસમી વરસાદ વરસી શકે છે... 


આ જગ્યાઓ પર વરસી શકે છે કમોસમી વરસાદ 

16 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. આગાહી અનુસાર ગાંધીનગર, અમદાવાદ, દાહોદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, નર્મદા, છોટા ઉદેપુર, આણંદ, તાપી, ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં માવઠું આવી શકે છે.. મહત્વનું છે કે કમોસમી વરસાદની આગાહી કરાતા ખેડૂતોની ચિંતા વધી છે..પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે...   



વધારે વરસાદ પડવાથી સામાન્ય માણસને વધારે ફરક નથી પડતો પરંતુ જગતના તાતની ચિંતા વધી જાય છે જ્યારે વરસાદ જરૂરિયાત કરતા વધારે વરસે અથવા તો ખેતરમાં પાણી ભરાઈ જાય તો.. સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદે તબાહી સર્જી છે. અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે..

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.