Gujarat Weather : 16 તારીખ સુધી આ જિલ્લાઓમાં આવી શકે છે કમોસમી વરસાદ, જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી


  • Published By :
  • Published Date : 2024-05-14 11:46:31

આપણા રાજ્યના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે.. ભર ઉનાળે વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ આવ્યો હતો જેને કારણે જગતના તાતની ચિંતા વધી છે. પાંચ જેટલા તાલુકાઓ તો એવા હતા જ્યાં એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદને કારણે તબાહી મચી છે.. ત્યારે 16 તારીખ સુધી રાજ્યના અનેક ભાગોમાં વરસાદનું સંકટ રહેલું છે.. અનેક ભાગોમાં કડાકા ભડાકા સાથે વરસાદ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.. 


ક્યારે ક્યાં આવી શકે છે વરસાદ? 

ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરણમાં અનિયમિતતા સર્જાઈ છે.. કમોસમી વરસાદ ગમે ત્યારે આવી જાય છે.. શિયાળાની શરૂઆતમાં પણ  માવઠું આવ્યું હતું તો ઉનાળામાં પણ કમોસમી વરસાદ આવી રહ્યો છે... ગઈકાલથી રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે જેને કારણે અનેક જગ્યાઓ પર વરસાદ પડ્યો છે.. આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે...  14 તારીખે રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્ય વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે..


15 તારીખ માટે કરવામાં આવી આ આગાહી

તે ઉપરાંત અમદાવાદ, ખેડા, મહીસાગર, ગાંધીનગર, મહેસાણા, છોટા ઉદેપુર, તાપી, નવસારી, વલસાડ, પંચમહાલ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ સહિતના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે.. તે ઉપરાંત 15 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર બનાસકાંઠા, કચ્છ, અરવલ્લી, સુરત, તાપી, નવસારી, ડાંગ, અમરેલી, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં કમોસમી વરસાદ વરસી શકે છે... 


આ જગ્યાઓ પર વરસી શકે છે કમોસમી વરસાદ 

16 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. આગાહી અનુસાર ગાંધીનગર, અમદાવાદ, દાહોદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, નર્મદા, છોટા ઉદેપુર, આણંદ, તાપી, ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં માવઠું આવી શકે છે.. મહત્વનું છે કે કમોસમી વરસાદની આગાહી કરાતા ખેડૂતોની ચિંતા વધી છે..પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે...   



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.