Gujarat Weather Update : આ જિલ્લાઓમાં રહેતા લોકો સાથે રાખજો છત્રી, ગમે ત્યારે આવી શકે છે કમોસમી વરસાદ...!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-15 13:36:46

ગુજરાતમાં ભરઉનાળે વરસાદી માહોલ જામ્યો છે.. અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે જગતના તાતની ચિંતા વધી છે.. માવઠાને કારણે ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે. એક તરફ કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો તો બીજી તરફ અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. 16 તારીખ સુધી રાજ્યના અનેક ભાગોમાં વરસાદ આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે... 17 તારીખ બાદ કાળઝાળ ગરમીનો અનુભવ થઈ શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે..


પાકને થાય છે કમોસમી વરસાદથી ભારે નુકસાન 

કમોસમી વરસાદ થવાને કારણે વાતાવરણમાં તો ઠંડક પ્રસરે છે પરંતુ ખેડૂતોની સ્થિતિ દયનિય બની જાય છે. પાક પર પાણી ફરી જાય છે... 16 તારીખ સુધી રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદનું સંકટ તોડાઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી અનુસાર આજે મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, નવસારી, વલસાડ, ડાંગ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.


આ જગ્યાઓ પર વરસી શકે છે કમોસમી વરસાદ 

તે ઉપરાંત 16 તારીખે રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, તાપી, ડાંગ, વલસાડ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત 17 તારીખે નવસારી, વલસાડ, ડાંગ, દમણ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે.. મહત્વનું છે કે વાતાવરણમાં આવેલા પલટાને કારણે કોઈ પણ સિઝનમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. શિયાળામાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો અને ઉનાળામાં પણ વરસી રહ્યો છે. 



ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

જ્ઞાન સહાયક જે માટે વિદ્યાર્થીઓ આટલું લડ્યા ગાંધીનગરના રસ્તાઓ પર ઢસડાયા અને અંતે સરકારે ભરતી તો બહાર પડી પણ હવે એ લટકતી તલવાર જેવી સ્થિતી છે કારણ કે હવે સરકારે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરી છે એટલે હવે કાયમી શિક્ષકોની ભરતીનું શું? કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું....

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.