Gujarat Weather Update : આ જિલ્લાઓમાં રહેતા લોકો સાથે રાખજો છત્રી, ગમે ત્યારે આવી શકે છે કમોસમી વરસાદ...!


  • Published By :
  • Published Date : 2024-05-15 13:36:46

ગુજરાતમાં ભરઉનાળે વરસાદી માહોલ જામ્યો છે.. અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે જગતના તાતની ચિંતા વધી છે.. માવઠાને કારણે ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે. એક તરફ કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો તો બીજી તરફ અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. 16 તારીખ સુધી રાજ્યના અનેક ભાગોમાં વરસાદ આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે... 17 તારીખ બાદ કાળઝાળ ગરમીનો અનુભવ થઈ શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે..


પાકને થાય છે કમોસમી વરસાદથી ભારે નુકસાન 

કમોસમી વરસાદ થવાને કારણે વાતાવરણમાં તો ઠંડક પ્રસરે છે પરંતુ ખેડૂતોની સ્થિતિ દયનિય બની જાય છે. પાક પર પાણી ફરી જાય છે... 16 તારીખ સુધી રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદનું સંકટ તોડાઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી અનુસાર આજે મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, નવસારી, વલસાડ, ડાંગ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.


આ જગ્યાઓ પર વરસી શકે છે કમોસમી વરસાદ 

તે ઉપરાંત 16 તારીખે રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, તાપી, ડાંગ, વલસાડ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત 17 તારીખે નવસારી, વલસાડ, ડાંગ, દમણ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે.. મહત્વનું છે કે વાતાવરણમાં આવેલા પલટાને કારણે કોઈ પણ સિઝનમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. શિયાળામાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો અને ઉનાળામાં પણ વરસી રહ્યો છે. 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"