Gujarat Weather Update : આ જિલ્લાઓમાં રહેતા લોકો સાથે રાખજો છત્રી, ગમે ત્યારે આવી શકે છે કમોસમી વરસાદ...!


  • Published By :
  • Published Date : 2024-05-15 13:36:46

ગુજરાતમાં ભરઉનાળે વરસાદી માહોલ જામ્યો છે.. અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે જગતના તાતની ચિંતા વધી છે.. માવઠાને કારણે ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે. એક તરફ કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો તો બીજી તરફ અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. 16 તારીખ સુધી રાજ્યના અનેક ભાગોમાં વરસાદ આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે... 17 તારીખ બાદ કાળઝાળ ગરમીનો અનુભવ થઈ શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે..


પાકને થાય છે કમોસમી વરસાદથી ભારે નુકસાન 

કમોસમી વરસાદ થવાને કારણે વાતાવરણમાં તો ઠંડક પ્રસરે છે પરંતુ ખેડૂતોની સ્થિતિ દયનિય બની જાય છે. પાક પર પાણી ફરી જાય છે... 16 તારીખ સુધી રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદનું સંકટ તોડાઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી અનુસાર આજે મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, નવસારી, વલસાડ, ડાંગ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.


આ જગ્યાઓ પર વરસી શકે છે કમોસમી વરસાદ 

તે ઉપરાંત 16 તારીખે રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, તાપી, ડાંગ, વલસાડ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત 17 તારીખે નવસારી, વલસાડ, ડાંગ, દમણ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે.. મહત્વનું છે કે વાતાવરણમાં આવેલા પલટાને કારણે કોઈ પણ સિઝનમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. શિયાળામાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો અને ઉનાળામાં પણ વરસી રહ્યો છે. 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.