Gujarat Weather Update : આ જિલ્લાઓમાં રહેતા લોકો સાથે રાખજો છત્રી, ગમે ત્યારે આવી શકે છે કમોસમી વરસાદ...!


  • Published By :
  • Published Date : 2024-05-15 13:36:46

ગુજરાતમાં ભરઉનાળે વરસાદી માહોલ જામ્યો છે.. અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે જગતના તાતની ચિંતા વધી છે.. માવઠાને કારણે ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે. એક તરફ કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો તો બીજી તરફ અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. 16 તારીખ સુધી રાજ્યના અનેક ભાગોમાં વરસાદ આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે... 17 તારીખ બાદ કાળઝાળ ગરમીનો અનુભવ થઈ શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે..


પાકને થાય છે કમોસમી વરસાદથી ભારે નુકસાન 

કમોસમી વરસાદ થવાને કારણે વાતાવરણમાં તો ઠંડક પ્રસરે છે પરંતુ ખેડૂતોની સ્થિતિ દયનિય બની જાય છે. પાક પર પાણી ફરી જાય છે... 16 તારીખ સુધી રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદનું સંકટ તોડાઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી અનુસાર આજે મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, નવસારી, વલસાડ, ડાંગ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.


આ જગ્યાઓ પર વરસી શકે છે કમોસમી વરસાદ 

તે ઉપરાંત 16 તારીખે રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, તાપી, ડાંગ, વલસાડ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત 17 તારીખે નવસારી, વલસાડ, ડાંગ, દમણ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે.. મહત્વનું છે કે વાતાવરણમાં આવેલા પલટાને કારણે કોઈ પણ સિઝનમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. શિયાળામાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો અને ઉનાળામાં પણ વરસી રહ્યો છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે